લઘુકથા:પિતાની સમજણ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/fathers-understanding-135229505.html
નીલમ વ્યાસ ‘દુર્ગા’ ‘કાયમની જેમ આ વખતે પણ રિયા અડધો પગાર પિયરમાં આપવાની વિચિત્ર શરત મૂકશે તો? કેટલાય સારાં-સારાં માંગા આમ જ રિજેક્ટ થયાં!’
ઉદાસીએ મધુબહેનને ભરડો લીધો. પુત્ર નહીં હોવાનો કદાચ પહેલી વખત અફસોસ પણ અનુભવાયો.
‘આપણે થોડા આપણા સિદ્ધાંતો નેવે મૂકીશું? પરિણીત દીકરીના ઘરનું તો પાણી પણ ન પિવાય.’ રસિકભાઈએ પત્નીને આશ્વાસન આપ્યું.
મહેમાનો આવ્યા અને બધી વ્યાવહારિક વાતો થઈ. મુરતિયાએ પણ રસિકભાઈ સમક્ષ પોતાની શરત રજૂ કરી.
‘અંકલ, તમે તમારી એકની એક દીકરીને બધી જ પ્રોપર્ટી આપવાનાં છોને? જો હું તમારો જમાઈ બનીશ તો તમારે આજીવન મારાં માતા-પિતા બનીને અમારી સાથે જ રહેવું પડશે, જો તમે તમારો હૂંફ અને સંભાળનો હક સ્વીકારશો તો જ હું મારી પત્નીને એનો પિયરનો હક સ્વીકારવા દઈશ. બોલો છે મંજૂર?’
‘ફાધર્સ ડે’ના અવસરે રસિકભાઈએ જૂનવાણી સિદ્ધાંતનું સ્થાન સ્નેહભર્યા સ્વમાનને આપ્યું. વરઘોડિયાને આશીર્વાદ આપતી વેળાએ એમને બરોબર સમજાય ગયું કે દીકરો હોય કે દીકરી, વહુ હોય કે જમાઈ, સંસ્કારી સંતાન હોવું એ દરેક પિતા માટે ગર્વની વાત બની રહે. નૈતિકતા સાથે કરેલો ઉછેર માત્ર એક દિવસની જ નહીં પણ સમગ્ર જીવનની ઉજવણીનો નિમિત્ત બન્યો. }
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/fathers-understanding-135229505.html
નીલમ વ્યાસ ‘દુર્ગા’ ‘કાયમની જેમ આ વખતે પણ રિયા અડધો પગાર પિયરમાં આપવાની વિચિત્ર શરત મૂકશે તો? કેટલાય સારાં-સારાં માંગા આમ જ રિજેક્ટ થયાં!’
ઉદાસીએ મધુબહેનને ભરડો લીધો. પુત્ર નહીં હોવાનો કદાચ પહેલી વખત અફસોસ પણ અનુભવાયો.
‘આપણે થોડા આપણા સિદ્ધાંતો નેવે મૂકીશું? પરિણીત દીકરીના ઘરનું તો પાણી પણ ન પિવાય.’ રસિકભાઈએ પત્નીને આશ્વાસન આપ્યું.
મહેમાનો આવ્યા અને બધી વ્યાવહારિક વાતો થઈ. મુરતિયાએ પણ રસિકભાઈ સમક્ષ પોતાની શરત રજૂ કરી.
‘અંકલ, તમે તમારી એકની એક દીકરીને બધી જ પ્રોપર્ટી આપવાનાં છોને? જો હું તમારો જમાઈ બનીશ તો તમારે આજીવન મારાં માતા-પિતા બનીને અમારી સાથે જ રહેવું પડશે, જો તમે તમારો હૂંફ અને સંભાળનો હક સ્વીકારશો તો જ હું મારી પત્નીને એનો પિયરનો હક સ્વીકારવા દઈશ. બોલો છે મંજૂર?’
‘ફાધર્સ ડે’ના અવસરે રસિકભાઈએ જૂનવાણી સિદ્ધાંતનું સ્થાન સ્નેહભર્યા સ્વમાનને આપ્યું. વરઘોડિયાને આશીર્વાદ આપતી વેળાએ એમને બરોબર સમજાય ગયું કે દીકરો હોય કે દીકરી, વહુ હોય કે જમાઈ, સંસ્કારી સંતાન હોવું એ દરેક પિતા માટે ગર્વની વાત બની રહે. નૈતિકતા સાથે કરેલો ઉછેર માત્ર એક દિવસની જ નહીં પણ સમગ્ર જીવનની ઉજવણીનો નિમિત્ત બન્યો. }
વસુંધરાનાં વહાલાં દવલાં:32 ટકા ભારતીયોને ગ્લોબલ વોર્મિંગની ખબર નથી!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/32-percent-of-indians-are-unaware-of-global-warming-135229441.html
બલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ અને તેની અસરો સામાન્ય માણસને એટલી હદે અસર કરી રહી છે કે, હજુ ચોમાસુ બેસવાને વાર છે પણ આજે ગરમીથી બચવા ગામડામાં ત્રણમાંથી બે ઘરમાં એ. સી. જોવા મળી રહ્યા છે, જ્યાં આંગણામાં લીમડા પણ લહેરાય છે. જો કે આ વચ્ચે એક રસપ્રદ અભ્યાસનું તારણ સામે આવ્યું છે કે, 32ટકા ભારતીયોને ગ્લોબલ વોર્મિંગ શું એ જ ખબર નથી.
જેમ જેમ વાતાવરણ ગરમ થાય છે, તેમ તેમ સમગ્ર ભારતમાં હવામાનની ઘટનાઓ વધુ ગંભીર બની રહી છે. ભારતીયોએ તાજેતરમાં ભારે હીટ વેવ, પૂર, પાણીની અછત અને અનિયમિત ચોમાસાના પેટર્નનો અનુભવ કર્યો છે. આ ઘટનાઓ માત્ર જીવન અને આજીવિકાને નુકસાન પહોંચાડતી નથી પણ લોકો આબોહવા પરિવર્તન અને ભારે હવામાન બંનેને કેવી રીતે જુએ છે તે પણ આકાર આપે છે.
આ ઘટનાઓ વિશેના જાહેર અનુભવો અને ચિંતાઓને વધુ સારી રીતે સમજવા માટે, યેલ પ્રોગ્રામ ઓન ક્લાઇમેટ ચેન્જ કોમ્યુનિકેશન અને સી-વોટરએ એ 5 ડિસેમ્બર, 2024થી 18 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ભારતમાં 10,751 લોકોનો સર્વે કર્યો હતો. આત્યંતિક હવામાન અથવા તેમના સ્થાનિક વિસ્તારને નુકસાન પહોંચાડતી સંબંધિત અસરો વિશે મોટાભાગના લોકો ચિંતિત છે.
મોટા ભાગના લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 મહિનામાં તેમણે ઓછામાં ઓછી એક આત્યંતિક હવામાન ઘટના અથવા સંબંધિત અસરનો અનુભવ કર્યો છે. લોકોએ તીવ્ર ગરમીનાં મોજાં (71 ટકા), કૃષિ જીવાત અને રોગો (60 ટકા), વીજળી ગુલ (59 ટકા), જળ પ્રદૂષણ (53 ટકા), દુષ્કાળ અને પાણીની અછત (52 ટકા), અને ગંભીર વાયુ પ્રદૂષણ (52 ટકા) નો અનુભવ કર્યો છે.
જો કે, ભારતમાં નોંધપાત્ર પ્રમાણમાં, 32 ટકા લોકોએ ગ્લોબલ વોર્મિંગ વિશે ક્યારેય સાંભળ્યું નથી. આ તારણો આબોહવા પરિવર્તન અને સ્થાનિક આબોહવાની અસરો વિશે જાહેર જાગૃતિ લાવવાની મહત્ત્વની જરૂરિયાત પર ભાર મૂકે છે અને કાર્બન પ્રદૂષણ ઘટાડવા અને ભવિષ્યમાં આત્યંતિક ઘટનાઓ માટે તૈયારી કરવાની તાકીદને મજબૂત બનાવે છે.
ઓસ્ટ્રેલિયા કરતાં પાંચ ગણો મોટો સમુદ્ર,
ગરમીનાં મોજાંની ચપેટમાં
‘વર્લ્ડ મેટિઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન’ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, દક્ષિણ-પૂર્વ એશિયા અને પેસિફિકની આસપાસનો લગભગ ચાર કરોડ ચો. કિ. મી. સમુદ્ર - જે ઓસ્ટ્રેલિયા કરતાં પાંચ ગણો મોટો વિસ્તાર છે, તે 2024માં દરિયાઈ ગરમીનાં મોજાંની ચપેટમાં આવ્યો છે, જેનાં ગંભીર પરિણામો સામે આવી રહ્યાં છે.
WMOના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, જમીન અને સમુદ્રમાં રેકોર્ડ ગરમી - મુખ્યત્વે આબોહવા કટોકટીને કારણે ઊભી થઇ હતી અને ફિલિપાઇન્સમાં ઘાતક ભૂસ્ખલનથી લઈને ઓસ્ટ્રેલિયામાં પૂર અને ઇન્ડોનેશિયામાં હિમનદીઓના ઝડપી નુકસાન સુધીની ભારે હવામાન ઘટનાઓ સાથે સુસંગત હતી. આ પ્રદેશ 1991 અને 2020 વચ્ચે નોંધાયેલા સરેરાશ કરતાં 0.48 ડિગ્રી વધુ ગરમ હતો.
‘યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ’ના આબોહવા વૈજ્ઞાનિક એસોસિયેટ પ્રોફેસર એલેક્સ સેનગુપ્તા કહે છે, ‘ગરમીનું મોજું ખૂબ નોંધપાત્ર હતું. અમે ખરેખર આવું ક્યારેય જોયું નથી અને અમે આટલો મોટો ઉછાળો કેમ જોયો તે સમજાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. ગરમીના મોજાંએ સમુદ્રમાં ઘણા જીવો પર પ્રેશર ઊભું કર્યું છે, જો આમ જ રહ્યું તો, કાં તો જીવતંત્ર અન્ય ખાંસી જશે અથવા મરી જશે.’
રિપોર્ટના કેટલાક મુખ્ય અંશો
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફિલિપાઇન્સમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા 93 લોકો માર્યા ગયા.
ઓસ્ટ્રેલિયામાં સિઝનની શરૂઆતમાં ગરમીનાં મોજાંને કારણે દેશના મધ્યમાં ઓગસ્ટમાં રેકોર્ડ તાપમાન નોંધાયું.
સિંગાપોર અને મલેશિયામાં ભારે પૂર : 1,37 લાખ લોકો વિસ્થાપિત થયા અને છ લોકોના મોત.
માર્ચમાં ઇન્ડોનેશિયન ટાપુ સુમાત્રા પર અચાનક પૂર અને 2024ની શરૂઆતમાં ઉત્તર ઓસ્ટ્રેલિયામાં મોટું પૂર.
ઇન્ડોનેશિયાના ન્યુ ગિની ટાપુના પશ્ચિમમાં હિમનદીઓનું ઝડપી નુકસાન, 2026 સુધીમાં અથવા તે પછી તરત જ કુલ બરફનું નુકસાન થઈ શકે છે.
ફિલિપાઇન્સમાં 12 ઉષ્ણકટિબંધીય ચક્રવાતો આવ્યા ; સરેરાશ કરતાં બમણું - 43 કરોડ ડોલરનું નુકસાન
ઓસ્ટ્રેલિયામાં બરફની મોસમ ‘અસામાન્ય રીતે વહેલી’ સમાપ્ત થઈ.
પવનની પાંખે ઊર્જાનો સંચાર ; વિશ્વમાં ભારતનું ચોથું સ્થાન
હાઇલાઇટ- 15 જૂન : વિશ્વ પવન દિવસ
ગુજરાતમાં 120 મીટર ઊંચાઈએ 142.56, 150 મીટર ઊંચાઈએ 180.8 ગીગાવોટની પવનઊર્જા
ગ્લોબલ વિન્ડ ડે, એટલે કે વિશ્વ પવન દિવસની, દર વર્ષે ૧૫ જૂને પવન ઊર્જા અને ઊર્જા પ્રણાલીઓને આકાર આપવાની તેની ક્ષમતા વિશે જાગૃતિ લાવવા માટે ઊજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ પવન ઊર્જાના ફાયદાઓને ઉજાગર કરવાનો, તેના વિવિધ ઉપયોગો દર્શાવવાનો અને ટકાઉ ઊર્જા ઉકેલોને પ્રોત્સાહન આપવાનો છે.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/32-percent-of-indians-are-unaware-of-global-warming-135229441.html
બલ વોર્મિંગ, ક્લાઈમેટ ચેન્જ અને તેની અસરો સામાન્ય માણસને એટલી હદે અસર કરી રહી છે કે, હજુ ચોમાસુ બેસવાને વાર છે પણ આજે ગરમીથી બચવા ગામડામાં ત્રણમાંથી બે ઘરમાં એ. સી. જોવા મળી રહ્યા છે, જ્યાં આંગણામાં લીમડા પણ લહેરાય છે. જો કે આ વચ્ચે એક રસપ્રદ અભ્યાસનું તારણ સામે આવ્યું છે કે, 32ટકા ભારતીયોને ગ્લોબલ વોર્મિંગ શું એ જ ખબર નથી.
જેમ જેમ વાતાવરણ ગરમ થાય છે, તેમ તેમ સમગ્ર ભારતમાં હવામાનની ઘટનાઓ વધુ ગંભીર બની રહી છે. ભારતીયોએ તાજેતરમાં ભારે હીટ વેવ, પૂર, પાણીની અછત અને અનિયમિત ચોમાસાના પેટર્નનો અનુભવ કર્યો છે. આ ઘટનાઓ માત્ર જીવન અને આજીવિકાને નુકસાન પહોંચાડતી નથી પણ લોકો આબોહવા પરિવર્તન અને ભારે હવામાન બંનેને કેવી રીતે જુએ છે તે પણ આકાર આપે છે.
આ ઘટનાઓ વિશેના જાહેર અનુભવો અને ચિંતાઓને વધુ સારી રીતે સમજવા માટે, યેલ પ્રોગ્રામ ઓન ક્લાઇમેટ ચેન્જ કોમ્યુનિકેશન અને સી-વોટરએ એ 5 ડિસેમ્બર, 2024થી 18 ફેબ્રુઆરી, 2025 દરમિયાન ભારતમાં 10,751 લોકોનો સર્વે કર્યો હતો. આત્યંતિક હવામાન અથવા તેમના સ્થાનિક વિસ્તારને નુકસાન પહોંચાડતી સંબંધિત અસરો વિશે મોટાભાગના લોકો ચિંતિત છે.
મોટા ભાગના લોકોએ જણાવ્યું હતું કે, છેલ્લા 12 મહિનામાં તેમણે ઓછામાં ઓછી એક આત્યંતિક હવામાન ઘટના અથવા સંબંધિત અસરનો અનુભવ કર્યો છે. લોકોએ તીવ્ર ગરમીનાં મોજાં (71 ટકા), કૃષિ જીવાત અને રોગો (60 ટકા), વીજળી ગુલ (59 ટકા), જળ પ્રદૂષણ (53 ટકા), દુષ્કાળ અને પાણીની અછત (52 ટકા), અને ગંભીર વાયુ પ્રદૂષણ (52 ટકા) નો અનુભવ કર્યો છે.
જો કે, ભારતમાં નોંધપાત્ર પ્રમાણમાં, 32 ટકા લોકોએ ગ્લોબલ વોર્મિંગ વિશે ક્યારેય સાંભળ્યું નથી. આ તારણો આબોહવા પરિવર્તન અને સ્થાનિક આબોહવાની અસરો વિશે જાહેર જાગૃતિ લાવવાની મહત્ત્વની જરૂરિયાત પર ભાર મૂકે છે અને કાર્બન પ્રદૂષણ ઘટાડવા અને ભવિષ્યમાં આત્યંતિક ઘટનાઓ માટે તૈયારી કરવાની તાકીદને મજબૂત બનાવે છે.
ઓસ્ટ્રેલિયા કરતાં પાંચ ગણો મોટો સમુદ્ર,
ગરમીનાં મોજાંની ચપેટમાં
‘વર્લ્ડ મેટિઓરોલોજિકલ ઓર્ગેનાઇઝેશન’ના તાજેતરના અહેવાલમાં જણાવાયું છે કે, દક્ષિણ-પૂર્વ એશિયા અને પેસિફિકની આસપાસનો લગભગ ચાર કરોડ ચો. કિ. મી. સમુદ્ર - જે ઓસ્ટ્રેલિયા કરતાં પાંચ ગણો મોટો વિસ્તાર છે, તે 2024માં દરિયાઈ ગરમીનાં મોજાંની ચપેટમાં આવ્યો છે, જેનાં ગંભીર પરિણામો સામે આવી રહ્યાં છે.
WMOના વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે, જમીન અને સમુદ્રમાં રેકોર્ડ ગરમી - મુખ્યત્વે આબોહવા કટોકટીને કારણે ઊભી થઇ હતી અને ફિલિપાઇન્સમાં ઘાતક ભૂસ્ખલનથી લઈને ઓસ્ટ્રેલિયામાં પૂર અને ઇન્ડોનેશિયામાં હિમનદીઓના ઝડપી નુકસાન સુધીની ભારે હવામાન ઘટનાઓ સાથે સુસંગત હતી. આ પ્રદેશ 1991 અને 2020 વચ્ચે નોંધાયેલા સરેરાશ કરતાં 0.48 ડિગ્રી વધુ ગરમ હતો.
‘યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ’ના આબોહવા વૈજ્ઞાનિક એસોસિયેટ પ્રોફેસર એલેક્સ સેનગુપ્તા કહે છે, ‘ગરમીનું મોજું ખૂબ નોંધપાત્ર હતું. અમે ખરેખર આવું ક્યારેય જોયું નથી અને અમે આટલો મોટો ઉછાળો કેમ જોયો તે સમજાવવા માટે સંઘર્ષ કરી રહ્યા છીએ. ગરમીના મોજાંએ સમુદ્રમાં ઘણા જીવો પર પ્રેશર ઊભું કર્યું છે, જો આમ જ રહ્યું તો, કાં તો જીવતંત્ર અન્ય ખાંસી જશે અથવા મરી જશે.’
રિપોર્ટના કેટલાક મુખ્ય અંશો
જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ફિલિપાઇન્સમાં ભારે વરસાદને કારણે પૂર અને ભૂસ્ખલન થયું, જેમાં ઓછામાં ઓછા 93 લોકો માર્યા ગયા.
ઓસ્ટ્રેલિયામાં સિઝનની શરૂઆતમાં ગરમીનાં મોજાંને કારણે દેશના મધ્યમાં ઓગસ્ટમાં રેકોર્ડ તાપમાન નોંધાયું.
સિંગાપોર અને મલેશિયામાં ભારે પૂર : 1,37 લાખ લોકો વિસ્થાપિત થયા અને છ લોકોના મોત.
માર્ચમાં ઇન્ડોનેશિયન ટાપુ સુમાત્રા પર અચાનક પૂર અને 2024ની શરૂઆતમાં ઉત્તર ઓસ્ટ્રેલિયામાં મોટું પૂર.
ઇન્ડોનેશિયાના ન્યુ ગિની ટાપુના પશ્ચિમમાં હિમનદીઓનું ઝડપી નુકસાન, 2026 સુધીમાં અથવા તે પછી તરત જ કુલ બરફનું નુકસાન થઈ શકે છે.
ફિલિપાઇન્સમાં 12 ઉષ્ણકટિબંધીય ચક્રવાતો આવ્યા ; સરેરાશ કરતાં બમણું - 43 કરોડ ડોલરનું નુકસાન
ઓસ્ટ્રેલિયામાં બરફની મોસમ ‘અસામાન્ય રીતે વહેલી’ સમાપ્ત થઈ.
પવનની પાંખે ઊર્જાનો સંચાર ; વિશ્વમાં ભારતનું ચોથું સ્થાન
હાઇલાઇટ- 15 જૂન : વિશ્વ પવન દિવસ
ગુજરાતમાં 120 મીટર ઊંચાઈએ 142.56, 150 મીટર ઊંચાઈએ 180.8 ગીગાવોટની પવનઊર્જા
ગ્લોબલ વિન્ડ ડે, એટલે કે વિશ્વ પવન દિવસની, દર વર્ષે ૧૫ જૂને પવન ઊર્જા અને ઊર્જા પ્રણાલીઓને આકાર આપવાની તેની ક્ષમતા વિશે જાગૃતિ લાવવા માટે ઊજવવામાં આવે છે. આ દિવસનો ઉદ્દેશ પવન ઊર્જાના ફાયદાઓને ઉજાગર કરવાનો, તેના વિવિધ ઉપયોગો દર્શાવવાનો અને ટકાઉ ઊર્જા ઉકેલોને પ્રોત્સાહન આપવાનો છે.
ભારતની સ્થાપિત પવન ઊર્જા ક્ષમતા 50 ગીગાવોટને આંબી ગઈ છે, જે આપણે વૈશ્વિક સ્તરે ચોથો સૌથી મોટો પવન ઊર્જા ઉત્પાદક દેશ બનાવી દીધો છે. ગ્લોબલ વિન્ડ ડે ટકાઉ ઉર્જા લક્ષ્યો પ્રાપ્ત કરવા અને સ્વચ્છ પર્યાવરણને પ્રોત્સાહન આપવા માટે પવન ઊર્જાની ભૂમિકા પર ભાર મૂકે છે. ‘યુરોપિયન વિન્ડ એનર્જી એસોસિએશન’એ 2007માં પ્રથમ પવન દિવસની સ્થાપના કરી, જે પાછળથી ગ્લોબલ વિન્ડ ડેમાં વિકસિત થઈ છે.
ગુજરાત 150 મીટર ઊંચાઈએ 180.8 ગીગાવોટ સાથે ટોપ ટુ
પવનએ ઊર્જાનો વિશિષ્ટ સ્ત્રોત છે અને તેથી, સંભવિત સ્થળોની પસંદગી માટે વ્યાપક પવન સંસાધન મૂલ્યાંકન આવશ્યક છે. સરકારે, ‘રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થા’ દ્વારા, સમગ્ર દેશમાં 900થી વધુ પવન-નિરીક્ષણ સ્ટેશનો સ્થાપિત કર્યા છે અને જમીનની સપાટીથી 50 મીટર, 80 મીટર, 100 મીટર, 120 મીટર અને 150 મીટર ઉપર પવન સંભવિત નકશા જારી કર્યા છે.
તાજેતરના મૂલ્યાંકનમાં 120 મીટર ઉપર 695.50 અને જમીનની સપાટીથી 150 મીટર ઉપર 1163.9 ગીગાવોટની
કુલ પવન ઊર્જા ક્ષમતા દર્શાવે છે. જેમાં ગુજરાત આઠેય રાજ્યોમાં રાજસ્થાન બાદ ટોચના બીજા સ્થાને છે. ગુજરાતમાં ઓનશોર અને ઓફશોર પવનચક્કીનું નેટવર્ક ગ્રીન ગુજરાતની મજબૂતી દર્શાવે છે. }
ગુજરાત 150 મીટર ઊંચાઈએ 180.8 ગીગાવોટ સાથે ટોપ ટુ
પવનએ ઊર્જાનો વિશિષ્ટ સ્ત્રોત છે અને તેથી, સંભવિત સ્થળોની પસંદગી માટે વ્યાપક પવન સંસાધન મૂલ્યાંકન આવશ્યક છે. સરકારે, ‘રાષ્ટ્રીય પવન ઊર્જા સંસ્થા’ દ્વારા, સમગ્ર દેશમાં 900થી વધુ પવન-નિરીક્ષણ સ્ટેશનો સ્થાપિત કર્યા છે અને જમીનની સપાટીથી 50 મીટર, 80 મીટર, 100 મીટર, 120 મીટર અને 150 મીટર ઉપર પવન સંભવિત નકશા જારી કર્યા છે.
તાજેતરના મૂલ્યાંકનમાં 120 મીટર ઉપર 695.50 અને જમીનની સપાટીથી 150 મીટર ઉપર 1163.9 ગીગાવોટની
કુલ પવન ઊર્જા ક્ષમતા દર્શાવે છે. જેમાં ગુજરાત આઠેય રાજ્યોમાં રાજસ્થાન બાદ ટોચના બીજા સ્થાને છે. ગુજરાતમાં ઓનશોર અને ઓફશોર પવનચક્કીનું નેટવર્ક ગ્રીન ગુજરાતની મજબૂતી દર્શાવે છે. }
સમયાંતર:ગીરના સિંહોનાં નામરૂપ જૂજવાં
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-lions-of-gir-are-called-jujwa-135229500.html
લલિત ખંભાયતા ય અને વીરુ. શૉલે ફિલ્મની ખ્યાતનામ જોડી. ગીરમાં પણ એ જોડી હતી. બે સિંહનાં નામ પાડવામાં આવ્યાં હતાં કેમ કે જય-વીરુની માફક સતત સાથે જ રખડતા હતા. એ જોડી ગઈ 11મી જૂને ખંડિત થઈ. વહેલી સવારે સાડા ત્રણ કલાકે વીરુએ અંતિમ શ્વાસ લીધા.
સાંસદ અને સિંહ સંરક્ષણ સાથે સંકળાયેલા પરિમલ નથવાણીએ વીરુના મોતની વાત પોતાના એક્સ (ટવિટર) એકાઉન્ટ પર લખી છે. એમાં એ પણ સ્પષ્ટ થાય છે કે સિંહોનાં ટોળાંની આંતરિક લડાઈ (ઈનફાઈટ)માં જય-વીરુને ઈજા થઈ હતી. જંગલમાં ઈનફાઈટ કે ઈજા કંઈ નવું નથી. વીરુની ઈજા વધારે ગંભીર હતી અને તેને સારવાર અપાઈ રહી હતી. વનતારામાંથી પણ નિષ્ણાત તબીબોને બોલાવીને વીરુને ફરીથી ડગ માંડતો કરવાનો પ્રયાસ થયો હતો, પણ છેવટે ઈશ્વર ઈચ્છા બલિયસી.
વડાપ્રધાન ગીરની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે પણ આ સિંહો જોયા હતા તો વળી, પ્રવાસીઓમાં પણ જય-વીરુ આકર્ષણનું કેન્દ્ર હતા. જય-વીરુ 16 સિંહનાં ટોળાંનો ભાગ હતા. તેમની આગેવાનીમાં 12 બચ્ચાં, ચાર સિંહણો ગીરની ધરા ધ્રુજાવતું હતું. હવે એમાંથી વીરુ ક્યારેય જોવા નહીં મળે.
***
ગીરના સિંહોની નામકરણની પરંપરા બહુ જૂની છે.
પહેલી નજરે એમ લાગે કે સિંહના નામ પાડીને શું?
પણ હકીકત એ છે કે સિંહ નહીં, આપણે ત્યાં તમામ એ પ્રાણી-પક્ષીનાં નામ પાડવાનો સદીઓ જૂનો રિવાજ છે, જે આપણી આસપાસ હોય અથવા જીવનનો ભાગ હોય. ખેડૂતો પોતાની ગાય-ભેંસનાં નામ પાડે જ છે. કૂતરાં પાળનારા કૂતરાંના ફેન્સી નામો રાખે છે. તો પછી જંગલના રાજાનાં નામો કેમ ન હોય?
સિંહ એ સામાન્ય પ્રાણી નથી. ગીરના જંગલમાં દરેક સિંહ પાછળ ધ્યાન રાખવા ફોરેસ્ટ ગાર્ડ સતત ફરતા રહે છે. પ્રવાસીઓને કે મુલાકાતી તરીકે આપણને તો બધા સિંહ-સિંહણ-બચ્ચાં લગભગ સરખાં લાગે પણ એમને સરખાં લાગતા નથી. દેખાવથી ઓળખી શકાય અને નામથી બોલાવી શકાય.
ફોરેસ્ટના ગાર્ડ સહિતના સ્ટાફે સિંહ સાથે સૌથી વધુ સમય પસાર કરવાનો હોય એટલે એમને નામ પાડવાની જરૂર પણ પડે. ધારી પાસે આવેલા આંબરડી સફારી પાર્કમાં સિંહનું નામ ‘જ્ઞાન’ છે, તો સિંહણનાં નામો ‘શૈલજા’ અને ‘અંબિકા’ હતાં. એક સમયે ત્યાં ‘હિટલર’ નામનો સિંહ પણ હતો. સિંહોનાં નામો તેમની લાક્ષણિકતા પરથી, શારીરિક દેખાવ પરથી, વિસ્તાર પરથી એમ વિવિધ રીતે પડતાં હોય છે.
***
રાજાશાહી વખતમાં સિંહનો શિકાર થતો હતો. આજનો કનરો ડુંગર છે ત્યાં એક સિંહના શિકારનું સૌ રાજાઓને આકર્ષણ હતું. જૂનાગઢ નવાબના શહેજાદા સિંહના શિકાર માટે આવ્યા હતા. રાજા-નવાબ શિકાર માટે આવે ત્યારે એ બહાદુરીપૂર્વક શિકાર કરતા હોય એવા પ્રસંગો ઓછા બને. એ ગોઠવણ કરીને શિકાર કરે. એટલે સો-બસ્સો માણસો એ જંગલમાં ફરતા રહે. ચો-તરફથી અવાજ (શિકારની ભાષામાં હાંકો) કરે.
સિંહ-સિંહણ ચોક્કસ દિશામાં ચાલે કેમ કે ચારેબાજુથી અવાજ આવતો હોય. એ પછી ઘેરાયેલાં સિંહ કે સિંહણનો રાજા-મહારાજા-નવાબ કે અંગ્રેજો માચડા પરથી શિકાર કરે. ક્યારેક વળી હાથી પર પણ બેઠા હોય. જોકે સિંહનો શિકાર કરવા જતાં શિકારીને ભીંસ પડી જાય એવા ઘણા કિસ્સા નોંધાયા છે. જૂનાગઢ નવાબના શહેઝાદા સાથે જ જમાદાર હતા. સિંહનો શિકાર કરવા જતા રાજા જમાદારના હાથમાંથી બંદૂક પડી ગઈ. સિંહે તક ઝડપીને રાજા જમાદારનો હાથ કોણીથી જુદો કરી નાખ્યો. સિંહે સાબિત કર્યુ કે શિકાર કરવા આવનાર ખાલી નામનો રાજા હતો, ખરો રાજા તો એ હતો.
એ સિંહને પકડવા, શિકાર કરવા બહુ પ્રયાસ થયો પણ એ ગુમ થઈ ગયો. નેસ વિસ્તારમાં પહોંચ્યો જ્યાં નેસવાસીઓએ તેનું નામ ‘ચાંપલો’ પાડ્યું. શાહજાદા છોટેમિંયા શિકાર નથી કરી શક્યા એ જામનગરના જામ રણજિતસિંહને જાણકારી મળી. એ પણ ‘ચાંપલા’ના મૃગયા ખેલવા ગીરમાં ઊતરી આવ્યા.
સિંહ આંબલીના અંધકારભર્યા ઢૂવામાં બેઠો હતો. બહાર નીકળતો ન હતો. બહાર જામ અને અંદર સિંહ બંને વટે ચડ્યા હતા. શિકાર વગર ખાવું નહીં એવુ જામ રણજિતે નક્કી કર્યુ હતું. રણજિતસિંહના માણસો પણ ‘ચાંપલા’ નજીક ગયા પણ ફરીથી એ સૌ કોઈની ગોળીઓ વચ્ચેથી સલામત નીકળીને જંગલમાં ચાલ્યો ગયો.
એ પછી ‘ચાંપલા’ની લોકપ્રિયતા વધી. માલ-ઢોરને નુકસાન કરતો હોવા છતાં તે લાડકો થયો અને ગીરના એક છેડાથી બીજા છેડા સુધી ‘ચાંપલા’ના ગુણગાન ગાતા દુહા ગવાવા લાગ્યા...
ગીર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,
સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ
ચાંચઈ પાણિયાના દરબારોએ પણ શિકાર કરવાનો પ્રયાસ કરી જોયો પણ કોઈની કારી ફાવી નહીં. એ ‘ચાંપલો’ સાવજ કોઈની ગોળીએ નહીં, તુલસીશ્યામ મંદિરમાં ધૂણી પાસે આવીને બેસતો અને ત્યાં જ મૃત્યુ પામ્યો.
***
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/the-lions-of-gir-are-called-jujwa-135229500.html
લલિત ખંભાયતા ય અને વીરુ. શૉલે ફિલ્મની ખ્યાતનામ જોડી. ગીરમાં પણ એ જોડી હતી. બે સિંહનાં નામ પાડવામાં આવ્યાં હતાં કેમ કે જય-વીરુની માફક સતત સાથે જ રખડતા હતા. એ જોડી ગઈ 11મી જૂને ખંડિત થઈ. વહેલી સવારે સાડા ત્રણ કલાકે વીરુએ અંતિમ શ્વાસ લીધા.
સાંસદ અને સિંહ સંરક્ષણ સાથે સંકળાયેલા પરિમલ નથવાણીએ વીરુના મોતની વાત પોતાના એક્સ (ટવિટર) એકાઉન્ટ પર લખી છે. એમાં એ પણ સ્પષ્ટ થાય છે કે સિંહોનાં ટોળાંની આંતરિક લડાઈ (ઈનફાઈટ)માં જય-વીરુને ઈજા થઈ હતી. જંગલમાં ઈનફાઈટ કે ઈજા કંઈ નવું નથી. વીરુની ઈજા વધારે ગંભીર હતી અને તેને સારવાર અપાઈ રહી હતી. વનતારામાંથી પણ નિષ્ણાત તબીબોને બોલાવીને વીરુને ફરીથી ડગ માંડતો કરવાનો પ્રયાસ થયો હતો, પણ છેવટે ઈશ્વર ઈચ્છા બલિયસી.
વડાપ્રધાન ગીરની મુલાકાતે આવ્યા ત્યારે તેમણે પણ આ સિંહો જોયા હતા તો વળી, પ્રવાસીઓમાં પણ જય-વીરુ આકર્ષણનું કેન્દ્ર હતા. જય-વીરુ 16 સિંહનાં ટોળાંનો ભાગ હતા. તેમની આગેવાનીમાં 12 બચ્ચાં, ચાર સિંહણો ગીરની ધરા ધ્રુજાવતું હતું. હવે એમાંથી વીરુ ક્યારેય જોવા નહીં મળે.
***
ગીરના સિંહોની નામકરણની પરંપરા બહુ જૂની છે.
પહેલી નજરે એમ લાગે કે સિંહના નામ પાડીને શું?
પણ હકીકત એ છે કે સિંહ નહીં, આપણે ત્યાં તમામ એ પ્રાણી-પક્ષીનાં નામ પાડવાનો સદીઓ જૂનો રિવાજ છે, જે આપણી આસપાસ હોય અથવા જીવનનો ભાગ હોય. ખેડૂતો પોતાની ગાય-ભેંસનાં નામ પાડે જ છે. કૂતરાં પાળનારા કૂતરાંના ફેન્સી નામો રાખે છે. તો પછી જંગલના રાજાનાં નામો કેમ ન હોય?
સિંહ એ સામાન્ય પ્રાણી નથી. ગીરના જંગલમાં દરેક સિંહ પાછળ ધ્યાન રાખવા ફોરેસ્ટ ગાર્ડ સતત ફરતા રહે છે. પ્રવાસીઓને કે મુલાકાતી તરીકે આપણને તો બધા સિંહ-સિંહણ-બચ્ચાં લગભગ સરખાં લાગે પણ એમને સરખાં લાગતા નથી. દેખાવથી ઓળખી શકાય અને નામથી બોલાવી શકાય.
ફોરેસ્ટના ગાર્ડ સહિતના સ્ટાફે સિંહ સાથે સૌથી વધુ સમય પસાર કરવાનો હોય એટલે એમને નામ પાડવાની જરૂર પણ પડે. ધારી પાસે આવેલા આંબરડી સફારી પાર્કમાં સિંહનું નામ ‘જ્ઞાન’ છે, તો સિંહણનાં નામો ‘શૈલજા’ અને ‘અંબિકા’ હતાં. એક સમયે ત્યાં ‘હિટલર’ નામનો સિંહ પણ હતો. સિંહોનાં નામો તેમની લાક્ષણિકતા પરથી, શારીરિક દેખાવ પરથી, વિસ્તાર પરથી એમ વિવિધ રીતે પડતાં હોય છે.
***
રાજાશાહી વખતમાં સિંહનો શિકાર થતો હતો. આજનો કનરો ડુંગર છે ત્યાં એક સિંહના શિકારનું સૌ રાજાઓને આકર્ષણ હતું. જૂનાગઢ નવાબના શહેજાદા સિંહના શિકાર માટે આવ્યા હતા. રાજા-નવાબ શિકાર માટે આવે ત્યારે એ બહાદુરીપૂર્વક શિકાર કરતા હોય એવા પ્રસંગો ઓછા બને. એ ગોઠવણ કરીને શિકાર કરે. એટલે સો-બસ્સો માણસો એ જંગલમાં ફરતા રહે. ચો-તરફથી અવાજ (શિકારની ભાષામાં હાંકો) કરે.
સિંહ-સિંહણ ચોક્કસ દિશામાં ચાલે કેમ કે ચારેબાજુથી અવાજ આવતો હોય. એ પછી ઘેરાયેલાં સિંહ કે સિંહણનો રાજા-મહારાજા-નવાબ કે અંગ્રેજો માચડા પરથી શિકાર કરે. ક્યારેક વળી હાથી પર પણ બેઠા હોય. જોકે સિંહનો શિકાર કરવા જતાં શિકારીને ભીંસ પડી જાય એવા ઘણા કિસ્સા નોંધાયા છે. જૂનાગઢ નવાબના શહેઝાદા સાથે જ જમાદાર હતા. સિંહનો શિકાર કરવા જતા રાજા જમાદારના હાથમાંથી બંદૂક પડી ગઈ. સિંહે તક ઝડપીને રાજા જમાદારનો હાથ કોણીથી જુદો કરી નાખ્યો. સિંહે સાબિત કર્યુ કે શિકાર કરવા આવનાર ખાલી નામનો રાજા હતો, ખરો રાજા તો એ હતો.
એ સિંહને પકડવા, શિકાર કરવા બહુ પ્રયાસ થયો પણ એ ગુમ થઈ ગયો. નેસ વિસ્તારમાં પહોંચ્યો જ્યાં નેસવાસીઓએ તેનું નામ ‘ચાંપલો’ પાડ્યું. શાહજાદા છોટેમિંયા શિકાર નથી કરી શક્યા એ જામનગરના જામ રણજિતસિંહને જાણકારી મળી. એ પણ ‘ચાંપલા’ના મૃગયા ખેલવા ગીરમાં ઊતરી આવ્યા.
સિંહ આંબલીના અંધકારભર્યા ઢૂવામાં બેઠો હતો. બહાર નીકળતો ન હતો. બહાર જામ અને અંદર સિંહ બંને વટે ચડ્યા હતા. શિકાર વગર ખાવું નહીં એવુ જામ રણજિતે નક્કી કર્યુ હતું. રણજિતસિંહના માણસો પણ ‘ચાંપલા’ નજીક ગયા પણ ફરીથી એ સૌ કોઈની ગોળીઓ વચ્ચેથી સલામત નીકળીને જંગલમાં ચાલ્યો ગયો.
એ પછી ‘ચાંપલા’ની લોકપ્રિયતા વધી. માલ-ઢોરને નુકસાન કરતો હોવા છતાં તે લાડકો થયો અને ગીરના એક છેડાથી બીજા છેડા સુધી ‘ચાંપલા’ના ગુણગાન ગાતા દુહા ગવાવા લાગ્યા...
ગીર ડુંગરની ગાળિયે, ડણકે દશે દિશ,
સાવઝમાં છોગાળો કહું, ચાંપલિયો નરસિંહ
ચાંચઈ પાણિયાના દરબારોએ પણ શિકાર કરવાનો પ્રયાસ કરી જોયો પણ કોઈની કારી ફાવી નહીં. એ ‘ચાંપલો’ સાવજ કોઈની ગોળીએ નહીં, તુલસીશ્યામ મંદિરમાં ધૂણી પાસે આવીને બેસતો અને ત્યાં જ મૃત્યુ પામ્યો.
***
1950ના દશકામાં ગીરમાં એક સિંહ બહુ પ્રખ્યાત અને કુખ્યાત હતો. પ્રખ્યાત એ રીતે કે તેનું ગામ ગીરના ખૂણેખૂણે જાણીતું હતું. કુખ્યાત એ રીતે કે એ સિંહ સતત બીજા સિંહો સાથે બથોડા લીધા કરતો. એમ કરવા જતાં તેના કપાળમાં ટીલા જેવો ઘા થયો હતો. એટલે નામ પડ્યું ‘ટીલિયો’.
તેના કપાળમાં ઈજા થયા પછી જીવાત થઈ હતી પણ એને સારવાર કરવા લઈ જઈ શકાય એવો એ સોજો ન હતો. એટલે તેની જંગલમાં જ સારવાર કરવામાં આવી. શિકાર પર બેસે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓ વૃક્ષ પર ચડીને લાંબા વાંસડાના છેડે દવાવાળું પોતું વીંટાળી એ ‘ટીલિયા’ના કપાળે ઘસતા હતા. એમ કરતાં અઠવાડિયે ‘ટીલિયો’ સાજો થયો. પણ નામને સાર્થક કરતું ટીલા જેવું નિશાન તો કપાળે રહ્યું જ.
આ સિંહ એટલો ચર્ચાસ્પદ બન્યો હતો કે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ સોમનાથ પ્રવાસે આવ્યા અને પછી ગીર ગયા ત્યારે ‘ટીલિયા’ને જોયો હતો. જવાહરલાલ નેહરુ પણ ગીરમાં આવ્યા ત્યારે આ સિંહને જોવા માટે ઘણો શોધ્યો પણ મળ્યો ન હતો. એ જ અરસામાં જોર્ડનનાં રાજા-રાણી ભારતના પ્રવાસે હતાં. એ ગીર આવ્યાં. રાણીને આવા સિંહની ખબર પડી તો એને જ જોવાની જિદ્દ લીધી હતી. જોકે ‘ટીલિયા’ને જોવા જતા કાફલો એક સિંહણના ઉતારા પાસે પહોંચી ગયો. સિંહણ હજી માતા બની હતી. પોતાના પર ખતરો છે એમ માની તેણે રાજશી કાફલા પર હુમલાની તૈયારી કરી પણ ‘ટીલિયા’એ સિંહણને હુમલો કરતા અટકાવી હતી.
1965ની 18મી માર્ચે 20 વર્ષની વયે ‘ટીલિયો’ મૃત્યુ પામ્યો ત્યારે અંજલિ આપતા ગુજરાત સરકારે નોંધ્યું હતું: ‘આ સિંહે વચ્ચે પડીને બે વખત જંગલ રક્ષકોના જાન બચાવ્યા હતા.’
લોકપ્રિયતા એટલેથી અટકતી નથી. દેશ-પરદેશના મહેમાનોમાં ચહીતા બનેલા ‘ટીલિયા’ના સ્મરણમાં 1966માં એક રૂપિયાના મૂલ્યની ટપાલ ટિકિટ પણ બહાર પડી હતી.
***
‘ટીલિયા’નું નિધન થયું તો શું થયું, ગીરમાં ક્યાં સિંહોની કમી હતી. એમાંય લોકચાહના ધરાવતા સિંહો પણ હતા જ. એવો એક સિંહ, નામ એનું ‘ગોવિંદા’. 1968માં શંકર નામના ફોટોગ્રાફરને એવી ધૂન ચડી કે સિંહના નજીકથી, કોઈએ ન પાડ્યા હોય એવા એંગલથી અને વિવિધ પ્રકારના ફોટા પાડી લેવા. એ વખતની સિંહ ગણતરી વખતે શંકરભાઈ ‘ગોવિંદા’ની નજીક પહોંચી ગયા.
‘ગોવિંદા’ આરામ કરતો હતો ત્યારે તેના ફોટા પાડ્યા. જંગલ ખાતા સાથે સંકળાયેલા હૈદરઅલી ‘ગોવિંદા’ને સારી રીતે જાણતા હતા. એટલે વારંવાર પડતા ફોટા, ફોટોગ્રાફરની આમતેમ ઊછળકૂદ વગેરેથી કંટાળીને ‘ગોવિંદા’ જ્યાં ત્રાડ નાખવાની તૈયારી કરે ત્યાં હૈદરઅલી ‘ગોવિંદા’ને સમજાવીને કહેતા કે જો ભાઈ આ તારા ફોટા પાડવા આવ્યા છે, આપણા ગીરની લાજ રાખજે. એટલે ગોવિંદાએ છેવટ સુધી સંયમ જાળવ્યો અને શંકર ફોટોગ્રાફર તરીકે નામના કમાયા.
***
જંગલના સિંહોનાં જ નામ હોય એવું નથી. 1957માં દિલ્હીના ઝૂમાં ઇથિયોપિયાથી સિંહ-સિંહણ આવ્યાં. નામ હતા ‘થિઓડોર’ અને ‘મિમતિવાબ’. તો વળી સાથે ગીરનાં સિંહ સિંહણ પણ હતાં, નામે ‘મોહન’ અને ‘રૂપા’. આમ તો બે ખંડનાં સિંહ-સિહણ મળે તો દ્વિપક્ષીય મંત્રણા થવી જોઈએ એના બદલે જંગ મંડાણો, કેમ કે ‘થિઓડોર’ને અલગ કરી દેવાયો. એટલે બે સિંહણ અને એક સિંહ વચ્ચે પ્રણયત્રિકોણ રચાયો. મોહનને આફ્રિકિ સિંહણ ‘મિમતિવાબ’ તરફ ખેંચાતો જોઈને રૂપાએ રૌદ્ર સ્વરૂપ દર્શાવી તેના ગળામાં દાંત ખૂંપાડી દીધા હતા.
ગીરના સિંહની પ્રેમકથાઓ પણ કંઈ કમ નથી. એક સિંહણ કૂવામાં પડી, પાછળ સિંહ પણ પડ્યો. જંગલ ખાતાએ બંનેને બહાર કાઢીને સારવાર આપી અને રોહિત-રોહિણી નામ પાડી દીધાં. કૂવામાં પડવાથી ‘રોહિત’ વધારે ઘાયલ થયો હતો, થોડા સમય પછી મૃત્યુ પામ્યો. ‘રોહિણી’ તેની લાશ પાસે જ બેઠી રહી. ઘણી રાહ જોયા પછી પણ ‘રોહિણી’ ત્યાંથી ખસી નહીં ત્યારે તેને બેહોશીનું ઈન્જેક્શન આપી ખસેડવી પડી. એ પછી જ ‘રોહિત’ના અંતિમ સંસ્કાર થઈ શક્યા.
***
ગીરના સિંહના નામમાં શું છે? દરેક નામમાં એક કહાની છે. આજે પણ સિંહના નામ પડે છે અને વન ખાતાનો સ્ટાફ તથા સિંહ આસપાસ રહેતા માલધારી, વનવાસીઓ તેને નામે જ બોલાવાનું પસંદ કરે છે. એમના માટે પરિવારનો સભ્ય જ છે.
એટલે ક્યારેક નામ ‘લાદેન’ પડે તો ક્યારેક સિંહણની ઊંચાઈને જઈને ‘તાડકા’ રખાય છે. ક્યારેક વળી ‘ઝાંબો’ તો ક્યારેક વળી ‘લંગડો’... સિંહનાં નામોની કથા કાલેય હતી, આજેય છે, આવતીકાલેય રહેશે. }
તેના કપાળમાં ઈજા થયા પછી જીવાત થઈ હતી પણ એને સારવાર કરવા લઈ જઈ શકાય એવો એ સોજો ન હતો. એટલે તેની જંગલમાં જ સારવાર કરવામાં આવી. શિકાર પર બેસે ત્યારે જંગલ ખાતાના અધિકારીઓ વૃક્ષ પર ચડીને લાંબા વાંસડાના છેડે દવાવાળું પોતું વીંટાળી એ ‘ટીલિયા’ના કપાળે ઘસતા હતા. એમ કરતાં અઠવાડિયે ‘ટીલિયો’ સાજો થયો. પણ નામને સાર્થક કરતું ટીલા જેવું નિશાન તો કપાળે રહ્યું જ.
આ સિંહ એટલો ચર્ચાસ્પદ બન્યો હતો કે તત્કાલીન રાષ્ટ્રપતિ રાજેન્દ્રબાબુ સોમનાથ પ્રવાસે આવ્યા અને પછી ગીર ગયા ત્યારે ‘ટીલિયા’ને જોયો હતો. જવાહરલાલ નેહરુ પણ ગીરમાં આવ્યા ત્યારે આ સિંહને જોવા માટે ઘણો શોધ્યો પણ મળ્યો ન હતો. એ જ અરસામાં જોર્ડનનાં રાજા-રાણી ભારતના પ્રવાસે હતાં. એ ગીર આવ્યાં. રાણીને આવા સિંહની ખબર પડી તો એને જ જોવાની જિદ્દ લીધી હતી. જોકે ‘ટીલિયા’ને જોવા જતા કાફલો એક સિંહણના ઉતારા પાસે પહોંચી ગયો. સિંહણ હજી માતા બની હતી. પોતાના પર ખતરો છે એમ માની તેણે રાજશી કાફલા પર હુમલાની તૈયારી કરી પણ ‘ટીલિયા’એ સિંહણને હુમલો કરતા અટકાવી હતી.
1965ની 18મી માર્ચે 20 વર્ષની વયે ‘ટીલિયો’ મૃત્યુ પામ્યો ત્યારે અંજલિ આપતા ગુજરાત સરકારે નોંધ્યું હતું: ‘આ સિંહે વચ્ચે પડીને બે વખત જંગલ રક્ષકોના જાન બચાવ્યા હતા.’
લોકપ્રિયતા એટલેથી અટકતી નથી. દેશ-પરદેશના મહેમાનોમાં ચહીતા બનેલા ‘ટીલિયા’ના સ્મરણમાં 1966માં એક રૂપિયાના મૂલ્યની ટપાલ ટિકિટ પણ બહાર પડી હતી.
***
‘ટીલિયા’નું નિધન થયું તો શું થયું, ગીરમાં ક્યાં સિંહોની કમી હતી. એમાંય લોકચાહના ધરાવતા સિંહો પણ હતા જ. એવો એક સિંહ, નામ એનું ‘ગોવિંદા’. 1968માં શંકર નામના ફોટોગ્રાફરને એવી ધૂન ચડી કે સિંહના નજીકથી, કોઈએ ન પાડ્યા હોય એવા એંગલથી અને વિવિધ પ્રકારના ફોટા પાડી લેવા. એ વખતની સિંહ ગણતરી વખતે શંકરભાઈ ‘ગોવિંદા’ની નજીક પહોંચી ગયા.
‘ગોવિંદા’ આરામ કરતો હતો ત્યારે તેના ફોટા પાડ્યા. જંગલ ખાતા સાથે સંકળાયેલા હૈદરઅલી ‘ગોવિંદા’ને સારી રીતે જાણતા હતા. એટલે વારંવાર પડતા ફોટા, ફોટોગ્રાફરની આમતેમ ઊછળકૂદ વગેરેથી કંટાળીને ‘ગોવિંદા’ જ્યાં ત્રાડ નાખવાની તૈયારી કરે ત્યાં હૈદરઅલી ‘ગોવિંદા’ને સમજાવીને કહેતા કે જો ભાઈ આ તારા ફોટા પાડવા આવ્યા છે, આપણા ગીરની લાજ રાખજે. એટલે ગોવિંદાએ છેવટ સુધી સંયમ જાળવ્યો અને શંકર ફોટોગ્રાફર તરીકે નામના કમાયા.
***
જંગલના સિંહોનાં જ નામ હોય એવું નથી. 1957માં દિલ્હીના ઝૂમાં ઇથિયોપિયાથી સિંહ-સિંહણ આવ્યાં. નામ હતા ‘થિઓડોર’ અને ‘મિમતિવાબ’. તો વળી સાથે ગીરનાં સિંહ સિંહણ પણ હતાં, નામે ‘મોહન’ અને ‘રૂપા’. આમ તો બે ખંડનાં સિંહ-સિહણ મળે તો દ્વિપક્ષીય મંત્રણા થવી જોઈએ એના બદલે જંગ મંડાણો, કેમ કે ‘થિઓડોર’ને અલગ કરી દેવાયો. એટલે બે સિંહણ અને એક સિંહ વચ્ચે પ્રણયત્રિકોણ રચાયો. મોહનને આફ્રિકિ સિંહણ ‘મિમતિવાબ’ તરફ ખેંચાતો જોઈને રૂપાએ રૌદ્ર સ્વરૂપ દર્શાવી તેના ગળામાં દાંત ખૂંપાડી દીધા હતા.
ગીરના સિંહની પ્રેમકથાઓ પણ કંઈ કમ નથી. એક સિંહણ કૂવામાં પડી, પાછળ સિંહ પણ પડ્યો. જંગલ ખાતાએ બંનેને બહાર કાઢીને સારવાર આપી અને રોહિત-રોહિણી નામ પાડી દીધાં. કૂવામાં પડવાથી ‘રોહિત’ વધારે ઘાયલ થયો હતો, થોડા સમય પછી મૃત્યુ પામ્યો. ‘રોહિણી’ તેની લાશ પાસે જ બેઠી રહી. ઘણી રાહ જોયા પછી પણ ‘રોહિણી’ ત્યાંથી ખસી નહીં ત્યારે તેને બેહોશીનું ઈન્જેક્શન આપી ખસેડવી પડી. એ પછી જ ‘રોહિત’ના અંતિમ સંસ્કાર થઈ શક્યા.
***
ગીરના સિંહના નામમાં શું છે? દરેક નામમાં એક કહાની છે. આજે પણ સિંહના નામ પડે છે અને વન ખાતાનો સ્ટાફ તથા સિંહ આસપાસ રહેતા માલધારી, વનવાસીઓ તેને નામે જ બોલાવાનું પસંદ કરે છે. એમના માટે પરિવારનો સભ્ય જ છે.
એટલે ક્યારેક નામ ‘લાદેન’ પડે તો ક્યારેક સિંહણની ઊંચાઈને જઈને ‘તાડકા’ રખાય છે. ક્યારેક વળી ‘ઝાંબો’ તો ક્યારેક વળી ‘લંગડો’... સિંહનાં નામોની કથા કાલેય હતી, આજેય છે, આવતીકાલેય રહેશે. }
સફર:તામિયા : ભારતનું ઓછું જાણીતું હિલ સ્ટેશન
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/tamiya-indias-lesser-known-hill-station-135229439.html
નિતુલ ગજ્જર ધ્ય પ્રદેશનું નામ પડે અને તેમાં પણ કોઈ હિલ સ્ટેશનની વાત નીકળે એટલે આપણા દરેકના મગજમાં એક જ સ્થળનું નામ આવે જે છે પંચમઢી. મધ્ય પ્રદેશનું સ્વિત્ઝર્લેન્ડ ગણાતું પંચમઢી વર્ષે ભારત સહિત દુનિયાભરના હજારો મુલાકાતીઓને આકર્ષે છે.
જોકે, તેના સિવાય પણ મધ્ય પ્રદેશમાં સરસ હિલ સ્ટેશન આવેલું છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. મધ્ય પ્રદેશની સાતપુડા પર્વતમાળામાં જ આવેલું આ હિલ સ્ટેશન એટલે તામિયા, જેનું કદાચ ઘણા લોકોએ નામ પણ નહીં સાંભળ્યું હોય. તામિયા આમ ભલે પંચમઢી જેટલું પ્રસિદ્ધ ન હોય, પણ આ સ્થળે કુદરતી સૌંદર્યની ભરમાર છે અને ખાસ તો અહીંનાં ઘણા સ્થળ હજી પણ વણખેડાયેલાં છે.
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં આવેલું તામિયા સમુદ્ર સપાટીથી 3,765 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. આ જગ્યા તેના કુદરતી સૌંદર્યની સાથે રસપ્રદ વન્યજીવન અને કેટલાય આદિજાતિનું ઘર પણ છે. અહીંના આદિવાસીઓ આજે પણ તેમની પારંપરિક જીવનશૈલીમાં જીવે છે અને આદિવાસીઓ તેમની ચિકિત્સક આવડત માટે જાણીતા છે.
આ સમુદાયના લોકો જંગલમાં થતા વિવિધ છોડની મદદથી સેંકડો બીમારીઓનો ઈલાજ કરી જાણે છે. એ સિવાય તેમનો ખોરાક, કપડાં અને આવાસને નજીકથી જોવાનો મોકો પણ આ સ્થળને રસપ્રદ વિકલ્પ બનાવે છે. આદિવાસીઓના જીવનમાં ડોકિયું કરવા ઉપરાંત તામિયા તમને મધ્ય પ્રદેશના જંગલ અને પહાડોના કેટલાક સૌથી રસપ્રદ નજારા જોવાનો મોકો પણ આપે છે. માટે ફોટોગ્રાફર વર્ગને આ જગ્યા વધુ પસંદ પડે તેવી છે.
તામિયાથી લગભગ 25 કિલોમીટરના અંતરે પાતાલકોટ નામનું એક રસપ્રદ સ્થળ આવેલું છે. આ જગ્યા મૂળભૂત રીતે ઘોડાની નાળના આકારમાં 79 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો એક વિશાળ ખીણ પ્રદેશ છે. આ સ્થળના નામનો અર્થ પણ અતિશય ઊંડો પ્રદેશ એવો થાય છે. અહીં ખીણ વચ્ચેથી પસાર થતી નદી અને આસપાસ ઘનઘોર જંગલથી ઘેરાયેલા આ સમગ્ર વિસ્તારને જોવાનો લ્હાવો અનેરો છે. એ સિવાય તામિયા આસપાસ જંગલોમાં વસવાટ કરતા આદિજાતિના લોકોનું જીવન નજીકથી જોવાનો મોકો પણ તમને અહીં જ મળશે.
‘સાતપુડા નેશનલ પાર્ક’ને સાવ અડીને આવેલા આ હિલ સ્ટેશન પર તમને ઠેર ઠેર વિવિધ જગ્યાના નજારા દેખાય એ રીતે બનાવેલા વ્યૂ પોઈન્ટ નજરે પડે છે. આ વ્યૂ પોઈન્ટને ખાસ શાંતિ લેવા અને સૂર્યાસ્ત-સૂર્યોદયનો નજરો જોવા માટે રચવામાં આવ્યા છે. ઘણા લોકો તામિયાથી કાર લઈને આ સ્થળે આખા દિવસનો પ્રવાસ કરવા પણ આવતા હોય છે. સવારે વહેલા અથવા તો સાંજના સમયે માણસોની ચહેલપહેલ ઓછી થયા બાદ આ વ્યૂ પોઈન્ટ નજીક તમને ઘણાં રંગબેરંગી પંખીડાઓ જોવાનો મોકો મળે છે, જે બર્ડિંગ કરવા માગતા ફોટાગ્રાફર માટે યોગ્ય વિકલ્પ સાબિત થાય છે. તામિયા નજીક કેટલીક ગુફાઓ આવેલી છે. જેમાંથી છોટા મહાદેવ ગુફાઓમાં સ્થિત ભગવાન ભોળાનાથનું મંદિર સ્થાનિકોમાં ખૂબ પ્રચલિત છે. અસલમાં આ ગુફામાં સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું શિવલિંગ આવેલું છે. જેના કારણે આ સ્થળ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જોકે જંગલમાં થોડા અંતરે આવેલા આ સ્થળે કુદરતી સૌંદર્યની પણ કોઈ કમી નથી. અહીં પાસે જ એક નાનકડો ધોધ આવેલો છે. જેમાં ન્હાવાની મજા લઈ શકાય છે. તે ઉપરાંત આ સ્થળ તંબુ તાણીને રાત રોકાવવા માટે પણ જાણીતું છે. અસલમાં આ વિસ્તાર કોઈ આરક્ષિત જંગલનો ભાગ નથી, માટે તમે અહીં કેમ્પિંગ કરી શકો છો.
શું ધ્યાનમાં રાખવું?
તામિયા નજીક સૌથી મોટું શહેર છિંદવાડા છે. માટે તમારી જરૂરિયાતની તમામ સામગ્રી છિંદવાડાથી નીકળતા સાથે રાખી લેવી. આમ ભલે તામિયા નેશનલ પાર્કને અડીને આવેલું સ્થળ હોય, પણ અહીં હિંસક વન્યજીવ જોવા મળતા નથી. માટે તમે મુક્તમને અહીંના જંગલોમાં ફરી શકો છો. તામિયામાં ફરવા એકથી બે દિવસનો સમય પૂરતો છે. માટે આ હિલ સ્ટેશન સાથે ‘સાતપુડા નેશનલ પાર્ક’ અથવા તો ‘પેન્ચ નેશનલ પાર્ક’નો પણ પ્રવાસ યોજી શકાય.
શું ખાવું અને કયા રોકાવું?
તામિયા નાનકડું શહેર છે. માટે અહીં રોકાવાના વિકલ્પ સીમિત છે. જોકે જંગલની અસલી મજા લેવી હોય તો ફોરેસ્ટ ગેસ્ટ હાઉસમાં રોકાઈ શકાય. આ ગેસ્ટ હાઉસમાં ખાસ કોઈ વૈભવી સુવિધા નથી, પણ જરૂરિયાત પૂરતી સુવિધાઓ મોજૂદ છે. એ સિવાય તામિયા નજીકમાં અમુક રિસોર્ટ પણ આવેલા છે. જોકે તે બધા શહેરથી દૂર છે. માટે ત્યાં રોકાયા બાદ ફરવા જવા માટે પોતાની ગાડી અથવા તો ટેક્સી હોવી અનિવાર્ય છે. તામિયામાં અમુક સામાન્ય હોટેલ અને કેટલાક હોમ સ્ટે પણ આવેલા છે.
જમવા બાબતે તામિયામાં કોઈ ખાસ નવીતના જોવા મળતી નથી. અહીંના સ્થાનિક ટૂર ઓપરેટરને કહીને આદિવાસીઓ સાથે ભોજનનો આનંદ લઈ શકાય. એ સિવાય અહીં કોઈ ખાસ વ્યંજન નથી મળતા. જોકે યોગ્ય વેજ ફૂડના વિકલ્પ બહાર રેસ્ટોરાંમાં અને હોટલમાં બંને જગ્યાએ મળી રહે છે.
ક્યારે જવું અને કઈ રીતે પહોચવું?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/tamiya-indias-lesser-known-hill-station-135229439.html
નિતુલ ગજ્જર ધ્ય પ્રદેશનું નામ પડે અને તેમાં પણ કોઈ હિલ સ્ટેશનની વાત નીકળે એટલે આપણા દરેકના મગજમાં એક જ સ્થળનું નામ આવે જે છે પંચમઢી. મધ્ય પ્રદેશનું સ્વિત્ઝર્લેન્ડ ગણાતું પંચમઢી વર્ષે ભારત સહિત દુનિયાભરના હજારો મુલાકાતીઓને આકર્ષે છે.
જોકે, તેના સિવાય પણ મધ્ય પ્રદેશમાં સરસ હિલ સ્ટેશન આવેલું છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. મધ્ય પ્રદેશની સાતપુડા પર્વતમાળામાં જ આવેલું આ હિલ સ્ટેશન એટલે તામિયા, જેનું કદાચ ઘણા લોકોએ નામ પણ નહીં સાંભળ્યું હોય. તામિયા આમ ભલે પંચમઢી જેટલું પ્રસિદ્ધ ન હોય, પણ આ સ્થળે કુદરતી સૌંદર્યની ભરમાર છે અને ખાસ તો અહીંનાં ઘણા સ્થળ હજી પણ વણખેડાયેલાં છે.
મધ્ય પ્રદેશના છિંદવાડા જિલ્લામાં આવેલું તામિયા સમુદ્ર સપાટીથી 3,765 ફૂટની ઊંચાઈએ સ્થિત છે. આ જગ્યા તેના કુદરતી સૌંદર્યની સાથે રસપ્રદ વન્યજીવન અને કેટલાય આદિજાતિનું ઘર પણ છે. અહીંના આદિવાસીઓ આજે પણ તેમની પારંપરિક જીવનશૈલીમાં જીવે છે અને આદિવાસીઓ તેમની ચિકિત્સક આવડત માટે જાણીતા છે.
આ સમુદાયના લોકો જંગલમાં થતા વિવિધ છોડની મદદથી સેંકડો બીમારીઓનો ઈલાજ કરી જાણે છે. એ સિવાય તેમનો ખોરાક, કપડાં અને આવાસને નજીકથી જોવાનો મોકો પણ આ સ્થળને રસપ્રદ વિકલ્પ બનાવે છે. આદિવાસીઓના જીવનમાં ડોકિયું કરવા ઉપરાંત તામિયા તમને મધ્ય પ્રદેશના જંગલ અને પહાડોના કેટલાક સૌથી રસપ્રદ નજારા જોવાનો મોકો પણ આપે છે. માટે ફોટોગ્રાફર વર્ગને આ જગ્યા વધુ પસંદ પડે તેવી છે.
તામિયાથી લગભગ 25 કિલોમીટરના અંતરે પાતાલકોટ નામનું એક રસપ્રદ સ્થળ આવેલું છે. આ જગ્યા મૂળભૂત રીતે ઘોડાની નાળના આકારમાં 79 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલો એક વિશાળ ખીણ પ્રદેશ છે. આ સ્થળના નામનો અર્થ પણ અતિશય ઊંડો પ્રદેશ એવો થાય છે. અહીં ખીણ વચ્ચેથી પસાર થતી નદી અને આસપાસ ઘનઘોર જંગલથી ઘેરાયેલા આ સમગ્ર વિસ્તારને જોવાનો લ્હાવો અનેરો છે. એ સિવાય તામિયા આસપાસ જંગલોમાં વસવાટ કરતા આદિજાતિના લોકોનું જીવન નજીકથી જોવાનો મોકો પણ તમને અહીં જ મળશે.
‘સાતપુડા નેશનલ પાર્ક’ને સાવ અડીને આવેલા આ હિલ સ્ટેશન પર તમને ઠેર ઠેર વિવિધ જગ્યાના નજારા દેખાય એ રીતે બનાવેલા વ્યૂ પોઈન્ટ નજરે પડે છે. આ વ્યૂ પોઈન્ટને ખાસ શાંતિ લેવા અને સૂર્યાસ્ત-સૂર્યોદયનો નજરો જોવા માટે રચવામાં આવ્યા છે. ઘણા લોકો તામિયાથી કાર લઈને આ સ્થળે આખા દિવસનો પ્રવાસ કરવા પણ આવતા હોય છે. સવારે વહેલા અથવા તો સાંજના સમયે માણસોની ચહેલપહેલ ઓછી થયા બાદ આ વ્યૂ પોઈન્ટ નજીક તમને ઘણાં રંગબેરંગી પંખીડાઓ જોવાનો મોકો મળે છે, જે બર્ડિંગ કરવા માગતા ફોટાગ્રાફર માટે યોગ્ય વિકલ્પ સાબિત થાય છે. તામિયા નજીક કેટલીક ગુફાઓ આવેલી છે. જેમાંથી છોટા મહાદેવ ગુફાઓમાં સ્થિત ભગવાન ભોળાનાથનું મંદિર સ્થાનિકોમાં ખૂબ પ્રચલિત છે. અસલમાં આ ગુફામાં સ્વયંભૂ રીતે પ્રગટ થયેલું શિવલિંગ આવેલું છે. જેના કારણે આ સ્થળ આસ્થાનું કેન્દ્ર બન્યું છે. જોકે જંગલમાં થોડા અંતરે આવેલા આ સ્થળે કુદરતી સૌંદર્યની પણ કોઈ કમી નથી. અહીં પાસે જ એક નાનકડો ધોધ આવેલો છે. જેમાં ન્હાવાની મજા લઈ શકાય છે. તે ઉપરાંત આ સ્થળ તંબુ તાણીને રાત રોકાવવા માટે પણ જાણીતું છે. અસલમાં આ વિસ્તાર કોઈ આરક્ષિત જંગલનો ભાગ નથી, માટે તમે અહીં કેમ્પિંગ કરી શકો છો.
શું ધ્યાનમાં રાખવું?
તામિયા નજીક સૌથી મોટું શહેર છિંદવાડા છે. માટે તમારી જરૂરિયાતની તમામ સામગ્રી છિંદવાડાથી નીકળતા સાથે રાખી લેવી. આમ ભલે તામિયા નેશનલ પાર્કને અડીને આવેલું સ્થળ હોય, પણ અહીં હિંસક વન્યજીવ જોવા મળતા નથી. માટે તમે મુક્તમને અહીંના જંગલોમાં ફરી શકો છો. તામિયામાં ફરવા એકથી બે દિવસનો સમય પૂરતો છે. માટે આ હિલ સ્ટેશન સાથે ‘સાતપુડા નેશનલ પાર્ક’ અથવા તો ‘પેન્ચ નેશનલ પાર્ક’નો પણ પ્રવાસ યોજી શકાય.
શું ખાવું અને કયા રોકાવું?
તામિયા નાનકડું શહેર છે. માટે અહીં રોકાવાના વિકલ્પ સીમિત છે. જોકે જંગલની અસલી મજા લેવી હોય તો ફોરેસ્ટ ગેસ્ટ હાઉસમાં રોકાઈ શકાય. આ ગેસ્ટ હાઉસમાં ખાસ કોઈ વૈભવી સુવિધા નથી, પણ જરૂરિયાત પૂરતી સુવિધાઓ મોજૂદ છે. એ સિવાય તામિયા નજીકમાં અમુક રિસોર્ટ પણ આવેલા છે. જોકે તે બધા શહેરથી દૂર છે. માટે ત્યાં રોકાયા બાદ ફરવા જવા માટે પોતાની ગાડી અથવા તો ટેક્સી હોવી અનિવાર્ય છે. તામિયામાં અમુક સામાન્ય હોટેલ અને કેટલાક હોમ સ્ટે પણ આવેલા છે.
જમવા બાબતે તામિયામાં કોઈ ખાસ નવીતના જોવા મળતી નથી. અહીંના સ્થાનિક ટૂર ઓપરેટરને કહીને આદિવાસીઓ સાથે ભોજનનો આનંદ લઈ શકાય. એ સિવાય અહીં કોઈ ખાસ વ્યંજન નથી મળતા. જોકે યોગ્ય વેજ ફૂડના વિકલ્પ બહાર રેસ્ટોરાંમાં અને હોટલમાં બંને જગ્યાએ મળી રહે છે.
ક્યારે જવું અને કઈ રીતે પહોચવું?
તામિયા ફરવા જવાનો સૌથી યોગ્ય સમય ઓક્ટોબરથી માર્ચ દરમિયાન છે. આ સમયગાળા દરમિયાન અહીંનું વાતાવરણ સરસ હોય છે અને મોટાભાગના ફરવાના સ્થળો પણ ખુલ્લા હોય છે. ચોમાસમાં પણ તામિયા આવી શકાય, પણ સંભવત આ ઋતુમાં ભારે વરસાદ હોય તો તમને જંગલમાં ઊંડે અથવા તો ગુફામાં જવા દેવામાં ન આવે. ઉપરાંત ક્યારેક ખૂબ વરસાદ પડે તો આખો દિવસ હોટલમાં વિતાવવો પડે તેવી સ્થિતિ પણ ઊભી થાય.
તામિયાથી સૌથી નજીકનું એરપોર્ટ નાગપુર 185 કિલોમીટર અને ભોપાલ 220 કિલોમીટરના અંતરે આવેલું છે. ટ્રેન માર્ગે જવા માગતા હો તો 45 કિલોમીટરે આવેલા પારસીયા અથવા 70 કિલોમીટરના અંતરે સ્થિત છિંદવાડા સ્ટેશન પર ઊતરી શકો. ગુજરાતથી જોકે આમાંથી એકેય સ્થળ માટે ડાયરેક્ટ ટ્રેન ઉપલબ્ધ નથી. માટે તામિયા પહોંચવાનો સૌથી સરળ વિકલ્પ બાય રોડ જવાનો છે. આ હિલ સ્ટેશન રોડમાર્ગે ખૂબ સારી રીતે જોડાયેલું છે. તેમાં પણ જો તમે ગુજરાતથી બાય રોડ તામિયા જાવ તો રસ્તો ‘સાતપુડા નેશનલ પાર્ક’માંથી થઈને પસાર થાય છે. }
તામિયાથી સૌથી નજીકનું એરપોર્ટ નાગપુર 185 કિલોમીટર અને ભોપાલ 220 કિલોમીટરના અંતરે આવેલું છે. ટ્રેન માર્ગે જવા માગતા હો તો 45 કિલોમીટરે આવેલા પારસીયા અથવા 70 કિલોમીટરના અંતરે સ્થિત છિંદવાડા સ્ટેશન પર ઊતરી શકો. ગુજરાતથી જોકે આમાંથી એકેય સ્થળ માટે ડાયરેક્ટ ટ્રેન ઉપલબ્ધ નથી. માટે તામિયા પહોંચવાનો સૌથી સરળ વિકલ્પ બાય રોડ જવાનો છે. આ હિલ સ્ટેશન રોડમાર્ગે ખૂબ સારી રીતે જોડાયેલું છે. તેમાં પણ જો તમે ગુજરાતથી બાય રોડ તામિયા જાવ તો રસ્તો ‘સાતપુડા નેશનલ પાર્ક’માંથી થઈને પસાર થાય છે. }
રાગ બિન્દાસ:સાવકાં સરનામાં, પારકા પ્રેમનો, ફાધર્સ–ડે!
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/step-parents-stranger-love-fathers-day-135229487.html
ટાઈટલ્સ: તમે ઝાડને કાપી શકો મૂળને નહીં. (છેલવાણી)
એક છોકરો અને એના પપ્પા દર રવિવારે ઘરની પાસે એક તળાવ હતું ત્યાં પિકનિક કરવા જતા. ત્યાં તેઓ માછલી પકડે અને ખૂબ મજા કરતા. એકવાર દિવસ પસાર થઈ ગયો છતાં એક પણ માછલી ન પકડાઈ એટલે છોકરો નિરાશ થઈ ગયો.
પપ્પાએ કહ્યું, ‘બેટા, પિકનિકનો આનંદ એ નથી કે આપણને શું મળ્યું… ખરો આનંદ તો આપણો એક સાથે જે સમય પસાર કર્યો છે એમાં છે.’
છોકરાને ત્યારે વાત નહીં સમજાઇ પણ હવે જ્યારે એ ખુદ પપ્પા બન્યો ત્યારે એના પપ્પા સાથે વિતાવેલો સમય એને ખૂબ કિંમતી અને અણમોલ લાગે છે. હવે દર વર્ષે ‘ફાધર્સ ડે’ના દિવસે એ પોતાના દીકરા અને પપ્પા સાથે એ જ તળાવ પર જઈને બેસીને બસ સમય ગુજારે છે… વૃદ્ધ થયેલા બાપના કરચલીવાળા હાથને અપાતો સાથ સૌથી મોટી ગિફ્ટ હોઇ શકે છે!
બાપ કે પિતા ઘરનો એ અવાજ છે જે ના હોય ત્યારે એના પડઘા આજન્મ સંભળાયા કરે છે. બાપની બીક અને બાપની ધરપત, બાળકને અંધારિયા જગતમાં ધ્રુવના તારાની જેમ સાથ આપે છે. જે આપણાથી દૂર ભલે હોય તોયે આજન્મ દિશા દેખાડે.
‘ફાધર્સ–ડે’ના દિવસે, ભાઈ-બહેન પપ્પાને, ખરાબ થઈ ગયેલો રેડિયો રિપેર કરીને ગિફ્ટમાં આપવાનું નક્કી કરે છે. બંનેએ રેડિયો ખોલી તો નાખ્યો પણ એને રિપેર કરવામાં ગૂંચવાઇ ગયાં. થાકી–હારીને બંનેએ ડરતાં ડરતાં પપ્પાને રેડિયોની હાલત દેખાડી.
પપ્પા હસી પડ્યા ને પછી રેડિયો કેમ રિપેર થાય એ શીખવ્યું. પછી તો છોકરો મોટો થઈને વૈજ્ઞાનિક બન્યો. હવે પપ્પા તો નથી, પણ પેલો રેડિયો હજીય છે. દર વર્ષે ફાધર્સ ડે પર દીકરો, એ રેડિયો વગાડે છે. જાણે પપ્પા સાથે વાત ના કરતો હોય! જાણે પપ્પાનો અવાજ એમાંથી ન આવવાનો હોય!
હવે દીકરાને સમજાય છે કે ‘પપ્પા’ એવું પાત્ર છે જે શીખવે કે જીવનમાં કંઈ ખોટું થાય, કંઇ બગડી જાય તો એને કેવી રીતે ‘રિપેર’ કરવું. ‘પપ્પા’ જ આપણાં વારેવારે ખોટકાતા જીવનનાં બેસ્ટ મિકેનિક છે!
… પણ ધારો કે તમને ખબર જ ના હોય કે તમારા પપ્પા કોણ છે, ક્યાં છે જીવે છે કે મરી ગયા છે…તો? ‘ફાધર્સ–ડે’ પર એવા અનામ પિતાઓની વાતો કરવી છે.
દરિયાકાંઠાના એક ગામમાં સુથાર રહેતો. એનો પાડોશી બાપ બની શકે એમ નહોતો અને એ કોઈ વીર્ય–દાતા શોધી રહ્યો હતો. સુથારે પોતાની ઓળખ છુપાવીને વીર્યદાન કર્યું.
વર્ષો પછી ‘ફાધર્સ–ડે’ના દિવસે વૃદ્ધ સુથારને સુંદર અક્ષરમાં, એન્ના નામની જુવાન છોકરીનો પત્ર મળ્યો: ‘તમે મને નહીં ઓળખો પણ તમે જ મને આ દુનિયામાં જન્મ આપવામાં મદદ કરેલી. હુંય હવે લાકડાં પર કોતરણી કરતાં શીખી રહી છું. એવી જ કોતરણી, મેં તમારા માટે મોકલી છે. લવ યૂ પપ્પા!’
એ પત્ર સાથે નાનકડું લાકડાંનું પંખી હતું. વૃદ્ધ સુથારે એ પંખીને બારી પાસે મૂક્યું, જ્યાં સવારનું અજવાળું ઊમટે. સુથાર, એની દીકરીને ધરાર ના જ મળ્યો તો પણ દર ‘ફાધર્સ–ડે’ પર પેલા નિર્જીવ પંખીને પોલિશ કરે ને ભીની આંખે મનમાં મલકે. એક અનામ–બેનામ સંબંધ, લાકડાંના પંખીની પાંખમાં ફફડતો લાગે!
ઇન્ટરવલ:
યહ સચ હૈ, યહ કોઇ કહાની નહીં
ખૂન ખન હોતા હૈ, પાની નહીં! (આનંદ બક્ષી)
હમણાં નેધરલેન્ડ્સમાં વીર્યદાન દ્વારા અમુક પુરુષોએ અજાણતાં જ ડઝનબંધ બાળકોને જન્મ આપ્યો છે. એક માણસે તો સતત વીર્યદાનથી એક કે બે નહીં, 125 બાળકો પેદાં કર્યાં છે. સરકારી રેકોર્ડથી જાણવા મળ્યું કે આવા 85 સ્પર્મ ડોનર્સના 25થી વધારે બાળકો છે! આ રીતે જન્મેલાં બાળકોનાં એકથી વધારે સંખ્યામાં સાવકા ભાઈ-બહેનો છે, જેને લીધે નજીકના સંબંધોના જોખમની ચિંતા વધી છે કારણ કે આ જ બાળકો મોટા થઈને પોતાનાં જ સાવકા ભાઇ–બહેનમાં જ અજાણતા જીવનસાથી શોધશે ને બાળકો પેદાં કરશે, જે બાળકોમાં શારીરિક નબળાઇ કે ડી.એન.એ.માં વિચિત્રતા હોઇ શકે છે.
હવે 1 એપ્રિલ, 2025થી કાયદો આવ્યો છે જેમાં સ્પર્મ ડોનેટ કરનારની ફરજિયાત નોંધણી કરાશે. 2018થી એક સ્પર્મ–ડોનર માટે માત્ર 12 બાળકોની જ મર્યાદા રાખી છે, જે અગાઉ 25ની હતી.
1978માં પ્રથમ બાળકનો વીર્યદાન દ્વારા જન્મ થયો ત્યારથી આ વ્યવસાય જગતભરમાં ખીલ્યો છે. જોકે, વિશે આપણે ત્યાં તો આના પર સાસ–બહુ સિરિયલથી માંડીને અમુક કોમેડી ફિલ્મો–વાર્તાઓ જ બની છે.
જાન્યુઆરી 2025માં, કોલોરાડો અમેરિકાનું પહેલું રાજ્ય છે જેણે અજ્ઞાત, નામ વિનાનું સ્પર્મ અને એગ ડોનેશન બંધ કર્યું છે. આ કાયદો બાળકોને 18 વર્ષે વીર્ય કે અંડદાતાની ઓળખ જાણવાનો હક આપે છે, જેથી મૂળ માતા–પિતા સાથે સંપર્ક થઇ શકે. આ કાયદો બાળકને અત્યારનાં માતા–પિતાથી અલગ કરવા માટે નથી, પણ પોતાનાં અસલી મા-બાપ કોણ છે એ જાણવા માટે છે.
પોતાનાં મૂળિયા સુધી જવાનો નકશો છે. વિચાર કરો કોઇ વૃદ્ધ માતા કે પિતાને જીવનનાં આખરી પડાવ પર અચાનક મોટું થયેલું સંતાન મળી આવે તો?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/step-parents-stranger-love-fathers-day-135229487.html
ટાઈટલ્સ: તમે ઝાડને કાપી શકો મૂળને નહીં. (છેલવાણી)
એક છોકરો અને એના પપ્પા દર રવિવારે ઘરની પાસે એક તળાવ હતું ત્યાં પિકનિક કરવા જતા. ત્યાં તેઓ માછલી પકડે અને ખૂબ મજા કરતા. એકવાર દિવસ પસાર થઈ ગયો છતાં એક પણ માછલી ન પકડાઈ એટલે છોકરો નિરાશ થઈ ગયો.
પપ્પાએ કહ્યું, ‘બેટા, પિકનિકનો આનંદ એ નથી કે આપણને શું મળ્યું… ખરો આનંદ તો આપણો એક સાથે જે સમય પસાર કર્યો છે એમાં છે.’
છોકરાને ત્યારે વાત નહીં સમજાઇ પણ હવે જ્યારે એ ખુદ પપ્પા બન્યો ત્યારે એના પપ્પા સાથે વિતાવેલો સમય એને ખૂબ કિંમતી અને અણમોલ લાગે છે. હવે દર વર્ષે ‘ફાધર્સ ડે’ના દિવસે એ પોતાના દીકરા અને પપ્પા સાથે એ જ તળાવ પર જઈને બેસીને બસ સમય ગુજારે છે… વૃદ્ધ થયેલા બાપના કરચલીવાળા હાથને અપાતો સાથ સૌથી મોટી ગિફ્ટ હોઇ શકે છે!
બાપ કે પિતા ઘરનો એ અવાજ છે જે ના હોય ત્યારે એના પડઘા આજન્મ સંભળાયા કરે છે. બાપની બીક અને બાપની ધરપત, બાળકને અંધારિયા જગતમાં ધ્રુવના તારાની જેમ સાથ આપે છે. જે આપણાથી દૂર ભલે હોય તોયે આજન્મ દિશા દેખાડે.
‘ફાધર્સ–ડે’ના દિવસે, ભાઈ-બહેન પપ્પાને, ખરાબ થઈ ગયેલો રેડિયો રિપેર કરીને ગિફ્ટમાં આપવાનું નક્કી કરે છે. બંનેએ રેડિયો ખોલી તો નાખ્યો પણ એને રિપેર કરવામાં ગૂંચવાઇ ગયાં. થાકી–હારીને બંનેએ ડરતાં ડરતાં પપ્પાને રેડિયોની હાલત દેખાડી.
પપ્પા હસી પડ્યા ને પછી રેડિયો કેમ રિપેર થાય એ શીખવ્યું. પછી તો છોકરો મોટો થઈને વૈજ્ઞાનિક બન્યો. હવે પપ્પા તો નથી, પણ પેલો રેડિયો હજીય છે. દર વર્ષે ફાધર્સ ડે પર દીકરો, એ રેડિયો વગાડે છે. જાણે પપ્પા સાથે વાત ના કરતો હોય! જાણે પપ્પાનો અવાજ એમાંથી ન આવવાનો હોય!
હવે દીકરાને સમજાય છે કે ‘પપ્પા’ એવું પાત્ર છે જે શીખવે કે જીવનમાં કંઈ ખોટું થાય, કંઇ બગડી જાય તો એને કેવી રીતે ‘રિપેર’ કરવું. ‘પપ્પા’ જ આપણાં વારેવારે ખોટકાતા જીવનનાં બેસ્ટ મિકેનિક છે!
… પણ ધારો કે તમને ખબર જ ના હોય કે તમારા પપ્પા કોણ છે, ક્યાં છે જીવે છે કે મરી ગયા છે…તો? ‘ફાધર્સ–ડે’ પર એવા અનામ પિતાઓની વાતો કરવી છે.
દરિયાકાંઠાના એક ગામમાં સુથાર રહેતો. એનો પાડોશી બાપ બની શકે એમ નહોતો અને એ કોઈ વીર્ય–દાતા શોધી રહ્યો હતો. સુથારે પોતાની ઓળખ છુપાવીને વીર્યદાન કર્યું.
વર્ષો પછી ‘ફાધર્સ–ડે’ના દિવસે વૃદ્ધ સુથારને સુંદર અક્ષરમાં, એન્ના નામની જુવાન છોકરીનો પત્ર મળ્યો: ‘તમે મને નહીં ઓળખો પણ તમે જ મને આ દુનિયામાં જન્મ આપવામાં મદદ કરેલી. હુંય હવે લાકડાં પર કોતરણી કરતાં શીખી રહી છું. એવી જ કોતરણી, મેં તમારા માટે મોકલી છે. લવ યૂ પપ્પા!’
એ પત્ર સાથે નાનકડું લાકડાંનું પંખી હતું. વૃદ્ધ સુથારે એ પંખીને બારી પાસે મૂક્યું, જ્યાં સવારનું અજવાળું ઊમટે. સુથાર, એની દીકરીને ધરાર ના જ મળ્યો તો પણ દર ‘ફાધર્સ–ડે’ પર પેલા નિર્જીવ પંખીને પોલિશ કરે ને ભીની આંખે મનમાં મલકે. એક અનામ–બેનામ સંબંધ, લાકડાંના પંખીની પાંખમાં ફફડતો લાગે!
ઇન્ટરવલ:
યહ સચ હૈ, યહ કોઇ કહાની નહીં
ખૂન ખન હોતા હૈ, પાની નહીં! (આનંદ બક્ષી)
હમણાં નેધરલેન્ડ્સમાં વીર્યદાન દ્વારા અમુક પુરુષોએ અજાણતાં જ ડઝનબંધ બાળકોને જન્મ આપ્યો છે. એક માણસે તો સતત વીર્યદાનથી એક કે બે નહીં, 125 બાળકો પેદાં કર્યાં છે. સરકારી રેકોર્ડથી જાણવા મળ્યું કે આવા 85 સ્પર્મ ડોનર્સના 25થી વધારે બાળકો છે! આ રીતે જન્મેલાં બાળકોનાં એકથી વધારે સંખ્યામાં સાવકા ભાઈ-બહેનો છે, જેને લીધે નજીકના સંબંધોના જોખમની ચિંતા વધી છે કારણ કે આ જ બાળકો મોટા થઈને પોતાનાં જ સાવકા ભાઇ–બહેનમાં જ અજાણતા જીવનસાથી શોધશે ને બાળકો પેદાં કરશે, જે બાળકોમાં શારીરિક નબળાઇ કે ડી.એન.એ.માં વિચિત્રતા હોઇ શકે છે.
હવે 1 એપ્રિલ, 2025થી કાયદો આવ્યો છે જેમાં સ્પર્મ ડોનેટ કરનારની ફરજિયાત નોંધણી કરાશે. 2018થી એક સ્પર્મ–ડોનર માટે માત્ર 12 બાળકોની જ મર્યાદા રાખી છે, જે અગાઉ 25ની હતી.
1978માં પ્રથમ બાળકનો વીર્યદાન દ્વારા જન્મ થયો ત્યારથી આ વ્યવસાય જગતભરમાં ખીલ્યો છે. જોકે, વિશે આપણે ત્યાં તો આના પર સાસ–બહુ સિરિયલથી માંડીને અમુક કોમેડી ફિલ્મો–વાર્તાઓ જ બની છે.
જાન્યુઆરી 2025માં, કોલોરાડો અમેરિકાનું પહેલું રાજ્ય છે જેણે અજ્ઞાત, નામ વિનાનું સ્પર્મ અને એગ ડોનેશન બંધ કર્યું છે. આ કાયદો બાળકોને 18 વર્ષે વીર્ય કે અંડદાતાની ઓળખ જાણવાનો હક આપે છે, જેથી મૂળ માતા–પિતા સાથે સંપર્ક થઇ શકે. આ કાયદો બાળકને અત્યારનાં માતા–પિતાથી અલગ કરવા માટે નથી, પણ પોતાનાં અસલી મા-બાપ કોણ છે એ જાણવા માટે છે.
પોતાનાં મૂળિયા સુધી જવાનો નકશો છે. વિચાર કરો કોઇ વૃદ્ધ માતા કે પિતાને જીવનનાં આખરી પડાવ પર અચાનક મોટું થયેલું સંતાન મળી આવે તો?
એક જમાનામાં આપણે ત્યાં ‘પુત્રકામેષ્ટિ યજ્ઞ’ થતા, પણ આ તો બુઝાયેલી યજ્ઞવેદીની રાખમાંથી જન્મતા સંબંધની વાત છે. એવા સૌ અનામ બાપ લોકોને પણ ‘ફાધર્સ–ડે’ મુબારક!
એન્ડ ટાઇટલ્સ:
આદમ: મારે બાપ બનવું છે.
ઈવ: પહેલા તું તો મોટો થા. }
એન્ડ ટાઇટલ્સ:
આદમ: મારે બાપ બનવું છે.
ઈવ: પહેલા તું તો મોટો થા. }
અપડેટ:ડાર્ક પેટર્ન્સઃ ઓનલાઇન શોપિંગમાં છુપાયેલી ચાલબાજી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/dark-patterns-hidden-tricks-in-online-shopping-135229438.html
કેવલ ઉમરેટિયા યા અઠવાડિયે એક સમાચાર આવ્યા હતા કે, ‘ભારત સરકારે તમામ ઇ કોમર્સ કંપનીઓને ડાર્ક પેટર્ન્સ (Dark Patterns) ખતમ કરવા માટે યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો.’
પહેલી નજરે ના સમજાય તેવા અને કદાચ સામાન્ય લાગતા આ સમાચાર ખૂબ મહત્ત્વના છે. તમને ભલે કદાચ ડાર્ક પેટર્ન વિશે ખબર ના હોય અથવા તો પહેલી વખત આ શબ્દ સાંભળ્યો હોય, પણ તેનો શિકાર તો બન્યા જ હશો.
ઓનલાઇન શોપિંગ સમયે ક્યારેય એવું થયું છે કે તમારા કાર્ટમાં અચાનક કોઇ વધારાની વસ્તુ આવી ગઇ હોય, જેને તમે એડ નથી કરી? અથવા તો એવું થયું છે કે 999 રૂપિયાની વસ્તુ ચેક આઉટ સમયે ડિલિવરી ચાર્જ, પ્લેટફોર્મ ફી અને ટેક્સ મળીને 1500ની થઈ જાય છે!
તો વળી ક્યારેક વીમો, ચેરિટી કે કોઇ સર્વિસ તમારી જાણ બહાર એડ કરી દેવામાં આવે છે. ‘Only 2 pieces left’ આવું જોઇને ઉતાવળમાં તમે જે વસ્તુ ખરીદો છો, એ 2 પીસ 1 વર્ષ સુધી પૂરા થતા જ નથી. જો તમારી સાથે આ બધું થયું હોય તો તમે ડાર્ક પેટર્નનો ભોગ બન્યા છો. તમે એકલા નથી પણ દરરોજ લાખો લોકો તેનો ભોગ બની રહ્યા છે.
જો કે સરકારના આ નિર્ણયથી ઓનલાઇન ખરીદી કરતા દેશના તમામ નાગરિકોનો ફાયદો થશે. આવું કઇ રીતે થશે તે જાણવા માટે પહેલા ડાર્ક પેટર્ન એટલે શું એ સમજવું પડશે.
ડાર્ક પેટર્ન્સ એટલે શું?
ઓનલાઈન દુનિયાએ આપણી જિંદગી સરળ બનાવી દીધી છે — એક ક્લિક પર શોપિંગ, ટિકિટ બુકિંગ, બેન્કિંગ અને બીજું ઘણુંબધું. પરંતુ આ જ ડિજિટલ દુનિયામાં એક એવી જાળ પણ બિછાવવામાં આવી રહી છે, જેને સામાન્ય લોકો સમજી નથી શકતા અને તેમાં ફસાઈ જાય છે. આ જાળ એટલે ડાર્ક પેટર્ન્સ.
ડાર્ક પેટર્નનો અર્થ છે – એવી ડિઝાઈન કે ઈન્ટરફેસ ટ્રિક્સ જે જાણીજોઈને ગ્રાહકોને ભ્રમિત કરે છે અથવા તેમને એવું કામ કરવા મજબૂર કરે છે જે તેઓ પોતે કરવા નથી માગતા. ઉદાહરણ તરીકે જાણ કર્યા વગર કોઈ સર્વિસનું ઓટો સબસ્ક્રિપ્શન ચાલુ કરવું, ‘No’ કે ‘Cancel’ બટનને એટલું નાનું કે છુપાયેલું બનાવવું કે યુઝરને ‘Yes’ પર જ ક્લિક કરવું પડે. ટ્રાવેલિંગ માટે ટિકિટ બુક કરતી વખતે ઓટોમેટિક ‘ટ્રાવેલ ઇન્શ્યોરન્સ’ એડ કરી દેવું. આવું તો ઘણુંબધું થાય છે.
આ બધી ડિઝાઇનિંગની ટ્રિક હોય છે, જે તમારા સમય, પૈસા અને વિશ્વાસ — ત્રણેય પર હુમલો કરે છે. આ ડિઝાઇન એટલી ચાલાકીથી બનાવવામાં આવે છે કે આપણને ખબર પણ પડતી નથી કે ક્યારે આપણે તેમની જાળમાં ફસાઈ ગયા. તેમનો સીધો હેતુ કંપનીનો નફો વધારવાનો હોય છે.
એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ડાર્ક પેટર્નનાં ઘણાંબધાં સ્વરૂપ છે અને તેનો ફેલાવો પણ ઘણો છે. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ તે મોટા ભાગે ઓનલાઇન શોપિંગમાં વપરાતી ડાર્ક પેટર્ન છે. આ સિવાય ડિજિટલ દુનિયામાં તો ઘણી જગ્યાએ તેનો ઉપયોગ થઇ રહ્યો છે.
ડાર્ક પેટર્ન્સના વિવિધ પ્રકાર
ખોટી ઉતાવળઃ ‘જલદી કરો! ઓફર માટે માત્ર પાંચ મિનિટ બાકી છે!’ અથવા તો ‘માત્ર 2 પીસ બાકી છે, 30 લોકો પ્રોડક્ટ જુએ છે!’ તો વળી ક્યાંક પ્રોડક્ટ નીચે ટાઇમર ચાલતું હોય છે. જોકે હકીકતમાં આવું કશું હોતું નથી. આ બધું તમને ગમે તે કિંમતે અને લાંબું વિચાર્યા વિના ઝડપથી વસ્તુ ખરીદવા માટે ઉકસાવે છે.
બાસ્કેટ સ્નીકિંગ: બાસ્કેટ સ્નીકિંગ એટલે તમારી જાણ બહાર કોઇ પ્રોડક્ટ કે સર્વિસ તમને પધરાવી દેવી. ઓનલાઈન ઓર્ડર કરતી વખતે તમારી મંજૂરી વગર તમારી કાર્ટમાં વધારાની વસ્તુઓ (જેમ કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કે ડોનેશન) ઉમેરાઈ જાય છે. ઘણી વખત નાનાનાના પ્રી-ટિક કરેલા બોક્સ તરીકે દેખાય છે, જેના પર આપણે ધ્યાન આપતા નથી.
ગ્રાહકને શરમાવવાઃ જ્યારે તમે કોઈ વધારાની સર્વિસ માટે ના પાડો છો તો વેબસાઈટ તમને શરમજનક મેસેજ બતાવે છે. જેમ કે તમે વીમાની ના પાડો તો બતાવશે કે ‘હું અસુરક્ષિત રહેવાનું પસંદ કરીશ.’ જો ન્યૂઝલેટરની ના પાડશો તો એવો મેસેજ આવશે કે ‘શું તમે જાણકારીથી દૂર રહેવા માગો છો?’
ફરજ પાડવી: કોઈ એપ અથવા વેબસાઇટ પર કોઈ ચોક્કસ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમને એવું કામ કરવાની ફરજ પાડવામાં આવે છે જેની તમારે જરૂર નથી. જેમ કે ન્યૂઝલેટર સબ્સ્ક્રાઇબ કરાવવું. કેબ એપ્સમાં ‘એડવાન્સ ટિપ’ પણ આનું જ ઉદાહરણ છે.
સબ્સ્ક્રિપ્શનની જાળ: કોઇ પણ એપ કે વેબસાઇટ પર જો તમારે ફ્રી ટ્રાયલ જોઇતી હોય તો તેના માટે સાઇન અપ કરવું એકદમ સરળ હોય છે, પણ તેને કેન્સલ કરવું લગભગ અશક્ય બની જાય છે. કંપનીઓ કેન્સલ કરવાના ઓપ્શનને એટલો અઘરો બનાવી દે છે લોકોને ખબર નથી પડતી અને તેમના પૈસા કપાયા કરે છે.
છુપા ચાર્જ: તમે કોઈ પ્રોડક્ટ ઓછી કિંમતે જોઈ, પણ ચેકઆઉટ અને પેમેન્ટ સમયે શિપિંગ, પ્રોસેસિંગ કે અન્ય વધારાના ચાર્જ જોડાઇ જાય છે. જેનાથી અંતિમ કિંમત ઘણી વધી જાય છે.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/dark-patterns-hidden-tricks-in-online-shopping-135229438.html
કેવલ ઉમરેટિયા યા અઠવાડિયે એક સમાચાર આવ્યા હતા કે, ‘ભારત સરકારે તમામ ઇ કોમર્સ કંપનીઓને ડાર્ક પેટર્ન્સ (Dark Patterns) ખતમ કરવા માટે યોગ્ય પગલા લેવાનો આદેશ આપ્યો.’
પહેલી નજરે ના સમજાય તેવા અને કદાચ સામાન્ય લાગતા આ સમાચાર ખૂબ મહત્ત્વના છે. તમને ભલે કદાચ ડાર્ક પેટર્ન વિશે ખબર ના હોય અથવા તો પહેલી વખત આ શબ્દ સાંભળ્યો હોય, પણ તેનો શિકાર તો બન્યા જ હશો.
ઓનલાઇન શોપિંગ સમયે ક્યારેય એવું થયું છે કે તમારા કાર્ટમાં અચાનક કોઇ વધારાની વસ્તુ આવી ગઇ હોય, જેને તમે એડ નથી કરી? અથવા તો એવું થયું છે કે 999 રૂપિયાની વસ્તુ ચેક આઉટ સમયે ડિલિવરી ચાર્જ, પ્લેટફોર્મ ફી અને ટેક્સ મળીને 1500ની થઈ જાય છે!
તો વળી ક્યારેક વીમો, ચેરિટી કે કોઇ સર્વિસ તમારી જાણ બહાર એડ કરી દેવામાં આવે છે. ‘Only 2 pieces left’ આવું જોઇને ઉતાવળમાં તમે જે વસ્તુ ખરીદો છો, એ 2 પીસ 1 વર્ષ સુધી પૂરા થતા જ નથી. જો તમારી સાથે આ બધું થયું હોય તો તમે ડાર્ક પેટર્નનો ભોગ બન્યા છો. તમે એકલા નથી પણ દરરોજ લાખો લોકો તેનો ભોગ બની રહ્યા છે.
જો કે સરકારના આ નિર્ણયથી ઓનલાઇન ખરીદી કરતા દેશના તમામ નાગરિકોનો ફાયદો થશે. આવું કઇ રીતે થશે તે જાણવા માટે પહેલા ડાર્ક પેટર્ન એટલે શું એ સમજવું પડશે.
ડાર્ક પેટર્ન્સ એટલે શું?
ઓનલાઈન દુનિયાએ આપણી જિંદગી સરળ બનાવી દીધી છે — એક ક્લિક પર શોપિંગ, ટિકિટ બુકિંગ, બેન્કિંગ અને બીજું ઘણુંબધું. પરંતુ આ જ ડિજિટલ દુનિયામાં એક એવી જાળ પણ બિછાવવામાં આવી રહી છે, જેને સામાન્ય લોકો સમજી નથી શકતા અને તેમાં ફસાઈ જાય છે. આ જાળ એટલે ડાર્ક પેટર્ન્સ.
ડાર્ક પેટર્નનો અર્થ છે – એવી ડિઝાઈન કે ઈન્ટરફેસ ટ્રિક્સ જે જાણીજોઈને ગ્રાહકોને ભ્રમિત કરે છે અથવા તેમને એવું કામ કરવા મજબૂર કરે છે જે તેઓ પોતે કરવા નથી માગતા. ઉદાહરણ તરીકે જાણ કર્યા વગર કોઈ સર્વિસનું ઓટો સબસ્ક્રિપ્શન ચાલુ કરવું, ‘No’ કે ‘Cancel’ બટનને એટલું નાનું કે છુપાયેલું બનાવવું કે યુઝરને ‘Yes’ પર જ ક્લિક કરવું પડે. ટ્રાવેલિંગ માટે ટિકિટ બુક કરતી વખતે ઓટોમેટિક ‘ટ્રાવેલ ઇન્શ્યોરન્સ’ એડ કરી દેવું. આવું તો ઘણુંબધું થાય છે.
આ બધી ડિઝાઇનિંગની ટ્રિક હોય છે, જે તમારા સમય, પૈસા અને વિશ્વાસ — ત્રણેય પર હુમલો કરે છે. આ ડિઝાઇન એટલી ચાલાકીથી બનાવવામાં આવે છે કે આપણને ખબર પણ પડતી નથી કે ક્યારે આપણે તેમની જાળમાં ફસાઈ ગયા. તેમનો સીધો હેતુ કંપનીનો નફો વધારવાનો હોય છે.
એક વસ્તુ ધ્યાનમાં રાખો કે ડાર્ક પેટર્નનાં ઘણાંબધાં સ્વરૂપ છે અને તેનો ફેલાવો પણ ઘણો છે. અત્યારે આપણે જે વાત કરી રહ્યા છીએ તે મોટા ભાગે ઓનલાઇન શોપિંગમાં વપરાતી ડાર્ક પેટર્ન છે. આ સિવાય ડિજિટલ દુનિયામાં તો ઘણી જગ્યાએ તેનો ઉપયોગ થઇ રહ્યો છે.
ડાર્ક પેટર્ન્સના વિવિધ પ્રકાર
ખોટી ઉતાવળઃ ‘જલદી કરો! ઓફર માટે માત્ર પાંચ મિનિટ બાકી છે!’ અથવા તો ‘માત્ર 2 પીસ બાકી છે, 30 લોકો પ્રોડક્ટ જુએ છે!’ તો વળી ક્યાંક પ્રોડક્ટ નીચે ટાઇમર ચાલતું હોય છે. જોકે હકીકતમાં આવું કશું હોતું નથી. આ બધું તમને ગમે તે કિંમતે અને લાંબું વિચાર્યા વિના ઝડપથી વસ્તુ ખરીદવા માટે ઉકસાવે છે.
બાસ્કેટ સ્નીકિંગ: બાસ્કેટ સ્નીકિંગ એટલે તમારી જાણ બહાર કોઇ પ્રોડક્ટ કે સર્વિસ તમને પધરાવી દેવી. ઓનલાઈન ઓર્ડર કરતી વખતે તમારી મંજૂરી વગર તમારી કાર્ટમાં વધારાની વસ્તુઓ (જેમ કે ટ્રાવેલ ઇન્સ્યોરન્સ કે ડોનેશન) ઉમેરાઈ જાય છે. ઘણી વખત નાનાનાના પ્રી-ટિક કરેલા બોક્સ તરીકે દેખાય છે, જેના પર આપણે ધ્યાન આપતા નથી.
ગ્રાહકને શરમાવવાઃ જ્યારે તમે કોઈ વધારાની સર્વિસ માટે ના પાડો છો તો વેબસાઈટ તમને શરમજનક મેસેજ બતાવે છે. જેમ કે તમે વીમાની ના પાડો તો બતાવશે કે ‘હું અસુરક્ષિત રહેવાનું પસંદ કરીશ.’ જો ન્યૂઝલેટરની ના પાડશો તો એવો મેસેજ આવશે કે ‘શું તમે જાણકારીથી દૂર રહેવા માગો છો?’
ફરજ પાડવી: કોઈ એપ અથવા વેબસાઇટ પર કોઈ ચોક્કસ સુવિધાનો ઉપયોગ કરવા માટે, તમને એવું કામ કરવાની ફરજ પાડવામાં આવે છે જેની તમારે જરૂર નથી. જેમ કે ન્યૂઝલેટર સબ્સ્ક્રાઇબ કરાવવું. કેબ એપ્સમાં ‘એડવાન્સ ટિપ’ પણ આનું જ ઉદાહરણ છે.
સબ્સ્ક્રિપ્શનની જાળ: કોઇ પણ એપ કે વેબસાઇટ પર જો તમારે ફ્રી ટ્રાયલ જોઇતી હોય તો તેના માટે સાઇન અપ કરવું એકદમ સરળ હોય છે, પણ તેને કેન્સલ કરવું લગભગ અશક્ય બની જાય છે. કંપનીઓ કેન્સલ કરવાના ઓપ્શનને એટલો અઘરો બનાવી દે છે લોકોને ખબર નથી પડતી અને તેમના પૈસા કપાયા કરે છે.
છુપા ચાર્જ: તમે કોઈ પ્રોડક્ટ ઓછી કિંમતે જોઈ, પણ ચેકઆઉટ અને પેમેન્ટ સમયે શિપિંગ, પ્રોસેસિંગ કે અન્ય વધારાના ચાર્જ જોડાઇ જાય છે. જેનાથી અંતિમ કિંમત ઘણી વધી જાય છે.
ઇન્ટરફેસની ભૂલભુલામણી: ઇન્ટરફેસ એટલે ડિઝાઇન, વેબસાઇટ કે એપની ડિઝાઇન જ એવી રીતે બનાવવામાં આવે છે કે તમે ભ્રમિત થાઓ. જેમ કે, ‘કેન્સલ કરો’ અથવા તો ‘નો’ કે પછી ‘અનસબસ્ક્રાઇબ’ ના બટન ખૂબ નાના અને અસ્પષ્ટ હોય છે. જેની સામે ‘હા’ કે પછી ‘ખરીદો’ અને ‘સબસ્ક્રાઇબ’ ના બટન મોટા અને આકર્ષક હોય છે.
છૂપી જાહેરાતો: કેટલીકવાર જાહેરાતો વેબસાઇટના મુખ્ય કન્ટેન્ટ (જેમ કે સમાચાર, લેખ કે પોસ્ટ) ના રૂપમાં દેખાય છે, જેથી તમને લાગે કે આ સામાન્ય માહિતી છે. જો કે તેના પર ક્લિક કરવાથી તે જાહેરાત નીકળે છે.
આપણે શું કરી શકીએ?
સરકાર ભલે પોતાની રીતે પગલાં લઈ રહી હોય, પરંતુ એક જાગૃત ગ્રાહક તરીકે આપણે પણ સતર્ક રહેવું પડશે. જેના માટેના કેટલાક સરળ ઉપાય અહીં આપેલા છે.
જ્યારે પણ કોઈ વેબસાઈટ તમને ‘સીમિત સમય’ કે ‘ઓછો સ્ટોક’ જેવા પોપઅપ બતાવે, ત્યારે તરત ખરીદી ન કરો.
પેમેન્ટ કરતા પહેલા શોપિંગ કાર્ટને ચેક કરો, જુઓ કે કોઈ વધારાની વસ્તુ કે સર્વિસ તો નથી આવી ગઈ.
ખાસ કરીને સબ્સ્ક્રિપ્શન સંબંધિત માહિતીને ધ્યાનથી વાંચો, કેન્સલ કરવાની પ્રક્રિયા અને છૂપા ચાર્જ પર વિશેષ ધ્યાન આપો.
જો કોઈ વેબસાઈટ તમને કોઈ વસ્તુ માટે દબાણ કરી રહી હોય કે શરમમાં મુકતી હોય તો કોઈ પણ ખચકાટ વગર ‘ના’ કહો.
જરૂરી ના હોય ત્યાં સુધી બિનજરૂરી એપ્સ ડાઉનલોડ કરવાનું કે ન્યૂઝલેટરનું સબ્સ્ક્રિપ્શન લેવાનું ટાળો.
ડાર્ક પેટર્ન વિશે તમારા પરિવાર અને મિત્રોને માહિતી આપો અને તેનાથી બચવાના ઉપાયની ચર્ચા કરો. જેટલી જાગૃતિ વધશે તેટલી ડાર્ક પેટર્ન નિષ્ફળ જશે.
કોઇ પ્લોટફોર્મ પર આવો કોઇ અનુભવ થાય તો તમે ગ્રાહક સુરક્ષા મંચ કે પોર્ટલ પર ફરિયાદ પણ કરી શકો છો.
ડિજિટલ દુનિયામાં ઘણી સુવિધાઓ છે, જો કે આ સુવિધાઓની વચ્ચે ડાર્ક પેટર્ન જેવી અનેક જાળ પણ પથરાયેલી છે. સરકાર તો પોતાની રીતે કામ કર જ રહી છે પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણે જાગૃત અને સતર્ક રહીએ. આપણી જાગૃતિ જ આપણને ડાર્ક પેટર્નથી બચાવશે. તો હવે જ્યારે તમે ઓનલાઈન શોપિંગ કરો, ત્યારે આ ડાર્ક પેટર્નના કુંડાળામાં પગ ના આવી જાય તેનું ધ્યાન રાખજો! }
છૂપી જાહેરાતો: કેટલીકવાર જાહેરાતો વેબસાઇટના મુખ્ય કન્ટેન્ટ (જેમ કે સમાચાર, લેખ કે પોસ્ટ) ના રૂપમાં દેખાય છે, જેથી તમને લાગે કે આ સામાન્ય માહિતી છે. જો કે તેના પર ક્લિક કરવાથી તે જાહેરાત નીકળે છે.
આપણે શું કરી શકીએ?
સરકાર ભલે પોતાની રીતે પગલાં લઈ રહી હોય, પરંતુ એક જાગૃત ગ્રાહક તરીકે આપણે પણ સતર્ક રહેવું પડશે. જેના માટેના કેટલાક સરળ ઉપાય અહીં આપેલા છે.
જ્યારે પણ કોઈ વેબસાઈટ તમને ‘સીમિત સમય’ કે ‘ઓછો સ્ટોક’ જેવા પોપઅપ બતાવે, ત્યારે તરત ખરીદી ન કરો.
પેમેન્ટ કરતા પહેલા શોપિંગ કાર્ટને ચેક કરો, જુઓ કે કોઈ વધારાની વસ્તુ કે સર્વિસ તો નથી આવી ગઈ.
ખાસ કરીને સબ્સ્ક્રિપ્શન સંબંધિત માહિતીને ધ્યાનથી વાંચો, કેન્સલ કરવાની પ્રક્રિયા અને છૂપા ચાર્જ પર વિશેષ ધ્યાન આપો.
જો કોઈ વેબસાઈટ તમને કોઈ વસ્તુ માટે દબાણ કરી રહી હોય કે શરમમાં મુકતી હોય તો કોઈ પણ ખચકાટ વગર ‘ના’ કહો.
જરૂરી ના હોય ત્યાં સુધી બિનજરૂરી એપ્સ ડાઉનલોડ કરવાનું કે ન્યૂઝલેટરનું સબ્સ્ક્રિપ્શન લેવાનું ટાળો.
ડાર્ક પેટર્ન વિશે તમારા પરિવાર અને મિત્રોને માહિતી આપો અને તેનાથી બચવાના ઉપાયની ચર્ચા કરો. જેટલી જાગૃતિ વધશે તેટલી ડાર્ક પેટર્ન નિષ્ફળ જશે.
કોઇ પ્લોટફોર્મ પર આવો કોઇ અનુભવ થાય તો તમે ગ્રાહક સુરક્ષા મંચ કે પોર્ટલ પર ફરિયાદ પણ કરી શકો છો.
ડિજિટલ દુનિયામાં ઘણી સુવિધાઓ છે, જો કે આ સુવિધાઓની વચ્ચે ડાર્ક પેટર્ન જેવી અનેક જાળ પણ પથરાયેલી છે. સરકાર તો પોતાની રીતે કામ કર જ રહી છે પણ સૌથી મહત્વની વાત એ છે કે આપણે જાગૃત અને સતર્ક રહીએ. આપણી જાગૃતિ જ આપણને ડાર્ક પેટર્નથી બચાવશે. તો હવે જ્યારે તમે ઓનલાઈન શોપિંગ કરો, ત્યારે આ ડાર્ક પેટર્નના કુંડાળામાં પગ ના આવી જાય તેનું ધ્યાન રાખજો! }
માઈક્રોફિક્શન:તમે...
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/youmicrofiction-135229472.html
ર્કિટેક્ટ રસેન્દુ પોતાની ઑફિસમાં રિવોલ્વિંગ ચેર પર બેઠો સિગારેટના ધુમાડાના વર્તુળ રચતો કલાક પછીની ક્ષણોને મનમાં મમળાવતો ટેબલ પર પડેલ કાર્ડ સામું નીરખી રહ્યો હતો. રૂમ નંબર નવની ચાવી ખિસ્સામાં છે કે નહીં તે તપાસી જોયું.
રસેન્દુએ ઘડિયાળમાં જોયું, ઑફિસ બહાર નીકળ્યો અને પહોંચ્યો મિલન ગેસ્ટ હાઉસ. રૂમ નંબર નવમાં થોડીવાર બેઠો ત્યાં બારણા પર ટકોરા પડ્યાં.
રસેન્દુએ બારણું ખોલ્યું. પ… ણ આવનાર સ્ત્રી ચીસ પાડી બોલી ઊઠી… ત...મે. - ઉમેશ જોષી હવે મોડું થઈ ગ્યું!
જને દરરોજ કોઈ નેકોઈ બાબતે પપ્પા રોકાતા ટોકતા, પણ આજે ગુસ્સામાં પિતાને સામું બોલી દીધું.
પપ્પાના મૌનને જોઈ, રાજને સમજાયું, ‘શબ્દોના ઘા હથિયારના ઘા કરતાં ઊંડા ઘા આપી શકે.’ રાજને પસ્તાવો ઘણો થયો, પણ હવે મોડું થઈ ગયું! - હેમંત સોલંકી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/youmicrofiction-135229472.html
ર્કિટેક્ટ રસેન્દુ પોતાની ઑફિસમાં રિવોલ્વિંગ ચેર પર બેઠો સિગારેટના ધુમાડાના વર્તુળ રચતો કલાક પછીની ક્ષણોને મનમાં મમળાવતો ટેબલ પર પડેલ કાર્ડ સામું નીરખી રહ્યો હતો. રૂમ નંબર નવની ચાવી ખિસ્સામાં છે કે નહીં તે તપાસી જોયું.
રસેન્દુએ ઘડિયાળમાં જોયું, ઑફિસ બહાર નીકળ્યો અને પહોંચ્યો મિલન ગેસ્ટ હાઉસ. રૂમ નંબર નવમાં થોડીવાર બેઠો ત્યાં બારણા પર ટકોરા પડ્યાં.
રસેન્દુએ બારણું ખોલ્યું. પ… ણ આવનાર સ્ત્રી ચીસ પાડી બોલી ઊઠી… ત...મે. - ઉમેશ જોષી હવે મોડું થઈ ગ્યું!
જને દરરોજ કોઈ નેકોઈ બાબતે પપ્પા રોકાતા ટોકતા, પણ આજે ગુસ્સામાં પિતાને સામું બોલી દીધું.
પપ્પાના મૌનને જોઈ, રાજને સમજાયું, ‘શબ્દોના ઘા હથિયારના ઘા કરતાં ઊંડા ઘા આપી શકે.’ રાજને પસ્તાવો ઘણો થયો, પણ હવે મોડું થઈ ગયું! - હેમંત સોલંકી
દેશ-વિદેશ:ટ્રમ્પ-મસ્ક: દોસ્ત-દોસ્ત ના રહા, પ્યાર-પ્યાર ના રહા
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/trump-musk-friends-friends-135229436.html
ડૉ. જય નારાયણ વ્યાસ હુ ગાજેલાં પ્રેમ-પ્રકરણ ઘણી વખત લગ્નજીવન સુધી પહોંચતાં જ નથી. ક્યારેક આવું લગ્નજીવનનું બંધન ઊભું થાય તો પણ એ લાંબું ટકતું નથી. આવાં અનેક ઉદાહરણો આપણે આજુબાજુ નજર કરીએ તો જોવા મળે છે.
આવું એક પ્રેમપ્રકરણ ટૂંકા ગાળા માટે ઊભું થયું, ખૂબ ચગ્યું ‘મેડ ફોર ઇચ અધર’ બનીને એણે દુનિયાભરમાં ચર્ચા જગાવી, અણધારી રીતે સામાન્ય વ્યવહારના રિવાજથી બહાર જઈને આ જોડું લગ્નજીવનથી બંધાયું અને ખૂબ જ ટૂંકા ગાળામાં ફટકિયાં મોતીની માફક ફૂટી ગયું.
વિશ્વવિખ્યાત આ જોડું એટલે ટેક્નોલૉજીથી અબજોપતિ બનેલ ઇલોન મસ્ક અને અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. શરૂઆતમાં તો આ સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા અને જોડું અખંડ છે તેવી આભા ઊભી થઈ પણ ત્યાર પછી જે આક્ષેપબાજી ચાલુ થઈ છે એણે બંને વચ્ચેના સંબંધ ફરી ક્યારેય નહીં જોડાય એ વાત પર મહોર મારી દીધી. જોકે ક્ષેત્ર રાજકારણનું છે અને બંને વ્યક્તિત્વો પણ અકળ છે, એટલે ભવિષ્યમાં પાછું કંઈક અનુસંધાન જામે તો આશ્ચર્યચકિત થવાની જરૂર નહીં.
ભવિષ્યની ગર્તામાં શું છુપાયું છે, તે કોને ખબર છે? હકીકત એ છે કે, વિશ્વના બે અત્યંત બળવાન વ્યક્તિત્વ વચ્ચેની લડાઈ ખુલ્લા મેદાનમાં આવી ગઈ છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઇલોન મસ્ક દ્વારા ટ્રમ્પ ઉપ૨ બેવફાઇનો આક્ષેપ કરતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ટ્રમ્પનો ચૂંટણીમાં વિજય મસ્ક વગર શક્ય બન્યો ન હોત.
સામે પક્ષે ટ્રમ્પ કહે છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા લાવવામાં આવી રહેલી ‘બિગ બ્યૂટીફુલ બિલ’ માટે મસ્ક દ્વારા સતત ટીકાઓનો વરસાદ વરસી રહ્યો છે તેનાથી ટ્રમ્પ નિરાશ થયા છે.
ગયા વર્ષે અમેરિકન પ્રમુખપદ માટેની ચૂંટણીઓ નજીક આવતી જતી હતી ત્યારે પ્રમુખપદ માટેના ઉમેદવાર જો બાઇડેન અચાનક રેસ શરૂ થાય ત્યાં જ ફસકી પડ્યા અને એમને બદલીને ઉપપ્રમુખ કમલા હેરિસને ડેમોક્રેટ્સ દ્વારા મેદાનમાં ઉતારવાં પડ્યાં. સાથે ચૂંટણીમાં બહુ મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પ ફિનિક્સ પંખીની માફક રાખમાંથી બેઠો થયો પણ એની સંજીવની દુનિયાના સૌથી વધુ ધનિક માણસ ઇલોન મસ્ક હતો. ભામાશાએ જેમ પોતાના ભંડારો રાણા પ્રતાપ માટે ખુલ્લા મૂકી દીધા હતા તેમ મસ્કે પોતાના ભંડારો ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખુલ્લા મૂકી દીધા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદી લઈ એનું નામ બદલી ‘એક્સ’ કર્યું અને એ પણ સંપૂર્ણપણે ટ્રમ્પના પ્રચાર માટે સમર્પિત થયું. પવન બદલાયો. ટ્રમ્પના વહાણના સઢમાં જાણે કે નવો પવન પુરાયો અને એ જીતી ગયો!
થોડાક મહિનાઓ પહેલાં જેની વધુ શક્યતાઓ નહોતી દેખાતી તે વાત હકીકત બની ગઈ. ટ્રમ્પ પણ પોતાના મિત્ર મસ્કને કઈ રીતે ભૂલે? એણે એક નવો વિભાગ, ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્ન્મેન્ટ એફિસિયન્સી ‘ડોજ’, ઊભો કરી સરકારમાં પારદર્શિતા લાવવાની અને ખોટા ખર્ચા અટકાવવાની ભગીરથ કામગીરી મસ્કને સોંપી.
અમેરિકામાં ટ્રમ્પ બાદ મસ્ક સૌથી વધુ શક્તિશાળી માણસ ગણાવા માંડ્યો. પણ ગુજરાતીમાં કહેવત છે કે, ‘ઝાઝું કરે તે થોડા માટે, ‘ખૂબ ટૂંકા સમયમાં આ બંને વચ્ચેના મતભેદો ચરમસીમાએ પહોંચ્યા અને ‘મારાથી આ રીતે કામ નહીં થઈ શકે’ કહીને ટ્રમ્પ વહીવટી તંત્રથી મસ્ક છૂટો પડ્યો. એમાં ઊંટની પીઠ ઉપર છેલ્લી સળી બન્યું સરકારનું દેવું વધારવા માટેની મંજૂરી આપતું બિલ ‘ધ બિગ બ્યૂટીફુલ બિલ’. આ મુદ્દો પકડાઈ ગયો. બંને વચ્ચેની દોસ્તી હવે એવી દુશ્મનીમાં પરિણમી કે એકબીજા ઉપર ખુલ્લેઆમ આક્ષેપો જાહેર માધ્યમોથી કરવા માંડ્યા.
જ્યારે દોસ્ત દુશ્મન બને છે ત્યારે એ નવાઈ પામી જવાય એટલી ખતરનાક હદ વટાવે છે. જુલિયસ સીઝરને પીઠમાં ખંજર મારનાર એનો મિત્ર જ હતો ને! સીઝરે પણ એને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતા ઉદ્ગારો કાઢ્યા હતા, ‘બ્રૂટ્સ યૂ ટુ (બ્રૂટ્સ તું પણ)?’
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તલવારો ખેંચાઈ ચૂકી છે અને વાત એ હદ સુધી પહોંચી છે કે, ટ્રમ્પ આ મુદ્દે કોઈ સીધી વાત મસ્ક સાથે કરવાના મૂડમાં નથી, તો પછી સમાધાન કઈ રીતે નીકળે?
બીજી બાજુ ઇલોન મસ્ક દ્વારા અમેરિકામાં નવી રાજકીય પાર્ટી રચવી જોઈએ કે નહીં તે દિશામાં વિચારણાના ભાગરૂપે સરવે શરૂ થયો છે.
મસ્કના ટ્વિટને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો તે પરથી કહી શકાય કે મસ્ક પાસે પણ બહોળો ચાહકવર્ગ છે. મસ્કનો આક્ષેપ છે કે જો પોતે ચૂંટણીમાં દખલ ના કરી હોત તો ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત અને ગૃહનો કાબૂ ડેમોક્રેટ્સના હાથમાં ગયો હોત!
આ દાવાને ટ્રમ્પે નકારી કાઢતા કહ્યું હતું, ‘મસ્ક સાથે હોત કે ન હોત ઇલેક્શન પોતે જીતવાનો જ હતો.’
હવે ટ્રમ્પ સીધો આક્ષેપ કરતાં કહે છે, ‘ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટેનો મેન્ડેટ પોતે કાપી રહ્યો છે તેની મસ્કને જાણ થઈ તે એના પેટમાં દુખાવાનું કારણ છે.’
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/trump-musk-friends-friends-135229436.html
ડૉ. જય નારાયણ વ્યાસ હુ ગાજેલાં પ્રેમ-પ્રકરણ ઘણી વખત લગ્નજીવન સુધી પહોંચતાં જ નથી. ક્યારેક આવું લગ્નજીવનનું બંધન ઊભું થાય તો પણ એ લાંબું ટકતું નથી. આવાં અનેક ઉદાહરણો આપણે આજુબાજુ નજર કરીએ તો જોવા મળે છે.
આવું એક પ્રેમપ્રકરણ ટૂંકા ગાળા માટે ઊભું થયું, ખૂબ ચગ્યું ‘મેડ ફોર ઇચ અધર’ બનીને એણે દુનિયાભરમાં ચર્ચા જગાવી, અણધારી રીતે સામાન્ય વ્યવહારના રિવાજથી બહાર જઈને આ જોડું લગ્નજીવનથી બંધાયું અને ખૂબ જ ટૂંકા ગાળામાં ફટકિયાં મોતીની માફક ફૂટી ગયું.
વિશ્વવિખ્યાત આ જોડું એટલે ટેક્નોલૉજીથી અબજોપતિ બનેલ ઇલોન મસ્ક અને અમેરિકાના હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ. શરૂઆતમાં તો આ સંબંધો મૈત્રીપૂર્ણ રહ્યા અને જોડું અખંડ છે તેવી આભા ઊભી થઈ પણ ત્યાર પછી જે આક્ષેપબાજી ચાલુ થઈ છે એણે બંને વચ્ચેના સંબંધ ફરી ક્યારેય નહીં જોડાય એ વાત પર મહોર મારી દીધી. જોકે ક્ષેત્ર રાજકારણનું છે અને બંને વ્યક્તિત્વો પણ અકળ છે, એટલે ભવિષ્યમાં પાછું કંઈક અનુસંધાન જામે તો આશ્ચર્યચકિત થવાની જરૂર નહીં.
ભવિષ્યની ગર્તામાં શું છુપાયું છે, તે કોને ખબર છે? હકીકત એ છે કે, વિશ્વના બે અત્યંત બળવાન વ્યક્તિત્વ વચ્ચેની લડાઈ ખુલ્લા મેદાનમાં આવી ગઈ છે. ટેસ્લાના ચીફ એક્ઝિક્યુટિવ ઇલોન મસ્ક દ્વારા ટ્રમ્પ ઉપ૨ બેવફાઇનો આક્ષેપ કરતાં ટ્વિટ કરવામાં આવ્યું છે કે, ટ્રમ્પનો ચૂંટણીમાં વિજય મસ્ક વગર શક્ય બન્યો ન હોત.
સામે પક્ષે ટ્રમ્પ કહે છે કે, ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન દ્વારા લાવવામાં આવી રહેલી ‘બિગ બ્યૂટીફુલ બિલ’ માટે મસ્ક દ્વારા સતત ટીકાઓનો વરસાદ વરસી રહ્યો છે તેનાથી ટ્રમ્પ નિરાશ થયા છે.
ગયા વર્ષે અમેરિકન પ્રમુખપદ માટેની ચૂંટણીઓ નજીક આવતી જતી હતી ત્યારે પ્રમુખપદ માટેના ઉમેદવાર જો બાઇડેન અચાનક રેસ શરૂ થાય ત્યાં જ ફસકી પડ્યા અને એમને બદલીને ઉપપ્રમુખ કમલા હેરિસને ડેમોક્રેટ્સ દ્વારા મેદાનમાં ઉતારવાં પડ્યાં. સાથે ચૂંટણીમાં બહુ મોટો ટર્નિંગ પોઇન્ટ આવ્યો.
ડોનાલ્ડ ટ્રમ્પ ફિનિક્સ પંખીની માફક રાખમાંથી બેઠો થયો પણ એની સંજીવની દુનિયાના સૌથી વધુ ધનિક માણસ ઇલોન મસ્ક હતો. ભામાશાએ જેમ પોતાના ભંડારો રાણા પ્રતાપ માટે ખુલ્લા મૂકી દીધા હતા તેમ મસ્કે પોતાના ભંડારો ડોનાલ્ડ ટ્રમ્પ માટે ખુલ્લા મૂકી દીધા.
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર ખરીદી લઈ એનું નામ બદલી ‘એક્સ’ કર્યું અને એ પણ સંપૂર્ણપણે ટ્રમ્પના પ્રચાર માટે સમર્પિત થયું. પવન બદલાયો. ટ્રમ્પના વહાણના સઢમાં જાણે કે નવો પવન પુરાયો અને એ જીતી ગયો!
થોડાક મહિનાઓ પહેલાં જેની વધુ શક્યતાઓ નહોતી દેખાતી તે વાત હકીકત બની ગઈ. ટ્રમ્પ પણ પોતાના મિત્ર મસ્કને કઈ રીતે ભૂલે? એણે એક નવો વિભાગ, ડિપાર્ટમેન્ટ ઑફ ગવર્ન્મેન્ટ એફિસિયન્સી ‘ડોજ’, ઊભો કરી સરકારમાં પારદર્શિતા લાવવાની અને ખોટા ખર્ચા અટકાવવાની ભગીરથ કામગીરી મસ્કને સોંપી.
અમેરિકામાં ટ્રમ્પ બાદ મસ્ક સૌથી વધુ શક્તિશાળી માણસ ગણાવા માંડ્યો. પણ ગુજરાતીમાં કહેવત છે કે, ‘ઝાઝું કરે તે થોડા માટે, ‘ખૂબ ટૂંકા સમયમાં આ બંને વચ્ચેના મતભેદો ચરમસીમાએ પહોંચ્યા અને ‘મારાથી આ રીતે કામ નહીં થઈ શકે’ કહીને ટ્રમ્પ વહીવટી તંત્રથી મસ્ક છૂટો પડ્યો. એમાં ઊંટની પીઠ ઉપર છેલ્લી સળી બન્યું સરકારનું દેવું વધારવા માટેની મંજૂરી આપતું બિલ ‘ધ બિગ બ્યૂટીફુલ બિલ’. આ મુદ્દો પકડાઈ ગયો. બંને વચ્ચેની દોસ્તી હવે એવી દુશ્મનીમાં પરિણમી કે એકબીજા ઉપર ખુલ્લેઆમ આક્ષેપો જાહેર માધ્યમોથી કરવા માંડ્યા.
જ્યારે દોસ્ત દુશ્મન બને છે ત્યારે એ નવાઈ પામી જવાય એટલી ખતરનાક હદ વટાવે છે. જુલિયસ સીઝરને પીઠમાં ખંજર મારનાર એનો મિત્ર જ હતો ને! સીઝરે પણ એને જોઈને આશ્ચર્ય વ્યક્ત કરતા ઉદ્ગારો કાઢ્યા હતા, ‘બ્રૂટ્સ યૂ ટુ (બ્રૂટ્સ તું પણ)?’
ટ્રમ્પ અને મસ્ક વચ્ચે તલવારો ખેંચાઈ ચૂકી છે અને વાત એ હદ સુધી પહોંચી છે કે, ટ્રમ્પ આ મુદ્દે કોઈ સીધી વાત મસ્ક સાથે કરવાના મૂડમાં નથી, તો પછી સમાધાન કઈ રીતે નીકળે?
બીજી બાજુ ઇલોન મસ્ક દ્વારા અમેરિકામાં નવી રાજકીય પાર્ટી રચવી જોઈએ કે નહીં તે દિશામાં વિચારણાના ભાગરૂપે સરવે શરૂ થયો છે.
મસ્કના ટ્વિટને જે પ્રકારનો પ્રતિસાદ મળ્યો તે પરથી કહી શકાય કે મસ્ક પાસે પણ બહોળો ચાહકવર્ગ છે. મસ્કનો આક્ષેપ છે કે જો પોતે ચૂંટણીમાં દખલ ના કરી હોત તો ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત અને ગૃહનો કાબૂ ડેમોક્રેટ્સના હાથમાં ગયો હોત!
આ દાવાને ટ્રમ્પે નકારી કાઢતા કહ્યું હતું, ‘મસ્ક સાથે હોત કે ન હોત ઇલેક્શન પોતે જીતવાનો જ હતો.’
હવે ટ્રમ્પ સીધો આક્ષેપ કરતાં કહે છે, ‘ઇલેક્ટ્રિકલ વ્હીકલ માટેનો મેન્ડેટ પોતે કાપી રહ્યો છે તેની મસ્કને જાણ થઈ તે એના પેટમાં દુખાવાનું કારણ છે.’
મસ્કનું કહેવું છે કે ‘બિગ બ્યૂટીફુલ બિલ’ દ્વારા ખર્ચો ઘટાડવાને બદલે વધારીને અત્યારની બજેટખાધમાં બે-અઢી ટ્રિલિયન ડૉલરનો વધારો આગામી વર્ષો કરશે જે મતદારો સાથે દ્રોહ કરવા બરાબર છે અને જેમણે ટ્રમ્પ માટે મતદાન કર્યું એ બધા માટે આ શરમજનક છે.
પ્રશ્ન થાય મસ્ક અને ટ્રમ્પના છૂટાછેડાનું કારણ બનેલું ‘બિગ બ્યૂટીફુલ બિલ’ છે શું?
અમેરિકન સંસદ દ્વારા ગયા મહિને ખૂબ પાતળી બહુમતીથી આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ ૨૦૧૭માં આપવામાં આવેલ ટેક્સ રાહતોને ચાલુ રાખવા માગે છે. આ સિવાય બૉર્ડર સિક્યોરિટી અને મિલિટરી માટે નવો ખર્ચ કરવાની વાત છે. આમ કરવાથી 2.3 થી પાંચ ટ્રિલિયન જેટલી બજેટ ખાધ આવનાર દાયકામાં વધવા પામશે.
આના કારણે મસ્ક માને છે કે, આ બિલ અમેરિકાને દેવાળિયું બનાવી દેશે. મસ્કે અગાઉ પણ રાષ્ટ્રીય દેવું એ અમેરિકાની હયાતી સામેના મોટા ખતરા તરીકે હોવાનું કહ્યું હતું. આ પ્રકારનો બેફામ ખર્ચ અમેરિકાને કાયમી ધોરણે દેવાની ગુલામીમાં ઘસેડશે. આવો કાયદો ‘બ્યૂટીફલ-સુંદર’ કઈ રીતે હોઈ શકે? એવો પ્રશ્ન મસ્ક દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
આમ તો બીજાં પણ કારણો હશે, કારણ કે, મસ્કનું પોતાનું સાહસ કેટલાક સમયથી જે નુકસાન કરે છે તેને કારણે ટેસ્લાના નફામાં 70 ટકા જેટલો ઘસારો થયો છે, પણ ‘ધી બિગ બ્યૂટીફુલ બિલ’, ‘ધી બિગ ટેરિબલ બૉમ્બ બનીને ઊપસ્યું છે.
એકબીજા પર ઓળઘોળ થઈ જતા બે મિત્ર જ્યારે દુશ્મન બને ત્યારે એ દુશ્મની ક્યાં જઈને અટકે છે એ દાખલાની હજુ તો શરૂઆત થઈ છે. 1960ના દાયકામાં એક ખૂબ લોકપ્રિય ફિલ્મ ‘સંગમ’ આવી હતી, જેમાં બે જિગરજાન દોસ્ત સાથેના પ્રણય ત્રિકોણની વાત હતી, જેમાં છેલ્લે એકનો ભોગ લેવાયો હતો.
એ ચલચિત્રનું એક ગીત હતું: ‘દોસ્ત-દોસ્ત ના રહા, પ્યાર-પ્યાર ના રહા, જિંદગી હમે તેરા, એતબાર ના રહા...’ આજે ટ્રમ્પ-મસ્ક અને સત્તાના પ્રણયત્રિકોણમાં બંને મિત્રો વચ્ચે ઝઘડો પડ્યો છે, ત્યારે કોનો ભોગ લેવાશે?
હજુ એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ટ્રમ્પના મુખ્ય ટેકેદાર તરીકે મસ્ક દ્વારા અબજો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. મસ્ક દ્વારા ધૂમધડાકાભેર તન, મન અને ધનથી ટ્રમ્પ ચૂંટાઈ આવે તે પ્રકારનો ટેકો ના આપવામાં આવ્યો હોત તો શું ટ્રમ્પ આજે અમેરિકાના પ્રમુખ હોત? જવાબ આપવો એટલો સરળ નથી. }
પ્રશ્ન થાય મસ્ક અને ટ્રમ્પના છૂટાછેડાનું કારણ બનેલું ‘બિગ બ્યૂટીફુલ બિલ’ છે શું?
અમેરિકન સંસદ દ્વારા ગયા મહિને ખૂબ પાતળી બહુમતીથી આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. આ બિલ ૨૦૧૭માં આપવામાં આવેલ ટેક્સ રાહતોને ચાલુ રાખવા માગે છે. આ સિવાય બૉર્ડર સિક્યોરિટી અને મિલિટરી માટે નવો ખર્ચ કરવાની વાત છે. આમ કરવાથી 2.3 થી પાંચ ટ્રિલિયન જેટલી બજેટ ખાધ આવનાર દાયકામાં વધવા પામશે.
આના કારણે મસ્ક માને છે કે, આ બિલ અમેરિકાને દેવાળિયું બનાવી દેશે. મસ્કે અગાઉ પણ રાષ્ટ્રીય દેવું એ અમેરિકાની હયાતી સામેના મોટા ખતરા તરીકે હોવાનું કહ્યું હતું. આ પ્રકારનો બેફામ ખર્ચ અમેરિકાને કાયમી ધોરણે દેવાની ગુલામીમાં ઘસેડશે. આવો કાયદો ‘બ્યૂટીફલ-સુંદર’ કઈ રીતે હોઈ શકે? એવો પ્રશ્ન મસ્ક દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો.
આમ તો બીજાં પણ કારણો હશે, કારણ કે, મસ્કનું પોતાનું સાહસ કેટલાક સમયથી જે નુકસાન કરે છે તેને કારણે ટેસ્લાના નફામાં 70 ટકા જેટલો ઘસારો થયો છે, પણ ‘ધી બિગ બ્યૂટીફુલ બિલ’, ‘ધી બિગ ટેરિબલ બૉમ્બ બનીને ઊપસ્યું છે.
એકબીજા પર ઓળઘોળ થઈ જતા બે મિત્ર જ્યારે દુશ્મન બને ત્યારે એ દુશ્મની ક્યાં જઈને અટકે છે એ દાખલાની હજુ તો શરૂઆત થઈ છે. 1960ના દાયકામાં એક ખૂબ લોકપ્રિય ફિલ્મ ‘સંગમ’ આવી હતી, જેમાં બે જિગરજાન દોસ્ત સાથેના પ્રણય ત્રિકોણની વાત હતી, જેમાં છેલ્લે એકનો ભોગ લેવાયો હતો.
એ ચલચિત્રનું એક ગીત હતું: ‘દોસ્ત-દોસ્ત ના રહા, પ્યાર-પ્યાર ના રહા, જિંદગી હમે તેરા, એતબાર ના રહા...’ આજે ટ્રમ્પ-મસ્ક અને સત્તાના પ્રણયત્રિકોણમાં બંને મિત્રો વચ્ચે ઝઘડો પડ્યો છે, ત્યારે કોનો ભોગ લેવાશે?
હજુ એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ટ્રમ્પના મુખ્ય ટેકેદાર તરીકે મસ્ક દ્વારા અબજો રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. મસ્ક દ્વારા ધૂમધડાકાભેર તન, મન અને ધનથી ટ્રમ્પ ચૂંટાઈ આવે તે પ્રકારનો ટેકો ના આપવામાં આવ્યો હોત તો શું ટ્રમ્પ આજે અમેરિકાના પ્રમુખ હોત? જવાબ આપવો એટલો સરળ નથી. }
રાશિફળ:સાપ્તાહિક ભવિષ્યફળ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/weekly-horoscope-15-6-135229407.html
જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.)
આંતરિક ઊર્જા અને આત્મવિશ્વાસ વધશે. નોકરી અને વ્યાપારમાં લાભ થાય. વિરોધી પરિબળો ઉપર અંકુશ રાખી શકાશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી શકે છે. કાયદાકીય બાબતોની ગૂંચ ઉકેલાશે. આર્થિક રીતે ફાયદો થાય. બુદ્ધિજીવીઓ પોતાના કાર્ય ક્ષેત્રમાં સફળ થાય. અગ્નિભય સતાવે. તા. 16-17-20 નિજાનંદ. તા. 19 નિષ્ફળતા. વૃષભ (બ. વ. ઉ.)
વ્યાપાર અને વ્યવસાયમાં સ્થિતિ મજબૂત બને. જમીન અને વાહન ખરીદીના યોગ છે. આવકમાં વૃદ્ધિ થાય. શેરબજારમાં રોકાણોનું સારું વળતર મળે. નોકરિયાતોને રાહતનો અનુભવ થાય. વાણીનો પ્રભાવ વધે, તેનાથી ઘણી સમસ્યાનો નિવેડો આવી શકે. માતાના આરોગ્યની તકેદારી રાખવી. છાતીમાં બળતરા થાય. તા. 16-17-18 વિજય. તા. 20 નુકસાન. મિથુન (ક. છ. ઘ.)
અચાનક નવી તક ઊભરી આવે. જાહેર માન-સન્માન મળે. આપનું ભાગ્ય આપનો સાથ નિભાવે. કારકિર્દીના ઘડતર માટે ઉત્તમ સમય છે. માનસિક સ્થિતિ સુધરે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. કોઈ અપ્રિય ઘટનાથી આપની બદનામી થવાના સંજોગોથી સાવચેત રહેવું. ઊંઘ વધુ આવે અને થાક લાગે. તા. 18-19-20 મનોરંજન. તા. 15 બેચેની. કર્ક (ડ. હ.)
યુક્તિ-પ્રયુક્તિથી જમીન મિલકતની બાબતોથી ફાયદો થાય. ઉત્સાહ અને પરાક્રમવૃદ્ધિ થાય. વિરોધી પરિબળોની કામગીરી કારગત નીવડે નહીં. વાદવિવાદના મામલામાં સફળતા મળશે. મન ઉપર કાબૂ રાખવો. તાવ, પેટનાં દર્દ અને આંખની તકલીફોથી સાચવવું. આર્થિક સંકટો અને કસોટીમાંથી પસાર થવાનું બને. તા. 15-20-21 લાભદાયક. તા. 17 આળસ. સિંહ (મ. ટ.)
વ્યાપારમાં વૃદ્ધિ થાય. નવી તક ઉપસ્થિત થાય. ભાગીદારો વચ્ચે સંતુલન બની રહે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાઓને સારું પરિણામ મળશે. યુવાનોમાં ધગશ અને ઉત્સાહ વધે. આત્મનિર્ભરતામાં વૃદ્ધિ થાય. મિત્રો અને પરિવારજનોનો સહયોગ મળે. મનમાં ક્રોધ ઊપજે. પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ થાય. તા. 16-17-18 આત્મવિશ્વાસ. તા. 19 ઉચાટ. કન્યા (પ. ઠ. ણ.)
બધાં કાર્યો સુખરૂપ રીતે પૂર્ણ થાય. પ્રગતિ માટે કરવામાં આવેલા પ્રયત્નો કારગત રહે. મહત્વનાં કામો બાબતે ઉત્સાહ વધે. કાર્યસ્થળે પ્રભાવ વર્તાય. પ્રેમ અને લાગણીના સંબંધો વિકસે. અટપટા પ્રશ્નોનો ઉકેલ ચર્ચા-વિચારણાથી આવી શકશે. અણધાર્યા ખર્ચથી નાણાકીય બજેટ ખોરવાય. તા. 17-18-19 યાત્રાપ્રવાસ. તા. 21 ઉદ્વેગ. તુલા (ર. ત.)
નોકરી, કારોબારમાં પ્રગતિ થાય. શાસકપક્ષ અને સત્તાધીશો તરફથી ઉપયોગી મદદ મળે. આર્થિક સ્થિતિ સુધરશે. ધનપ્રાપ્તિના નવા રસ્તા મળી આવે. ભૌતિક સુખસંપત્તિ વધે. કાયદા-કાનૂન ક્ષેત્રે સફળતા મળશે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરિયાતને ફાયદો થાય. કોઈ ષડયંત્રનો શિકાર ન બનાય તેની કાળજી રાખવી. તા. 19-20 -21 અર્થલાભ. તા. 16 ચિંતા. વૃશ્ચિક (ન. ય.)
ધંધા વ્યવસાયના સ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીઓ આપના કાર્યથી પ્રસન્ન રહેશે. હાથ ઉપર લીધેલું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાશે. ગૃહસ્થ જીવનમાં આનંદ અનુભવાય. સરકારી કાર્યોમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન પડવું. આરોગ્યની દૃષ્ટિએ સતર્ક રહેવું. તા. 16 -20 -21 મિલન મુલાકાત. તા. 27 સંતાપ. ધન (ભ. ધ. ફ. ઢ.)
પ્રગતિનો રસ્તો ખૂલતા મનોવાંછિત સફળતા પ્રાપ્ત થાય. ભાગીદારી પેઢી અને કન્સ્ટ્રક્શન કંપનીઓને ફાયદાકારક સપ્તાહ રહેશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા માટે શુભ સમય છે. લગ્નજીવનમાં સુખસમૃદ્ધિ વધશે. મહત્ત્વના નિર્ણયો યોગ્ય સાબિત થાય. પેટ સંબંધી તકલીફોનો સામનો કરવો પડે. તા. 16-17-18 આનંદપ્રદ. તા. 20 નિરાશા. મકર (ખ. જ.)
નવા કાર્યમાં સારી પ્રગતિ થતાં નોકરી વ્યવસાયમાં સરળતા ઊભી થાય. લાંબા સમયથી રોકાયેલા કામોમાં પ્રગતિ થાય. જાહેરમાં માન-સન્માન મળવાનો પ્રસંગ ઊભો થાય. સાંસારિક સુખ વધે. અઘરા અને કસોટીજનક કાર્યો સરળતાથી ઉકેલાય. સ્વાસ્થ્ય સંબંધી સુખાકારી વધે. માનસિક પરેશાની ઉદભવે. તા.18 19 20 પ્રતિષ્ઠા. તા.16 શંકાશીલતા. કુંભ (ગ. શ. સ.)
નવું વાહન પ્રાપ્ત થવાના સંજોગો બને. કોર્ટ કેસના વિવાદોમાં સફળતા મળશે. કાર્યસિદ્ધિથી આપની યશ-કીર્તિ વધશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને ઈતર પ્રવૃત્તિમાં સારી પરિસ્થિતિનું સર્જન થશે. આરોગ્યની સમસ્યાઓથી રાહત મળે. શત્રુવૃદ્ધિ થાય. સરકારી કાર્યોમાં અડચણ ઊભી થાય. કોઈ પણ બાબતમાં અતિરેક ટાળવો. તા. 16-20-21 પ્રગતિ. તા. 17 રાજભય. મીન (દ. ચ. ઝ. થ.)
પ્રોપર્ટી લે-વેચના કામોમાં ઉછાળો આવે અને ફાયદો થાય. સ્થાવર મિલકતોમાં રોકાણ કરવાથી લાંબાગાળાના લાભ થશે. નવા નોકરી ધંધાની તકો ઊભી થાય. સ્થાન પરિવર્તન થઈ શકે છે. વિદ્યાર્થીઓની કળાના ક્ષેત્રમાં અભિરુચિ વધશે. યાત્રામાં અસુવિધા ઊભી થાય. અપેક્ષા મુજબ સફળતા મળે નહીં. અજ્ઞાત ભય સતાવે. તા. 16-18-19 યશસ્વી. તા. 21 વિવાદ.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/weekly-horoscope-15-6-135229407.html
જયેશ રાવલ મેષ (અ. લ. ઈ.)
આંતરિક ઊર્જા અને આત્મવિશ્વાસ વધશે. નોકરી અને વ્યાપારમાં લાભ થાય. વિરોધી પરિબળો ઉપર અંકુશ રાખી શકાશે. વિદેશમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર મળી શકે છે. કાયદાકીય બાબતોની ગૂંચ ઉકેલાશે. આર્થિક રીતે ફાયદો થાય. બુદ્ધિજીવીઓ પોતાના કાર્ય ક્ષેત્રમાં સફળ થાય. અગ્નિભય સતાવે. તા. 16-17-20 નિજાનંદ. તા. 19 નિષ્ફળતા. વૃષભ (બ. વ. ઉ.)
વ્યાપાર અને વ્યવસાયમાં સ્થિતિ મજબૂત બને. જમીન અને વાહન ખરીદીના યોગ છે. આવકમાં વૃદ્ધિ થાય. શેરબજારમાં રોકાણોનું સારું વળતર મળે. નોકરિયાતોને રાહતનો અનુભવ થાય. વાણીનો પ્રભાવ વધે, તેનાથી ઘણી સમસ્યાનો નિવેડો આવી શકે. માતાના આરોગ્યની તકેદારી રાખવી. છાતીમાં બળતરા થાય. તા. 16-17-18 વિજય. તા. 20 નુકસાન. મિથુન (ક. છ. ઘ.)
અચાનક નવી તક ઊભરી આવે. જાહેર માન-સન્માન મળે. આપનું ભાગ્ય આપનો સાથ નિભાવે. કારકિર્દીના ઘડતર માટે ઉત્તમ સમય છે. માનસિક સ્થિતિ સુધરે. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. કોઈ અપ્રિય ઘટનાથી આપની બદનામી થવાના સંજોગોથી સાવચેત રહેવું. ઊંઘ વધુ આવે અને થાક લાગે. તા. 18-19-20 મનોરંજન. તા. 15 બેચેની. કર્ક (ડ. હ.)
યુક્તિ-પ્રયુક્તિથી જમીન મિલકતની બાબતોથી ફાયદો થાય. ઉત્સાહ અને પરાક્રમવૃદ્ધિ થાય. વિરોધી પરિબળોની કામગીરી કારગત નીવડે નહીં. વાદવિવાદના મામલામાં સફળતા મળશે. મન ઉપર કાબૂ રાખવો. તાવ, પેટનાં દર્દ અને આંખની તકલીફોથી સાચવવું. આર્થિક સંકટો અને કસોટીમાંથી પસાર થવાનું બને. તા. 15-20-21 લાભદાયક. તા. 17 આળસ. સિંહ (મ. ટ.)
વ્યાપારમાં વૃદ્ધિ થાય. નવી તક ઉપસ્થિત થાય. ભાગીદારો વચ્ચે સંતુલન બની રહે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરનારાઓને સારું પરિણામ મળશે. યુવાનોમાં ધગશ અને ઉત્સાહ વધે. આત્મનિર્ભરતામાં વૃદ્ધિ થાય. મિત્રો અને પરિવારજનોનો સહયોગ મળે. મનમાં ક્રોધ ઊપજે. પતિ-પત્ની વચ્ચે વાદ-વિવાદ થાય. તા. 16-17-18 આત્મવિશ્વાસ. તા. 19 ઉચાટ. કન્યા (પ. ઠ. ણ.)
બધાં કાર્યો સુખરૂપ રીતે પૂર્ણ થાય. પ્રગતિ માટે કરવામાં આવેલા પ્રયત્નો કારગત રહે. મહત્વનાં કામો બાબતે ઉત્સાહ વધે. કાર્યસ્થળે પ્રભાવ વર્તાય. પ્રેમ અને લાગણીના સંબંધો વિકસે. અટપટા પ્રશ્નોનો ઉકેલ ચર્ચા-વિચારણાથી આવી શકશે. અણધાર્યા ખર્ચથી નાણાકીય બજેટ ખોરવાય. તા. 17-18-19 યાત્રાપ્રવાસ. તા. 21 ઉદ્વેગ. તુલા (ર. ત.)
નોકરી, કારોબારમાં પ્રગતિ થાય. શાસકપક્ષ અને સત્તાધીશો તરફથી ઉપયોગી મદદ મળે. આર્થિક સ્થિતિ સુધરશે. ધનપ્રાપ્તિના નવા રસ્તા મળી આવે. ભૌતિક સુખસંપત્તિ વધે. કાયદા-કાનૂન ક્ષેત્રે સફળતા મળશે. બહુરાષ્ટ્રીય કંપનીઓમાં નોકરિયાતને ફાયદો થાય. કોઈ ષડયંત્રનો શિકાર ન બનાય તેની કાળજી રાખવી. તા. 19-20 -21 અર્થલાભ. તા. 16 ચિંતા. વૃશ્ચિક (ન. ય.)
ધંધા વ્યવસાયના સ્થળે વાતાવરણ અનુકૂળ રહેશે. ઉચ્ચ અધિકારીઓ આપના કાર્યથી પ્રસન્ન રહેશે. હાથ ઉપર લીધેલું દરેક કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરી શકાશે. ગૃહસ્થ જીવનમાં આનંદ અનુભવાય. સરકારી કાર્યોમાં સફળતા મળશે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદમાં ન પડવું. આરોગ્યની દૃષ્ટિએ સતર્ક રહેવું. તા. 16 -20 -21 મિલન મુલાકાત. તા. 27 સંતાપ. ધન (ભ. ધ. ફ. ઢ.)
પ્રગતિનો રસ્તો ખૂલતા મનોવાંછિત સફળતા પ્રાપ્ત થાય. ભાગીદારી પેઢી અને કન્સ્ટ્રક્શન કંપનીઓને ફાયદાકારક સપ્તાહ રહેશે. વિદ્યાર્થીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષા આપનારા માટે શુભ સમય છે. લગ્નજીવનમાં સુખસમૃદ્ધિ વધશે. મહત્ત્વના નિર્ણયો યોગ્ય સાબિત થાય. પેટ સંબંધી તકલીફોનો સામનો કરવો પડે. તા. 16-17-18 આનંદપ્રદ. તા. 20 નિરાશા. મકર (ખ. જ.)
નવા કાર્યમાં સારી પ્રગતિ થતાં નોકરી વ્યવસાયમાં સરળતા ઊભી થાય. લાંબા સમયથી રોકાયેલા કામોમાં પ્રગતિ થાય. જાહેરમાં માન-સન્માન મળવાનો પ્રસંગ ઊભો થાય. સાંસારિક સુખ વધે. અઘરા અને કસોટીજનક કાર્યો સરળતાથી ઉકેલાય. સ્વાસ્થ્ય સંબંધી સુખાકારી વધે. માનસિક પરેશાની ઉદભવે. તા.18 19 20 પ્રતિષ્ઠા. તા.16 શંકાશીલતા. કુંભ (ગ. શ. સ.)
નવું વાહન પ્રાપ્ત થવાના સંજોગો બને. કોર્ટ કેસના વિવાદોમાં સફળતા મળશે. કાર્યસિદ્ધિથી આપની યશ-કીર્તિ વધશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસ અને ઈતર પ્રવૃત્તિમાં સારી પરિસ્થિતિનું સર્જન થશે. આરોગ્યની સમસ્યાઓથી રાહત મળે. શત્રુવૃદ્ધિ થાય. સરકારી કાર્યોમાં અડચણ ઊભી થાય. કોઈ પણ બાબતમાં અતિરેક ટાળવો. તા. 16-20-21 પ્રગતિ. તા. 17 રાજભય. મીન (દ. ચ. ઝ. થ.)
પ્રોપર્ટી લે-વેચના કામોમાં ઉછાળો આવે અને ફાયદો થાય. સ્થાવર મિલકતોમાં રોકાણ કરવાથી લાંબાગાળાના લાભ થશે. નવા નોકરી ધંધાની તકો ઊભી થાય. સ્થાન પરિવર્તન થઈ શકે છે. વિદ્યાર્થીઓની કળાના ક્ષેત્રમાં અભિરુચિ વધશે. યાત્રામાં અસુવિધા ઊભી થાય. અપેક્ષા મુજબ સફળતા મળે નહીં. અજ્ઞાત ભય સતાવે. તા. 16-18-19 યશસ્વી. તા. 21 વિવાદ.
અસ્તિત્વની અટારીએથી:વૃક્ષ અને વનમાળી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/tree-and-forest-135229433.html
ભાગ્યેશ જહા નુષ્ય અને વૃક્ષનો સંબંધ અલૌકિક રહ્યો છે, પણ જ્યારે ભગવદ્ ગીતા વૃક્ષની વાત કરે ત્યારે એનું અર્થઘટન કરવા માટે મન સહજ રીતે નાચી ઊઠે. આજે વૃક્ષ થકી વનમાળીને ઓળખવાનું મનગમતું સાહસ કરવું છે. પંદરમો અધ્યાય બહુ નાનો છે, પણ બ્લેકબોક્સ જેવો છે. એટલે તો એ ‘પુરુષોત્તમયોગ’ કહેવાય છે.
જગત એ પ્રકૃતિ દ્વારા પ્રગટ થયેલું ઈશ્વરનું રૂપ છે અને ઈશ્વર એટલે પુરુષ (સ્ત્રી-પુરુષવાળો પુરુષ નહીં એટલે કે સશક્ત સ્નાયુવાળો પુરુષ નહીં) (Not male in narrow meaning). જ્યારે શ્રીકૃષ્ણ કહેતા હોય ત્યારે અંતરતમ કાન કામે લગાડવા જોઇએ.
અધ્યાયના પ્રારંભમાં કહે છે: ‘આ સંસાર એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ જ છે જેનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે, તેનાં પાંદડાંઓ વેદ મંત્રો છે, અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે.’ આ વૃક્ષ બહુ રહસ્યમય છે, બહુ સહેલાઈથી જાણી શકાતું નથી.
આ રહસ્ય એ સંસારવૃક્ષનું રહસ્ય છે.અહીં મૂળ એટલે કારણ સ્વરૂપ ઇશ્વર ઉપર છે. વેદ અને એની જ્ઞાનશાખાઓ જગતને સમજવાની આવડત આપે છે. આમ તો અહીં અ-શ્વ-ત્થ વૃક્ષ છે, લૌકિક કે વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે પીપળો છે, પણ શબ્દાર્થ પ્રમાણે ‘શ્વ’ એટલે કે આવતીકાલ જેની નથી તે, એટલે કે સતત પરિવર્તનશીલ છે, તે આ વૃક્ષ છે.
અહીં વિરોધાભાસ ગહન છે, જે સતત પરિવર્તનશીલ છે અને શાશ્વત પણ છે. પરિણામે માણસને ખબર પણ પડતી નથી કે કયા રસ્તે જવાથી આ જગતને બરાબર ઓળખી અને પાર ઊતરી શકાય. (परिमार्गीतव्यं) ભગવદ્ ગીતાને ગાંધીજી અનાસક્તિયોગનું શાસ્ત્ર કહે છે, કારણ ભગવાન વારંવાર અનાસક્તિનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે.
અહીં એ જ અર્થ સાથે એક અદભુત શબ્દસમુહ કહે છે, असंगशस्त्रेण એટલે કે અસંગ નામના શસ્ત્રથી જ તમે આ વૃક્ષને પામી શકો અને પાર ઊતરી શકો.
અહીં વૃક્ષને ઓળખવા મારી પાસે એક મૌલિક રીત છે. વૃક્ષને ધારીને જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે વૃક્ષ એક તીર્થ છે. એની ટોચ પર કોઈ કોમળ કુંપળ ડોલતાં ડોલતાં અસ્તિત્વની ધન્યતાનું ગીત ગાતી હોય છે, કારણ કે મૂળમાં રહેલાં પાણીએ ગુરુત્વાકર્ષણને અવગણીને છેક ઊંચી ડાળના કાંઠે ઊગેલી કુંપળને પોષણ આપવાનું નક્કી કર્યું હોય છે. આ કુંપળ-મૂળનું મળવું એ રહસ્ય છે.
આ વેદવ્યાસે લખેલી કવિતા છે, એટલે સમજવા માટે પણ વૃક્ષમાં પ્રવેશ કરવો પડે. એક કુંપળની કોમળતાને પોષવા માટે આખું અસ્તિત્વ કામે લાગે છે. સૂર્યનાં કિરણો અહીં આવી પ્રકાશસંશ્લેષણની જટિલ પ્રક્રિયા હાથ ધરે છે, પવન એને નૃત્ય કરાવે છે અને મૂળમાંથી પોષણની સામગ્રી લઇને પાણી એક નાની નાજુક નલિકામાંથી છેક કુંપળના ફળિયે પહોંચે છે. આ અસામાન્ય ઘટનાને સમજીએ એટલે વૃક્ષમાં રહેલા શામળિયાને સમજી જવાશે.
આ અધ્યાયની શરૂઆતમાં બીજું એક બહુ મોટું વિધાન ભગવાન કરે છે, ‘બધા જીવો મારા જ અંશ છે.’ મન અને ઇન્દ્રિયોને લીધે જીવ આ માયામાં પ્રવૃત્ત થાય છે. ઇન્દ્રિયોની આ ગતિ અને પેલું શાશ્વત સ્વરૂપ બંને મળે તો સંસાર સમજી શકાય.
આ રહસ્યને પામવાના પાંચ અદભુત ઉપાય એક જ શ્લોકમાં બતાવ્યા છે. (શ્લોક ૫/૧૫). પહેલો ઉપાય છે, निर्मानमोहा જે માન-અપમાનની માયાવી પ્રપંચજાળથી મુક્ત થાય છે. બીજો ઉપાય છે, જેમણે આસક્તિને લીધે જે દોષ આવે છે એ જીતી લીધા છે. ત્રીજો જે સતત અધ્યાત્મ ચિંતનમાં મગ્ન છે. ચોથો જેમણે વિષયો તરફ આકર્ષાતી ઇન્દ્રિયોને જીતી લીધી છે. પાંચમો જે સુખ-દુ:ખ જેવાં દ્વંદ્વોથી ઉપર ઊઠી શક્યા છે.
આ દ્વંદ્વોની વાતને એક કવિતામાં મેં કેવી રીતે ઝીલી છે, એ માણો:
પંખીનું ગીત પહેરી ઊભું એક ઝાડ,
એને ચાંદની મળે કે મળે તડકો…
લાકડાંની જાત એમાં એકસાથે વિલસે છે,
લીલીછમ લાગણી ને ભડકો…
આ જગતના વિરોધાભાસોને ઓગાળીને એની પાર લઇ જાય તે શ્રીકૃષ્ણ છે.
આ અધ્યાયની શરૂઆતમાં જેમ વેદનું મહત્ત્વ અને વેદ થકી ભગવાનને જાણી શકાશે. ભગવાને લાગ્યું કે અર્જુન આનાથી ચિંતામાં પડી જશે. ધીરે રહીને ભગવાન એક નાનકડા ચમત્કારની વાત કરે છે. તારા શરીરમાં જતા અનાજને હું જ પચાવું છું અને પંદરમા શ્લોકમાં એક અદભુત રહસ્ય કહી દે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલું છું. (सर्वस्य चाहं ह्रदि सन्निविष्टो) મને જાણો એટલે બધા વેદોને જાણવાનો રસ્તો મળી જશે. એટલે કે આ જગતના કારણરૂપ જે પરાત્પર પર બ્રહ્મ જેને ‘પુરુષ’ કહીએ છીએ, એને જાણવાથી એટલે કે એને ભજવાથી એટલે કે એનો અણસાર પામવાથી જીવન ધન્ય બને છે.
આ અધ્યાયની મજા એ છે કે શરૂઆતમાં સંસારનું વર્ણન કરીને આ બહુ અઘરું છે, લોકો સહેલાઈથી જાણી શકતા નથી કે શું કરવું જોઇએ. કયા માર્ગે જવું જોઇએ. પણ આ અઘરી વાત અધ્યાયના અંતે સરળ બને છે.
ભગવાન બતાવે છે કે હું બધા જીવોમાં રહેલો છું. બધાના હૃદયમાં રહેલો છું, મને જે આ રીતે જાણે છે, એ કૃતકૃત્યતાનો અનુભવ કરે છે. એને સદેહે જ મુક્તિનો અનુભવ થાય છે. }
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/tree-and-forest-135229433.html
ભાગ્યેશ જહા નુષ્ય અને વૃક્ષનો સંબંધ અલૌકિક રહ્યો છે, પણ જ્યારે ભગવદ્ ગીતા વૃક્ષની વાત કરે ત્યારે એનું અર્થઘટન કરવા માટે મન સહજ રીતે નાચી ઊઠે. આજે વૃક્ષ થકી વનમાળીને ઓળખવાનું મનગમતું સાહસ કરવું છે. પંદરમો અધ્યાય બહુ નાનો છે, પણ બ્લેકબોક્સ જેવો છે. એટલે તો એ ‘પુરુષોત્તમયોગ’ કહેવાય છે.
જગત એ પ્રકૃતિ દ્વારા પ્રગટ થયેલું ઈશ્વરનું રૂપ છે અને ઈશ્વર એટલે પુરુષ (સ્ત્રી-પુરુષવાળો પુરુષ નહીં એટલે કે સશક્ત સ્નાયુવાળો પુરુષ નહીં) (Not male in narrow meaning). જ્યારે શ્રીકૃષ્ણ કહેતા હોય ત્યારે અંતરતમ કાન કામે લગાડવા જોઇએ.
અધ્યાયના પ્રારંભમાં કહે છે: ‘આ સંસાર એક શાશ્વત અશ્વત્થ વૃક્ષ જ છે જેનાં મૂળ ઉપર તરફ અને શાખાઓ નીચે તરફ છે, તેનાં પાંદડાંઓ વેદ મંત્રો છે, અને જે મનુષ્ય આ વૃક્ષને જાણે છે તે વેદોનો જ્ઞાતા છે.’ આ વૃક્ષ બહુ રહસ્યમય છે, બહુ સહેલાઈથી જાણી શકાતું નથી.
આ રહસ્ય એ સંસારવૃક્ષનું રહસ્ય છે.અહીં મૂળ એટલે કારણ સ્વરૂપ ઇશ્વર ઉપર છે. વેદ અને એની જ્ઞાનશાખાઓ જગતને સમજવાની આવડત આપે છે. આમ તો અહીં અ-શ્વ-ત્થ વૃક્ષ છે, લૌકિક કે વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે પીપળો છે, પણ શબ્દાર્થ પ્રમાણે ‘શ્વ’ એટલે કે આવતીકાલ જેની નથી તે, એટલે કે સતત પરિવર્તનશીલ છે, તે આ વૃક્ષ છે.
અહીં વિરોધાભાસ ગહન છે, જે સતત પરિવર્તનશીલ છે અને શાશ્વત પણ છે. પરિણામે માણસને ખબર પણ પડતી નથી કે કયા રસ્તે જવાથી આ જગતને બરાબર ઓળખી અને પાર ઊતરી શકાય. (परिमार्गीतव्यं) ભગવદ્ ગીતાને ગાંધીજી અનાસક્તિયોગનું શાસ્ત્ર કહે છે, કારણ ભગવાન વારંવાર અનાસક્તિનું મહત્ત્વ પ્રસ્થાપિત કરે છે.
અહીં એ જ અર્થ સાથે એક અદભુત શબ્દસમુહ કહે છે, असंगशस्त्रेण એટલે કે અસંગ નામના શસ્ત્રથી જ તમે આ વૃક્ષને પામી શકો અને પાર ઊતરી શકો.
અહીં વૃક્ષને ઓળખવા મારી પાસે એક મૌલિક રીત છે. વૃક્ષને ધારીને જોઈએ ત્યારે ખ્યાલ આવે છે કે વૃક્ષ એક તીર્થ છે. એની ટોચ પર કોઈ કોમળ કુંપળ ડોલતાં ડોલતાં અસ્તિત્વની ધન્યતાનું ગીત ગાતી હોય છે, કારણ કે મૂળમાં રહેલાં પાણીએ ગુરુત્વાકર્ષણને અવગણીને છેક ઊંચી ડાળના કાંઠે ઊગેલી કુંપળને પોષણ આપવાનું નક્કી કર્યું હોય છે. આ કુંપળ-મૂળનું મળવું એ રહસ્ય છે.
આ વેદવ્યાસે લખેલી કવિતા છે, એટલે સમજવા માટે પણ વૃક્ષમાં પ્રવેશ કરવો પડે. એક કુંપળની કોમળતાને પોષવા માટે આખું અસ્તિત્વ કામે લાગે છે. સૂર્યનાં કિરણો અહીં આવી પ્રકાશસંશ્લેષણની જટિલ પ્રક્રિયા હાથ ધરે છે, પવન એને નૃત્ય કરાવે છે અને મૂળમાંથી પોષણની સામગ્રી લઇને પાણી એક નાની નાજુક નલિકામાંથી છેક કુંપળના ફળિયે પહોંચે છે. આ અસામાન્ય ઘટનાને સમજીએ એટલે વૃક્ષમાં રહેલા શામળિયાને સમજી જવાશે.
આ અધ્યાયની શરૂઆતમાં બીજું એક બહુ મોટું વિધાન ભગવાન કરે છે, ‘બધા જીવો મારા જ અંશ છે.’ મન અને ઇન્દ્રિયોને લીધે જીવ આ માયામાં પ્રવૃત્ત થાય છે. ઇન્દ્રિયોની આ ગતિ અને પેલું શાશ્વત સ્વરૂપ બંને મળે તો સંસાર સમજી શકાય.
આ રહસ્યને પામવાના પાંચ અદભુત ઉપાય એક જ શ્લોકમાં બતાવ્યા છે. (શ્લોક ૫/૧૫). પહેલો ઉપાય છે, निर्मानमोहा જે માન-અપમાનની માયાવી પ્રપંચજાળથી મુક્ત થાય છે. બીજો ઉપાય છે, જેમણે આસક્તિને લીધે જે દોષ આવે છે એ જીતી લીધા છે. ત્રીજો જે સતત અધ્યાત્મ ચિંતનમાં મગ્ન છે. ચોથો જેમણે વિષયો તરફ આકર્ષાતી ઇન્દ્રિયોને જીતી લીધી છે. પાંચમો જે સુખ-દુ:ખ જેવાં દ્વંદ્વોથી ઉપર ઊઠી શક્યા છે.
આ દ્વંદ્વોની વાતને એક કવિતામાં મેં કેવી રીતે ઝીલી છે, એ માણો:
પંખીનું ગીત પહેરી ઊભું એક ઝાડ,
એને ચાંદની મળે કે મળે તડકો…
લાકડાંની જાત એમાં એકસાથે વિલસે છે,
લીલીછમ લાગણી ને ભડકો…
આ જગતના વિરોધાભાસોને ઓગાળીને એની પાર લઇ જાય તે શ્રીકૃષ્ણ છે.
આ અધ્યાયની શરૂઆતમાં જેમ વેદનું મહત્ત્વ અને વેદ થકી ભગવાનને જાણી શકાશે. ભગવાને લાગ્યું કે અર્જુન આનાથી ચિંતામાં પડી જશે. ધીરે રહીને ભગવાન એક નાનકડા ચમત્કારની વાત કરે છે. તારા શરીરમાં જતા અનાજને હું જ પચાવું છું અને પંદરમા શ્લોકમાં એક અદભુત રહસ્ય કહી દે છે કે હું દરેક જીવના હૃદયમાં રહેલું છું. (सर्वस्य चाहं ह्रदि सन्निविष्टो) મને જાણો એટલે બધા વેદોને જાણવાનો રસ્તો મળી જશે. એટલે કે આ જગતના કારણરૂપ જે પરાત્પર પર બ્રહ્મ જેને ‘પુરુષ’ કહીએ છીએ, એને જાણવાથી એટલે કે એને ભજવાથી એટલે કે એનો અણસાર પામવાથી જીવન ધન્ય બને છે.
આ અધ્યાયની મજા એ છે કે શરૂઆતમાં સંસારનું વર્ણન કરીને આ બહુ અઘરું છે, લોકો સહેલાઈથી જાણી શકતા નથી કે શું કરવું જોઇએ. કયા માર્ગે જવું જોઇએ. પણ આ અઘરી વાત અધ્યાયના અંતે સરળ બને છે.
ભગવાન બતાવે છે કે હું બધા જીવોમાં રહેલો છું. બધાના હૃદયમાં રહેલો છું, મને જે આ રીતે જાણે છે, એ કૃતકૃત્યતાનો અનુભવ કરે છે. એને સદેહે જ મુક્તિનો અનુભવ થાય છે. }
વાંચવાં જેવાં પુસ્તકો:ઇન્દુકુમાર જાની વિશેના બે ગ્રંથ
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/two-books-about-indukumar-jani-135229447.html
ઇન્દુકુમાર જાની વિશેના બે ગ્રંથ
સંપાદક: ડંકેશ ઓઝાપાનાં: 530 (બંને ભાગના) Áકિંમત: 690 રૂ. (બંને ભાગની)
ગુજરાતના જાહેરજીવનમાં મહત્ત્વનું નામ ધરાવતા ઈન્દુકુમાર જાનીએ લખેલા વિવિધ લેખોનું સંપાદન બે ગ્રંથોમાં થયું છે. ‘વહાલો મારો દેશ, વહાલાં એનાં માનવી’માં ઇન્દુકુમારે લખેલાં વિશિષ્ટ વ્યક્તિત્વોની વાત છે. બીજો ગ્રંથ છે, ‘વહાલું મારું ગુજરાત, વહાલી એની સંસ્થાઓ’, જેમાં ઇન્દુકુમાર દ્વારા લખાયેલા સંસ્થાગત લેખોનો સંગ્રહ છે.
ઇન્દુકુમાર જાનીએ આજીવન સામાજિક ન્યાય માટે લડત આપી અને ‘નયામાર્ગ’ સામયિક દ્વારા એ દિશામાં પત્રકારત્વ પણ કર્યુ. વ્યક્તિ વિશેના પુસ્તકમાં ‘વિનોબા’, ‘ઠક્કરબાપા’, ‘સંતબાલજી’, ‘કમલાદેવી’, ‘ફાતિમા મીર’, ‘દિલીપ રાણપુરા’, ‘કરસનદાસ મૂળજી’, ‘મેઘાણી’, ‘સાને ગુરુજી’ વગેરે જેવાં 56 વ્યક્તિચિત્રો છે.
સંસ્થા વિશેના પુસ્તકમાં ‘સયાજી વિદ્યાર્થી આશ્રમ’, ‘સહયોગ કૃષ્ઠયજ્ઞ’, ‘ભીલ સેવામંડળ’, ‘આર્ચ’, ‘દિશા, સાવલિયા રિસર્ચ સેન્ટર’, ‘ગિજુભાઈ બાળ અકાદમી’, ‘અધિકાર’, ‘સૃષ્ટિ’ વગેરે જેવી 39 સંસ્થાઓની વાત છે.
***
સખદખ Áઅર્જુન બારિયા ‘અનંત’
પાનાં: 128 Áકિંમત: 120 રૂ.
આ વાર્તા સંગ્રહમાં કુલ 20 ટૂંકી વાર્તાઓનો સમાવેશ કરાયો છે. ‘મારું મોસાળ’થી શરૂ થયેલી શબ્દોની સફરની અંતિમ વાર્તા ‘મને એ મળી ગઇ’ છે. 124 પાનાંમાં સમેટાઇ જતા આ વાર્તા સંગ્રહના અંતિમ ચાર પાનાં કોરાં છે. ભગવાન નારાયણ સહિત 19 પરિવારજનોને આ વાર્તા સંગ્રહ અર્પણ કરાયો છે. વિનોદ ગાંધીએ આ ટૂંકી વાર્તા સંગ્રહને આવકારો આપ્યો છે. લેખક કેળવણીકાર છે. તસ્બીહના બે પારા વચ્ચે Áશબનમ ખોજા
પાનાં: 82 Áકિંમત: 175 રૂ.
કવયિત્રી શબનમના આ સંગ્રહની શરૂઆત કવિ રાજેન્દ્ર શુકલના ‘આશીર્વચન’થી થાય છે.
‘તસ્બીહ તો જે છે તે છે, એમાં કંઇ નથી.
તસ્બીહના પારામાં પણ કૈં નથી. જે છે તે છે બે પારા વચ્ચે.’
કવિ રાજેન્દ્ર શુક્લએ લખેલા આ શબ્દો પરથી ગઝલ સંગ્રહનું નામ ‘તસ્બીહના બે પારા વચ્ચે’ રખાયું છે. આ ગઝલ સંગ્રહમાં કુલ 81 ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘આવો તો સંવાદ’ એ સંગ્રહની પહેલી ગઝલ છે અને ‘poke કરે છે’ એ અંતિમ ગઝલ છે.
આ ઉપરાંત મનોહર ત્રિવેદી, રઇશ મનીઆરે સંગ્રહની કૃતિઓનો આસ્વાદ કરાવ્યો છે. એક નવલકથાનો પ્રસ્તાર પામી શકે એવી વાત બે લીટીમાં કહેવાઇ જાય એવી કમાલની ગઝલ ‘ટેરવાંની ટોચ પર ફૂટેલો કક્કો ફૂટે!’ છે.
કવિ વિનોદ જોશી કવયિત્રીના ગઝલ વિશ્વ કહે છે: ‘શબનમની રચનાઓમાં આભિજાત્ય શબ્દે શબ્દે પરખાય છે.’ શબનમના ભાવવિશ્વમાં વિષાદની સમાંતરે જીવનનો ઉલ્લાસ છે. વિચારોનું તર્કશુદ્ધ આલેખન છે અને સમજણપૂર્વકનાં નિરીક્ષણો પણ છે. આ સંગ્રહનો માણવાલાયક શેર
જેટલું ભીતરથી ખાલી થાય છે, એટલું ઊંડાણ વધતું જાય છે!
સાંજ ઢળતી જોઇને સમજાય છે, રંગ સૌ અંતે તમસ થઇ જાય છે.
***
કૂંપળ લીલીછમ (લઘુકથા)ઓ
ધર્મેન્દ્રસિંહ રાઠોડ
Áપાનાં: 144 Áકિંમત: 165 રૂ.
‘કૂંપળ લીલીછમ’ લઘુકથા સંગ્રહમાં કુલ 72 લઘુકથાઓનો સમાવેશ કરાયો છે. જીવનના સ્પંદનોનો લય સંભળાવતી લઘુકથાઓમાં ‘લાગણીનું પ્રાબલ્ય, સાહિત્યપદાર્થનો આવિષ્કાર અને કથાતત્ત્વની મર્યાદા- આ ત્રણેય વાનાં બરાબર સચવાયા છે. આ ત્રણેય બાબતો ‘આસ્થા’ શીર્ષક ધરાવતી લઘુકથામાં પ્રતિબિંબિત થઇ છે. સંગ્રહની આ સૌથી સુંદર રચના છે’ એવું સંગ્રહની પ્રસ્તાવનામાં મોહનલાલ પટેલ લખે છે.
સાચી લાગણીને કાટ લાગતો નથી, કે ઝાંખી પણ થતી નથી એવા જીવનરહસ્યને અનુલક્ષીને લેખકે સાંજના વાળુની ઘટનાને કેન્દ્રમાં રાખીને રૂડીમાની ઘનશ્યામ પ્રત્યેની લાગણીની વાત ‘પ્રસાદ’ લઘુકથામાં આલેખી છે. ‘આસ્થા’થી આરંભાતી લઘુકથા યાત્રાનો અંત ‘કોઇ’ સાથે આવે છે. સંગ્રહની એક લઘુકથા ‘દૂધપીતી’ કેરળના ગુજરાતી વિષયના ધોરણ-10ના પાઠ્યપુસ્તકમાં 2012ની સાલથી અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. આવી જ રીતે લેખકની ‘દૂધપીતી’, ‘ઊલટી ગંગા’, ‘આવિષ્કાર’ અને ‘બેન્ક બેલેન્સ’ પણ પોંખાઇ છે. મૂળશંકર હીરજી વ્યાસ
Áસંકલન: શિરીષ મહેતા
પાનાં: 196 Áકિંમત: 350 રૂ.
રહસ્યવાદના પ્રબુદ્ધ સાધક મૂળશંકર હીરજી વ્યાસની આધ્યાત્મિક યાત્રાનું આલેખન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સ્વામી સત્યમિત્રાનંદગિરિના આશીર્વાદ સાથે આરંભાતા આ પુસ્તકના અંતે વિન્સેન્ટ મિજોનિના અંગ્રેજી લેખ ‘Mulshankar H Vyas- As I Knew Him’ સાથે અંત આવે છે. પુસ્તકની શરૂઆતમાં સાધક મૂળશંકર વ્યાસની રંગીન તસવીર છે. મૂળ તો કુલ 11 પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકનું પહેલું પ્રકરણ ‘યોગ શા માટે?’ અને 11મું પ્રકરણ ‘આવતી કાલ કેવી હશે?’ છે.
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/two-books-about-indukumar-jani-135229447.html
ઇન્દુકુમાર જાની વિશેના બે ગ્રંથ
સંપાદક: ડંકેશ ઓઝાપાનાં: 530 (બંને ભાગના) Áકિંમત: 690 રૂ. (બંને ભાગની)
ગુજરાતના જાહેરજીવનમાં મહત્ત્વનું નામ ધરાવતા ઈન્દુકુમાર જાનીએ લખેલા વિવિધ લેખોનું સંપાદન બે ગ્રંથોમાં થયું છે. ‘વહાલો મારો દેશ, વહાલાં એનાં માનવી’માં ઇન્દુકુમારે લખેલાં વિશિષ્ટ વ્યક્તિત્વોની વાત છે. બીજો ગ્રંથ છે, ‘વહાલું મારું ગુજરાત, વહાલી એની સંસ્થાઓ’, જેમાં ઇન્દુકુમાર દ્વારા લખાયેલા સંસ્થાગત લેખોનો સંગ્રહ છે.
ઇન્દુકુમાર જાનીએ આજીવન સામાજિક ન્યાય માટે લડત આપી અને ‘નયામાર્ગ’ સામયિક દ્વારા એ દિશામાં પત્રકારત્વ પણ કર્યુ. વ્યક્તિ વિશેના પુસ્તકમાં ‘વિનોબા’, ‘ઠક્કરબાપા’, ‘સંતબાલજી’, ‘કમલાદેવી’, ‘ફાતિમા મીર’, ‘દિલીપ રાણપુરા’, ‘કરસનદાસ મૂળજી’, ‘મેઘાણી’, ‘સાને ગુરુજી’ વગેરે જેવાં 56 વ્યક્તિચિત્રો છે.
સંસ્થા વિશેના પુસ્તકમાં ‘સયાજી વિદ્યાર્થી આશ્રમ’, ‘સહયોગ કૃષ્ઠયજ્ઞ’, ‘ભીલ સેવામંડળ’, ‘આર્ચ’, ‘દિશા, સાવલિયા રિસર્ચ સેન્ટર’, ‘ગિજુભાઈ બાળ અકાદમી’, ‘અધિકાર’, ‘સૃષ્ટિ’ વગેરે જેવી 39 સંસ્થાઓની વાત છે.
***
સખદખ Áઅર્જુન બારિયા ‘અનંત’
પાનાં: 128 Áકિંમત: 120 રૂ.
આ વાર્તા સંગ્રહમાં કુલ 20 ટૂંકી વાર્તાઓનો સમાવેશ કરાયો છે. ‘મારું મોસાળ’થી શરૂ થયેલી શબ્દોની સફરની અંતિમ વાર્તા ‘મને એ મળી ગઇ’ છે. 124 પાનાંમાં સમેટાઇ જતા આ વાર્તા સંગ્રહના અંતિમ ચાર પાનાં કોરાં છે. ભગવાન નારાયણ સહિત 19 પરિવારજનોને આ વાર્તા સંગ્રહ અર્પણ કરાયો છે. વિનોદ ગાંધીએ આ ટૂંકી વાર્તા સંગ્રહને આવકારો આપ્યો છે. લેખક કેળવણીકાર છે. તસ્બીહના બે પારા વચ્ચે Áશબનમ ખોજા
પાનાં: 82 Áકિંમત: 175 રૂ.
કવયિત્રી શબનમના આ સંગ્રહની શરૂઆત કવિ રાજેન્દ્ર શુકલના ‘આશીર્વચન’થી થાય છે.
‘તસ્બીહ તો જે છે તે છે, એમાં કંઇ નથી.
તસ્બીહના પારામાં પણ કૈં નથી. જે છે તે છે બે પારા વચ્ચે.’
કવિ રાજેન્દ્ર શુક્લએ લખેલા આ શબ્દો પરથી ગઝલ સંગ્રહનું નામ ‘તસ્બીહના બે પારા વચ્ચે’ રખાયું છે. આ ગઝલ સંગ્રહમાં કુલ 81 ગઝલોનો સમાવેશ કરવામાં આવ્યો છે. ‘આવો તો સંવાદ’ એ સંગ્રહની પહેલી ગઝલ છે અને ‘poke કરે છે’ એ અંતિમ ગઝલ છે.
આ ઉપરાંત મનોહર ત્રિવેદી, રઇશ મનીઆરે સંગ્રહની કૃતિઓનો આસ્વાદ કરાવ્યો છે. એક નવલકથાનો પ્રસ્તાર પામી શકે એવી વાત બે લીટીમાં કહેવાઇ જાય એવી કમાલની ગઝલ ‘ટેરવાંની ટોચ પર ફૂટેલો કક્કો ફૂટે!’ છે.
કવિ વિનોદ જોશી કવયિત્રીના ગઝલ વિશ્વ કહે છે: ‘શબનમની રચનાઓમાં આભિજાત્ય શબ્દે શબ્દે પરખાય છે.’ શબનમના ભાવવિશ્વમાં વિષાદની સમાંતરે જીવનનો ઉલ્લાસ છે. વિચારોનું તર્કશુદ્ધ આલેખન છે અને સમજણપૂર્વકનાં નિરીક્ષણો પણ છે. આ સંગ્રહનો માણવાલાયક શેર
જેટલું ભીતરથી ખાલી થાય છે, એટલું ઊંડાણ વધતું જાય છે!
સાંજ ઢળતી જોઇને સમજાય છે, રંગ સૌ અંતે તમસ થઇ જાય છે.
***
કૂંપળ લીલીછમ (લઘુકથા)ઓ
ધર્મેન્દ્રસિંહ રાઠોડ
Áપાનાં: 144 Áકિંમત: 165 રૂ.
‘કૂંપળ લીલીછમ’ લઘુકથા સંગ્રહમાં કુલ 72 લઘુકથાઓનો સમાવેશ કરાયો છે. જીવનના સ્પંદનોનો લય સંભળાવતી લઘુકથાઓમાં ‘લાગણીનું પ્રાબલ્ય, સાહિત્યપદાર્થનો આવિષ્કાર અને કથાતત્ત્વની મર્યાદા- આ ત્રણેય વાનાં બરાબર સચવાયા છે. આ ત્રણેય બાબતો ‘આસ્થા’ શીર્ષક ધરાવતી લઘુકથામાં પ્રતિબિંબિત થઇ છે. સંગ્રહની આ સૌથી સુંદર રચના છે’ એવું સંગ્રહની પ્રસ્તાવનામાં મોહનલાલ પટેલ લખે છે.
સાચી લાગણીને કાટ લાગતો નથી, કે ઝાંખી પણ થતી નથી એવા જીવનરહસ્યને અનુલક્ષીને લેખકે સાંજના વાળુની ઘટનાને કેન્દ્રમાં રાખીને રૂડીમાની ઘનશ્યામ પ્રત્યેની લાગણીની વાત ‘પ્રસાદ’ લઘુકથામાં આલેખી છે. ‘આસ્થા’થી આરંભાતી લઘુકથા યાત્રાનો અંત ‘કોઇ’ સાથે આવે છે. સંગ્રહની એક લઘુકથા ‘દૂધપીતી’ કેરળના ગુજરાતી વિષયના ધોરણ-10ના પાઠ્યપુસ્તકમાં 2012ની સાલથી અભ્યાસક્રમમાં સ્થાન પામી છે. આવી જ રીતે લેખકની ‘દૂધપીતી’, ‘ઊલટી ગંગા’, ‘આવિષ્કાર’ અને ‘બેન્ક બેલેન્સ’ પણ પોંખાઇ છે. મૂળશંકર હીરજી વ્યાસ
Áસંકલન: શિરીષ મહેતા
પાનાં: 196 Áકિંમત: 350 રૂ.
રહસ્યવાદના પ્રબુદ્ધ સાધક મૂળશંકર હીરજી વ્યાસની આધ્યાત્મિક યાત્રાનું આલેખન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. સ્વામી સત્યમિત્રાનંદગિરિના આશીર્વાદ સાથે આરંભાતા આ પુસ્તકના અંતે વિન્સેન્ટ મિજોનિના અંગ્રેજી લેખ ‘Mulshankar H Vyas- As I Knew Him’ સાથે અંત આવે છે. પુસ્તકની શરૂઆતમાં સાધક મૂળશંકર વ્યાસની રંગીન તસવીર છે. મૂળ તો કુલ 11 પ્રકરણમાં વહેંચાયેલા આ પુસ્તકનું પહેલું પ્રકરણ ‘યોગ શા માટે?’ અને 11મું પ્રકરણ ‘આવતી કાલ કેવી હશે?’ છે.
મહાન સિદ્ધયોગી યોગાનંદજીના શિષ્ય એવા મૂળશંકરભાઇ ‘બાપુજી’ રચિત ગીતો અને ભજનો આ ગ્રંથમાં સમાવાયા છે. ધવલ રવીન્દ્ર ભટ્ટથી માંડીને જે. બી. ચચા સહિતના અન્ય લેખકોએ સાધક મૂળશંકરભાઇ વિશે લેખો લખ્યા છે. આ પુસ્તકની વિશેષતા એ છે કે અંતમાં મૂળશંકરભાઇ લિખિત કેટલાંક જાણીતા ગીતોના QR કોડ આપ્યા છે. રસ ધરાવનારા સાધકો કોડને સ્કેન કરીને ગીતો સાંભળી શકે છે.
***
સંવેદનાની સરવાણી Áઈન્દિરા સુરેશ સોની
પાનાં:144 Áકિંમત: 60 રૂ.
લેખિકાના જુદાં જુદાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાંથી 35 લેખોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોટા ભાગના લેખો પોતાના અનુભવ આધારિત લખાયેલા છે. લેખિકા સ્વાનુભવમાં જણાવે છે કે રક્તપિત્તના રોગને દર્દીઓ ભગવાને આપેલી સજારૂપે જોતા હતા અને આખી જિંદગી ભીખ માગીને, માથું ઢાળીને કે હાથ લાંબો કરીને બટકું રોટલાની યાચના કરતા હતા. લેખિકાએ પોતાના જીવનસાથી સુરેશભાઈ સાથે મળીને ઝૂંપડપટ્ટીમાં જઈને કામ શરૂ કર્યું. કોઈનું નાકનું ટેરવું ખરી પડેલું, તો કોઈકના હાથ-પગના એકેય આંગળાં નહોતાં આવા તો કેટલાય લોકોને તેઓ નવડાવે, માથામાં તેલ નાખી આપે, એમને ભાવતી વાનગી જમાડે.
વેદનાગ્રસ્તોની વચ્ચે પોતાનું જીવન સમર્પિત કરનાર ઈન્દિરાબહેન સોનીનું સાંવેગિક ચેતનાને સચેત કરતું આ પ્રથમ પુસ્તક છે. અહીં તેઓ કોઈને બોધ કે જ્ઞાન આપવા નથી બેઠાં, પણ વર્તમાનમાં હિંસા, જાતિવાદ, ભ્રષ્ટાચાર, કુટુંબકલેશ જેવાં કેટલાંય દૂષણો ઘર કરી બેઠાં છે ત્યારે આ પુસ્તક સૌને પ્રેરિત કરનારું છે. }
***
સંવેદનાની સરવાણી Áઈન્દિરા સુરેશ સોની
પાનાં:144 Áકિંમત: 60 રૂ.
લેખિકાના જુદાં જુદાં સામયિકોમાં પ્રસિદ્ધ થયેલા લેખોમાંથી 35 લેખોનો આ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવ્યો છે. મોટા ભાગના લેખો પોતાના અનુભવ આધારિત લખાયેલા છે. લેખિકા સ્વાનુભવમાં જણાવે છે કે રક્તપિત્તના રોગને દર્દીઓ ભગવાને આપેલી સજારૂપે જોતા હતા અને આખી જિંદગી ભીખ માગીને, માથું ઢાળીને કે હાથ લાંબો કરીને બટકું રોટલાની યાચના કરતા હતા. લેખિકાએ પોતાના જીવનસાથી સુરેશભાઈ સાથે મળીને ઝૂંપડપટ્ટીમાં જઈને કામ શરૂ કર્યું. કોઈનું નાકનું ટેરવું ખરી પડેલું, તો કોઈકના હાથ-પગના એકેય આંગળાં નહોતાં આવા તો કેટલાય લોકોને તેઓ નવડાવે, માથામાં તેલ નાખી આપે, એમને ભાવતી વાનગી જમાડે.
વેદનાગ્રસ્તોની વચ્ચે પોતાનું જીવન સમર્પિત કરનાર ઈન્દિરાબહેન સોનીનું સાંવેગિક ચેતનાને સચેત કરતું આ પ્રથમ પુસ્તક છે. અહીં તેઓ કોઈને બોધ કે જ્ઞાન આપવા નથી બેઠાં, પણ વર્તમાનમાં હિંસા, જાતિવાદ, ભ્રષ્ટાચાર, કુટુંબકલેશ જેવાં કેટલાંય દૂષણો ઘર કરી બેઠાં છે ત્યારે આ પુસ્તક સૌને પ્રેરિત કરનારું છે. }
વાત તનમનની:ઓટિઝમનો ભોગ બનેલાં બાળકો ક્ષમતા ધરાવતા હોય છે
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/children-with-autism-are-capable-135229446.html
મનન ઠકરાર પ્રશ્ન : મને નવા ઘરમાં શિફ્ટ થતા પહેલાં સતત ત્યાં ચેપ હોય એનો ડર લાગે છે. દવા છાંટણ કરાવવાનો સંપર્ક કરું છું. શું મને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે? એની સારવાર શું હોય?
ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, જેને ટૂંકમાં ઓ. સી. ડી. કહે છે, એ માનસિક સમસ્યા છે. આ સ્થિતિમાં વ્યક્તિના મનમાં વારંવાર નકારી શકાય તેવા વિચારો આવે છે; જેમ કે ગંદકીનો ડર, ચેપ લાગવાનો ડર, કંઈક ભૂલ થવાની શંકા. આવા વિચારોને દૂર કરવા માટે તે વ્યક્તિ કોઈક પ્રકારની ક્રિયા વારંવાર કરે છે – જેમ કે સાફ કરવું, ચેક કરવું, પુષ્ટિ મેળવવી. નવા ઘરમાં ચેપ હોય એના ડરથી તમે દવા છાંટવાનું વિચારો છો, એ વર્તન ઓ. સી.ડીનાં લક્ષણો દર્શાવે છે.
ઓ. સી. ડી મુખ્યત્વે બે પ્રકારના હોય છે: 1. ચેપ લાગવાનો ભય, મરી જવાની શંકા વગેરે. 2. વારંવાર હાથ ધોવા, ઘરના કોઈ ભાગને ચેક કરવું, વસ્તુઓને ચોક્કસ રીતે ગોઠવવી.
આની સારવારમાં વિચારો અને વર્તનને સમજવા અને બદલવા માટેની કાઉન્સેલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વ્યક્તિને શીખવાડવામાં આવે છે કે ડર લાગતા વિચારો સામે કેવી રીતે ટકી શકાય અને એના જવાબના ભાગરૂપે કરવામાં આવતી ક્રિયા જેમ કે હાથ સાફ કરવા વગેરેને અટકાવી શકાય. માનસિક તાણ અને વિચારોની ગંભીરતા ઓછી એવી દવાઓ દ્વારા સારવાર. આવી સારવાર માત્ર તજજ્ઞના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ.
પરિવારજનોના સમજદારીભર્યાં વર્તન અને ઓવરરિએક્ટ ન કરવાની રીત ઓ. સી. ડી ધરાવતી વ્યક્તિને ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ધ્યાન, યોગ અને નિયમિત જીવનશૈલી મનને સ્થિર રાખે છે અને તાણ ઘટાડી શકે છે.
ઓ. સી. ડી એ સામાન્ય માનસિક તકલીફ છે. યોગ્ય સારવારથી એનું નિયંત્રણ શક્ય છે અને વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે.
પ્રશ્ન : બાળકોમાં ઓટિઝમ કેવી રીતે દેખાય છે?
ઓટિઝમ બાળકના વિકાસ સાથે સંબંધિત સમસ્યા છે. ઓટિઝમ ધરાવતાં બાળકો બીજી રીતે દુનિયાને જુએ છે, સમાજ સાથે જોડાતા મુશ્કેલી અનુભવે છે અને તેમની ભાષા તથા વર્તનમાં ખાસ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે.
ઓટિઝમનાં મુખ્ય લક્ષણોમાં બાળક આંખમાં આંખ મિલાવીને વાત ન કરી શકે. પોતાનો આનંદ વ્યક્ત ન કરી શકે. તેને પોતાના નામ સાથે બોલાવવાથી જવાબ ન આપે. કોઇ બીજા બાળકની સાથે રમવું ન ગમે. લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલી પડે. ભાષામાં વિલંબ અને બોલવામાં તકલીફ પડે. બહુ ઓછું બોલે. એક જ શબ્દો વારંવાર બોલે. વાતચીત કરી ન શકે. અસ્પષ્ટ વાક્યો બોલે, એકનું એક વર્તન રિપીટ કરે. એક જ પ્રકારની રમત વારંવાર રમે. સતત એક વસ્તુને ઘુમાવે અથવા જોતી રહે. ચોક્કસ વિષયમાં જ રસ પડે. ઘરનું વાતાવરણ બદલાય તો તાણ અનુભવે. અવાજ, સ્પર્શ અથવા પ્રકાશથી અસ્વસ્થ થઇ જાય. આના પરથી ખ્યાલ આવી શકે કે બાળક ઓટિઝમનો ભોગ બન્યું છે.
ઓટિઝમની સારવાર બાળ વિશેષજ્ઞ પાસે કરાવવી જોઇએ. તે સ્પીચ અને ભાષા વિકાસ, વર્તન અને સમજશક્તિનું મૂલ્યાંકન કરે છે. ભાષા તાલીમ – બોલવા, સમજવા અને સહજ રીતે વાતચીત કરવા માટે મદદરૂપ થાય છે. વર્તન સુધારવા માટેની પદ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવે છે. બાળકને સકારાત્મક રીત શીખવા માટે થેરપી આપવામાં આવે છે. ઘરનું શાંતિપૂર્ણ, હૂંફાળું વાતાવરણ, ધીરજ અને પ્રોત્સાહનથી બાળકનો વિકાસ વધુ સારી રીતે થાય છે.
ઓટિઝમ ધરાવતા બાળકો માટે ‘વિશિષ્ટ શિક્ષણ’ આપવામાં આવે છે. બધાથી અલગ રીતે શીખવવાથી, તેમના માટે વધુ મદદરૂપ થાય છે. તેઓ ક્ષમતા ધરાવતા હોય છે – જરૂર છે યોગ્ય માર્ગદર્શન, સમર્થન અને પ્રેમભર્યા સાથની. }
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/children-with-autism-are-capable-135229446.html
મનન ઠકરાર પ્રશ્ન : મને નવા ઘરમાં શિફ્ટ થતા પહેલાં સતત ત્યાં ચેપ હોય એનો ડર લાગે છે. દવા છાંટણ કરાવવાનો સંપર્ક કરું છું. શું મને ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે? એની સારવાર શું હોય?
ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર, જેને ટૂંકમાં ઓ. સી. ડી. કહે છે, એ માનસિક સમસ્યા છે. આ સ્થિતિમાં વ્યક્તિના મનમાં વારંવાર નકારી શકાય તેવા વિચારો આવે છે; જેમ કે ગંદકીનો ડર, ચેપ લાગવાનો ડર, કંઈક ભૂલ થવાની શંકા. આવા વિચારોને દૂર કરવા માટે તે વ્યક્તિ કોઈક પ્રકારની ક્રિયા વારંવાર કરે છે – જેમ કે સાફ કરવું, ચેક કરવું, પુષ્ટિ મેળવવી. નવા ઘરમાં ચેપ હોય એના ડરથી તમે દવા છાંટવાનું વિચારો છો, એ વર્તન ઓ. સી.ડીનાં લક્ષણો દર્શાવે છે.
ઓ. સી. ડી મુખ્યત્વે બે પ્રકારના હોય છે: 1. ચેપ લાગવાનો ભય, મરી જવાની શંકા વગેરે. 2. વારંવાર હાથ ધોવા, ઘરના કોઈ ભાગને ચેક કરવું, વસ્તુઓને ચોક્કસ રીતે ગોઠવવી.
આની સારવારમાં વિચારો અને વર્તનને સમજવા અને બદલવા માટેની કાઉન્સેલિંગ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં વ્યક્તિને શીખવાડવામાં આવે છે કે ડર લાગતા વિચારો સામે કેવી રીતે ટકી શકાય અને એના જવાબના ભાગરૂપે કરવામાં આવતી ક્રિયા જેમ કે હાથ સાફ કરવા વગેરેને અટકાવી શકાય. માનસિક તાણ અને વિચારોની ગંભીરતા ઓછી એવી દવાઓ દ્વારા સારવાર. આવી સારવાર માત્ર તજજ્ઞના માર્ગદર્શન હેઠળ લેવી જોઈએ.
પરિવારજનોના સમજદારીભર્યાં વર્તન અને ઓવરરિએક્ટ ન કરવાની રીત ઓ. સી. ડી ધરાવતી વ્યક્તિને ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ધ્યાન, યોગ અને નિયમિત જીવનશૈલી મનને સ્થિર રાખે છે અને તાણ ઘટાડી શકે છે.
ઓ. સી. ડી એ સામાન્ય માનસિક તકલીફ છે. યોગ્ય સારવારથી એનું નિયંત્રણ શક્ય છે અને વ્યક્તિ સામાન્ય જીવન જીવી શકે છે.
પ્રશ્ન : બાળકોમાં ઓટિઝમ કેવી રીતે દેખાય છે?
ઓટિઝમ બાળકના વિકાસ સાથે સંબંધિત સમસ્યા છે. ઓટિઝમ ધરાવતાં બાળકો બીજી રીતે દુનિયાને જુએ છે, સમાજ સાથે જોડાતા મુશ્કેલી અનુભવે છે અને તેમની ભાષા તથા વર્તનમાં ખાસ પ્રકારનાં લક્ષણો જોવા મળે છે.
ઓટિઝમનાં મુખ્ય લક્ષણોમાં બાળક આંખમાં આંખ મિલાવીને વાત ન કરી શકે. પોતાનો આનંદ વ્યક્ત ન કરી શકે. તેને પોતાના નામ સાથે બોલાવવાથી જવાબ ન આપે. કોઇ બીજા બાળકની સાથે રમવું ન ગમે. લાગણીઓ વ્યક્ત કરવામાં મુશ્કેલી પડે. ભાષામાં વિલંબ અને બોલવામાં તકલીફ પડે. બહુ ઓછું બોલે. એક જ શબ્દો વારંવાર બોલે. વાતચીત કરી ન શકે. અસ્પષ્ટ વાક્યો બોલે, એકનું એક વર્તન રિપીટ કરે. એક જ પ્રકારની રમત વારંવાર રમે. સતત એક વસ્તુને ઘુમાવે અથવા જોતી રહે. ચોક્કસ વિષયમાં જ રસ પડે. ઘરનું વાતાવરણ બદલાય તો તાણ અનુભવે. અવાજ, સ્પર્શ અથવા પ્રકાશથી અસ્વસ્થ થઇ જાય. આના પરથી ખ્યાલ આવી શકે કે બાળક ઓટિઝમનો ભોગ બન્યું છે.
ઓટિઝમની સારવાર બાળ વિશેષજ્ઞ પાસે કરાવવી જોઇએ. તે સ્પીચ અને ભાષા વિકાસ, વર્તન અને સમજશક્તિનું મૂલ્યાંકન કરે છે. ભાષા તાલીમ – બોલવા, સમજવા અને સહજ રીતે વાતચીત કરવા માટે મદદરૂપ થાય છે. વર્તન સુધારવા માટેની પદ્ધતિનું માર્ગદર્શન આપવામાં આવે છે. બાળકને સકારાત્મક રીત શીખવા માટે થેરપી આપવામાં આવે છે. ઘરનું શાંતિપૂર્ણ, હૂંફાળું વાતાવરણ, ધીરજ અને પ્રોત્સાહનથી બાળકનો વિકાસ વધુ સારી રીતે થાય છે.
ઓટિઝમ ધરાવતા બાળકો માટે ‘વિશિષ્ટ શિક્ષણ’ આપવામાં આવે છે. બધાથી અલગ રીતે શીખવવાથી, તેમના માટે વધુ મદદરૂપ થાય છે. તેઓ ક્ષમતા ધરાવતા હોય છે – જરૂર છે યોગ્ય માર્ગદર્શન, સમર્થન અને પ્રેમભર્યા સાથની. }
વિકાસની વાટે:સારું શિક્ષણ કોને કહેવાય તેની સમજ કેળવાય તે જરૂરી
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/it-is-important-to-understand-what-constitutes-a-good-education-135229409.html
હસમુખ પટેલ પી.એસ.સી. દ્વારા લેવામાં આવેલી ભારતીય વન સેવાની પરીક્ષાનું હમણાં પરિણામ આવ્યું. ગુજરાતના છ યુવક-યુવતીઓ તેમાં પસંદગી પામ્યાં છે. તેમાં એક યુવતી મૂળ રાજસ્થાનની હોવાથી એકથી સાત ધોરણ સુધી હિંદી માધ્યમમાં ભણી અને આઠમા ધોરણથી ગુજરાતી માધ્યમમાં.
મને એના પરિવારની એ વખતની આર્થિક સ્થિતિની ખબર નથી પરંતુ આજે નીચલા મધ્યમ વર્ગના ગુજરાતી પરિવારો પણ પોતાનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવતાં નથી તો બિનગુજરાતી પરિવારો તો પોતાનાં બાળકો ગુજરાતી માધ્યમમાં ભણાવે તેવો વિચાર જ કેમ આવે?
આજે મા-બાપ બાળકના શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપે છે. પરવડે નહીં તો પણ મા-બાપ પોતાનાં બાળકોને ખર્ચાળ ખાનગી શાળામાં મૂકે, અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવે તેવું સામાન્ય થતું જાય છે. પોતાના બાળકને સારું શિક્ષણ મળે તે માટે જે પણ કરવું પડે તે કરવા મા-બાપ તૈયાર હોય છે, એ જુદી વાત છે કે ક્યારેક સારું શિક્ષણ કોને કહેવાય તેની સ્પષ્ટતા ન હોય.
પોતાનાં સંતાનોને સારું શિક્ષણ મળે તે માટે ગામડામાં તો શું નાનાં નગરો અને જિલ્લા મથકોમાં પણ લોકો રહેવા તૈયાર નથી. આવી જગ્યાએ કામ કરવાની ફરજ પડે તો પરિવારને મોટા શહેરમાં રાખે અને પોતે નોકરીના કામે ઠેકઠેકાણે ફરતા રહે, પણ પરિવાર તો મોટાં શહેરમાં જ રહે.
માતા-પિતા પોતાનાં સંતાનોના શિક્ષણ બાબતે જાગૃત થાય તે બહુ સારી બાબત છે. બલકે આપણો દેશ શિક્ષણની સીડીએ જ વિકાસશીલમાંથી વિકસિત દેશ બનશે. મારા મતે તો તેના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આપણા વંચિત બાળકોને સારું શિક્ષણ મળે અને તેમની ઉત્પાદકતા વધે તો દેશ વિકાસની હરણફાળ ભરે. પરંતુ સારું શિક્ષણ કોને કહેવાય તેની સમજ કેળવાય તે જરૂરી છે. આજે આપણે જેને સારું શિક્ષણ કહીએ છીએ તેવું શિક્ષણ તો ભારતીય વન સેવાની અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલી પેલી દીકરીએ મેળવ્યું નથી.
આપણા કહેવાતા સારા શિક્ષણની હોડને કારણે પરિવારો વિખરાય છે. આપણે માતૃભાષા અને તેને પગલે સંસ્કૃતિ ગુમાવી રહ્યા છીએ. બાળકને સારું શિક્ષણ મળે તે માટે માતા-પિતા બાળકની પાછળ પડી જાય છે. બાળકો ખૂબ જ તાણમાંથી પસાર થાય છે અને જે ઉંમરે બાળકે આત્મહત્યા શબ્દ પણ ન સાંભળ્યો હોવો જોઈએ તેવાં કુમળાં બાળકો આત્મહત્યા કરે છે.
કહેવાતા શિક્ષણની લાહ્યે માતા-પિતા અને સંતાનોના સંબંધ પર છીણી મૂકી દીધી છે. એનું પરિણામ વધતા જતા વૃદ્ધાશ્રમોમાં જોવા મળે છે. આવું ચાલશે તો બે દાયકા પછી ઓલ્ડ એજ હોમનો ધંધો ધીકશે.
આવા શિક્ષણ પાછળની દોડને લીધે મોટા ગામડાઓ અને નગરોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનો રાફડો ફાટ્યો છે. સુખી ઘરના લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવતા નથી. સરકારી શાળામાં જે મા-બાપને પોતાના સંતાનોના શિક્ષણની પરવા નથી અથવા તેની પરવા કરી શકે તેવી તેમની આર્થિક, સામાજિક કે માનસિક સ્થિતિ નથી તેવાં જ માતા-પિતાનાં બાળકો સરકારી શાળામાં ભણવા આવે છે.
આવાં બાળકોને કેવી રીતે ભણાવવા તેની ચિંતા સંવેદનશીલ શિક્ષકોને પજવે છે કારણ કે બાળકોનું સારું શિક્ષણ થાય તે સારુ વિવિધ આર્થિક-સામાજિક તથા માનસિક સ્થિતિવાળા બાળકોનું સાથે ભણવું, સાથે રમવું આવશ્યક છે. આવી જ ખરાબ સ્થિતિ અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોની થાય છે. તેમને પણ જીવનની વિવિધતાનો અનુભવ થતો નથી. તેમનો વિકાસ પણ મર્યાદિત થાય છે. આવી મર્યાદિત કેળવણીવાળાં બાળકો આવતીકાલના દેશમાં કઈ રીતે યોગદાન આપશે?
બધા વર્ગનાં બાળકો સાથે રહીને ભણે તે માટે સમાજ સ્તરે પ્રયત્નો કરવાને બદલે આપણે આ શાળાનાં તેજસ્વી બાળકોને છાત્રાલયવાળી નિવાસી શાળામાં મૂકવાની વ્યવસ્થા કરી. એટલે હવે સરકારી શાળાના રડ્યાંખડ્યાં તેજસ્વી બાળકો પણ આ શાળા છોડી છાત્રાલયમાં જશે.
સરકારી શાળાના સંવેદનશીલ શિક્ષકોને ભાગે માત્ર નબળાં બાળકો આવશે. આને કારણે તેમનું શિક્ષણ ઓર નબળું થાય તેવું બને.
શહેરોની સરકારી શાળાઓ તો ઘણી ખરી બંધ થવા માંડી છે. હવે ગામડાંઓની આવી શાળાઓ પણ બંધ થશે. આપણાં બાળકો સામુદાયિક જીવન કેવી રીતે શીખશે ? મોટા થઈ નિર્ણય લેતી વખતે તેમના આર્થિક રીતે નબળાં ભાંડરડાંને તેની શી અસર થશે, તેમની પીડા તેમને નહીં સમજાય તેનું શું?
શાળામાં અમારા શિક્ષકો અમને ગણવેશ વિશે એવું કહેતા કે ગરીબ અને તવંગર બંને સરખા છે તેવો અનુભવ થાય તે માટે ગણવેશ હોય છે. એક સુખી ઘરનો વિદ્યાર્થી સારાં કપડાં પહેરીને શાળાએ આવે ત્યારે નબળા વર્ગનો વિદ્યાર્થી નાનપ ન અનુભવે તે સારું ગણવેશ છે. આજે તો કોઈને આ વિચાર જ કેમ આવે?
https://www.divyabhaskar.co.in/magazine/rasrang/news/it-is-important-to-understand-what-constitutes-a-good-education-135229409.html
હસમુખ પટેલ પી.એસ.સી. દ્વારા લેવામાં આવેલી ભારતીય વન સેવાની પરીક્ષાનું હમણાં પરિણામ આવ્યું. ગુજરાતના છ યુવક-યુવતીઓ તેમાં પસંદગી પામ્યાં છે. તેમાં એક યુવતી મૂળ રાજસ્થાનની હોવાથી એકથી સાત ધોરણ સુધી હિંદી માધ્યમમાં ભણી અને આઠમા ધોરણથી ગુજરાતી માધ્યમમાં.
મને એના પરિવારની એ વખતની આર્થિક સ્થિતિની ખબર નથી પરંતુ આજે નીચલા મધ્યમ વર્ગના ગુજરાતી પરિવારો પણ પોતાનાં બાળકોને ગુજરાતી માધ્યમમાં ભણાવતાં નથી તો બિનગુજરાતી પરિવારો તો પોતાનાં બાળકો ગુજરાતી માધ્યમમાં ભણાવે તેવો વિચાર જ કેમ આવે?
આજે મા-બાપ બાળકના શિક્ષણને ખૂબ જ મહત્ત્વ આપે છે. પરવડે નહીં તો પણ મા-બાપ પોતાનાં બાળકોને ખર્ચાળ ખાનગી શાળામાં મૂકે, અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવે તેવું સામાન્ય થતું જાય છે. પોતાના બાળકને સારું શિક્ષણ મળે તે માટે જે પણ કરવું પડે તે કરવા મા-બાપ તૈયાર હોય છે, એ જુદી વાત છે કે ક્યારેક સારું શિક્ષણ કોને કહેવાય તેની સ્પષ્ટતા ન હોય.
પોતાનાં સંતાનોને સારું શિક્ષણ મળે તે માટે ગામડામાં તો શું નાનાં નગરો અને જિલ્લા મથકોમાં પણ લોકો રહેવા તૈયાર નથી. આવી જગ્યાએ કામ કરવાની ફરજ પડે તો પરિવારને મોટા શહેરમાં રાખે અને પોતે નોકરીના કામે ઠેકઠેકાણે ફરતા રહે, પણ પરિવાર તો મોટાં શહેરમાં જ રહે.
માતા-પિતા પોતાનાં સંતાનોના શિક્ષણ બાબતે જાગૃત થાય તે બહુ સારી બાબત છે. બલકે આપણો દેશ શિક્ષણની સીડીએ જ વિકાસશીલમાંથી વિકસિત દેશ બનશે. મારા મતે તો તેના સિવાય બીજો કોઈ રસ્તો નથી. આપણા વંચિત બાળકોને સારું શિક્ષણ મળે અને તેમની ઉત્પાદકતા વધે તો દેશ વિકાસની હરણફાળ ભરે. પરંતુ સારું શિક્ષણ કોને કહેવાય તેની સમજ કેળવાય તે જરૂરી છે. આજે આપણે જેને સારું શિક્ષણ કહીએ છીએ તેવું શિક્ષણ તો ભારતીય વન સેવાની અત્યંત સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલી પેલી દીકરીએ મેળવ્યું નથી.
આપણા કહેવાતા સારા શિક્ષણની હોડને કારણે પરિવારો વિખરાય છે. આપણે માતૃભાષા અને તેને પગલે સંસ્કૃતિ ગુમાવી રહ્યા છીએ. બાળકને સારું શિક્ષણ મળે તે માટે માતા-પિતા બાળકની પાછળ પડી જાય છે. બાળકો ખૂબ જ તાણમાંથી પસાર થાય છે અને જે ઉંમરે બાળકે આત્મહત્યા શબ્દ પણ ન સાંભળ્યો હોવો જોઈએ તેવાં કુમળાં બાળકો આત્મહત્યા કરે છે.
કહેવાતા શિક્ષણની લાહ્યે માતા-પિતા અને સંતાનોના સંબંધ પર છીણી મૂકી દીધી છે. એનું પરિણામ વધતા જતા વૃદ્ધાશ્રમોમાં જોવા મળે છે. આવું ચાલશે તો બે દાયકા પછી ઓલ્ડ એજ હોમનો ધંધો ધીકશે.
આવા શિક્ષણ પાછળની દોડને લીધે મોટા ગામડાઓ અને નગરોમાં અંગ્રેજી માધ્યમની શાળાઓનો રાફડો ફાટ્યો છે. સુખી ઘરના લોકો પોતાના બાળકોને સરકારી શાળામાં ભણાવતા નથી. સરકારી શાળામાં જે મા-બાપને પોતાના સંતાનોના શિક્ષણની પરવા નથી અથવા તેની પરવા કરી શકે તેવી તેમની આર્થિક, સામાજિક કે માનસિક સ્થિતિ નથી તેવાં જ માતા-પિતાનાં બાળકો સરકારી શાળામાં ભણવા આવે છે.
આવાં બાળકોને કેવી રીતે ભણાવવા તેની ચિંતા સંવેદનશીલ શિક્ષકોને પજવે છે કારણ કે બાળકોનું સારું શિક્ષણ થાય તે સારુ વિવિધ આર્થિક-સામાજિક તથા માનસિક સ્થિતિવાળા બાળકોનું સાથે ભણવું, સાથે રમવું આવશ્યક છે. આવી જ ખરાબ સ્થિતિ અંગ્રેજી માધ્યમમાં ભણતા બાળકોની થાય છે. તેમને પણ જીવનની વિવિધતાનો અનુભવ થતો નથી. તેમનો વિકાસ પણ મર્યાદિત થાય છે. આવી મર્યાદિત કેળવણીવાળાં બાળકો આવતીકાલના દેશમાં કઈ રીતે યોગદાન આપશે?
બધા વર્ગનાં બાળકો સાથે રહીને ભણે તે માટે સમાજ સ્તરે પ્રયત્નો કરવાને બદલે આપણે આ શાળાનાં તેજસ્વી બાળકોને છાત્રાલયવાળી નિવાસી શાળામાં મૂકવાની વ્યવસ્થા કરી. એટલે હવે સરકારી શાળાના રડ્યાંખડ્યાં તેજસ્વી બાળકો પણ આ શાળા છોડી છાત્રાલયમાં જશે.
સરકારી શાળાના સંવેદનશીલ શિક્ષકોને ભાગે માત્ર નબળાં બાળકો આવશે. આને કારણે તેમનું શિક્ષણ ઓર નબળું થાય તેવું બને.
શહેરોની સરકારી શાળાઓ તો ઘણી ખરી બંધ થવા માંડી છે. હવે ગામડાંઓની આવી શાળાઓ પણ બંધ થશે. આપણાં બાળકો સામુદાયિક જીવન કેવી રીતે શીખશે ? મોટા થઈ નિર્ણય લેતી વખતે તેમના આર્થિક રીતે નબળાં ભાંડરડાંને તેની શી અસર થશે, તેમની પીડા તેમને નહીં સમજાય તેનું શું?
શાળામાં અમારા શિક્ષકો અમને ગણવેશ વિશે એવું કહેતા કે ગરીબ અને તવંગર બંને સરખા છે તેવો અનુભવ થાય તે માટે ગણવેશ હોય છે. એક સુખી ઘરનો વિદ્યાર્થી સારાં કપડાં પહેરીને શાળાએ આવે ત્યારે નબળા વર્ગનો વિદ્યાર્થી નાનપ ન અનુભવે તે સારું ગણવેશ છે. આજે તો કોઈને આ વિચાર જ કેમ આવે?