ટ્રમ્પ પાસે જે સેના છે એની સામે મસ્ક પાસે ડિજિટલ સેના છે. એક્સ પર તેના 220 મિલિયન ફોલોઅર્સ છે, તો ટ્રમ્પના પણ એક્સ પર 100 મિલિયનથી વધુ અને ટ્રૂથ પર 10 મિલિયન ફોલોઅર્સ છે. મસ્ક એક્સ પર મચી પડ્યા છે તો ટ્રમ્પ પણ ટ્રૂથ પર સક્રિય થઈ ગયા છે. જે સમયે મસ્કે ટ્વિટરનું નામ બદલીને ‘X’ કર્યું ત્યારે હેટ સ્પીચ, ઉત્પીડન અને ફેક ન્યૂઝને પ્રોત્સાહન આપતા એકાઉન્ટ્સ બ્લોક હતા, પણ મસ્કે ખરીદ્યા બાદ તેણે આ પ્રતિબંધ દૂર કરી દીધા. હવે કહેવાય છે કે તેણે આ પ્લેટફોર્મ શસ્ત્ર રૂપે તૈયાર કર્યું છે અને ટ્રમ્પ સાથેની લડાઈમાં તેઓ તેનો ઉપયોગ તેમને ધમકાવવા કરી રહ્યા છે. ટ્રમ્પ અને મસ્કમાં વિવાદ કેમ થયો?
બીજી વાર સત્તામાં આવ્યા પછી ટ્રમ્પે અનેકવાર મસ્કના ભરપૂર વખાણ કર્યા હતા. ઘણી વાર મસ્કની કંપનીઓનો પ્રચાર પણ કર્યો. મસ્કે પણ આ મિત્રતા નિભાવવામાં કોઈ કચાશ રાખી નહીં. પોતાની 45 બિલિયન ડોલર (લગભગ 3,860 અબજ રૂપિયા)ની કંપની એક્સને ટ્રમ્પનું જોરદાર સમર્થન કરવામાં કામે લગાડી દીધી હતી. જોકે, એક સમયના આ ગાઢ મિત્રોના સંબંધો હવે પહેલાં જેવા રહ્યા નથી. એક સમયના ગાઢ મિત્રોના ગઢમાં અચાનક આવું ગાબડું પડ્યું ખાસ બિલને કારણે.
ડોનાલ્ડ ટ્રમ્પ વન બિગ, બ્યૂટીફૂલ બિલ લાવ્યા પણ તે મસ્કના આર્થિક સામ્રાજ્ય માટે નુકસાનકારક બનશે એવું મસ્કને લાગ્યું. તેમણે આ બિલને વખોડતાં ટ્રમ્પને જવાબ આપ્યો કે આ તો જાહેર નાણાંનો બગાડ કરવાનું બિલ છે, જે બહુ શરમજનક કહેવાય. મસ્કે એવું પણ કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ક્રેડિટ નાબૂદ કરાવાથી એની સીધી અસર ટેસ્લાના વેચાણ પર પડશે. મસ્કે આ બિલનો વિરોધ કર્યો.
ટેક્સ અને ખર્ચના આ બિલના ઉગ્ર વિરોધમાં એવું પણ કહ્યું કે જો આ બિલ પસાર થશે તો અમેરિકા નાદાર થઈ જશે, પણ ટ્રમ્પ મસ્કની એકેય વાત ન માન્યા. આખરે બંને વચ્ચે તિરાડ પડી અને મસ્કે ટ્રમ્પ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું. બંને વચ્ચેના તણાવમાં હાલ રિપબ્લિકન સાંસદો પણ મૂંઝાયા છે કે તેઓ મસ્ક સાથે જાય કે ટ્રમ્પ સાથે? રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે મસ્કે ટ્રમ્પના વિરોધીઓની વિરુદ્ધમાં અનેક પોસ્ટ લખી હતી અને હાલ પણ તેઓ એ જ કરી રહ્યા છે પણ નિશાના પર ખુદ ટ્રમ્પ છે.
મસ્કની આ ટીકા બાદ ટ્રમ્પ વધારે ક્રોધે ભરાયા. તેમણે પણ વળતો પ્રહાર કરતા મસ્કને કહી દીધું કે તે તેમને આ જરાય ગમ્યું નથી. ટ્રમ્પે તો એવોય દાવો કર્યો કે આ બાબતે મસ્ક પહેલેથી જાણતા જ હતા, તો પછી ત્યારે કેમ કંઈ ન કહ્યું. અને ટ્રમ્પે મસ્કને આડે હાથ લીધા અને ધમકી આપતા કહ્યું કે મસ્કના બધા જ સરકારી કરાર રદબાતલ કરવામાં આવશે. જોકે, મસ્ક પણ કંઈ પાછી પાની કરે એમ નથી. તેમણે એવું પણ કહી દીધું કે ટ્રમ્પ સાવ ખોટું બોલે છે. મારી સાથે એક પણ વાર બિલ વિશે વાત કરવામાં આવી નથી.
આ વિવાદ એવો તો વકર્યો કે ઈલોન મસ્કે ટ્રમ્પના વહીવટી તંત્રમાં પોતાને સોંપાયેલી જવાબદારી છોડી દીધી. અને એવું પણ કહ્યું કે જો તેમણે ટ્રમ્પને ટેકો ન આપ્યો હોત તો ટ્રમ્પ ચૂંટણી જીતી પણ ન શક્યા હોત. ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર ધમકી આપતા લખ્યું, ‘મસ્કને મળેલી સબસિડી અને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તો અમારા અબજો ડોલર બચશે. તે દુનિયાનો સૌથી પૈસાદાર માણસ છે, પણ છતાં તેને વ્હાઈટ હાઉસની યાદ આવે છે.’
ઈલોન મસ્ક ચીનમાં મોટો બિઝનેસ ધરાવે છે અને આ વાત અમેરિકન સરકારને ખૂંચે છે. મસ્કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના કેટલાય નેતાઓ સાથે બેઠક કરી એ પણ ટ્રમ્પને નથી ગમ્યું, કારણ શાંઘાઈ પાસે જ ટેસ્લાની ફેક્ટરી છે અને તે અમેરિકા બહારનો સૌથી મોટો પ્લાન્ટ છે, જેમાંથી ટેસ્લાને દર વર્ષે અબજો ડોલરની કમાણી થાય છે. મસ્કે બીજું કારણ એ પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ વિવાદાસ્પદ અબજોપતિ જેફરી એપસ્ટેઈનની ફાઈલમાં સામેલ છે, જે સેક્સને લગતા અપરાધોમાં સંડોવાયેલો છે.
2019માં સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં તેની ધરપકડ થઈ ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી હતી. એ સમયે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને તેમણે કહેલું કે તેઓ જેફરીને ઓળખતા એ વાત સાચી, પણ તેમણે વર્ષોથી તેની સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે દાવો કર્યો છે કે ઈલોન મસ્કે આ બિલને લઈને ટ્રમ્પની નહીં કોંગ્રેસની ટીકા કરી હતી, પણ ટ્રમ્પે આ વાતને પર્સનલ લીધી અને મસ્ક પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. સામે ઇલોન મસ્કે પણ જાહેર કર્યું છે કે તે અમેરિકામાં નવી પોલિટિકલ પાર્ટી ઊભી કરશે. સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર પોસ્ટ કરતા મસ્કે કહ્યું છે કે એનું નામ ‘ધ અમેરિકા પાર્ટી’ હશે. જોકે, મોટા ભાગના આને મસ્કની મજાક ગણે છે. ટ્રમ્પ સાથે દોસ્તી અને દુશ્મની પડશે મોંઘી
બીજી વાર સત્તામાં આવ્યા પછી ટ્રમ્પે અનેકવાર મસ્કના ભરપૂર વખાણ કર્યા હતા. ઘણી વાર મસ્કની કંપનીઓનો પ્રચાર પણ કર્યો. મસ્કે પણ આ મિત્રતા નિભાવવામાં કોઈ કચાશ રાખી નહીં. પોતાની 45 બિલિયન ડોલર (લગભગ 3,860 અબજ રૂપિયા)ની કંપની એક્સને ટ્રમ્પનું જોરદાર સમર્થન કરવામાં કામે લગાડી દીધી હતી. જોકે, એક સમયના આ ગાઢ મિત્રોના સંબંધો હવે પહેલાં જેવા રહ્યા નથી. એક સમયના ગાઢ મિત્રોના ગઢમાં અચાનક આવું ગાબડું પડ્યું ખાસ બિલને કારણે.
ડોનાલ્ડ ટ્રમ્પ વન બિગ, બ્યૂટીફૂલ બિલ લાવ્યા પણ તે મસ્કના આર્થિક સામ્રાજ્ય માટે નુકસાનકારક બનશે એવું મસ્કને લાગ્યું. તેમણે આ બિલને વખોડતાં ટ્રમ્પને જવાબ આપ્યો કે આ તો જાહેર નાણાંનો બગાડ કરવાનું બિલ છે, જે બહુ શરમજનક કહેવાય. મસ્કે એવું પણ કહ્યું કે ઈલેક્ટ્રિક વાહનો પર ટેક્સ ક્રેડિટ નાબૂદ કરાવાથી એની સીધી અસર ટેસ્લાના વેચાણ પર પડશે. મસ્કે આ બિલનો વિરોધ કર્યો.
ટેક્સ અને ખર્ચના આ બિલના ઉગ્ર વિરોધમાં એવું પણ કહ્યું કે જો આ બિલ પસાર થશે તો અમેરિકા નાદાર થઈ જશે, પણ ટ્રમ્પ મસ્કની એકેય વાત ન માન્યા. આખરે બંને વચ્ચે તિરાડ પડી અને મસ્કે ટ્રમ્પ વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું. બંને વચ્ચેના તણાવમાં હાલ રિપબ્લિકન સાંસદો પણ મૂંઝાયા છે કે તેઓ મસ્ક સાથે જાય કે ટ્રમ્પ સાથે? રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે મસ્કે ટ્રમ્પના વિરોધીઓની વિરુદ્ધમાં અનેક પોસ્ટ લખી હતી અને હાલ પણ તેઓ એ જ કરી રહ્યા છે પણ નિશાના પર ખુદ ટ્રમ્પ છે.
મસ્કની આ ટીકા બાદ ટ્રમ્પ વધારે ક્રોધે ભરાયા. તેમણે પણ વળતો પ્રહાર કરતા મસ્કને કહી દીધું કે તે તેમને આ જરાય ગમ્યું નથી. ટ્રમ્પે તો એવોય દાવો કર્યો કે આ બાબતે મસ્ક પહેલેથી જાણતા જ હતા, તો પછી ત્યારે કેમ કંઈ ન કહ્યું. અને ટ્રમ્પે મસ્કને આડે હાથ લીધા અને ધમકી આપતા કહ્યું કે મસ્કના બધા જ સરકારી કરાર રદબાતલ કરવામાં આવશે. જોકે, મસ્ક પણ કંઈ પાછી પાની કરે એમ નથી. તેમણે એવું પણ કહી દીધું કે ટ્રમ્પ સાવ ખોટું બોલે છે. મારી સાથે એક પણ વાર બિલ વિશે વાત કરવામાં આવી નથી.
આ વિવાદ એવો તો વકર્યો કે ઈલોન મસ્કે ટ્રમ્પના વહીવટી તંત્રમાં પોતાને સોંપાયેલી જવાબદારી છોડી દીધી. અને એવું પણ કહ્યું કે જો તેમણે ટ્રમ્પને ટેકો ન આપ્યો હોત તો ટ્રમ્પ ચૂંટણી જીતી પણ ન શક્યા હોત. ટ્રમ્પે પણ સોશિયલ મીડિયા પર ધમકી આપતા લખ્યું, ‘મસ્કને મળેલી સબસિડી અને કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે તો અમારા અબજો ડોલર બચશે. તે દુનિયાનો સૌથી પૈસાદાર માણસ છે, પણ છતાં તેને વ્હાઈટ હાઉસની યાદ આવે છે.’
ઈલોન મસ્ક ચીનમાં મોટો બિઝનેસ ધરાવે છે અને આ વાત અમેરિકન સરકારને ખૂંચે છે. મસ્કે ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સહિતના કેટલાય નેતાઓ સાથે બેઠક કરી એ પણ ટ્રમ્પને નથી ગમ્યું, કારણ શાંઘાઈ પાસે જ ટેસ્લાની ફેક્ટરી છે અને તે અમેરિકા બહારનો સૌથી મોટો પ્લાન્ટ છે, જેમાંથી ટેસ્લાને દર વર્ષે અબજો ડોલરની કમાણી થાય છે. મસ્કે બીજું કારણ એ પણ કહ્યું કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ વિવાદાસ્પદ અબજોપતિ જેફરી એપસ્ટેઈનની ફાઈલમાં સામેલ છે, જે સેક્સને લગતા અપરાધોમાં સંડોવાયેલો છે.
2019માં સેક્સ ટ્રાફિકિંગના આરોપમાં તેની ધરપકડ થઈ ત્યારે તેણે આત્મહત્યા કરી લીધી હતી. એ સમયે ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અને તેમણે કહેલું કે તેઓ જેફરીને ઓળખતા એ વાત સાચી, પણ તેમણે વર્ષોથી તેની સાથેનો છેડો ફાડી નાખ્યો હતો. કેટલાક સોશિયલ મીડિયા યૂઝર્સે દાવો કર્યો છે કે ઈલોન મસ્કે આ બિલને લઈને ટ્રમ્પની નહીં કોંગ્રેસની ટીકા કરી હતી, પણ ટ્રમ્પે આ વાતને પર્સનલ લીધી અને મસ્ક પર પ્રહાર કરવાનું શરૂ કરી દીધું. સામે ઇલોન મસ્કે પણ જાહેર કર્યું છે કે તે અમેરિકામાં નવી પોલિટિકલ પાર્ટી ઊભી કરશે. સોશિયલ મીડિયા સાઈટ એક્સ પર પોસ્ટ કરતા મસ્કે કહ્યું છે કે એનું નામ ‘ધ અમેરિકા પાર્ટી’ હશે. જોકે, મોટા ભાગના આને મસ્કની મજાક ગણે છે. ટ્રમ્પ સાથે દોસ્તી અને દુશ્મની પડશે મોંઘી
ટ્રમ્પ સાથે સંબંધ સારા હતા ત્યારેય ઈલોન મસ્ક ટેસ્લાનો આંચકો સહન કરી રહ્યા હતા પણ હવે તો ટ્રમ્પ સાથેનો સંબંધ સારો નથી ત્યારે ટેસ્લાના શેરમાં રેકોર્ડબ્રેક ઘટાડો નોંધાયો છે. મસ્ક માટે પૈસા કમાવાનો શ્રેષ્ઠ માર્ગ ટેસ્લા કંપની છે જે ઈલેક્ટ્રોનિક કારનું ઉત્પાદન કરે છે, પણ ટેસ્લા આ વર્ષે સૌથી ખરાબ પ્રદર્શન કરનાર કંપની બની છે.
ટ્રમ્પે પેટ્રોલથી ચાલતાં વાહનોનું વેચાણ ચાલુ રાખ્યું અને આ તરફ ઈલેક્ટ્રોનિક વાહનોની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો. મસ્કની બીજી ડ્રીમ કંપની ‘રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સ’ છે. ટ્રમ્પ સાથે ખુલ્લી તકરાર બાદ એના ભવિષ્ય પર પણ સંકટોનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. ‘સ્પેસએક્સ’ને અમેરિકી સરકાર પાસેથી લગભગ 22 બિલિયન ડોલરનો સરકારી કોન્ટ્રેક્ટ મળેલો છે, પણ મસ્કના ટ્રમ્પ સાથેના આ કલેશ પછી ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપી દીધો કે એ તમામ કોન્ટ્રેક્ટ રદ કરવામાં આવશે.
ટ્રમ્પે પેટ્રોલથી ચાલતાં વાહનોનું વેચાણ ચાલુ રાખ્યું અને આ તરફ ઈલેક્ટ્રોનિક વાહનોની ડિમાન્ડમાં ઘટાડો નોંધાયો. મસ્કની બીજી ડ્રીમ કંપની ‘રોકેટ બનાવતી કંપની સ્પેસએક્સ’ છે. ટ્રમ્પ સાથે ખુલ્લી તકરાર બાદ એના ભવિષ્ય પર પણ સંકટોનાં વાદળ ઘેરાઈ રહ્યાં છે. ‘સ્પેસએક્સ’ને અમેરિકી સરકાર પાસેથી લગભગ 22 બિલિયન ડોલરનો સરકારી કોન્ટ્રેક્ટ મળેલો છે, પણ મસ્કના ટ્રમ્પ સાથેના આ કલેશ પછી ટ્રમ્પે સ્પષ્ટ સંકેત આપી દીધો કે એ તમામ કોન્ટ્રેક્ટ રદ કરવામાં આવશે.
દેશી ઓઠાં:સોણાંનો સંસાર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-world-of-gold-135208847.html
અરવિંદ બારોટ એ નું નામ ઘેલો. ઘેલો આમ બધી રીતે બરાબર, પણ ઝાઝી ગતાગમ નહીં. ભાદા નરશીનો એકનો એક દીકરો. બાપ તો ઠરેલ બુદ્ધિનો, પણ મા નબુ સાવ ભાભડ ભૂતડા જેવી. ભીંતમાં ગાબડાં પડ્યાં હોય, ને પાણિયારે લીલ જામી ગ્યેલું હોય. ચાર વીઘાનું પડું છે એમાંથી ગુજારો હાલે છે. ઘર દુબળું , મા નઘરોળ ને પોતે અક્કલમઠ્ઠો, એટલે ઘેલો ત્રીસી વટાવી ગ્યો તોય કપાળે કંકુનો ચાંદલો નો થ્યો. કોઈ વાતનું ઠેકાણું નહીં એવા વર અને ઘરને કોણ દીકરી આપે!
ઘેલો આખો દી આમથી તેમ રખડ્યા કરે. ગામના કેટલાક કદખળિયા ધેલાની ઠેકડી ઉડાડે. ઘેલાને ટલ્લે ચડાવે. રઘો ઝોળિયો તો કાયમ કીધા કરે કે, ‘ઘેલા! તારા લગન થાય ને તારી ઘરવાળી તને રોટલા ઘડીને ખવરાવે ઈ સુખ તારા ભાગ્યમાં તો છે જ, પણ તારો બાપ તારો વેરી છે. તારું ઘર બંધાય એવી એની દાનત જ નથી. તારા બાપા પાંહે પૈસા તો બહુ છે, પણ જબરો લોભી છે. ખરચો નો થાય એટલે ઈ તને ઘોડે નથી ચડાવતો. હવે તો..જો તું રોજ પાણીના ગોળા ફોડવા મંડ્યને, તો પછી જખ મારીને તારો બાપ તને પરણાવશે.’ પછી તો ઘેલાને જઈં ચાનક ચડે તઈં પાણો ઉપાડે. ‘મારા લગન કરો નકર પાણિયારે ગોળો નઈ રે’વા દઉં!’ આમ ને આમ ઘેલો પાંત્રીસનો થ્યો.
એક દીની વાત છે. ઘેલો એની ફઈને ગામ જાવા નીકળે છે. મારગમાં એક પરણીને આવતી જાન સામી મળી. શણગારેલાં ગાડાં છે. બળદની ડોકે ઘૂઘરમાળ વાગે છે. આગલા ગાડામાં વરઘોડિયાં બેઠાં છે. બીજાં સાતેક ગાડાંમાં રંગબેરંગી ઓઢણાં વાળી જાનડીયું ગીતના ઝકોળ બોલાવે છે. વગડામાં કિલ્લોલ થઈ ગ્યો. ઘેલો મારગને કાંઠે ઊભો ઊભો નિહાકા નાખે છે.
થોડી વારે એક ઘટાટોપ વડલો આવ્યો. પડખે જ કૂવો છે. કૂવાની પહોળી પાળ માથે ઘેલો આડો પડ્યો. ઘડી બઘડીમાં ઘેલાને ઊંઘ આવી ગઈ. સપનું આવ્યું. સપનામાં ઘેલાનાં લગન થ્યાં. એક છોકરું થ્યું. પથારીમાં ઘેલો અને ઘરવાળી સૂતાં છે. વચમાં છોકરું છે. બૈરીએ ઠોંસો માર્યો: ‘આઘા ખસો!’ ઘેલો થોડો ખસ્યો. બીજું છોકરું થ્યું: ‘આઘા ખસો!’ ઘેલો ખસ્યો. ખસતાં ખસતાં સીધો કૂવામાં. ધુબાકાનો અવાજ સાંભળીને અડખેપડખેનાં વાડી-ખેતરમાંથી માણસો દોડ્યા. ઘેલાને કૂવામાંથી બા’રો કાઢ્યો. ઘેલો એટલું જ બોલ્યો: ‘સોણાંના સંસારમાં પણ આ દશા!’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-world-of-gold-135208847.html
અરવિંદ બારોટ એ નું નામ ઘેલો. ઘેલો આમ બધી રીતે બરાબર, પણ ઝાઝી ગતાગમ નહીં. ભાદા નરશીનો એકનો એક દીકરો. બાપ તો ઠરેલ બુદ્ધિનો, પણ મા નબુ સાવ ભાભડ ભૂતડા જેવી. ભીંતમાં ગાબડાં પડ્યાં હોય, ને પાણિયારે લીલ જામી ગ્યેલું હોય. ચાર વીઘાનું પડું છે એમાંથી ગુજારો હાલે છે. ઘર દુબળું , મા નઘરોળ ને પોતે અક્કલમઠ્ઠો, એટલે ઘેલો ત્રીસી વટાવી ગ્યો તોય કપાળે કંકુનો ચાંદલો નો થ્યો. કોઈ વાતનું ઠેકાણું નહીં એવા વર અને ઘરને કોણ દીકરી આપે!
ઘેલો આખો દી આમથી તેમ રખડ્યા કરે. ગામના કેટલાક કદખળિયા ધેલાની ઠેકડી ઉડાડે. ઘેલાને ટલ્લે ચડાવે. રઘો ઝોળિયો તો કાયમ કીધા કરે કે, ‘ઘેલા! તારા લગન થાય ને તારી ઘરવાળી તને રોટલા ઘડીને ખવરાવે ઈ સુખ તારા ભાગ્યમાં તો છે જ, પણ તારો બાપ તારો વેરી છે. તારું ઘર બંધાય એવી એની દાનત જ નથી. તારા બાપા પાંહે પૈસા તો બહુ છે, પણ જબરો લોભી છે. ખરચો નો થાય એટલે ઈ તને ઘોડે નથી ચડાવતો. હવે તો..જો તું રોજ પાણીના ગોળા ફોડવા મંડ્યને, તો પછી જખ મારીને તારો બાપ તને પરણાવશે.’ પછી તો ઘેલાને જઈં ચાનક ચડે તઈં પાણો ઉપાડે. ‘મારા લગન કરો નકર પાણિયારે ગોળો નઈ રે’વા દઉં!’ આમ ને આમ ઘેલો પાંત્રીસનો થ્યો.
એક દીની વાત છે. ઘેલો એની ફઈને ગામ જાવા નીકળે છે. મારગમાં એક પરણીને આવતી જાન સામી મળી. શણગારેલાં ગાડાં છે. બળદની ડોકે ઘૂઘરમાળ વાગે છે. આગલા ગાડામાં વરઘોડિયાં બેઠાં છે. બીજાં સાતેક ગાડાંમાં રંગબેરંગી ઓઢણાં વાળી જાનડીયું ગીતના ઝકોળ બોલાવે છે. વગડામાં કિલ્લોલ થઈ ગ્યો. ઘેલો મારગને કાંઠે ઊભો ઊભો નિહાકા નાખે છે.
થોડી વારે એક ઘટાટોપ વડલો આવ્યો. પડખે જ કૂવો છે. કૂવાની પહોળી પાળ માથે ઘેલો આડો પડ્યો. ઘડી બઘડીમાં ઘેલાને ઊંઘ આવી ગઈ. સપનું આવ્યું. સપનામાં ઘેલાનાં લગન થ્યાં. એક છોકરું થ્યું. પથારીમાં ઘેલો અને ઘરવાળી સૂતાં છે. વચમાં છોકરું છે. બૈરીએ ઠોંસો માર્યો: ‘આઘા ખસો!’ ઘેલો થોડો ખસ્યો. બીજું છોકરું થ્યું: ‘આઘા ખસો!’ ઘેલો ખસ્યો. ખસતાં ખસતાં સીધો કૂવામાં. ધુબાકાનો અવાજ સાંભળીને અડખેપડખેનાં વાડી-ખેતરમાંથી માણસો દોડ્યા. ઘેલાને કૂવામાંથી બા’રો કાઢ્યો. ઘેલો એટલું જ બોલ્યો: ‘સોણાંના સંસારમાં પણ આ દશા!’
ગતકડું:સાવધાન સિંહો! સિંહણ બહુમતીમાં છે!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/beware-lions-lionesses-are-in-the-majority-135208861.html
ડૉ. પ્રકાશ દવે જં ગલ તરફથી સારા સમાચાર આવ્યા છે. સિંહોની વસ્તીમાં વધારો થયો છે. નોંધપાત્ર બાબત એ છે કે જંગલમાં સિંહો કરતાં સિંહણની વસ્તી વધારે છે. આમ ને આમ રહ્યું તો સિંહોએ ‘બેટા બચાવો’ અભિયાન ચાલુ કરવું પડશે. કહે છે કે કેટલાક સિંહો માનવીના ‘બેટી બચાવો અભિયાન’ની ખાસિયતોના અભ્યાસ કરવા માટે માનવ વસાહતોમાં આંટાફેરા માર્યા કરે છે.
મગન સિંહોની વસ્તી વિશે ગહન અભ્યાસ કર્યા પછી કેટલાંક તારણો પર આવ્યો છે અને એણે સિંહોની વધતી વસ્તીની પેટર્ન, આગામી દસકામાં સિંહોની વધતી વસ્તીને લીધે જંગલ અને માનવજીવન પર પડનારી અસરો સહિત અનેક બાબતો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અલબત્ત, મગને પોતાના વિચારો માનવજાત સુધી જ સિમિત રાખ્યા છે. સિંહોને અને ખાસ તો સિંહણોને કાંકરીચાળો કરવા બાબતે, હિંમતે મગનને મંજૂરી નથી આપી.
સિંહોની સંખ્યામાં વધારો થવાથી જંગલના રાજા તરીકેનું એનું સ્થાન વધારે મજબૂત થશે એવી સંભાવના છે. જોકે, આ જ કારણોસર સિંહોના એકચક્રી શાસન સામે આંતરિક પડકારો ઊભા થવાની સંભાવના પણ નકારી શકાતી નથી. આ આંતરિક પડકારો એટલે સિંહણો! સિંહણો હવે ‘માનવી મોડેલ’ આધારે સત્તામાં ભાગીદારી માગે તો નવાઈ નહીં. એક શક્યતા એવી પણ છે કે કોઈ સિંહણનું કાળજું ધરાવતી સિંહણ ડાયરેક્ટ રાજાના આસન પર જ તરાપ મારે તો પણ નવાઈ નહીં. આવું બને તો આપણે આપણા અભ્યાસક્રમોમાં સિંહ જંગલનો રાજા છે એ વિધાનને દૂર કરી સિંહણ જંગલની મહારાણી છે એવું વાક્ય છાપવાની તૈયારી રાખવી પડશે.
જોકે, સિંહણ જંગલની મહારાણી બની જાય તો પણ માનવીને ખાસ કોઈ મોટો ફરક નહીં પડે કારણ કે માણસો અગાઉથી જ આ અનુભવ લઈ ચૂક્યા છે. સિંહ અને સિંહણ વચ્ચે સત્તા માટે આવી કોઈ સાઠમારી થાય તો જંગલમાં વસનાર પ્રાણીઓનાં જીવનમાં શું ફરક પડશે એ વિશે જાતજાતના તર્કો કરવામાં આવી રહ્યા છે.
સત્તા પરિવર્તનની આ સંભાવનાથી અમુક શિયાળો તો શિયાળો ન હોવા છતાં થરથર ધ્રૂજી રહ્યાં છે. અમુક બૌદ્ધિક વાંદરાઓ આ આખાય ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. જંગલમાં વસનાર દરેક માદા પ્રાણી આને સમગ્ર નારી જાતિ માટે ગૌરવની ક્ષણ માની એની ઉજવણીમાં વ્યસ્ત છે. સમાંતરે, જંગલનાં પ્રાણીઓની એક ગુપ્ત સભા પણ જંગલમાં કોઈ અજાણી જગ્યાએ મળી ગઈ. એમાં સિંહોની વસ્તી વધતાં બીજાં પ્રાણીઓ પર એની સંભવિત અસરો અને ભવિષ્યના પડકારો એ વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચાનો મુખ્ય સૂર એવો હતો કે સિંહોની વસ્તી વધતાં ભવિષ્યમાં એમને વધારે ખોરાકની જરૂર પડશે. માંગ અને પુરવઠાના નિયમ અનુસાર દરેક પ્રાણીઓએ સિંહોના ખોરાક માટે આગોતરું આયોજન કરવું પડશે! કહે છે કે સિંહો જેમને ખોરાકમાં લે છે એ દરેક પ્રાણીને ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે. હરણ જેવાં અમુક પ્રાણીએ તો પોતાનાં સંતાનોને સિંહોના આક્રમણથી કેમ બચવું એ માટે ‘આત્મસુરક્ષા શાળાઓ’ની સંખ્યા પણ વધારી દીધી છે. અને એ માટે ખાસ હરણ સુરક્ષા સલાહકારોની નિમણૂક પણ કરી દીધી છે!
બીજી બાજુ સિંહો વસ્તીવધારાને પહોંચી વળવા કેશવાળી કસીને સજ્જ થયા છે. સિંહોએ ભવિષ્યમાં રહેઠાણની સંભવિત તંગીને પહોંચી વળવા માટે માનવ વસાહત તરફ મીટ માંડી છે. અમુક સમજદાર સિંહો એમની જાતિને એ સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે કે સિંહ જાતિના ઉત્કર્ષ માટે માનવી સાથે સંબંધો કેળવવાની જરૂર છે.
જેમ માનવી સામાજિક પ્રાણી છે એમ આપણે પણ સેમી સામાજિક પ્રાણી બની જવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આપણે માનવીને રંજાડવાનું બંધ કરી એમનો વિશ્વાસ જીતી લેવો જોઈએ. જેથી ભવિષ્યમાં આપણે માનવ વસાહતોમાં રહેવા જવાનું થાય તો ઘરોબો કેળવી શકીએ.
અમે નાના હતા ત્યારે સિંહોની ગણતરી કઈ રીતે થતી હશે એવો સવાલ થયા કરતો, કારણ કે સિંહને એની અને એના પરિવારની વિગત પૂછવા જવું એ પેલી બાળવાર્તા જેમ બિલાડીની ડોકે ઉંદર ઘંટડી બાંધવા જાય એવું દુષ્કર કામ કહેવાય.
જોકે, અમે નાના હતા ત્યારે મૂળમાં તો એ જ સવાલ થતો કે માણસની ગણતરી કરવા માણસ આવે છે એમ સિંહોની ગણતરી કરવા સિંહ જ જતા હશે ને? અહીં એક આડ વાત. અમે નાના હતા એવું કહેવા માટે પણ સિંહનું કાળજું જોઈએ કેમ કે તમે જ્યારે એમ કહો છો કે અમે નાના હતા, ત્યારે આપોઆપ એ સ્વીકારી લો છો કે હવે અમે નાના નથી! મારી આ વાત સિંહણો, સોરી બહેનો સારી રીતે સમજી શકશે!
જાણકારો કહે છે કે માણસ કરતાં સિંહોની ગણતરી કરવી વધારે સહેલી છે, કારણ કે સિંહો કોઈ વિગત છુપાવતા નથી. સિંહણો ગણતરી કરવાવાળાને ’અત્યારે તમારા ભાઈ બહાર ગયા છે, એ આવે ત્યારે આવજો’ એમ કહીને ધક્કો ખવડાવતી નથી. સિંહો વાસ્તવિક ઉંમર છુપાવતા નથી અને કોઈ વિગત વધારીને કે ઘટાડીને લખાવતા નથી.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/beware-lions-lionesses-are-in-the-majority-135208861.html
ડૉ. પ્રકાશ દવે જં ગલ તરફથી સારા સમાચાર આવ્યા છે. સિંહોની વસ્તીમાં વધારો થયો છે. નોંધપાત્ર બાબત એ છે કે જંગલમાં સિંહો કરતાં સિંહણની વસ્તી વધારે છે. આમ ને આમ રહ્યું તો સિંહોએ ‘બેટા બચાવો’ અભિયાન ચાલુ કરવું પડશે. કહે છે કે કેટલાક સિંહો માનવીના ‘બેટી બચાવો અભિયાન’ની ખાસિયતોના અભ્યાસ કરવા માટે માનવ વસાહતોમાં આંટાફેરા માર્યા કરે છે.
મગન સિંહોની વસ્તી વિશે ગહન અભ્યાસ કર્યા પછી કેટલાંક તારણો પર આવ્યો છે અને એણે સિંહોની વધતી વસ્તીની પેટર્ન, આગામી દસકામાં સિંહોની વધતી વસ્તીને લીધે જંગલ અને માનવજીવન પર પડનારી અસરો સહિત અનેક બાબતો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. અલબત્ત, મગને પોતાના વિચારો માનવજાત સુધી જ સિમિત રાખ્યા છે. સિંહોને અને ખાસ તો સિંહણોને કાંકરીચાળો કરવા બાબતે, હિંમતે મગનને મંજૂરી નથી આપી.
સિંહોની સંખ્યામાં વધારો થવાથી જંગલના રાજા તરીકેનું એનું સ્થાન વધારે મજબૂત થશે એવી સંભાવના છે. જોકે, આ જ કારણોસર સિંહોના એકચક્રી શાસન સામે આંતરિક પડકારો ઊભા થવાની સંભાવના પણ નકારી શકાતી નથી. આ આંતરિક પડકારો એટલે સિંહણો! સિંહણો હવે ‘માનવી મોડેલ’ આધારે સત્તામાં ભાગીદારી માગે તો નવાઈ નહીં. એક શક્યતા એવી પણ છે કે કોઈ સિંહણનું કાળજું ધરાવતી સિંહણ ડાયરેક્ટ રાજાના આસન પર જ તરાપ મારે તો પણ નવાઈ નહીં. આવું બને તો આપણે આપણા અભ્યાસક્રમોમાં સિંહ જંગલનો રાજા છે એ વિધાનને દૂર કરી સિંહણ જંગલની મહારાણી છે એવું વાક્ય છાપવાની તૈયારી રાખવી પડશે.
જોકે, સિંહણ જંગલની મહારાણી બની જાય તો પણ માનવીને ખાસ કોઈ મોટો ફરક નહીં પડે કારણ કે માણસો અગાઉથી જ આ અનુભવ લઈ ચૂક્યા છે. સિંહ અને સિંહણ વચ્ચે સત્તા માટે આવી કોઈ સાઠમારી થાય તો જંગલમાં વસનાર પ્રાણીઓનાં જીવનમાં શું ફરક પડશે એ વિશે જાતજાતના તર્કો કરવામાં આવી રહ્યા છે.
સત્તા પરિવર્તનની આ સંભાવનાથી અમુક શિયાળો તો શિયાળો ન હોવા છતાં થરથર ધ્રૂજી રહ્યાં છે. અમુક બૌદ્ધિક વાંદરાઓ આ આખાય ઘટનાક્રમ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે. જંગલમાં વસનાર દરેક માદા પ્રાણી આને સમગ્ર નારી જાતિ માટે ગૌરવની ક્ષણ માની એની ઉજવણીમાં વ્યસ્ત છે. સમાંતરે, જંગલનાં પ્રાણીઓની એક ગુપ્ત સભા પણ જંગલમાં કોઈ અજાણી જગ્યાએ મળી ગઈ. એમાં સિંહોની વસ્તી વધતાં બીજાં પ્રાણીઓ પર એની સંભવિત અસરો અને ભવિષ્યના પડકારો એ વિશે ગહન ચર્ચા કરવામાં આવી હતી.
ચર્ચાનો મુખ્ય સૂર એવો હતો કે સિંહોની વસ્તી વધતાં ભવિષ્યમાં એમને વધારે ખોરાકની જરૂર પડશે. માંગ અને પુરવઠાના નિયમ અનુસાર દરેક પ્રાણીઓએ સિંહોના ખોરાક માટે આગોતરું આયોજન કરવું પડશે! કહે છે કે સિંહો જેમને ખોરાકમાં લે છે એ દરેક પ્રાણીને ટાર્ગેટ આપી દેવામાં આવ્યા છે. હરણ જેવાં અમુક પ્રાણીએ તો પોતાનાં સંતાનોને સિંહોના આક્રમણથી કેમ બચવું એ માટે ‘આત્મસુરક્ષા શાળાઓ’ની સંખ્યા પણ વધારી દીધી છે. અને એ માટે ખાસ હરણ સુરક્ષા સલાહકારોની નિમણૂક પણ કરી દીધી છે!
બીજી બાજુ સિંહો વસ્તીવધારાને પહોંચી વળવા કેશવાળી કસીને સજ્જ થયા છે. સિંહોએ ભવિષ્યમાં રહેઠાણની સંભવિત તંગીને પહોંચી વળવા માટે માનવ વસાહત તરફ મીટ માંડી છે. અમુક સમજદાર સિંહો એમની જાતિને એ સમજાવવા પ્રયાસ કરી રહ્યા છે કે સિંહ જાતિના ઉત્કર્ષ માટે માનવી સાથે સંબંધો કેળવવાની જરૂર છે.
જેમ માનવી સામાજિક પ્રાણી છે એમ આપણે પણ સેમી સામાજિક પ્રાણી બની જવું જોઈએ. શક્ય હોય ત્યાં સુધી આપણે માનવીને રંજાડવાનું બંધ કરી એમનો વિશ્વાસ જીતી લેવો જોઈએ. જેથી ભવિષ્યમાં આપણે માનવ વસાહતોમાં રહેવા જવાનું થાય તો ઘરોબો કેળવી શકીએ.
અમે નાના હતા ત્યારે સિંહોની ગણતરી કઈ રીતે થતી હશે એવો સવાલ થયા કરતો, કારણ કે સિંહને એની અને એના પરિવારની વિગત પૂછવા જવું એ પેલી બાળવાર્તા જેમ બિલાડીની ડોકે ઉંદર ઘંટડી બાંધવા જાય એવું દુષ્કર કામ કહેવાય.
જોકે, અમે નાના હતા ત્યારે મૂળમાં તો એ જ સવાલ થતો કે માણસની ગણતરી કરવા માણસ આવે છે એમ સિંહોની ગણતરી કરવા સિંહ જ જતા હશે ને? અહીં એક આડ વાત. અમે નાના હતા એવું કહેવા માટે પણ સિંહનું કાળજું જોઈએ કેમ કે તમે જ્યારે એમ કહો છો કે અમે નાના હતા, ત્યારે આપોઆપ એ સ્વીકારી લો છો કે હવે અમે નાના નથી! મારી આ વાત સિંહણો, સોરી બહેનો સારી રીતે સમજી શકશે!
જાણકારો કહે છે કે માણસ કરતાં સિંહોની ગણતરી કરવી વધારે સહેલી છે, કારણ કે સિંહો કોઈ વિગત છુપાવતા નથી. સિંહણો ગણતરી કરવાવાળાને ’અત્યારે તમારા ભાઈ બહાર ગયા છે, એ આવે ત્યારે આવજો’ એમ કહીને ધક્કો ખવડાવતી નથી. સિંહો વાસ્તવિક ઉંમર છુપાવતા નથી અને કોઈ વિગત વધારીને કે ઘટાડીને લખાવતા નથી.
આપણા દેશમાં જૂના સમયમાં સિંહના દાંત ગણી લે એવા પરાક્રમી માણસો હતા એવી વાતો સાંભળી છે, પણ હવે તો ખુદ સિંહો ગણી લે એવા બહાદુર માણસો આપણા દેશમાં વસે છે એ જેવીતેવી વાત નથી. હે ને?
મારો મિત્ર મગન માને છે કે જેમ સિંહોની ગણતરી માણસ
પાસે કરાવાય છે એમ માણસોની ગણતરી સિંહો પાસે કરાવવી જોઈએ!
મારો મિત્ર મગન માને છે કે જેમ સિંહોની ગણતરી માણસ
પાસે કરાવાય છે એમ માણસોની ગણતરી સિંહો પાસે કરાવવી જોઈએ!
ડૉક્ટરની ડાયરી:રણઝણે છે શ્વાસના સૂરો હજી,જિંદગીનો લય તૂટે કેવી રીતે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-sounds-of-breathing-still-resonate-how-can-the-rhythm-of-life-be-broken-135208840.html
ડૉ. શરદ ઠાકર ડો. જૈને પ્રિયાનું ચેકઅપ કર્યું, પછી એક્ઝામિનેશન રૂમમાંથી બહાર આવીને પ્રિયા-પ્રેયસને સારા સમાચાર આપ્યા, ‘યુ આર પ્રેગ્નન્ટ. કોંગ્રેશ્ચ્યુલેશન્સ. હજી શરૂઆત જ છે પણ બધું બરાબર છે.’ આટલું કહીને ડોક્ટર માપસરનું હસ્યા અને પછી પ્રિસ્ક્રિપ્શન લખવા તરફ વળ્યા.
પ્રિયા અને પ્રેયસ એ નક્કી ન કરી શક્યાં કે આ સમાચાર સાંભળીને એમણે કેવી રીતે રિએક્ટ કરવું. તમે ક્યારેય એવા માણસનો ચહેરો જોયો છે જે યજમાનના આગ્રહપૂર્વકના આમંત્રણને માન આપીને એના ઘરે જમવા ગયો હોય અને થાળીમાં પીરસાયેલી સ્વાદિષ્ટ વાનગીઓ જોઈને એને યાદ આવે કે આ વાનગીઓ ન ખાવાની તો એણે બાધા રાખી છે? પ્રિયા-પ્રિયેસના ચહેરાઓ એવા થઈ ગયા.
ડોક્ટરે નિષ્ઠાપૂર્વક દવાઓ લખેલો કાગળ પેશન્ટને આપવા માટે હાથ ઊંચો કર્યો, પછી અટકી ગયા, અનુભવસિદ્ધ સૂઝ-સમજમાંથી જન્મેલો પ્રશ્ન પૂછ્યો, ‘કેમ? શું થયું? આનાથી વધુ સમાચાર હું નહીં આપી શકું.’
‘સર, વાત એમ છે કે...’ પ્રેયસે બોલવા માટે ગળું ખોંખારવું પડ્યું અને શબ્દો શોધવા પડ્યા, ‘અમારી ઈચ્છા આ પ્રેગ્નન્સી કન્ટિન્યુ રાખવાની નથી. વી આર જસ્ટ મેરિડ. અમારાં લગ્નને હજુ બે મહિના માંડ થયાં છે. અમારે હરવું-ફરવું છે, એકબીજાને સમજવા છે, લાઈફમાં જરાક સેટલ થવું છે. આ પળોજણ હાલમાં અમને...’
પળોજણ? બાળક કોઈ મમ્મી-પપ્પા માટે પળોજણ હોઈ શકે? ડોક્ટર સ્વગત બબડ્યા. પછી એમણે વિચારને ખંખેરતા હોય એવી અદામાં ખભા ઊછાળ્યા. કહ્યું, ‘હું તો કહીશ કે આ પ્રેગ્નન્સી ચાલુ રાખો. ફરવા માટે પૂરી જિંદગી પડી છે. દીકરો આવે કે દીકરી, એને લઈને ફરવા જજો. બે કરતાં ત્રણ ભલાં!’
પ્રિયા-પ્રેયસ ન જ માન્યાં. એમની જીદ હતી કે ડોક્ટર આ પ્રેગ્નન્સી દૂર કરી આપે. ટેબ્લેટ્સ, ઈન્જેક્શન, માઈનોર ઓપરેશન જે કરવું પડે તે કરીને પણ આ અનિચ્છિત ગર્ભમાંથી એમને છુટકારો અપાવી દે.
‘ઈન ધેટ કેસ, યુ વિલ હેવ ટુ ગો ટુ સમ અધર ગાયનેકોલોજીસ્ટ. હું મારા ધર્મના આચાર-વિચારથી બંધાયેલો છું. હું એબોર્શન નથી કરતો. જો તમારી પાસે ડિલિવરીની ફી આપવાના પૈસા ન હોય તો મફતમાં ડિલિવરી કરાવી આપીશ.’ ડો. જૈનના અવાજમાં અહિંસક મક્કમતા વર્તાતી હતી. પ્રિયા અને પ્રેયસ પણ હિંસક જીદ પકડીને બેઠાં હતાં. ડોક્ટરની કન્સલ્ટિંગ ફી ચૂકવીન બંને ઊભાં થઈ ગયાં. બહાર નીકળીને વિચારવા લાગ્યાં કે હવે કયા ડોક્ટર પાસે જવું.
ગર્ભપાત ગેરકાનૂની નથી. 1971ના એમ.ટી.પી. એક્ટ અન્વયે સરકાર તરફથી એને માન્યતા આપવામાં આવી છે. અલબત્ત, એ માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે.
પ્રિયાને લઈને પ્રેયસ બીજા ગાયનેકોલોજીસ્ટ પાસે ગયો. એ ડોક્ટરે પણ બંનેને ગર્ભપાત ન કરાવવા માટે સમજાવ્યાં. ન માન્યાં એટલે ક્યુરેટિંગ કરી આપ્યું.
લગભગ વીસેક દિવસ પછી પતિ-પત્ની ફરી પાછાં ડો. જૈન પાસે આવ્યાં. ફરિયાદ રજૂ કરી, ‘સર, બ્લિડિંગ બંધ થતું નથી. જે ડોક્ટરે એબોર્શન કરી આપ્યું એની પાસે ત્રણ વાર ગયાં પણ એ જવાબ આપતા નથી. ટેબ્લેટ્સ લખી આપે છે. ફરક પડતો નથી. એ ડોક્ટર પાસે સમય નથી.’
ડો. જૈન ગંભીર મુખે સાંભળી રહ્યા. પ્રિયાને ટેબલ પર સૂવડાવીને સોનોગ્રાફી કરી. બહાર આવીને ખુરશીમાં બેઠા. એમનો ચહેરો કહી આપતો હતો કે સોનોગ્રાફી મશીનના સ્ક્રીન પર એમણે જે જોયું તે એમના માનવામાં આવતું ન હતું.
પ્રિયાએ અધીરતાપૂર્વક પૂછ્યું, ‘ડોક્ટર, ફરીથી ક્યુરેટિંગ તો નહીં કરવું પડે ને? દવાથી સારું થઈ જશે ને?’
ડો. જૈને જવાબ આપ્યો, ‘સારું થઈ જશે એવું પૂછો છો? હું કહું છું કે જે ખરાબ કામ કરવા માટે તમે ગયાં હતાં એ નથી થયું. હવે જે થશે તે સારું જ થશે.’
‘અમે સમજ્યા નહીં, ડોક્ટર.’ પ્રેયસ બાઘો બનીને પૂછી રહ્યો.
‘પ્રિયાના ગર્ભાશયમાં ગર્ભ છે, અને એ જીવતો ગર્ભ છે. ક્યુરેટિંગ વખતે ‘રેરલી’ આવું બનતું હોય છે. એ ડોક્ટરે ઉતાવળમાં માની લીધું કે ગર્ભ બહાર નીકળી ગયો છે, પણ હકીકતમાં ગર્ભ સિવાયની થોડીક ટિસ્યુ નીકળી હશે. વીસ દિવસથી બ્લિડિંગ ચાલુ રહ્યું છે એનું કારણ પણ આ જ છે.’ ડો. જૈને ટૂંકમાં સમજાવ્યું. પછી આગળની વાત કરી, ‘હવે બે શક્યતાઓ છે. કાં તો બ્લિડિંગ ચાલુ રહે અને ફરીથી ક્યુરેટિંગ કરીને ગર્ભાશય સાફ કરવું પડે, અથવા આ પ્રેગ્નન્સી ટકી પણ જાય. જોકે, એ માટે આપણે પ્રયાસ કરવો પડે. બીજી શક્યતામાં હું મદદ કરી શકું. વિનાશના કાર્યમાં હું સાથે નથી, સર્જનના કાર્યમાં હું તમારી સાથે છું.’
સૌથી પહેલાં પ્રિયા માની ગઈ. એણે સહન કર્યું હતું ને! પછી પ્રેયસ પણ સંમત થઈ ગયો, ‘ભલે, ડોક્ટર સાહેબ, તમે ઠંડકની દવા-ઈન્જેક્શનો ચાલુ કરી દો. અમારે ડિલિવરી તમારા હાથે જ કરાવવી છે. જે થયું તેની પાછળ ઈશ્વરીય સંકેત હશે.’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-sounds-of-breathing-still-resonate-how-can-the-rhythm-of-life-be-broken-135208840.html
ડૉ. શરદ ઠાકર ડો. જૈને પ્રિયાનું ચેકઅપ કર્યું, પછી એક્ઝામિનેશન રૂમમાંથી બહાર આવીને પ્રિયા-પ્રેયસને સારા સમાચાર આપ્યા, ‘યુ આર પ્રેગ્નન્ટ. કોંગ્રેશ્ચ્યુલેશન્સ. હજી શરૂઆત જ છે પણ બધું બરાબર છે.’ આટલું કહીને ડોક્ટર માપસરનું હસ્યા અને પછી પ્રિસ્ક્રિપ્શન લખવા તરફ વળ્યા.
પ્રિયા અને પ્રેયસ એ નક્કી ન કરી શક્યાં કે આ સમાચાર સાંભળીને એમણે કેવી રીતે રિએક્ટ કરવું. તમે ક્યારેય એવા માણસનો ચહેરો જોયો છે જે યજમાનના આગ્રહપૂર્વકના આમંત્રણને માન આપીને એના ઘરે જમવા ગયો હોય અને થાળીમાં પીરસાયેલી સ્વાદિષ્ટ વાનગીઓ જોઈને એને યાદ આવે કે આ વાનગીઓ ન ખાવાની તો એણે બાધા રાખી છે? પ્રિયા-પ્રિયેસના ચહેરાઓ એવા થઈ ગયા.
ડોક્ટરે નિષ્ઠાપૂર્વક દવાઓ લખેલો કાગળ પેશન્ટને આપવા માટે હાથ ઊંચો કર્યો, પછી અટકી ગયા, અનુભવસિદ્ધ સૂઝ-સમજમાંથી જન્મેલો પ્રશ્ન પૂછ્યો, ‘કેમ? શું થયું? આનાથી વધુ સમાચાર હું નહીં આપી શકું.’
‘સર, વાત એમ છે કે...’ પ્રેયસે બોલવા માટે ગળું ખોંખારવું પડ્યું અને શબ્દો શોધવા પડ્યા, ‘અમારી ઈચ્છા આ પ્રેગ્નન્સી કન્ટિન્યુ રાખવાની નથી. વી આર જસ્ટ મેરિડ. અમારાં લગ્નને હજુ બે મહિના માંડ થયાં છે. અમારે હરવું-ફરવું છે, એકબીજાને સમજવા છે, લાઈફમાં જરાક સેટલ થવું છે. આ પળોજણ હાલમાં અમને...’
પળોજણ? બાળક કોઈ મમ્મી-પપ્પા માટે પળોજણ હોઈ શકે? ડોક્ટર સ્વગત બબડ્યા. પછી એમણે વિચારને ખંખેરતા હોય એવી અદામાં ખભા ઊછાળ્યા. કહ્યું, ‘હું તો કહીશ કે આ પ્રેગ્નન્સી ચાલુ રાખો. ફરવા માટે પૂરી જિંદગી પડી છે. દીકરો આવે કે દીકરી, એને લઈને ફરવા જજો. બે કરતાં ત્રણ ભલાં!’
પ્રિયા-પ્રેયસ ન જ માન્યાં. એમની જીદ હતી કે ડોક્ટર આ પ્રેગ્નન્સી દૂર કરી આપે. ટેબ્લેટ્સ, ઈન્જેક્શન, માઈનોર ઓપરેશન જે કરવું પડે તે કરીને પણ આ અનિચ્છિત ગર્ભમાંથી એમને છુટકારો અપાવી દે.
‘ઈન ધેટ કેસ, યુ વિલ હેવ ટુ ગો ટુ સમ અધર ગાયનેકોલોજીસ્ટ. હું મારા ધર્મના આચાર-વિચારથી બંધાયેલો છું. હું એબોર્શન નથી કરતો. જો તમારી પાસે ડિલિવરીની ફી આપવાના પૈસા ન હોય તો મફતમાં ડિલિવરી કરાવી આપીશ.’ ડો. જૈનના અવાજમાં અહિંસક મક્કમતા વર્તાતી હતી. પ્રિયા અને પ્રેયસ પણ હિંસક જીદ પકડીને બેઠાં હતાં. ડોક્ટરની કન્સલ્ટિંગ ફી ચૂકવીન બંને ઊભાં થઈ ગયાં. બહાર નીકળીને વિચારવા લાગ્યાં કે હવે કયા ડોક્ટર પાસે જવું.
ગર્ભપાત ગેરકાનૂની નથી. 1971ના એમ.ટી.પી. એક્ટ અન્વયે સરકાર તરફથી એને માન્યતા આપવામાં આવી છે. અલબત્ત, એ માટે કેટલીક શરતો મૂકવામાં આવી છે.
પ્રિયાને લઈને પ્રેયસ બીજા ગાયનેકોલોજીસ્ટ પાસે ગયો. એ ડોક્ટરે પણ બંનેને ગર્ભપાત ન કરાવવા માટે સમજાવ્યાં. ન માન્યાં એટલે ક્યુરેટિંગ કરી આપ્યું.
લગભગ વીસેક દિવસ પછી પતિ-પત્ની ફરી પાછાં ડો. જૈન પાસે આવ્યાં. ફરિયાદ રજૂ કરી, ‘સર, બ્લિડિંગ બંધ થતું નથી. જે ડોક્ટરે એબોર્શન કરી આપ્યું એની પાસે ત્રણ વાર ગયાં પણ એ જવાબ આપતા નથી. ટેબ્લેટ્સ લખી આપે છે. ફરક પડતો નથી. એ ડોક્ટર પાસે સમય નથી.’
ડો. જૈન ગંભીર મુખે સાંભળી રહ્યા. પ્રિયાને ટેબલ પર સૂવડાવીને સોનોગ્રાફી કરી. બહાર આવીને ખુરશીમાં બેઠા. એમનો ચહેરો કહી આપતો હતો કે સોનોગ્રાફી મશીનના સ્ક્રીન પર એમણે જે જોયું તે એમના માનવામાં આવતું ન હતું.
પ્રિયાએ અધીરતાપૂર્વક પૂછ્યું, ‘ડોક્ટર, ફરીથી ક્યુરેટિંગ તો નહીં કરવું પડે ને? દવાથી સારું થઈ જશે ને?’
ડો. જૈને જવાબ આપ્યો, ‘સારું થઈ જશે એવું પૂછો છો? હું કહું છું કે જે ખરાબ કામ કરવા માટે તમે ગયાં હતાં એ નથી થયું. હવે જે થશે તે સારું જ થશે.’
‘અમે સમજ્યા નહીં, ડોક્ટર.’ પ્રેયસ બાઘો બનીને પૂછી રહ્યો.
‘પ્રિયાના ગર્ભાશયમાં ગર્ભ છે, અને એ જીવતો ગર્ભ છે. ક્યુરેટિંગ વખતે ‘રેરલી’ આવું બનતું હોય છે. એ ડોક્ટરે ઉતાવળમાં માની લીધું કે ગર્ભ બહાર નીકળી ગયો છે, પણ હકીકતમાં ગર્ભ સિવાયની થોડીક ટિસ્યુ નીકળી હશે. વીસ દિવસથી બ્લિડિંગ ચાલુ રહ્યું છે એનું કારણ પણ આ જ છે.’ ડો. જૈને ટૂંકમાં સમજાવ્યું. પછી આગળની વાત કરી, ‘હવે બે શક્યતાઓ છે. કાં તો બ્લિડિંગ ચાલુ રહે અને ફરીથી ક્યુરેટિંગ કરીને ગર્ભાશય સાફ કરવું પડે, અથવા આ પ્રેગ્નન્સી ટકી પણ જાય. જોકે, એ માટે આપણે પ્રયાસ કરવો પડે. બીજી શક્યતામાં હું મદદ કરી શકું. વિનાશના કાર્યમાં હું સાથે નથી, સર્જનના કાર્યમાં હું તમારી સાથે છું.’
સૌથી પહેલાં પ્રિયા માની ગઈ. એણે સહન કર્યું હતું ને! પછી પ્રેયસ પણ સંમત થઈ ગયો, ‘ભલે, ડોક્ટર સાહેબ, તમે ઠંડકની દવા-ઈન્જેક્શનો ચાલુ કરી દો. અમારે ડિલિવરી તમારા હાથે જ કરાવવી છે. જે થયું તેની પાછળ ઈશ્વરીય સંકેત હશે.’
ડો. જૈને કેસ હાથમાં લીધો. ટીટનેસની વેક્સિન આપી. બ્લડ ટેસ્ટ્સ કરાવ્યા. એક રિપોર્ટ એવું બતાવતો હતો કે પ્રિયાના શરીરમાં ઈન્ફેક્શન છે. ડો. જૈને હાયર એન્ટિબાયોટિકનો એક કોર્સ લખી આપ્યો. પ્રિયાની પ્રેગ્નન્સી પર ચાંપતી નજર રાખવાનું શરૂ કર્યું.
પ્રિયા નિયમિત રીતે ચેકઅપ માટે આવતી રહી. ડો. જૈન દરેક મુલાકાત વખતે ગર્ભનો વિકાસ કેવો છે એની નોંધ રાખતા રહ્યા. જ્યારે જરૂર જણાઈ ત્યારે સોનોગ્રાફી પરીક્ષણ કરીને ગર્ભની સ્થિતિ અને વિકાસ તેમજ પ્લેસેન્ટા ગર્ભાશયની દીવાલમાંથી છૂટ્ટી નથી પડી રહી એ બાબતની ચકાસણી કરતા રહ્યા.
પાંચ મહિના પૂરા થયા. પ્રિયા ચેકઅપ માટે આવી. ડો. જૈને કહ્યું, ‘હવે યોગ્ય સમય થયો છે એ જાણવાનો કે તારો ગર્ભ કોઈ પણ પ્રકારની ખામી ધરાવતો નથી ને! આ માટે વિશેષ પ્રકારની સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. આવી ખાસ સોનોગ્રાફી બધા ડોક્ટરો નથી કરી શકતા. કેટલાક ગણ્યા-ગાંઠ્યા ડોક્ટરો આ બાબતમાં નિષ્ણાત છે. હું ચિઠ્ઠી લખી આપું છું.’
પ્રિયા અને પ્રેયસ ડો. જનક દેસાઈ પાસે ગયાં. એમણે પૂરી પાંત્રીસ મિનિટ્સ સુધી ઝીણવટભરી તપાસ કરી. ટી.વી.ના સ્ક્રીન ઉપર ગર્ભાશયમાં વિકસી રહેલા બાળકનાં પ્રત્યેક અંગ અને અવયવ ખામીરહિત છે તે પોતે પણ જોયું અને પ્રિયાને પણ બતાવ્યું. પ્રિયાને હાશ થઈ.
પૂરા મહિના થયા ત્યાં સુધી પ્રિયાને કોઈ જ વાતની સમસ્યા નડી નહીં. ગર્ભાશયમાં રહેલા એમ્નિયોટિક ફ્લ્યુડનું પ્રમાણ પણ યોગ્ય માત્રામાં જળવાઈ રહ્યું. પૂરા મહિને ડોક્ટરે આપેલી તારીખે જ એને પ્રસૂતિની પીડા ઉપડી. એનો પતિ અને અન્ય પરિવારજનો એને લઈને ડો. જૈન પાસે આવ્યાં. ડોક્ટરે એને તપાસીને કહ્યું, ‘પ્રિયાને લેબર રૂમમાં રાખવી પડશે. ગર્ભાશયનું મુખ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે.’
ડો. જૈનની ધીરજ અને પ્રિયાની સહનશક્તિ રંગ લાવીને રહી. આખી રાત પીડામય પસાર થઈ, પ્રભાતના સૂરજનું પ્રથમ કિરણ લક્ષ્મીનું આગમન લઈને આવ્યું.
પ્રિયાના પપ્પાના મુખેથી ગાયત્રી મંત્ર સરી પડ્યો. પ્રેયસે એને ઈશ્વરનો ઈશારો સમજીને સ્વીકાર્યો, નવજાત બાળકીનું નામ ગાયત્રી રાખી લીધું.
ડો. જૈને તંદુરસ્ત બાળકને જોઈને કહ્યું, ‘આ બાળક મૃત્યુને હાથતાળી આપીને આ જગતમાં આવ્યું છે. બાકી ક્યુરેટિંગની પ્રોસીજરમાંથી બચીને સાંગોપાંગ, સાજું નરવું આ રીતે જન્મવું એ સહેલું કામ નથી. ભગવાન તને દીર્ઘાયુષ આપે!’
- શીર્ષકપંક્તિ: એસ. એસ. રાહી
પ્રિયા નિયમિત રીતે ચેકઅપ માટે આવતી રહી. ડો. જૈન દરેક મુલાકાત વખતે ગર્ભનો વિકાસ કેવો છે એની નોંધ રાખતા રહ્યા. જ્યારે જરૂર જણાઈ ત્યારે સોનોગ્રાફી પરીક્ષણ કરીને ગર્ભની સ્થિતિ અને વિકાસ તેમજ પ્લેસેન્ટા ગર્ભાશયની દીવાલમાંથી છૂટ્ટી નથી પડી રહી એ બાબતની ચકાસણી કરતા રહ્યા.
પાંચ મહિના પૂરા થયા. પ્રિયા ચેકઅપ માટે આવી. ડો. જૈને કહ્યું, ‘હવે યોગ્ય સમય થયો છે એ જાણવાનો કે તારો ગર્ભ કોઈ પણ પ્રકારની ખામી ધરાવતો નથી ને! આ માટે વિશેષ પ્રકારની સોનોગ્રાફી કરાવવી જરૂરી છે. આવી ખાસ સોનોગ્રાફી બધા ડોક્ટરો નથી કરી શકતા. કેટલાક ગણ્યા-ગાંઠ્યા ડોક્ટરો આ બાબતમાં નિષ્ણાત છે. હું ચિઠ્ઠી લખી આપું છું.’
પ્રિયા અને પ્રેયસ ડો. જનક દેસાઈ પાસે ગયાં. એમણે પૂરી પાંત્રીસ મિનિટ્સ સુધી ઝીણવટભરી તપાસ કરી. ટી.વી.ના સ્ક્રીન ઉપર ગર્ભાશયમાં વિકસી રહેલા બાળકનાં પ્રત્યેક અંગ અને અવયવ ખામીરહિત છે તે પોતે પણ જોયું અને પ્રિયાને પણ બતાવ્યું. પ્રિયાને હાશ થઈ.
પૂરા મહિના થયા ત્યાં સુધી પ્રિયાને કોઈ જ વાતની સમસ્યા નડી નહીં. ગર્ભાશયમાં રહેલા એમ્નિયોટિક ફ્લ્યુડનું પ્રમાણ પણ યોગ્ય માત્રામાં જળવાઈ રહ્યું. પૂરા મહિને ડોક્ટરે આપેલી તારીખે જ એને પ્રસૂતિની પીડા ઉપડી. એનો પતિ અને અન્ય પરિવારજનો એને લઈને ડો. જૈન પાસે આવ્યાં. ડોક્ટરે એને તપાસીને કહ્યું, ‘પ્રિયાને લેબર રૂમમાં રાખવી પડશે. ગર્ભાશયનું મુખ ખુલવાની શરૂઆત થઈ ગઈ છે.’
ડો. જૈનની ધીરજ અને પ્રિયાની સહનશક્તિ રંગ લાવીને રહી. આખી રાત પીડામય પસાર થઈ, પ્રભાતના સૂરજનું પ્રથમ કિરણ લક્ષ્મીનું આગમન લઈને આવ્યું.
પ્રિયાના પપ્પાના મુખેથી ગાયત્રી મંત્ર સરી પડ્યો. પ્રેયસે એને ઈશ્વરનો ઈશારો સમજીને સ્વીકાર્યો, નવજાત બાળકીનું નામ ગાયત્રી રાખી લીધું.
ડો. જૈને તંદુરસ્ત બાળકને જોઈને કહ્યું, ‘આ બાળક મૃત્યુને હાથતાળી આપીને આ જગતમાં આવ્યું છે. બાકી ક્યુરેટિંગની પ્રોસીજરમાંથી બચીને સાંગોપાંગ, સાજું નરવું આ રીતે જન્મવું એ સહેલું કામ નથી. ભગવાન તને દીર્ઘાયુષ આપે!’
- શીર્ષકપંક્તિ: એસ. એસ. રાહી
પચાસીની સ્મરણપગથીએ ચાલતાં જૂન 1975ની જયપ્રકાશની ગુજરાત યાત્રાની વાત માંડી જ છે તો બીજી પણ થોડી ટિટાઈબિટાઈ ઉર્ફે ખાટીમીઠી સંભારી લઉં. પાંચમી જૂન શો સંપૂર્ણ ક્રાંતિ દિવસ હોય અને પોતે પટણા ક્ષેત્રે ધર્મ ક્ષેત્રે ન હોય એ લોકનાયકને સારુ કંઈક વસમુંયે હશે. પણ માર્ચ 1974માં, નવનિર્માણોત્તર દિવસોમાં પોતે બિહારની છાત્રયુવા ચળવળનું નેતૃત્વ સ્વીકાર્યું ત્યારે એમનો હાડનો પ્રતિસાદ એ હતો કે સન બયાલીસ સરખો અધિનાયકવાદ સામેનો એક વાસંતી સંઘર્ષ દોર દેશભરમાં શરૂ થઈ ચૂક્યો છે.
નવેમ્બર 1974માં નવી દિલ્હીમાં જુદાં જુદાં રાજ્યોમાં આ પ્રકારની ગતિવિધિ સાથે સંકળાયેલા અમે સહુ જેપી ફરતા એકત્ર થયા ત્યારે સમજાઈ રહ્યું હતું કે આ લડત હવે ન તો કોઈક એક રાજ્ય પૂરતી મર્યાદિત હોવાની છે, ન તો કોઈ વિધાનસભાની ચૂંટણી પૂરતીયે સીમિત હોવાની છે.
આ દિલ્હી બેઠકને પગલે અમે માર્ચ 1975માં ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી હતી- અને એ સ્તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જનતા મોરચો રચવામાં અગ્રનિમિત્ત બની હતી. એથી કોઈ રાબેતાશાઈ ચૂંટણી જંગ સારુ નહીં પણ લોકલકડતના એક હિસ્સા રૂપે અહીં જયપ્રકાશની સામેલગીરી અપેક્ષત હતી.
પ્રશ્નો અલબત્ત હતા, કેમ કે, ગુજરાતમાં પક્ષ-અપક્ષ સૌ એકત્ર થઈ રહ્યા હોય તો પણ ચૂંટણીમાં એકનિશાન થવા પોતપોતાનાં કારણસર એકંદરમતી નહોતી. સૌથી મોટો પ્રશ્ન સ્વાભાવિક જ સત્તા કોંગ્રેસથી છૂટા થયા પછીની સંસ્થા કોંગ્રેસનો કે ગુજરાતના સંદર્ભમાં નામજોગ કહીએ તો મોરારજી દેસાઈનો હતો. હજુ આખા દેશનું ન ગોઠવાય ત્યાં સુધી પક્ષ તરીકેની માન્યતા જાળવવા માટે ગુજરાતના મતદાનમાં પોતાના નિશાન પર હાજરી એમને જરૂરી લાગતી હતી. વળી, જનસંઘ જોડે પરબારા ભળી ગયા જેવી વિરોધ લાગણી બાબતે પણ એ સચિંત હતા.
એ દિવસોમાં જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકર સાથે થયેલી ચર્ચા સાંભરે છે: 1956માં જ્યાંથી ગોળીબાર થયો હતો એ સરદાર કોંગ્રેસ હાઉસમાં અમે પગ શા સારુ મૂકીએ- એવી ભૂમિકાએથી એ હટી રહ્યા હતા, પણ અમે ગુજરાતમાં વિવિધ પક્ષો વચ્ચે બેઠક વહેંચણી જયપ્રકાશજી કરી આપે એટલી હદે આગળ ગયા છીએ અને સંસ્થા કોંગ્રેસ હજુ આવી વાતોને વળગી રહે છે, એવું કેમ. અમે કહ્યું કે જેપી પહેલ અને પ્રવેશ કેવળ બેઠક વહેંચણીના અંકગણિતને ધોરણે નથી. લોકલડત અને તેનાં મૂલ્યોના રાસાયણિક ધોરણે અમે પરિચાલિત થયા છીએ.
આમ, ગુજરાતના જેપી પરિબળ સામેનો પ્રશ્ન આંદોલનની રાસાયણિક પ્રક્રિયામાં પોતપોતાની રીતેભાતે આગળ-પાછળ સૌને એકત્ર રાખીને ચાલવાનો હતો અને જૂના જોગી જયપ્રકાશને એનો અંદાજે અહેસાસ પણ હતો. આ લખું છું ત્યારે સાંભરે છે કે અકળાઈ ઉઠેલા ઉમાશંકર જોશીએ જનતા મોરચાની સંકલન સમિતિમાં સૌનાં અલગ અલગ નિશાનના અભિગમમાં રહેલી અપૂર્ણતા વિશે આકરી પ્રતિક્રિયા આપી ત્યારે સંસ્થા કોંગ્રેસના મંત્રી (પછીથી કેટલોક વખત ગુજરાતના નાણાંમંત્રી) દિનેશ શાહે ચર્ચામાં કવિની ખુદની પંક્તિઓ સાભિપ્રાય ટાંકી હતી:
‘સંપૂર્ણતા હુંથી પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો,
દમે દમે કૈંક થવા મથી રહું, મથામણોની ન મણા હજો મને.’
જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે ઉમાશંકરને અપૂર્ણતાનો આનંદ ભલે ન હોય પણ પોતાની પસંદગીનાં ક્ષેત્રોમાં પ્રચાર સારુ ચહીને જવા બાબતે એમની પ્રતિબદ્ધતા ‘મથામણોની ન મણા હજો મને’ને આંબી જતી હતી.
ઈંદિરા ગાંધી એમના રાજકીય અસ્તિત્વ સારુ જો આરપારની લડાઈના મિજાજમાં હતાં તો જયપ્રકાશ સ્વરાજની બીજી લડાઈના મિજાજમાં હતા. દેખીતી અલબત્ત આ એક અસમાન લડાઈ હતી, કેમ કે સત્તા ને સંપત્તિનું પ્રભુત્વ એક પા હતું, અને બીજી પા... ગમે તેમ પણ મને યાદ છે કે ત્યારે હેલિકોપ્ટરની સુલભતા એકમાત્ર ઈંદિરા કને હતી એટલે સત્તા ને સંપત્તિનાં સહિયારાંના પ્રતીક રૂપે લોકમાનસમાં હેલિકોપ્ટર જડબેસલાક ગોઠવાઈ ગયું હતું. સત્તાવનનાં ઈંદિરા એકલાં આ સુવિધા સાથે ઘૂમી રહ્યાં હતાં તો એંશીના મોરારજી એમની સાદી મોટરગાડીમાં ગુજરાતના એક છેડેથી બીજે છેડે!
એક પા સત્તા ને બીજી પા જનતાનું આ ઓઠું લોકમાનસમાં કેવું ગયું હશે એનો અણચિંતવ્યો અંદાજ અમને ખાનપુર-અમદાવાદની વિરાટ સભામાં આવ્યો હતો. (પછી તો એ જગ્યાનું નામ જ જયપ્રકાશ ચોક થઈ ગયું!) સભા પતાવી અમારે અમદાવાદથી રાજકોટ માટે નીકળવાનું હતું. વીરગામથી ટ્રેન પકડવાની હતી. વક્તવ્ય સમેટતાં સૌની રજા લેતા જયપ્રકાશે કહ્યું કે ગાડી પકડવાની છે એટલે નીકળવું પડશે. એમના વક્તવ્યને છેડે એ એક અણધાર્યો છગ્ગો હતો... હેલિકોપ્ટરમાં નહીં પણ ગાડીમાં: લોકોએ કેમ જાણે એકદમ વધાવી લીધું તે ક્ષણાર્ધ સારુ જયપ્રકાશનેય પકડાયું નહીં હોય. (રાધેશ્યામ શર્માની, વી. શાંતારામની સાખે ત્વરિત ટિપ્પણી હતી- યે લડાઈ હૈ દિયે કી ઔર તુફાન કી!)
ખેર, 1975ના 12મી જૂનની બપોર સુધીમાં જનતા મોરચા તરફી રુઝાન સાફ વરતાવા લાગી હતી અને અલાહાબાદ હાઈકોર્ટે ઈંદિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવતો ચુકાદો પણ આપી દીધો હતો.
નવેમ્બર 1974માં નવી દિલ્હીમાં જુદાં જુદાં રાજ્યોમાં આ પ્રકારની ગતિવિધિ સાથે સંકળાયેલા અમે સહુ જેપી ફરતા એકત્ર થયા ત્યારે સમજાઈ રહ્યું હતું કે આ લડત હવે ન તો કોઈક એક રાજ્ય પૂરતી મર્યાદિત હોવાની છે, ન તો કોઈ વિધાનસભાની ચૂંટણી પૂરતીયે સીમિત હોવાની છે.
આ દિલ્હી બેઠકને પગલે અમે માર્ચ 1975માં ગુજરાત લોકસંઘર્ષ સમિતિની રચના કરી હતી- અને એ સ્તો ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે જનતા મોરચો રચવામાં અગ્રનિમિત્ત બની હતી. એથી કોઈ રાબેતાશાઈ ચૂંટણી જંગ સારુ નહીં પણ લોકલકડતના એક હિસ્સા રૂપે અહીં જયપ્રકાશની સામેલગીરી અપેક્ષત હતી.
પ્રશ્નો અલબત્ત હતા, કેમ કે, ગુજરાતમાં પક્ષ-અપક્ષ સૌ એકત્ર થઈ રહ્યા હોય તો પણ ચૂંટણીમાં એકનિશાન થવા પોતપોતાનાં કારણસર એકંદરમતી નહોતી. સૌથી મોટો પ્રશ્ન સ્વાભાવિક જ સત્તા કોંગ્રેસથી છૂટા થયા પછીની સંસ્થા કોંગ્રેસનો કે ગુજરાતના સંદર્ભમાં નામજોગ કહીએ તો મોરારજી દેસાઈનો હતો. હજુ આખા દેશનું ન ગોઠવાય ત્યાં સુધી પક્ષ તરીકેની માન્યતા જાળવવા માટે ગુજરાતના મતદાનમાં પોતાના નિશાન પર હાજરી એમને જરૂરી લાગતી હતી. વળી, જનસંઘ જોડે પરબારા ભળી ગયા જેવી વિરોધ લાગણી બાબતે પણ એ સચિંત હતા.
એ દિવસોમાં જનસંઘના વસંત ગજેન્દ્ર ગડકર સાથે થયેલી ચર્ચા સાંભરે છે: 1956માં જ્યાંથી ગોળીબાર થયો હતો એ સરદાર કોંગ્રેસ હાઉસમાં અમે પગ શા સારુ મૂકીએ- એવી ભૂમિકાએથી એ હટી રહ્યા હતા, પણ અમે ગુજરાતમાં વિવિધ પક્ષો વચ્ચે બેઠક વહેંચણી જયપ્રકાશજી કરી આપે એટલી હદે આગળ ગયા છીએ અને સંસ્થા કોંગ્રેસ હજુ આવી વાતોને વળગી રહે છે, એવું કેમ. અમે કહ્યું કે જેપી પહેલ અને પ્રવેશ કેવળ બેઠક વહેંચણીના અંકગણિતને ધોરણે નથી. લોકલડત અને તેનાં મૂલ્યોના રાસાયણિક ધોરણે અમે પરિચાલિત થયા છીએ.
આમ, ગુજરાતના જેપી પરિબળ સામેનો પ્રશ્ન આંદોલનની રાસાયણિક પ્રક્રિયામાં પોતપોતાની રીતેભાતે આગળ-પાછળ સૌને એકત્ર રાખીને ચાલવાનો હતો અને જૂના જોગી જયપ્રકાશને એનો અંદાજે અહેસાસ પણ હતો. આ લખું છું ત્યારે સાંભરે છે કે અકળાઈ ઉઠેલા ઉમાશંકર જોશીએ જનતા મોરચાની સંકલન સમિતિમાં સૌનાં અલગ અલગ નિશાનના અભિગમમાં રહેલી અપૂર્ણતા વિશે આકરી પ્રતિક્રિયા આપી ત્યારે સંસ્થા કોંગ્રેસના મંત્રી (પછીથી કેટલોક વખત ગુજરાતના નાણાંમંત્રી) દિનેશ શાહે ચર્ચામાં કવિની ખુદની પંક્તિઓ સાભિપ્રાય ટાંકી હતી:
‘સંપૂર્ણતા હુંથી પરી રહો સદા, આનંદ માગું હું અપૂર્ણતાનો,
દમે દમે કૈંક થવા મથી રહું, મથામણોની ન મણા હજો મને.’
જ્યારે ચૂંટણી પ્રચાર શરૂ થયો ત્યારે ઉમાશંકરને અપૂર્ણતાનો આનંદ ભલે ન હોય પણ પોતાની પસંદગીનાં ક્ષેત્રોમાં પ્રચાર સારુ ચહીને જવા બાબતે એમની પ્રતિબદ્ધતા ‘મથામણોની ન મણા હજો મને’ને આંબી જતી હતી.
ઈંદિરા ગાંધી એમના રાજકીય અસ્તિત્વ સારુ જો આરપારની લડાઈના મિજાજમાં હતાં તો જયપ્રકાશ સ્વરાજની બીજી લડાઈના મિજાજમાં હતા. દેખીતી અલબત્ત આ એક અસમાન લડાઈ હતી, કેમ કે સત્તા ને સંપત્તિનું પ્રભુત્વ એક પા હતું, અને બીજી પા... ગમે તેમ પણ મને યાદ છે કે ત્યારે હેલિકોપ્ટરની સુલભતા એકમાત્ર ઈંદિરા કને હતી એટલે સત્તા ને સંપત્તિનાં સહિયારાંના પ્રતીક રૂપે લોકમાનસમાં હેલિકોપ્ટર જડબેસલાક ગોઠવાઈ ગયું હતું. સત્તાવનનાં ઈંદિરા એકલાં આ સુવિધા સાથે ઘૂમી રહ્યાં હતાં તો એંશીના મોરારજી એમની સાદી મોટરગાડીમાં ગુજરાતના એક છેડેથી બીજે છેડે!
એક પા સત્તા ને બીજી પા જનતાનું આ ઓઠું લોકમાનસમાં કેવું ગયું હશે એનો અણચિંતવ્યો અંદાજ અમને ખાનપુર-અમદાવાદની વિરાટ સભામાં આવ્યો હતો. (પછી તો એ જગ્યાનું નામ જ જયપ્રકાશ ચોક થઈ ગયું!) સભા પતાવી અમારે અમદાવાદથી રાજકોટ માટે નીકળવાનું હતું. વીરગામથી ટ્રેન પકડવાની હતી. વક્તવ્ય સમેટતાં સૌની રજા લેતા જયપ્રકાશે કહ્યું કે ગાડી પકડવાની છે એટલે નીકળવું પડશે. એમના વક્તવ્યને છેડે એ એક અણધાર્યો છગ્ગો હતો... હેલિકોપ્ટરમાં નહીં પણ ગાડીમાં: લોકોએ કેમ જાણે એકદમ વધાવી લીધું તે ક્ષણાર્ધ સારુ જયપ્રકાશનેય પકડાયું નહીં હોય. (રાધેશ્યામ શર્માની, વી. શાંતારામની સાખે ત્વરિત ટિપ્પણી હતી- યે લડાઈ હૈ દિયે કી ઔર તુફાન કી!)
ખેર, 1975ના 12મી જૂનની બપોર સુધીમાં જનતા મોરચા તરફી રુઝાન સાફ વરતાવા લાગી હતી અને અલાહાબાદ હાઈકોર્ટે ઈંદિરા ગાંધીને સાંસદ તરીકે ગેરલાયક ઠરાવતો ચુકાદો પણ આપી દીધો હતો.
એ વિજયસાંજ અમે ગાંધીનગરમાં જ એક સંઘર્ષ સાથીના જન્મદિવસ નિમિત્તે પ્રીતિભોજન સાથે મનાવી હતી. જેપી આંદોલનના જોગંદર ભોગીભાઈ સાથે હોઈ ઓર ઉમંગ હતો. આ લખું છું ત્યારે પચાસ વરસને અંતરેથી મને કૌતુક અને જિજ્ઞાસા જાગે છે કે આનંદની એ ક્ષણોમાં ભોગીલાલ ગાંધીને એમની આશંકા સાચી પડવામાં છે એવો થડકો સુદ્ધાં હશે ખરો? 1969માં કોંગ્રેસના ભાગલા વખતે એ ‘ઈંદિરાજી કયે માર્ગે?’ લઈને આવ્યા જેની પ્રસ્તાવનામાં એમણે લખ્યું હતું કે ઈંદિરાજીએ જે લપસણો રાહ અખત્યાર કર્યો તે રાહે પોતે નહીં વાંછેલું અશુભ દેશના માથે પોતાને હાથ લડાઈ ચૂક્યું હશે...
ક્રિકેટ ખેલાડીઓમાં અંધશ્રદ્ધા:તર્કસંગત ન હોય તેવા વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા એટલે અંધશ્રદ્ધા
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/superstition-is-a-belief-that-manifests-itself-in-irrational-thoughts-and-behavior-135208837.html
તર્કસંગત ન હોય તેવા વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા એટલે અંધશ્રદ્ધા. ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત એમ ત્રણ ભાગમાં તેને વહેંચી શકાય. આજે ક્રિકેટ ખેલાડીઓની (વ્યક્તિગત) અંધશ્રદ્ધા જોઈશું. કોઈ એક વ્યક્તિ કોઈ તારીખને , કોઈ વારને, સમયને, સ્થળને, રંગને, વ્યક્તિને કે પ્રક્રિયાને શુકનવંતી કે અપશુકનિયાળ માનતી હોય છે.
1971ના ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની વાત કરીએ તો, પસંદગી સમિતિના અધ્યક્ષ વિજય મરચંટના મતથી અજિત વાડેકર ભારતના કેપ્ટન નિમાયા અને સુનીલ ગાવસ્કરને ભારત તરફથી રમવા પહેલીવાર પસંદ કરાયા.
પ્રવાસ દરમ્યાન પાંચ ટેસ્ટ મેચ રમાઈ. પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી. બીજી પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ જેમાં ભારતનો વિજય થયો. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો આ પ્રથમ વિજય હતો. ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ ફરી ડ્રો રહી. પાંચમી અને અંતિમ ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝ માટે શ્રેણી સરભર કરવાના હેતુથી જીતવી જરૂરી હતી.
ભારત તરફથી પહેલી જ વાર રમી રહેલા સુનીલ ગાવસ્કર જબરદસ્ત ફોર્મમાં હતા. સામા પક્ષે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ગેરી સોબર્સ પણ ત્રીજી ટેસ્ટ મેચમાં 108 નોટ આઉટ અને ચોથી ટેસ્ટ મેચમાં 178 રન ફટકારી ચૂક્યા હતા. પાંચમી ટેસ્ટમાં ભારતના પહેલા દાવના 360 રન સામે ગેરી સોબર્સના 132 રનની મદદથી વેસ્ટ ઈન્ડિઝે 526 રન બનાવી 166 રનની મહત્ત્વની સરસાઈ મેળવી હતી. ચોથા અને છેલ્લા દાવમાં વેસ્ટ ઈન્ડિઝને 262 રન બનાવવાના હતા.
ભારતના કેપ્ટન અજિત વાડેકરે જોયું કે ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસથી દરરોજ મેચ શરૂ થાય તે પહેલાં ગેરી સોબર્સ ભારતના ડ્રેસિંગ રૂમમાં આવતા અને કેપ્ટન અજિત વાડેકર સહિત દરેક ખેલાડીને મળતા, પણ તે શ્રેણીમાં ખાસ ફોર્મમાં ચાલી રહેલા સુનીલ ગાવસ્કરના ખભાને સ્પર્શ કરતા જેથી ગાવસ્કરના સારા નસીબ ગેરી સોબર્સમાં ટ્રાન્સફર થતાં તેવું સોબર્સ માનતા.
મેચના છેલ્લા દિવસે સોબર્સ ભારતના ડ્રેસિંગ રૂમમાં આવે તે પહેલાં વાડેકરે ગાવસ્કરને વોશરૂમમાં મોકલી દીધા અને વોશરૂમનું બારણું બંધ કરી દીધું. નિયમ મુજબ સોબર્સ આવ્યા, દરેક ખેલાડીને મળ્યા પણ ગાવસ્કર ન દેખાતા તેમને મળ્યા વગર ભારે હૃદયે પાછા ફર્યા.
અજિત વાડેકરની વાત સાથે સહમત ન થતાં સુનીલ ગાવસ્કરે કહેલું કે ગેરી સોબર્સ તેને (ગાવસ્કરને) ચાલુ મેચે પણ ખભા પર અડી શકે છે. જવાબમાં અજિત વાડેકરે કહ્યું કે રમત શરૂ થયા પહેલાં ડ્રેસિંગ રૂમમાં સોબર્સ આ ક્રમ જાળવે તો જ બેટિંગમાં સફળ થાય છે.
સોબર્સ જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બીજા દાવમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે આબીદઅલીના પહેલા જ દડે શૂન્ય રન પર bowled out થયા.
પાંચમા દિવસની રમત પૂરી થતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ આઠ વિકેટે 165 રન બનાવી શકી અને મેચ ડ્રોમાં પરિણમી. ભારતે પહેલી જ વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણીમાં વિજય મેળવ્યો.
પોતાની પહેલી જ ટેસ્ટ શ્રેણી રમતા સુનીલ ગાવસ્કરે 4 ટેસ્ટમાં 774 રન બનાવ્યા જે આજસુધી કોઈ બેટ્સમેને પોતાની પહેલી શ્રેણીમાં બનાવેલ રન માટેનો વિક્રમ છે.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન ગેરી સોબર્સે સૌથી વધારે 597 રન બનાવેલા.
શું આપણે સહમત થશું કે મહાન ઓલરાઉન્ડર ગેરી સોબર્સને રન બનાવવા આવા કોઈ નસીબની જરૂર હતી?
એપ્રિલ 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ શ્રેણી વિજય મેળવી ભારતની ટીમ જુલાઈ 1971માં અજિત વાડેકરની કેપ્ટનશિપ હેઠળ 3 ટેસ્ટ મેચની શ્રેણી રમવા ઇંગ્લેન્ડ પહોંચી. લોર્ડ્સ અને ઓલ્ડ ટ્રેફોર્ડ પર રમાયેલી પહેલી અને બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી.
ત્રીજી ટેસ્ટ મેચ ઓવલના મેદાન પર રમાઈ. પહેલા દાવમાં ઇંગ્લેન્ડે 355 રન બનાવ્યા. જવાબમાં ભારતની ટીમ 284 રન બનાવી શકી અને ઇંગ્લેન્ડને 71 રનની સરસાઈ મળી.
આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ તરફથી બેટિંગમાં છઠ્ઠા ક્રમે આવતા વિકેટકીપર એલન નોટ ઇંગ્લેન્ડની પરિસ્થિતિ નાજુક હોય ત્યારે સારી innings રમી ઇંગ્લેન્ડને ઉગારવામાં સફળ રહેતા. ત્રીજી ટેસ્ટના પહેલા દાવમાં પણ એલન નોટે 90 રન બનાવ્યા હતા.
શ્રેણીની ત્રણેય ટેસ્ટ મેચ દરમિયાન ભારતના ફોરવર્ડ શોર્ટ લેગના શ્રેષ્ઠ ફિલ્ડર એકનાથ સોલકરે જોયું કે આખી શ્રેણીમાં એલન નોટ જ્યારે બેટિંગ કરવા આવતા ત્યારે Guard લઈને પહેલો દડો રમતાં પહેલાં Stumps ઉપર bails ને અડતા. સોલકરે આ વાત ફારુખ એન્જિનિયરને જણાવી આથી જ્યારે બીજા દાવમાં એલન નોટ બેટિંગ કરવા આવ્યા ત્યારે એકનાથ સોલકરના જણાવ્યા મુજબ ભારતના વિકેટકીપર ફારુખ એન્જિનિયરે Stumps પર પોતાના હાથ મૂકી દીધા જેથી એલન નોટ તેમનો નિત્યક્રમ જાળવી ન શક્યા અને બેટિંગ શરૂ કરી.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/superstition-is-a-belief-that-manifests-itself-in-irrational-thoughts-and-behavior-135208837.html
તર્કસંગત ન હોય તેવા વિચાર અને વર્તનમાં પ્રગટ થતી માન્યતા એટલે અંધશ્રદ્ધા. ધાર્મિક, સાંસ્કૃતિક અને વ્યક્તિગત એમ ત્રણ ભાગમાં તેને વહેંચી શકાય. આજે ક્રિકેટ ખેલાડીઓની (વ્યક્તિગત) અંધશ્રદ્ધા જોઈશું. કોઈ એક વ્યક્તિ કોઈ તારીખને , કોઈ વારને, સમયને, સ્થળને, રંગને, વ્યક્તિને કે પ્રક્રિયાને શુકનવંતી કે અપશુકનિયાળ માનતી હોય છે.
1971ના ભારતના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની વાત કરીએ તો, પસંદગી સમિતિના અધ્યક્ષ વિજય મરચંટના મતથી અજિત વાડેકર ભારતના કેપ્ટન નિમાયા અને સુનીલ ગાવસ્કરને ભારત તરફથી રમવા પહેલીવાર પસંદ કરાયા.
પ્રવાસ દરમ્યાન પાંચ ટેસ્ટ મેચ રમાઈ. પહેલી ટેસ્ટ મેચ ડ્રો રહી. બીજી પોર્ટ ઓફ સ્પેનમાં રમાઈ જેમાં ભારતનો વિજય થયો. વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતનો આ પ્રથમ વિજય હતો. ત્રીજી અને ચોથી ટેસ્ટ મેચ ફરી ડ્રો રહી. પાંચમી અને અંતિમ ટેસ્ટ વેસ્ટ ઈન્ડિઝ માટે શ્રેણી સરભર કરવાના હેતુથી જીતવી જરૂરી હતી.
ભારત તરફથી પહેલી જ વાર રમી રહેલા સુનીલ ગાવસ્કર જબરદસ્ત ફોર્મમાં હતા. સામા પક્ષે વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન ગેરી સોબર્સ પણ ત્રીજી ટેસ્ટ મેચમાં 108 નોટ આઉટ અને ચોથી ટેસ્ટ મેચમાં 178 રન ફટકારી ચૂક્યા હતા. પાંચમી ટેસ્ટમાં ભારતના પહેલા દાવના 360 રન સામે ગેરી સોબર્સના 132 રનની મદદથી વેસ્ટ ઈન્ડિઝે 526 રન બનાવી 166 રનની મહત્ત્વની સરસાઈ મેળવી હતી. ચોથા અને છેલ્લા દાવમાં વેસ્ટ ઈન્ડિઝને 262 રન બનાવવાના હતા.
ભારતના કેપ્ટન અજિત વાડેકરે જોયું કે ત્રીજી ટેસ્ટ મેચના પહેલા દિવસથી દરરોજ મેચ શરૂ થાય તે પહેલાં ગેરી સોબર્સ ભારતના ડ્રેસિંગ રૂમમાં આવતા અને કેપ્ટન અજિત વાડેકર સહિત દરેક ખેલાડીને મળતા, પણ તે શ્રેણીમાં ખાસ ફોર્મમાં ચાલી રહેલા સુનીલ ગાવસ્કરના ખભાને સ્પર્શ કરતા જેથી ગાવસ્કરના સારા નસીબ ગેરી સોબર્સમાં ટ્રાન્સફર થતાં તેવું સોબર્સ માનતા.
મેચના છેલ્લા દિવસે સોબર્સ ભારતના ડ્રેસિંગ રૂમમાં આવે તે પહેલાં વાડેકરે ગાવસ્કરને વોશરૂમમાં મોકલી દીધા અને વોશરૂમનું બારણું બંધ કરી દીધું. નિયમ મુજબ સોબર્સ આવ્યા, દરેક ખેલાડીને મળ્યા પણ ગાવસ્કર ન દેખાતા તેમને મળ્યા વગર ભારે હૃદયે પાછા ફર્યા.
અજિત વાડેકરની વાત સાથે સહમત ન થતાં સુનીલ ગાવસ્કરે કહેલું કે ગેરી સોબર્સ તેને (ગાવસ્કરને) ચાલુ મેચે પણ ખભા પર અડી શકે છે. જવાબમાં અજિત વાડેકરે કહ્યું કે રમત શરૂ થયા પહેલાં ડ્રેસિંગ રૂમમાં સોબર્સ આ ક્રમ જાળવે તો જ બેટિંગમાં સફળ થાય છે.
સોબર્સ જ્યારે વેસ્ટ ઈન્ડિઝના બીજા દાવમાં બેટિંગ કરવા આવ્યા ત્યારે આબીદઅલીના પહેલા જ દડે શૂન્ય રન પર bowled out થયા.
પાંચમા દિવસની રમત પૂરી થતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ આઠ વિકેટે 165 રન બનાવી શકી અને મેચ ડ્રોમાં પરિણમી. ભારતે પહેલી જ વેસ્ટ ઈન્ડિઝ સામે શ્રેણીમાં વિજય મેળવ્યો.
પોતાની પહેલી જ ટેસ્ટ શ્રેણી રમતા સુનીલ ગાવસ્કરે 4 ટેસ્ટમાં 774 રન બનાવ્યા જે આજસુધી કોઈ બેટ્સમેને પોતાની પહેલી શ્રેણીમાં બનાવેલ રન માટેનો વિક્રમ છે.
વેસ્ટ ઈન્ડિઝ તરફથી કેપ્ટન ગેરી સોબર્સે સૌથી વધારે 597 રન બનાવેલા.
શું આપણે સહમત થશું કે મહાન ઓલરાઉન્ડર ગેરી સોબર્સને રન બનાવવા આવા કોઈ નસીબની જરૂર હતી?
એપ્રિલ 1971માં વેસ્ટ ઈન્ડિઝ સામે પ્રથમ શ્રેણી વિજય મેળવી ભારતની ટીમ જુલાઈ 1971માં અજિત વાડેકરની કેપ્ટનશિપ હેઠળ 3 ટેસ્ટ મેચની શ્રેણી રમવા ઇંગ્લેન્ડ પહોંચી. લોર્ડ્સ અને ઓલ્ડ ટ્રેફોર્ડ પર રમાયેલી પહેલી અને બીજી ટેસ્ટ મેચ ડ્રો રહી.
ત્રીજી ટેસ્ટ મેચ ઓવલના મેદાન પર રમાઈ. પહેલા દાવમાં ઇંગ્લેન્ડે 355 રન બનાવ્યા. જવાબમાં ભારતની ટીમ 284 રન બનાવી શકી અને ઇંગ્લેન્ડને 71 રનની સરસાઈ મળી.
આ શ્રેણીમાં ઇંગ્લેન્ડ તરફથી બેટિંગમાં છઠ્ઠા ક્રમે આવતા વિકેટકીપર એલન નોટ ઇંગ્લેન્ડની પરિસ્થિતિ નાજુક હોય ત્યારે સારી innings રમી ઇંગ્લેન્ડને ઉગારવામાં સફળ રહેતા. ત્રીજી ટેસ્ટના પહેલા દાવમાં પણ એલન નોટે 90 રન બનાવ્યા હતા.
શ્રેણીની ત્રણેય ટેસ્ટ મેચ દરમિયાન ભારતના ફોરવર્ડ શોર્ટ લેગના શ્રેષ્ઠ ફિલ્ડર એકનાથ સોલકરે જોયું કે આખી શ્રેણીમાં એલન નોટ જ્યારે બેટિંગ કરવા આવતા ત્યારે Guard લઈને પહેલો દડો રમતાં પહેલાં Stumps ઉપર bails ને અડતા. સોલકરે આ વાત ફારુખ એન્જિનિયરને જણાવી આથી જ્યારે બીજા દાવમાં એલન નોટ બેટિંગ કરવા આવ્યા ત્યારે એકનાથ સોલકરના જણાવ્યા મુજબ ભારતના વિકેટકીપર ફારુખ એન્જિનિયરે Stumps પર પોતાના હાથ મૂકી દીધા જેથી એલન નોટ તેમનો નિત્યક્રમ જાળવી ન શક્યા અને બેટિંગ શરૂ કરી.
એ દાવમાં ત્રણ દડા રમી ચોથા દડે શ્રીનિવાસ વેંકટ રાઘવનની બોલિંગમાં એકનાથ સોલકરના ફોરવર્ડ શોર્ટ લેગ પરના આબાદ કેચથી એલન નોટ માત્ર એક રન બનાવી આઉટ થયા. નોટની આ વિકેટ વેંકટ રાઘવનને બદલે સોલકર અને એન્જિનિયરની વિકેટ તરીકે યાદ રખાય છે. બીજા દાવમાં ઇંગ્લેન્ડની ટીમ 101 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ. ભારતે જીત માટે જરૂરી 174 રન છ વિકેટે બનાવી ટેસ્ટ મેચ અને શ્રેણી બંને જીતી લીધા. ભારત તરફથી ભગવત ચંદ્રશેખરે 38 રન આપી 6 વિકેટ લીધી. ઇંગ્લેન્ડની 26 ટેસ્ટ બાદ પ્રથમ હાર થઈ.
આમ 1971નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ગૌરવવંતુ રહ્યું. ભારત બહાર પહેલી જ વાર વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય મેળવ્યો.
- અતુલ એન. જોશી
આમ 1971નું વર્ષ ભારતીય ક્રિકેટ માટે ખૂબ જ ગૌરવવંતુ રહ્યું. ભારત બહાર પહેલી જ વાર વેસ્ટ ઈન્ડિઝ અને ઇંગ્લેન્ડ સામે શ્રેણી વિજય મેળવ્યો.
- અતુલ એન. જોશી
ઓફબીટ:કબીર કેમ આજે પણ પ્રસ્તુત છે?
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-is-kabir-still-relevant-today-135208868.html
ક બીર સંત છે. ભક્ત છે. જ્ઞાની છે. તપસ્વી છે. કબીર જીવનનો સંપૂર્ણ અર્થ છે. કબીર ધુમ્મસની આડમાં અનુભવાતો કૂણો તડકો પણ છે અને પંખીના ગળામાંથી નીકળવાનો બાકી એવો ટહુકો પણ છે. કબીરને પામીને ભારત ધન્ય બન્યું છે. એમની કવિતામાં શ્રદ્ધાની આપબડાઈ નથી. જાતિ-ધર્મમાંથી બહાર નીકળીને વહેતી માણસાઈ છે.
કબીર પ્રસન્ન છે. પ્રત્યેક પળનો આનંદ માણે છે. દેહમાંથી બહાર નીકળીને બ્રહ્માંડના વ્યાપને પામે તે કબીર! એમના મન, વચન અને કર્મમાં સુમિરનનો સારાંશ છે. ચમત્કાર અને સાક્ષાત્કાર વચ્ચેના સૂક્ષ્મ સેતુ પર કબીરનું મંદિર છે. કબીર બધે જ છે. જે વ્યાપમાં અવ્યાપ અને માપમાં અમાપ તે કબીર.
ભગતિ ભજન હરિનામ હૈ, દૂજા દુ:ખ અપાર,
મનસા વાચા કર્મના કબીર સુમિરન સાર.
જીવનના સંગીત પાસે કબીરનો પોતાનો શાશ્વત સૂર છે. અનહદના નાદમાં એ આપણને ભેટે છે. સોંસરવું અને સીધેસીધું કબીર પાસે સહજ મળે છે. જીવનને તમામ પાસાંઓથી જે ચાહે છે તે બધામાં કબીર આજપયઁત છે.
દુ:ખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ,
જો સુખ મેં સુમિરન કરે, દુ:ખ કાહે કો કોઈ.
જીવન માયાજાળ કે જંજાળ નથી. પ્રભુ પ્રસાદ છે. ભક્તના હૃદયનો આર્તનાદ કબીર પાસે વધુ સ્પષ્ટ સંભળાય છે. એમના શબ્દોની ચાદરમાં જે વણાય છે તેમાં ઈશ્વરનો ચહેરો આપોઆપ સન્મુખ થાય છે. કબીર પીંછીથી સંગીત પ્રગટાવે છે. શબ્દોમાં મૌન સંભળાવે છે. સંગીતમાં ચિત્રને દોરીને ઈશ્વરના હસ્તાક્ષર કબૂલાવે છે. ભાષાના બધા જ અલંકારોથી ઉપર કબીરનો પોતાનો હિમાલય અને સોંસરવી વિશાળતા છે.
સાઈ ઈતના દીજિયે,
જા મેં કુટુંબ સમાય,
મૈં ભી ભૂખા ના રહૂં,
સાધુ ના ભૂખા જાય.
પોતાને સ્વીકારીને પછી ઓગાળવાની વાત કબીર લોકબોલીમાં કરે છે. આડંબર વગરની સભ્યતામાં કબીર શિરમોર છે. સાબિતી માંગતી દુનિયાને અરીસો બતાવીને કબીર સાથે લઈને ચાલે છે. પોતાની ધૂનમાં મસ્ત છે. એમની ફકીરી એમની હાજરીમાં દુનિયાને પોસાય એવી નહોતી. એ જ એમની જાહોજલાલી છે. એમની વાતોમાં સહજ રીતે વણાતી સમીક્ષા પણ શાણપણ અનુભવે છે.
જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજિયે જ્ઞાન,
મોલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન.
સાચવવાની ખેવના સાથે એમણે કશું લખ્યું નથી. આપોઆપ સચવાઈ ગયું છે. થવાનું હોય ત્યારે પણ ગંભીર થયા વિના કબીર વાતને વણી આપે છે. એમણે સોંપવા માટે કશું સર્જ્યું નથી. જીવન ઊજવવા માટે છે. પ્રભુએ બનાવેલી દુનિયાને પ્રેમ કરીને પ્રભુનો આભાર વ્યક્ત કરવા માટે ગાયું છે. જ્યાં આપોઆપ ઉત્સવ છે ત્યાં બધે જ કબીરનો પગરવ છે. કબીરની છાયામાંથી બહાર નીકળીને કશું નવું સર્જન કરવું મુશ્કેલ છે, કારણ કે કબીર એવું વૃક્ષ છે જે ધરતીમાં જેટલું છે એટલું જ આકાશમાં ફેલાયેલું છે.
દરેક વાતમાં કબીરને ટાંક્યા વિના રહેવાય એવું નથી. દરેકના મૂળ કબીર સાથે તંતુ જોડી આપે એવા તંતોતંત વણાયા છે. અભ્યાસુને વધારે અચરજ થાય. ભક્તને વધુ ઈશ્વરના નૈકટ્યનો અનુભવ થાય અને ફિલસૂફને પોતાના જ્ઞાન પર આનંદ આવે એવી બાનીમાં કબીરના વણાટકામને જમાનો મૂલવે છે. કબીર ખરેખર કોણ છે? પ્રતિનિધિ?
સામાન્ય ભક્તિને સાધનારો અસામાન્ય? કબીર કેમ આજે પણ પ્રસ્તુત છે? પ્રેમની સાંકડી ગલીમાં કબીર દરિયાદિલ સંત છે. એમને માટે ઈશ્વર કરતાં વધુ મહત્ત્વ ગુરુનું છે. જીવનમાં જે ‘લઘુ’ છે એ પણ ‘ગુરુ’ બની શકે છે એવી તીવ્રતાને કબીર ખૂબ નજીકથી પિછાણે છે. નિસાસા નાંખીને બેસી રહેવાથી કશું પામી શકાતું નથી. પ્રયત્ન કરવામાં વિચાર સહુથી પહેલાં નિમિત્ત બને છે. કર્મમાંથી છટકીને ભક્તિ નથી કરી શકાતી. કબીર પોતાના વર્તન દ્વારા આ વાતને વધુ ગહનતાથી સમજાવે છે.
માટી કહે કુંભાર સે, તૂ ક્યા રોંદે મોય,
એક દિ ઐસા આયેગા, મેં રોંદૂંગી તોય.
કોણ કોને બનાવે છે? કોણ કોનામાં ભળી જાય છે? પ્રશ્નો સાથે ઉત્તર પણ ઓગળી જાય છે. કબીર શ્રદ્ધામાં સમજણ ઉમેરીને આપણને જગતથી જાણગાંડા બનાવે છે. બધું જ શીખવાડીને ભૂલી જવાની વૃત્તિને સ્થિર કરે છે. છીપાયા પછીની તરસ પાસે જે ભવિષ્ય હોય છે ત્યાંથી કબીરનું સરનામું શરૂ થાય છે.
કબીર ક્યાં નથી? જે સમસ્તમાં મસ્ત છે તે બધામાં કબીર આખેઆખા સહસ્ત્ર
છે. ઓન ધ બીટ્સ
જહાં દયા નહીં ધર્મ હૈ, જહાં લોભ તહાં પાપ,
જહાં ક્રોધ તહાં કાલ હૈ, જહાં ક્ષમા તહાં આપ.
- કબીર
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/why-is-kabir-still-relevant-today-135208868.html
ક બીર સંત છે. ભક્ત છે. જ્ઞાની છે. તપસ્વી છે. કબીર જીવનનો સંપૂર્ણ અર્થ છે. કબીર ધુમ્મસની આડમાં અનુભવાતો કૂણો તડકો પણ છે અને પંખીના ગળામાંથી નીકળવાનો બાકી એવો ટહુકો પણ છે. કબીરને પામીને ભારત ધન્ય બન્યું છે. એમની કવિતામાં શ્રદ્ધાની આપબડાઈ નથી. જાતિ-ધર્મમાંથી બહાર નીકળીને વહેતી માણસાઈ છે.
કબીર પ્રસન્ન છે. પ્રત્યેક પળનો આનંદ માણે છે. દેહમાંથી બહાર નીકળીને બ્રહ્માંડના વ્યાપને પામે તે કબીર! એમના મન, વચન અને કર્મમાં સુમિરનનો સારાંશ છે. ચમત્કાર અને સાક્ષાત્કાર વચ્ચેના સૂક્ષ્મ સેતુ પર કબીરનું મંદિર છે. કબીર બધે જ છે. જે વ્યાપમાં અવ્યાપ અને માપમાં અમાપ તે કબીર.
ભગતિ ભજન હરિનામ હૈ, દૂજા દુ:ખ અપાર,
મનસા વાચા કર્મના કબીર સુમિરન સાર.
જીવનના સંગીત પાસે કબીરનો પોતાનો શાશ્વત સૂર છે. અનહદના નાદમાં એ આપણને ભેટે છે. સોંસરવું અને સીધેસીધું કબીર પાસે સહજ મળે છે. જીવનને તમામ પાસાંઓથી જે ચાહે છે તે બધામાં કબીર આજપયઁત છે.
દુ:ખ મેં સુમિરન સબ કરે, સુખ મેં કરે ન કોઈ,
જો સુખ મેં સુમિરન કરે, દુ:ખ કાહે કો કોઈ.
જીવન માયાજાળ કે જંજાળ નથી. પ્રભુ પ્રસાદ છે. ભક્તના હૃદયનો આર્તનાદ કબીર પાસે વધુ સ્પષ્ટ સંભળાય છે. એમના શબ્દોની ચાદરમાં જે વણાય છે તેમાં ઈશ્વરનો ચહેરો આપોઆપ સન્મુખ થાય છે. કબીર પીંછીથી સંગીત પ્રગટાવે છે. શબ્દોમાં મૌન સંભળાવે છે. સંગીતમાં ચિત્રને દોરીને ઈશ્વરના હસ્તાક્ષર કબૂલાવે છે. ભાષાના બધા જ અલંકારોથી ઉપર કબીરનો પોતાનો હિમાલય અને સોંસરવી વિશાળતા છે.
સાઈ ઈતના દીજિયે,
જા મેં કુટુંબ સમાય,
મૈં ભી ભૂખા ના રહૂં,
સાધુ ના ભૂખા જાય.
પોતાને સ્વીકારીને પછી ઓગાળવાની વાત કબીર લોકબોલીમાં કરે છે. આડંબર વગરની સભ્યતામાં કબીર શિરમોર છે. સાબિતી માંગતી દુનિયાને અરીસો બતાવીને કબીર સાથે લઈને ચાલે છે. પોતાની ધૂનમાં મસ્ત છે. એમની ફકીરી એમની હાજરીમાં દુનિયાને પોસાય એવી નહોતી. એ જ એમની જાહોજલાલી છે. એમની વાતોમાં સહજ રીતે વણાતી સમીક્ષા પણ શાણપણ અનુભવે છે.
જાતિ ન પૂછો સાધુ કી, પૂછ લીજિયે જ્ઞાન,
મોલ કરો તલવાર કા, પડા રહન દો મ્યાન.
સાચવવાની ખેવના સાથે એમણે કશું લખ્યું નથી. આપોઆપ સચવાઈ ગયું છે. થવાનું હોય ત્યારે પણ ગંભીર થયા વિના કબીર વાતને વણી આપે છે. એમણે સોંપવા માટે કશું સર્જ્યું નથી. જીવન ઊજવવા માટે છે. પ્રભુએ બનાવેલી દુનિયાને પ્રેમ કરીને પ્રભુનો આભાર વ્યક્ત કરવા માટે ગાયું છે. જ્યાં આપોઆપ ઉત્સવ છે ત્યાં બધે જ કબીરનો પગરવ છે. કબીરની છાયામાંથી બહાર નીકળીને કશું નવું સર્જન કરવું મુશ્કેલ છે, કારણ કે કબીર એવું વૃક્ષ છે જે ધરતીમાં જેટલું છે એટલું જ આકાશમાં ફેલાયેલું છે.
દરેક વાતમાં કબીરને ટાંક્યા વિના રહેવાય એવું નથી. દરેકના મૂળ કબીર સાથે તંતુ જોડી આપે એવા તંતોતંત વણાયા છે. અભ્યાસુને વધારે અચરજ થાય. ભક્તને વધુ ઈશ્વરના નૈકટ્યનો અનુભવ થાય અને ફિલસૂફને પોતાના જ્ઞાન પર આનંદ આવે એવી બાનીમાં કબીરના વણાટકામને જમાનો મૂલવે છે. કબીર ખરેખર કોણ છે? પ્રતિનિધિ?
સામાન્ય ભક્તિને સાધનારો અસામાન્ય? કબીર કેમ આજે પણ પ્રસ્તુત છે? પ્રેમની સાંકડી ગલીમાં કબીર દરિયાદિલ સંત છે. એમને માટે ઈશ્વર કરતાં વધુ મહત્ત્વ ગુરુનું છે. જીવનમાં જે ‘લઘુ’ છે એ પણ ‘ગુરુ’ બની શકે છે એવી તીવ્રતાને કબીર ખૂબ નજીકથી પિછાણે છે. નિસાસા નાંખીને બેસી રહેવાથી કશું પામી શકાતું નથી. પ્રયત્ન કરવામાં વિચાર સહુથી પહેલાં નિમિત્ત બને છે. કર્મમાંથી છટકીને ભક્તિ નથી કરી શકાતી. કબીર પોતાના વર્તન દ્વારા આ વાતને વધુ ગહનતાથી સમજાવે છે.
માટી કહે કુંભાર સે, તૂ ક્યા રોંદે મોય,
એક દિ ઐસા આયેગા, મેં રોંદૂંગી તોય.
કોણ કોને બનાવે છે? કોણ કોનામાં ભળી જાય છે? પ્રશ્નો સાથે ઉત્તર પણ ઓગળી જાય છે. કબીર શ્રદ્ધામાં સમજણ ઉમેરીને આપણને જગતથી જાણગાંડા બનાવે છે. બધું જ શીખવાડીને ભૂલી જવાની વૃત્તિને સ્થિર કરે છે. છીપાયા પછીની તરસ પાસે જે ભવિષ્ય હોય છે ત્યાંથી કબીરનું સરનામું શરૂ થાય છે.
કબીર ક્યાં નથી? જે સમસ્તમાં મસ્ત છે તે બધામાં કબીર આખેઆખા સહસ્ત્ર
છે. ઓન ધ બીટ્સ
જહાં દયા નહીં ધર્મ હૈ, જહાં લોભ તહાં પાપ,
જહાં ક્રોધ તહાં કાલ હૈ, જહાં ક્ષમા તહાં આપ.
- કબીર
બ્લેક એન્ડ વ્હાઈટ:પિરિયડ્સ મુદ્દે આવું પછાતપણું!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/such-backwardness-on-the-issue-of-periods-135208829.html
મે, 2025ના પ્રથમ સપ્તાહમાં મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એક ગામમાં આઘાતજનક અને આખા ભારતીય સમાજ માટે શરમજનક ઘટના બની.
એ ઘટનામાં પિરિયડ દરમિયાન રસોઈ બનાવવાને કારણે એક 26 વર્ષીય યુવતીના જીવનનો અકાળે અને કરૂણ અંત આવ્યો હતો. જલગાંવ જિલ્લાના કિનોદ ગામની 26 વર્ષીય યુવતી ગાયત્રી કોળીના સાસરિયાઓએ મે 1, 2025ના દિવસે તેના પિયરમાં જાણ કરી હતી કે ગાયત્રીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
ગાયત્રીના પિયરમાં એ સમાચાર મળ્યા એટલે બધાંના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેઓ ગાયત્રીના સાસરે દોડી ગયાં હતાં. એ પછી ગાયત્રીના ભાઈ સાગર કોળીએ પાડોશમાં તપાસ કરી ત્યારે તેને ખબર પડી હતી કે ગાયત્રી પિરિયડમાં હોવા છતાં તેણે ઘરમાં જમવાનું બનાવ્યું હતું. ગાયત્રીની સાસુને એ ગમ્યું નહોતું એટલે તેણે ઉશ્કેરાઈને કહ્યું હતું કે ‘વહુએ માસિકધર્મ દરમિયાન ભોજન બનાવવાનું પાપ કર્યું છે એટલે તેને સજા આપવી જોઈએ.’ ગાયત્રીના ભાઈએ પત્રકારોને કહ્યું હતું કે ‘મારી બહેને માસિકધર્મ દરમિયાન ઘરમાં ભોજન બનાવ્યું એને કારણે તેના સાસરિયાઓએ ઉશ્કેરાઈને તેને ક્રૂરતાપૂર્વક મારી હતી અને પછી ગળાફાંસો આપીને તેનું ખૂન કરી નાખ્યું હતું.
થોડા સપ્તાહ અગાઉ ઝાંસીની યુવતી પ્રિયાંશા સોનીએ ઝેર ખાઈને આપઘાત કરી લીધો હતો. ભક્તિભાવવાળી 36 વર્ષીય પ્રિયાંશાએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતારાણીની પૂજા અને વ્રત માટે કેટલાય દિવસોથી તૈયારી કરી રાખી હતી. તેણે 29 માર્ચના દિવસે પતિ મુકેશ પાસે પૂજાનો બધો સામાન પણ મગાવી લીધો હતો, પરંતુ નવરાત્રિના પ્રથમ દિવસે જ તે પિરિયડમાં આવી ગઈ એને કારણે તે દુ:ખી થઈ ગઈ અને આત્મહત્યા કરી લીધી. પ્રિયાંશા તેના જ્વેલર પતિ મુકેશ સોની અને બે દીકરીઓ જાનવી તથા માનવી સાથે ખુશખુશાલ જીવન વિતાવી રહી હતી. મુકેશે તેને સમજાવી પણ હતી કે એમાં ઉદાસ થવાની જરૂર નથી. એ પછી તે તેની જ્વેલરી શોપ પર જતો રહ્યો હતો. પાછળથી તેને પાડોશીએ કોલ કર્યો કે તારી પત્નીએ આત્મહત્યાની કોશિશ કરી છે. મુકેશ દોડીને ઘરે ગયો અને પ્રિયાંશાને હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ તે હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધીમાં મૃત્યુ પામી ચૂકી હતી.
આપણો સમાજ સમય સાથે આધુનિક બનતો જાય છે એવું કહેવાય છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. નહીં તો આવી ઘટનાઓ બને નહીં.
સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી અપાતી નથી. એ દિવસો દરમિયાન તેને રસોડામાં પ્રવેશ મળતો નથી. આજના સમયમાં પણ સમાજ આવી વાહિયાત વિચારસરણી ધરાવતો હોય એ અત્યંત આઘાતજનક કહેવાય અને એથી પણ વધુ આઘાતજનક અને શરમજનક વાત એ છે કે આવા મોટા ભાગના કિસ્સાઓમાં સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન સાબિત થતી હોય છે. થોડા સમય અગાઉ સુપ્રીમકોર્ટના સિનિયર જજ બી.વી. નાગરત્ના અને જજ એન. કોટેશ્વરની બેન્ચે મધ્ય પ્રદેશની છ મહિલા જજોના સસ્પેન્શનની સુનાવણી વખતે આકરી ટિપ્પણી કરી હતી.
એ સુનાવણી વખતે જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું, ‘જો પુરુષોને પણ પિરિયડ આવતા હોત તો તેઓ સમજી શકતા હોત કે સ્ત્રીઓની શું સ્થિતિ થતી હોય છે!’ મધ્ય પ્રદેશની છ મહિલા જજો પર એવો આક્ષેપ મુકાયો હતો કે તેમણે ખરાબ પ્રદર્શન કર્યું છે. એમાંથી એક જજ અદિતિ કુમાર શર્માને ગર્ભપાતનો સામનો કરવો પડ્યો હતો. તે કોવિડગ્રસ્ત બન્યાં હતાં અને અને ગર્ભપાત પછી તેમને શારીરિક અને માનસિક તકલીફ થઈ રહી હતી અને છતાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એ બધી તકલીફોને નજરઅંદાજ કરી હતી.
થોડા સમય અગાઉ સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન રજા આપવા માટે પણ માગણી ઊઠી હતી. એલ. એન્ડ ટી. સહિત કેટલીક કંપનીઝે આ દિશામાં પહેલ પણ કરી છે. આપણા દેશમાં પિરિયડ્સ લીવને લઈને હજી કોઈ કાનૂન નથી, પણ જુલાઈ, 2024માં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી થઈ હતી એની સુનાવણી કરતા તત્કાલીન ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે આ મુદ્દો નીતિ સંબંધિત છે અને અદાલતને વિચાર કરવા માટે નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પિરિયડ્સ લીવ વિષે કાનૂન બનાવવા માટે કહ્યું હતું.
એટલું સારું છે કે પિરિયડ્સ દરમિયાન મહિલાઓએ દર્દ અને અન્ય શારીરિક અસુવિધાઓનો સામનો કરવો પડે છે એ હકીકત સ્વીકારીને આપણા દેશનાં કેટલાંક રાજ્યોની સરકારો પણ આ મુદ્દે સંવેદનશીલ અભિગમ અપનાવતી થઈ છે. ઓડિશા સરકારે સરકારી અને પ્રાઈવેટ બંને સેક્ટરમાં મહિલા કર્મચારીઓ માટે એક દિવસની પિરિયડ્સ લીવ આપવાની શરૂઆત કરી છે, તો કર્ણાટક સરકાર પ્રાઈવેટ અને સાર્વજનિક બંને ક્ષેત્રોમાં મહિલાને વર્ષમાં છ મહિના માટે પિરિયડ્સ લીવ આપવા માટે વિચાર કરી રહી છે. તમામ રાજ્યોએ આ દિશામાં વિચાર કરવો જોઈએ.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/such-backwardness-on-the-issue-of-periods-135208829.html
મે, 2025ના પ્રથમ સપ્તાહમાં મહારાષ્ટ્રના જલગાંવ જિલ્લાના એક ગામમાં આઘાતજનક અને આખા ભારતીય સમાજ માટે શરમજનક ઘટના બની.
એ ઘટનામાં પિરિયડ દરમિયાન રસોઈ બનાવવાને કારણે એક 26 વર્ષીય યુવતીના જીવનનો અકાળે અને કરૂણ અંત આવ્યો હતો. જલગાંવ જિલ્લાના કિનોદ ગામની 26 વર્ષીય યુવતી ગાયત્રી કોળીના સાસરિયાઓએ મે 1, 2025ના દિવસે તેના પિયરમાં જાણ કરી હતી કે ગાયત્રીએ ગળાફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે.
ગાયત્રીના પિયરમાં એ સમાચાર મળ્યા એટલે બધાંના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. તેઓ ગાયત્રીના સાસરે દોડી ગયાં હતાં. એ પછી ગાયત્રીના ભાઈ સાગર કોળીએ પાડોશમાં તપાસ કરી ત્યારે તેને ખબર પડી હતી કે ગાયત્રી પિરિયડમાં હોવા છતાં તેણે ઘરમાં જમવાનું બનાવ્યું હતું. ગાયત્રીની સાસુને એ ગમ્યું નહોતું એટલે તેણે ઉશ્કેરાઈને કહ્યું હતું કે ‘વહુએ માસિકધર્મ દરમિયાન ભોજન બનાવવાનું પાપ કર્યું છે એટલે તેને સજા આપવી જોઈએ.’ ગાયત્રીના ભાઈએ પત્રકારોને કહ્યું હતું કે ‘મારી બહેને માસિકધર્મ દરમિયાન ઘરમાં ભોજન બનાવ્યું એને કારણે તેના સાસરિયાઓએ ઉશ્કેરાઈને તેને ક્રૂરતાપૂર્વક મારી હતી અને પછી ગળાફાંસો આપીને તેનું ખૂન કરી નાખ્યું હતું.
થોડા સપ્તાહ અગાઉ ઝાંસીની યુવતી પ્રિયાંશા સોનીએ ઝેર ખાઈને આપઘાત કરી લીધો હતો. ભક્તિભાવવાળી 36 વર્ષીય પ્રિયાંશાએ ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતારાણીની પૂજા અને વ્રત માટે કેટલાય દિવસોથી તૈયારી કરી રાખી હતી. તેણે 29 માર્ચના દિવસે પતિ મુકેશ પાસે પૂજાનો બધો સામાન પણ મગાવી લીધો હતો, પરંતુ નવરાત્રિના પ્રથમ દિવસે જ તે પિરિયડમાં આવી ગઈ એને કારણે તે દુ:ખી થઈ ગઈ અને આત્મહત્યા કરી લીધી. પ્રિયાંશા તેના જ્વેલર પતિ મુકેશ સોની અને બે દીકરીઓ જાનવી તથા માનવી સાથે ખુશખુશાલ જીવન વિતાવી રહી હતી. મુકેશે તેને સમજાવી પણ હતી કે એમાં ઉદાસ થવાની જરૂર નથી. એ પછી તે તેની જ્વેલરી શોપ પર જતો રહ્યો હતો. પાછળથી તેને પાડોશીએ કોલ કર્યો કે તારી પત્નીએ આત્મહત્યાની કોશિશ કરી છે. મુકેશ દોડીને ઘરે ગયો અને પ્રિયાંશાને હોસ્પિટલમાં લઈ ગયો, પરંતુ તે હોસ્પિટલમાં પહોંચે ત્યાં સુધીમાં મૃત્યુ પામી ચૂકી હતી.
આપણો સમાજ સમય સાથે આધુનિક બનતો જાય છે એવું કહેવાય છે, પરંતુ વાસ્તવમાં એવું નથી. નહીં તો આવી ઘટનાઓ બને નહીં.
સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન મંદિરોમાં પ્રવેશવાની મંજૂરી અપાતી નથી. એ દિવસો દરમિયાન તેને રસોડામાં પ્રવેશ મળતો નથી. આજના સમયમાં પણ સમાજ આવી વાહિયાત વિચારસરણી ધરાવતો હોય એ અત્યંત આઘાતજનક કહેવાય અને એથી પણ વધુ આઘાતજનક અને શરમજનક વાત એ છે કે આવા મોટા ભાગના કિસ્સાઓમાં સ્ત્રીઓ જ સ્ત્રીઓની દુશ્મન સાબિત થતી હોય છે. થોડા સમય અગાઉ સુપ્રીમકોર્ટના સિનિયર જજ બી.વી. નાગરત્ના અને જજ એન. કોટેશ્વરની બેન્ચે મધ્ય પ્રદેશની છ મહિલા જજોના સસ્પેન્શનની સુનાવણી વખતે આકરી ટિપ્પણી કરી હતી.
એ સુનાવણી વખતે જસ્ટિસ નાગરત્નાએ કહ્યું હતું, ‘જો પુરુષોને પણ પિરિયડ આવતા હોત તો તેઓ સમજી શકતા હોત કે સ્ત્રીઓની શું સ્થિતિ થતી હોય છે!’ મધ્ય પ્રદેશની છ મહિલા જજો પર એવો આક્ષેપ મુકાયો હતો કે તેમણે ખરાબ પ્રદર્શન કર્યું છે. એમાંથી એક જજ અદિતિ કુમાર શર્માને ગર્ભપાતનો સામનો કરવો પડ્યો હતો. તે કોવિડગ્રસ્ત બન્યાં હતાં અને અને ગર્ભપાત પછી તેમને શારીરિક અને માનસિક તકલીફ થઈ રહી હતી અને છતાં મધ્ય પ્રદેશ હાઈકોર્ટે એ બધી તકલીફોને નજરઅંદાજ કરી હતી.
થોડા સમય અગાઉ સ્ત્રીઓને પિરિયડ્સ દરમિયાન રજા આપવા માટે પણ માગણી ઊઠી હતી. એલ. એન્ડ ટી. સહિત કેટલીક કંપનીઝે આ દિશામાં પહેલ પણ કરી છે. આપણા દેશમાં પિરિયડ્સ લીવને લઈને હજી કોઈ કાનૂન નથી, પણ જુલાઈ, 2024માં સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે અરજી થઈ હતી એની સુનાવણી કરતા તત્કાલીન ચીફ જસ્ટિસ ડી. વાય. ચંદ્રચૂડ, જસ્ટિસ જે. બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે કહ્યું હતું કે આ મુદ્દો નીતિ સંબંધિત છે અને અદાલતને વિચાર કરવા માટે નથી. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પિરિયડ્સ લીવ વિષે કાનૂન બનાવવા માટે કહ્યું હતું.
એટલું સારું છે કે પિરિયડ્સ દરમિયાન મહિલાઓએ દર્દ અને અન્ય શારીરિક અસુવિધાઓનો સામનો કરવો પડે છે એ હકીકત સ્વીકારીને આપણા દેશનાં કેટલાંક રાજ્યોની સરકારો પણ આ મુદ્દે સંવેદનશીલ અભિગમ અપનાવતી થઈ છે. ઓડિશા સરકારે સરકારી અને પ્રાઈવેટ બંને સેક્ટરમાં મહિલા કર્મચારીઓ માટે એક દિવસની પિરિયડ્સ લીવ આપવાની શરૂઆત કરી છે, તો કર્ણાટક સરકાર પ્રાઈવેટ અને સાર્વજનિક બંને ક્ષેત્રોમાં મહિલાને વર્ષમાં છ મહિના માટે પિરિયડ્સ લીવ આપવા માટે વિચાર કરી રહી છે. તમામ રાજ્યોએ આ દિશામાં વિચાર કરવો જોઈએ.
સ્ત્રીઓ પિરિયડમાં આવે એ એક કુદરતી પ્રક્રિયા છે અને એ કુદરતી પ્રક્રિયા માટે તેને દોષી ગણીને તેની સાથે ખરાબ વર્તાવ કરાય એ સ્થિતિ ભારતીય સમાજ માટે લાંછનરૂપ ગણાય. મોટાભાગની સ્ત્રીઓએ પિરિયડ દરમિયાન તકલીફો ભોગવવી પડતી હોય છે. એ વખતે તેમના પ્રત્યે સહાનુભૂતિ દાખવવાને બદલે તેમની સાથે અયોગ્ય વર્તન કરાય ત્યારે ‘પડ્યા પર પાટુ’ જેવી સ્થિતિ સર્જાતી હોય છે. અને એ માનસિક સ્થિતિમાં ઘણી સ્ત્રીઓ ડિપ્રેશનમાં પણ સરી પડતી હોય છે.
ગયા વર્ષે મુંબઈની એક ટીનેજર છોકરી પ્રથમ વખત પિરિયડમાં આવી ત્યારે તેણે અસહ્ય પીડા અને ગભરાટને કારણે જીવન ટૂંકાવી લીધું હતું. આવી આઘાતજનક ઘટનાઓ આપણા દેશમાં બનતી રહે છે. આવા કિસ્સાઓ ટાળવા માટે આપણા દેશની દરેક શાળામાં મેન્સ્ટ્રુઅલ એજ્યુકેશનની શરૂઆત થવી જોઈએ.
ગયા વર્ષે મુંબઈની એક ટીનેજર છોકરી પ્રથમ વખત પિરિયડમાં આવી ત્યારે તેણે અસહ્ય પીડા અને ગભરાટને કારણે જીવન ટૂંકાવી લીધું હતું. આવી આઘાતજનક ઘટનાઓ આપણા દેશમાં બનતી રહે છે. આવા કિસ્સાઓ ટાળવા માટે આપણા દેશની દરેક શાળામાં મેન્સ્ટ્રુઅલ એજ્યુકેશનની શરૂઆત થવી જોઈએ.
મધ્યાહ્ન:ઉનાળાનો ફૂટી નીકળ્યો છે ‘અવાજ’
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-voice-of-summer-has-burst-forth-135208870.html
ડૉ. હિતેન્દ્ર જોશી ગ્રી ષ્મના પંખીનો ટહુકો આમ્રવૃક્ષની મંજરીએ-મંજરીએ આનંદનો કલરવ દોરતો જાય છે ને હૈયાંના સાગરમાં સૂતેલું સ્વપ્નનું વૃક્ષ પવનની પાંસળીઓ પર બેસીને છેક નક્ષત્રોને પેલે પાર ઉડીને ગયેલા પ્રિય પંખીના પડછાયાને સ્પર્શવા માટે પોતાના ડાળખીઓ રૂપી વિશાળ બાહુઓને લંબાવતું જાય છે.
ચોરેચૌટે ને નગરે-નગરે આ ઉનાળાના ગુસ્સામાં લાલચોળ બનેલ ક્રોધી સ્વભાવની ટીકાઓ થતી જાય છે; પણ નિર્મમ ને નફ્ફટ બનીને કોઈ ઉગ્ર રાજવીના રાજમદની જેમ પોતાના જ તેજ-પ્રતાપ ને શક્તિમાં મદમસ્ત બનેલો આ ઉનાળો આખી દુનિયાની આંખોમાં દૃષ્ટિનું તેજ ભરીને અજવાળું પાથરતો હોય, પણ હાલ તો આ ઉનાળો સખત ક્રોધાંધ બન્યો છે... પોતાના પ્રભાવમાં પુરાઈને કરમાઈ જતા કોઈ વન્યપશુની જેમ જ! અને એટલે જ તેને જાણે વાચા ફૂટી છે.
ઉનાળામાં બધું જ આકરું લાગે છે... કોઈ સુંદરતમ વનિતાના ઋજુમાં ઋજુ અંગના સ્પર્શનું સ્વપ્ન પણ ગભરામણું લાગે છે, આ ઉનાળામાં.
આથી જ આ ઉનાળો વિપ્રલંભની અસહ્ય આતુરતાનો મહિમા કરે છે ને તથાગત બુદ્ધને સૂઝેલા પૃથ્વીલોકની અર્થશૂન્યતાના વૈતથ્યને વાચા આપે છે, આ ઉનાળો. વિરહના સૌંદર્યનો મહિમા કરે છે આ ઉનાળો; આંબાડાળે ટહુકા કરતા એકલદોકલ પંખીને જોઈને!
વિરહિણીના હૈયાની પરીક્ષા કરે છે આ ઉનાળો; ઉમંગોનાં ખીલવા મથતાં પુષ્પોની પાંખડીઓને સંકોરી લે છે; આ ઉનાળો. કિરણોરૂપી કંટકોના અણીદાર પ્રવાહો વડે; ‘અંદર આગ, બહાર આગ ને જ્યાં જુઓ ત્યાં કેવળ આગ હી આગ.’ રૂપગર્વિતાના રૂપનો કેફ પણ ઉતરી જાય છે; આ
ઉનાળામાં. વિલાઈને કરમાઈ ગયેલા કોઈ ઝરણાના ભૂતકાળની જેમ ઠૂંઠ પર ફૂટેલ કૂંપળના અસ્તિત્વ જેવું સહવાસનું સુખ જોજનો પાર ગયેલા ઊંટના કાફલાની જેમ કંઠમાં તરસના ટહુકાની જેમ હાલ તો સુષુપ્ત છે...!
કાગળમાં ચીતરેલા ફૂલ જેવું અક્ષરના અજવાળે જોતી અભિસારવિવશ નાયિકાની ચોળીના પરસેવામાં છુપાયેલી રતિની ગંધ કોઈ જાણતલ જ અનુભવી શકે! ને આ વિવશ નાયિકાની હૈયામાં પડેલી ઉત્કંઠાઓ પણ હૈયાની તિજોરીમાં પડેલા નકલી પ્રેમના સિક્કાની જેમ હાલ તો ગ્રીષ્મના તાપમાં ઠૂંઠવાઈ ગઈ છે.
ઈશ્વરના ઘર જેવું જ પવનનું ઘર હોય એવું સતત લાગ્યા કરે છે, આ ઉનાળામાં. કોઈ વૃદ્ધ સંન્યાસી ધોમધખતા આકરા તાપમાં લહેરખીનો સ્પર્શ પામીને ઈશ્વરના પ્રેમનો સ્પર્શ પામ્યો હોય તેવો અનુભવ કરે છે, આ ઉનાળામાં.
કુદરતી વાયરાના કેસરિયા લહેરાતા પવનને જોઈને પર્ણનો હસતો ચહેરો દેખાય છે, આ ઉનાળામાં. નિસર્ગ વૃક્ષની ડાળખીએ... ડાળખીએ... ફૂટી નીકળ્યો આ ઉનાળો; પથરાય છે ધરતી પર એની તેજલવરણી કાયા. બપોરની અલસતામાં ગ્રીષ્મની છાયા ભળે વૃક્ષે વૃક્ષે, એટલે સર્જાય મીઠી ઝણઝણાટી પર્ણે પર્ણે ને હૈયે હૈયે.
પવનની પાંખે પાંખે વૃક્ષો, લતાઓ અને વનરાજીને ઉડાડે છે આકાશમાં આ ઉનાળો. આ ઉનાળો ધૂળની ડમરીને લઈ જાય છે, અણજાણ પ્રદેશમાં! ઝાડીએ... ઝાડીએ... ડાળીએ... ડાળીએ... ઝૂમખે... ઝૂમખે... સહસ્ત્રલિંગ કિરણે... કિરણે... ચળાઈને આવતો આ ઉનાળો ઊંટની તરસરૂપે ઝરણે ઝરણે ફૂટી નીકળ્યો છે! રણમાં અરણ્યની આકાંક્ષા જગાવી રહ્યો છે આ ઉનાળો!
આકાશ અને ધરતીને એકાકાર કરી દેવાના બણગા ફૂંકતો સૂરજ આ ઉનાળામાં તીક્ષ્ણ તીરો વડે વીંધે છે હિમશૃંગોની ટોચો, વૃક્ષોનાં મથાળાં અને કોચી નાખે છે હિમબિંદુઓથી પોચી બનેલ ધરતીને. અંધકારના પાકથી લચમચતાં ખેતરોમાં ખરી પડેલ તારાના મૃત્યુથી રાત્રિએ સેવેલ સફેદ મૌનને પાથરે છે, આ ઉનાળો! બપોરી નગરની નીરવતામાં!
આથી જ કોઈ એકલદોકલ ગાય કાગળના ડૂચા સાથે આરોગે છે આ ઉનાળાને અને વાગોળે છે લીલાં લીલાં
ધાન્યને! આંખોને કંઈક જોયાનો આનંદ આપતા કેસુડાને અજવાળી અજવાળીને છલકાય છે આ ઉનાળો! કેસરી સિંહ બનીને ને ગભરાવી મૂકે છે એ ગાયને! જંગલે જંગલે પવનથી સર્જાતા ઝંઝાવાતમાં અને કુટિરે કુટિરે ફર... ફર... ફરકતા... પંખામાં પીપળાને કૂંપળ ઊગવાને બદલે પાંદડું ઊગે તેમ આ ઉનાળાનો ફૂટી નીકળ્યો છે અવાજ!
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/the-voice-of-summer-has-burst-forth-135208870.html
ડૉ. હિતેન્દ્ર જોશી ગ્રી ષ્મના પંખીનો ટહુકો આમ્રવૃક્ષની મંજરીએ-મંજરીએ આનંદનો કલરવ દોરતો જાય છે ને હૈયાંના સાગરમાં સૂતેલું સ્વપ્નનું વૃક્ષ પવનની પાંસળીઓ પર બેસીને છેક નક્ષત્રોને પેલે પાર ઉડીને ગયેલા પ્રિય પંખીના પડછાયાને સ્પર્શવા માટે પોતાના ડાળખીઓ રૂપી વિશાળ બાહુઓને લંબાવતું જાય છે.
ચોરેચૌટે ને નગરે-નગરે આ ઉનાળાના ગુસ્સામાં લાલચોળ બનેલ ક્રોધી સ્વભાવની ટીકાઓ થતી જાય છે; પણ નિર્મમ ને નફ્ફટ બનીને કોઈ ઉગ્ર રાજવીના રાજમદની જેમ પોતાના જ તેજ-પ્રતાપ ને શક્તિમાં મદમસ્ત બનેલો આ ઉનાળો આખી દુનિયાની આંખોમાં દૃષ્ટિનું તેજ ભરીને અજવાળું પાથરતો હોય, પણ હાલ તો આ ઉનાળો સખત ક્રોધાંધ બન્યો છે... પોતાના પ્રભાવમાં પુરાઈને કરમાઈ જતા કોઈ વન્યપશુની જેમ જ! અને એટલે જ તેને જાણે વાચા ફૂટી છે.
ઉનાળામાં બધું જ આકરું લાગે છે... કોઈ સુંદરતમ વનિતાના ઋજુમાં ઋજુ અંગના સ્પર્શનું સ્વપ્ન પણ ગભરામણું લાગે છે, આ ઉનાળામાં.
આથી જ આ ઉનાળો વિપ્રલંભની અસહ્ય આતુરતાનો મહિમા કરે છે ને તથાગત બુદ્ધને સૂઝેલા પૃથ્વીલોકની અર્થશૂન્યતાના વૈતથ્યને વાચા આપે છે, આ ઉનાળો. વિરહના સૌંદર્યનો મહિમા કરે છે આ ઉનાળો; આંબાડાળે ટહુકા કરતા એકલદોકલ પંખીને જોઈને!
વિરહિણીના હૈયાની પરીક્ષા કરે છે આ ઉનાળો; ઉમંગોનાં ખીલવા મથતાં પુષ્પોની પાંખડીઓને સંકોરી લે છે; આ ઉનાળો. કિરણોરૂપી કંટકોના અણીદાર પ્રવાહો વડે; ‘અંદર આગ, બહાર આગ ને જ્યાં જુઓ ત્યાં કેવળ આગ હી આગ.’ રૂપગર્વિતાના રૂપનો કેફ પણ ઉતરી જાય છે; આ
ઉનાળામાં. વિલાઈને કરમાઈ ગયેલા કોઈ ઝરણાના ભૂતકાળની જેમ ઠૂંઠ પર ફૂટેલ કૂંપળના અસ્તિત્વ જેવું સહવાસનું સુખ જોજનો પાર ગયેલા ઊંટના કાફલાની જેમ કંઠમાં તરસના ટહુકાની જેમ હાલ તો સુષુપ્ત છે...!
કાગળમાં ચીતરેલા ફૂલ જેવું અક્ષરના અજવાળે જોતી અભિસારવિવશ નાયિકાની ચોળીના પરસેવામાં છુપાયેલી રતિની ગંધ કોઈ જાણતલ જ અનુભવી શકે! ને આ વિવશ નાયિકાની હૈયામાં પડેલી ઉત્કંઠાઓ પણ હૈયાની તિજોરીમાં પડેલા નકલી પ્રેમના સિક્કાની જેમ હાલ તો ગ્રીષ્મના તાપમાં ઠૂંઠવાઈ ગઈ છે.
ઈશ્વરના ઘર જેવું જ પવનનું ઘર હોય એવું સતત લાગ્યા કરે છે, આ ઉનાળામાં. કોઈ વૃદ્ધ સંન્યાસી ધોમધખતા આકરા તાપમાં લહેરખીનો સ્પર્શ પામીને ઈશ્વરના પ્રેમનો સ્પર્શ પામ્યો હોય તેવો અનુભવ કરે છે, આ ઉનાળામાં.
કુદરતી વાયરાના કેસરિયા લહેરાતા પવનને જોઈને પર્ણનો હસતો ચહેરો દેખાય છે, આ ઉનાળામાં. નિસર્ગ વૃક્ષની ડાળખીએ... ડાળખીએ... ફૂટી નીકળ્યો આ ઉનાળો; પથરાય છે ધરતી પર એની તેજલવરણી કાયા. બપોરની અલસતામાં ગ્રીષ્મની છાયા ભળે વૃક્ષે વૃક્ષે, એટલે સર્જાય મીઠી ઝણઝણાટી પર્ણે પર્ણે ને હૈયે હૈયે.
પવનની પાંખે પાંખે વૃક્ષો, લતાઓ અને વનરાજીને ઉડાડે છે આકાશમાં આ ઉનાળો. આ ઉનાળો ધૂળની ડમરીને લઈ જાય છે, અણજાણ પ્રદેશમાં! ઝાડીએ... ઝાડીએ... ડાળીએ... ડાળીએ... ઝૂમખે... ઝૂમખે... સહસ્ત્રલિંગ કિરણે... કિરણે... ચળાઈને આવતો આ ઉનાળો ઊંટની તરસરૂપે ઝરણે ઝરણે ફૂટી નીકળ્યો છે! રણમાં અરણ્યની આકાંક્ષા જગાવી રહ્યો છે આ ઉનાળો!
આકાશ અને ધરતીને એકાકાર કરી દેવાના બણગા ફૂંકતો સૂરજ આ ઉનાળામાં તીક્ષ્ણ તીરો વડે વીંધે છે હિમશૃંગોની ટોચો, વૃક્ષોનાં મથાળાં અને કોચી નાખે છે હિમબિંદુઓથી પોચી બનેલ ધરતીને. અંધકારના પાકથી લચમચતાં ખેતરોમાં ખરી પડેલ તારાના મૃત્યુથી રાત્રિએ સેવેલ સફેદ મૌનને પાથરે છે, આ ઉનાળો! બપોરી નગરની નીરવતામાં!
આથી જ કોઈ એકલદોકલ ગાય કાગળના ડૂચા સાથે આરોગે છે આ ઉનાળાને અને વાગોળે છે લીલાં લીલાં
ધાન્યને! આંખોને કંઈક જોયાનો આનંદ આપતા કેસુડાને અજવાળી અજવાળીને છલકાય છે આ ઉનાળો! કેસરી સિંહ બનીને ને ગભરાવી મૂકે છે એ ગાયને! જંગલે જંગલે પવનથી સર્જાતા ઝંઝાવાતમાં અને કુટિરે કુટિરે ફર... ફર... ફરકતા... પંખામાં પીપળાને કૂંપળ ઊગવાને બદલે પાંદડું ઊગે તેમ આ ઉનાળાનો ફૂટી નીકળ્યો છે અવાજ!
💯1
આજ-કાલ:ભૂલો ભલે બીજું બધું, રમવાનું ભૂલશો નહીં
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/no-matter-what-dont-forget-to-play-135208824.html
સિં ગિંગ કોમ્પિટિશન, ડાન્સ શો, રિયાલિટી શો અને ક્રિકેટ માટેનો મોહ વધતો જાય છે. આ સિવાય ડોક્ટર, એન્જિનિયર, વકીલ, એમ.બી.એ., અને કોમ્પ્યુટરમાં ડિગ્રી મુખ્ય ધ્યેય હોય. ઘણાંને ફિલ્મ સ્ટાર્સ બનવું હોય છે, પણ ચિત્રકાર, ખેલાડી (ક્રિકેટર સિવાય) કે વિજ્ઞાની કેટલાંને બનવું હોય છે? વાંક બાળકોનો નથી, યુવાનોનો પણ નથી. તકલીફ આપણી, સમાજની અને દેશની છે. આપણા રોલ મોડેલ જ ખોટા છે, નકામા છે.
ભલે કરિઅર ગોલ ગમે તે હોય સાથે રમતને મહત્ત્વ અપાવું જ જોઈએ. પછી ભલે એ રમત કોઈ પણ હોય. મેદાન, બગીચા અને દરિયાકિનારા માટેનો સમય કોમ્પ્યુટર સ્ક્રીન અને મોબાઈલ ફોનને આંચકી લેવા દઈને આપણે સૌ મહાભયંકર ભૂલ, મહાપાપ કરી રહ્યાં છીએ. આંકડાબાજીમાં ન પડીએ પણ કોમ્પ્યુટર સ્ક્રીન, મોબાઈલ ફોન, રીલ્સ અને ઓટીટી પ્લેટફોર્મનો અતિરેક માનવ સંસ્કૃતિ, શિક્ષણ, બુદ્ધિમતા, માનવતા અને લાગણીની ઘોર ખોદી રહ્યાં છીએ.
આ સ્થિતિની ગંભીરતાને સમજીને 11મી જૂનને ઈન્ટરનેશનલ ડે ઓફ પ્લે જાહેર કરાયો છે. કમનસીબે આપણે જેટલાં વધુ ભણતાં જઈએ છીએ એટલાં વધુ અભણ થતાં જઈએ છીએ. યુનિસેફ દ્વારા આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ જાહેર કરતી વખતે એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેથરીન રસેલે બહુપયોગી વાત કરી હતી: ખેલ એક સ્થિતિ કે નિશાન છે. બાળકને સલામતી, ઉછેર અને પ્રેમ આપે છે. એમને લાગે છે કે ગમે તેવી મોટી મુશ્કેલીમાં પણ તેઓ બાળક રહી શકે છે. ખરેખર આ દિવસ સૌમાં, ખાસ તો બાળકોમાં, રમવાને જાળવવા, વધારવા અને પ્રાથમિકતા પર ભાર મૂકે છે અને લેખની ક્ષમતાને સંપૂર્ણ વિકસાવીને પ્રશંસા-ઈનામ ભણી લઈ જાય છે.
આપણે લખોટી, ગિલ્લીદંડા સહિતની કેટકેટલીય પોતીકી અને પરંપરાગત રમતોની હત્યા કરી નાખી છે. એને બદલે બાળકો વીડિયો ગેમ્સમાં મારકાપ, હિંસા અને વિનાશને સહજ રીતે સ્વીકારતા થઈ ગયાં છે. ભાવિ પેઢીને સંઘર્ષ અને પડકાર માટે તૈયાર કરાતી નથી. જીતવા માટે ઝઝૂમવા અને હારને સ્વીકારતા-પચાવવાની તાલીમ મળતી નથી.
ઓલિમ્પિક્સ એટલે ખેલનો વૈશ્વિક મહાકુંભ. 2020માં એક ગોલ્ડ અને બે સિલ્વર સાથે કુલ સાત મેડલ જીત્યા એ આપણું બેસ્ટ પર્ફોર્મન્સ! 1900થી આપણે ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું એ કુલ 41 મેડલ જીત્યા. 26 રમતોસ્વમાં આપણે ટોટલ 46 મેડલ જીતીને ઘરે લાવ્યા. વર્લ્ડ રેન્કિંગમાં આપણો ક્રમ છે 57મો. 150 કરોડની વસ્તીમાં પાંચ વર્ષમાં 15 એવોર્ડ જીતવાની ક્ષમતા, તાકાત, કુશળતા કેળવાતી કેમ નથી?
વૈશ્વિક ફલકને થોડું નાનું કરીએ. કોમનવેલ્થ ગેમ્સ પર આવીએ. આ રાષ્ટ્રકુળ રમતોત્સવમાં ભારત 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 61 મેડલ જીતી શક્યું છે. 1922ની કોમનવેલ્થ ગેમ્સમાં છ મેડલ સાથે ભારત છઠ્ઠા ક્રમે આવ્યું હતું, જ્યારે આપણા દેશના કદ અને વસ્તીમાં ક્યાંય ઊભું ન રહી શકે એવું ઓસ્ટ્રેલિયા 22 સુવર્ણ, 13 રજત અને 12 કાંસ્ય ચંદ્રક સાથે પ્રથમ ક્રમે હતું.
તો એશિયન ગેમ્સમાં ભારતને નામે 753 ચંદ્રક છે. આ આંકડો સારો લાગે પણ સબુર. નંબર એક ચીન (3570 ચંદ્રક), નંબર બે જાપાન (3242 ચંદ્રક), નંબર ત્રણ સાઉથ કોરિયા (2425 ચંદ્રક) છે. વધુ સુવર્ણચંદ્રકને લીધે ઈરાન (671 ચંદ્રક) ચોથા ક્રમે છે અને પછી છે ભારત.
ખેર, જાત પર ઘણું હસ્યાં. હવે હાથ-પગને સક્રિય કરવાનો સમય વીતી જવામાં છે. ઊભા થાઓ, ચાલવા માંડો, દોડવા માંડો અને રમવા માંડો.
ઓનલાઈન-ઓફલાઈન
ખેલ-રમતનું વિરોધી કામ નથી, હતાશા છે.
- બ્રિઆન સુટોન-સ્મિથ (પ્લે થેરાપિસ્ટ)
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/no-matter-what-dont-forget-to-play-135208824.html
સિં ગિંગ કોમ્પિટિશન, ડાન્સ શો, રિયાલિટી શો અને ક્રિકેટ માટેનો મોહ વધતો જાય છે. આ સિવાય ડોક્ટર, એન્જિનિયર, વકીલ, એમ.બી.એ., અને કોમ્પ્યુટરમાં ડિગ્રી મુખ્ય ધ્યેય હોય. ઘણાંને ફિલ્મ સ્ટાર્સ બનવું હોય છે, પણ ચિત્રકાર, ખેલાડી (ક્રિકેટર સિવાય) કે વિજ્ઞાની કેટલાંને બનવું હોય છે? વાંક બાળકોનો નથી, યુવાનોનો પણ નથી. તકલીફ આપણી, સમાજની અને દેશની છે. આપણા રોલ મોડેલ જ ખોટા છે, નકામા છે.
ભલે કરિઅર ગોલ ગમે તે હોય સાથે રમતને મહત્ત્વ અપાવું જ જોઈએ. પછી ભલે એ રમત કોઈ પણ હોય. મેદાન, બગીચા અને દરિયાકિનારા માટેનો સમય કોમ્પ્યુટર સ્ક્રીન અને મોબાઈલ ફોનને આંચકી લેવા દઈને આપણે સૌ મહાભયંકર ભૂલ, મહાપાપ કરી રહ્યાં છીએ. આંકડાબાજીમાં ન પડીએ પણ કોમ્પ્યુટર સ્ક્રીન, મોબાઈલ ફોન, રીલ્સ અને ઓટીટી પ્લેટફોર્મનો અતિરેક માનવ સંસ્કૃતિ, શિક્ષણ, બુદ્ધિમતા, માનવતા અને લાગણીની ઘોર ખોદી રહ્યાં છીએ.
આ સ્થિતિની ગંભીરતાને સમજીને 11મી જૂનને ઈન્ટરનેશનલ ડે ઓફ પ્લે જાહેર કરાયો છે. કમનસીબે આપણે જેટલાં વધુ ભણતાં જઈએ છીએ એટલાં વધુ અભણ થતાં જઈએ છીએ. યુનિસેફ દ્વારા આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ જાહેર કરતી વખતે એના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર કેથરીન રસેલે બહુપયોગી વાત કરી હતી: ખેલ એક સ્થિતિ કે નિશાન છે. બાળકને સલામતી, ઉછેર અને પ્રેમ આપે છે. એમને લાગે છે કે ગમે તેવી મોટી મુશ્કેલીમાં પણ તેઓ બાળક રહી શકે છે. ખરેખર આ દિવસ સૌમાં, ખાસ તો બાળકોમાં, રમવાને જાળવવા, વધારવા અને પ્રાથમિકતા પર ભાર મૂકે છે અને લેખની ક્ષમતાને સંપૂર્ણ વિકસાવીને પ્રશંસા-ઈનામ ભણી લઈ જાય છે.
આપણે લખોટી, ગિલ્લીદંડા સહિતની કેટકેટલીય પોતીકી અને પરંપરાગત રમતોની હત્યા કરી નાખી છે. એને બદલે બાળકો વીડિયો ગેમ્સમાં મારકાપ, હિંસા અને વિનાશને સહજ રીતે સ્વીકારતા થઈ ગયાં છે. ભાવિ પેઢીને સંઘર્ષ અને પડકાર માટે તૈયાર કરાતી નથી. જીતવા માટે ઝઝૂમવા અને હારને સ્વીકારતા-પચાવવાની તાલીમ મળતી નથી.
ઓલિમ્પિક્સ એટલે ખેલનો વૈશ્વિક મહાકુંભ. 2020માં એક ગોલ્ડ અને બે સિલ્વર સાથે કુલ સાત મેડલ જીત્યા એ આપણું બેસ્ટ પર્ફોર્મન્સ! 1900થી આપણે ઓલિમ્પિક્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું એ કુલ 41 મેડલ જીત્યા. 26 રમતોસ્વમાં આપણે ટોટલ 46 મેડલ જીતીને ઘરે લાવ્યા. વર્લ્ડ રેન્કિંગમાં આપણો ક્રમ છે 57મો. 150 કરોડની વસ્તીમાં પાંચ વર્ષમાં 15 એવોર્ડ જીતવાની ક્ષમતા, તાકાત, કુશળતા કેળવાતી કેમ નથી?
વૈશ્વિક ફલકને થોડું નાનું કરીએ. કોમનવેલ્થ ગેમ્સ પર આવીએ. આ રાષ્ટ્રકુળ રમતોત્સવમાં ભારત 22 ગોલ્ડ, 16 સિલ્વર અને 23 બ્રોન્ઝ સાથે કુલ 61 મેડલ જીતી શક્યું છે. 1922ની કોમનવેલ્થ ગેમ્સમાં છ મેડલ સાથે ભારત છઠ્ઠા ક્રમે આવ્યું હતું, જ્યારે આપણા દેશના કદ અને વસ્તીમાં ક્યાંય ઊભું ન રહી શકે એવું ઓસ્ટ્રેલિયા 22 સુવર્ણ, 13 રજત અને 12 કાંસ્ય ચંદ્રક સાથે પ્રથમ ક્રમે હતું.
તો એશિયન ગેમ્સમાં ભારતને નામે 753 ચંદ્રક છે. આ આંકડો સારો લાગે પણ સબુર. નંબર એક ચીન (3570 ચંદ્રક), નંબર બે જાપાન (3242 ચંદ્રક), નંબર ત્રણ સાઉથ કોરિયા (2425 ચંદ્રક) છે. વધુ સુવર્ણચંદ્રકને લીધે ઈરાન (671 ચંદ્રક) ચોથા ક્રમે છે અને પછી છે ભારત.
ખેર, જાત પર ઘણું હસ્યાં. હવે હાથ-પગને સક્રિય કરવાનો સમય વીતી જવામાં છે. ઊભા થાઓ, ચાલવા માંડો, દોડવા માંડો અને રમવા માંડો.
ઓનલાઈન-ઓફલાઈન
ખેલ-રમતનું વિરોધી કામ નથી, હતાશા છે.
- બ્રિઆન સુટોન-સ્મિથ (પ્લે થેરાપિસ્ટ)
રેઈનબો:કબીરા ખડા બાઝાર મેં…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/kabira-khada-bazaar-in-135208882.html
રક્ષા શુક્લ ક બીરને એક યુવાને પૂછ્યું કે ‘ઘરમાં મારા લગ્નની વાત ચાલી રહી છે. છોકરીઓ જોવાનું પણ ચાલી રહ્યું છે. તો મારે કેવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ?’
કબીરે કશો જવાબ આપવાને બદલે અંદર કામ કરતા પોતાના પત્નીને સાદ કરીને કહ્યું કે- ‘દીવો મૂકી જાજો’ અને પત્નીએ તુરંત આજ્ઞાનું પાલન કર્યું, પછી કબીર કામમાં મશગુલ થઈ ગયા.
પેલા યુવાને કહ્યું, ‘આપે મારા પ્રશ્રનો ઉત્તર આપ્યો નહીં.’
કબીર કહે તારા પ્રશ્રનો જવાબ તો મેં આપી દીધો ‘આ ભરબપોરે દીવાની જરૂર હતી? તોય દીવો અહીં મુકાઈ ગયો ને? બસ, આવું હોય તો લગન કર.’
પ્રેમની ગલીમાં બંને વ્યક્તિએ થોડું થોડું સંકોચાવું પડે, તો જ બંને સમાશે. લગ્નજીવન ‘લેટ ગો’ની ભાવના અને ‘ડેડિકેશન’ની સંભાવના ઉપર ઊભું છે.
કબીરના જીવનમાં જેટલો વિવાદ છે એટલો જ એમના જન્મ અને મૃત્યુ સંદર્ભે છે. અલગ અલગ સંદર્ભો મળે છે પણ એક વાત નિર્વિવાદ છે કે એમણે કાટ ખાઈ ગયેલી આપણી સંવેદનાને ધાર કાઢી છે. સામાજિક સુધારા કર્યા અને ધાર્મિક ધખારા સામે લાલ બત્તી ધરી. એ ખરા અર્થમાં સંત હતા, પણ કોઈ સંત કહે તો એમને ગમતું નહીં. સદા સેવક બની રહ્યા.
કબીરજીની ચોતરફ પ્રશંસા થવા લાગી ત્યારે એમને થયું કે ‘કંચન, કામિની અને કીર્તિ’ આ ત્રણ વસ્તુ ભજનમાં બાધારૂપ બને. એમનાથી દૂર થયા એટલે એમને નિરાંત થઈ. પછી શાંતિથી ભજન કરવા લાગ્યા.
કબીરને ગુરુ નહીં પણ સદગુરુ જોઈતા હતા. સદગુરુની શોધ આરંભાઈ. રામાનંદ સ્વામીની પ્રતિભાથી એ બહુ પ્રભાવિત થયા. જે રામના અંશાવતાર મનાય છે. આજે પણ એમની ‘અષ્ટપદી’ના પાઠથી દુઃખિયાના દર્દ મટે છે. એકલવ્યની માફક રામાનંદ સ્વામીની મૂર્તિને પૂજતા રહ્યા. એમની કથાને મહાકથા માની સૌની ચેતનાને જગાડતા રહ્યા. રામાનંદજીનાં ચંપલ અંધારામાં ગંગા કિનારે સૂતા કબીરના શરીર પર પડ્યાં અને તેમણે ‘રામ-રામ’નો ઉચ્ચાર કર્યો. આ રીતે કબીર દીક્ષિત થયા. ‘સદગુરુ કે પ્રતાપ સે મિટ ગયે સબ દુઃખ દંડ. દુવિધા મિટ્ટી, ગુરુ મિલિયા રામાનંદ.’
કબીર વર્ષો પહેલાં કહી ચૂક્યા કે જાતપાતનું જંતર વગાડવાનું બંધ કરો, પણ આપણા બહેરા કાનને ક્યાં કશું સંભળાય છે? વળી કાનની સાથે માનસિકતા પણ મૂક-બધીર. પણ કબીરે પરિણામ કે પરિમાણની ચિંતા કર્યા વગર લોકજાગૃતિ માટે રણશિંગુ ફૂંક્યા કર્યું. એમાં અનેક લોકો એના વિરોધી થયા. સત્ય કહેનારને માટે ઝેરનો પ્યાલો લઈને સમાજ તૈયાર જ હોય છે. કબીર સામાન્ય લોકોને મળવાનું વધુ પસંદ કરતા હતા. શ્રેષ્ઠીઓની ચમક ક્યારેય એમને આંજી શકી નથી.
કબીર એકવાર સાંધ્ય સ્મરણ માટે બેસવાના હતા ત્યાં એક દુ:ખિયારો આવ્યો અને પોતાની પીડા કલાકો સુધી કહી. એની પીડાનું સમાધાન કર્યું ત્યાં રાત પડી ગઈ. એ ગયો પછી બાજુમાં બેઠેલા અનુયાયીએ કહ્યું કે ‘આજે તમારું સાંધ્ય સ્મરણ ચુકાયું.’ કબીરે કહ્યું કે ‘કોઈની પીડા ઓછી થતી હોય એનાથી મોટું બીજું કોઈ સાંધ્ય સ્મરણ ન હોઈ શકે.’
કબીરે વૈષ્ણવ, સૂફી અને નાથ સંતોની વિચારધારાને ભક્તિમાં ઉતારી હતી. અખંડ એકતા અને સમરસ સુમેળ માટે સતત પ્રયત્ન કર્યા. એમણે કહ્યું કે ‘પહેલાં માણસને માણસ જેમ જુઓ, બીજું બધું પછી.’ કબીરે ક્યારેય હાથમાં કલમ પકડી નથી, આ તો એમના શિષ્યોએ કબીરદાસની વાણી શ્લોક, દોહા, સાખી ઈત્યાદિ સ્વરૂપે કાગળ પર કંડાર્યાં. એમણે વેદ, ઉપનિષદ કે અન્ય કોઈ મહાન શાસ્ત્રોનો વિધિવત અભ્યાસ કર્યો નહોતો. અનુભવના એરણથી ઉતરેલા એમના શબ્દ ચમક્યા. મધ્યકાળના રૂઢિચુસ્ત માહોલમાં પણ આધુનિકતાની છડી પોકારી હતી. વિશ્વના ઉત્તમ સંતોની યાદી કરવી હોય તો ભારતમાંથી કબીરનું નામ પ્રથમ હરોળમાં મૂકવું પડે.
યોગી અને ઉપયોગી બંને વિશેષણો કબીરને શોભે છે. સાક્ષીભાવને કબીર સૂફી સ્વભાવમાં સહજ રીતે વણી શકે છે. ‘કાણાને કાણો અને દ્રષ્ટિવાનને દ્રષ્ટિવાન’ ખણખણતા ખોંખારા સાથે કહે તે કબીર. આખાબોલા અખા અને કારેલા જેવા કબીરે તંદુરસ્ત સમાજનું નિર્માણ કર્યું છે.
માનવ પ્રકૃતિ છે કે દુઃખમાં દરિદ્રનારાયણ અને સુખમાં સોની સાંભરે છે. બધાં દુ:ખમાં ઈશ્વર પાસે આવે છે પણ સુખમાં ઈશ્વરને સ્મરે તો દુઃખ રહે જ નહીં. ફેસબુકના ફળિયે વાંચ્યું કે ‘આપણે ઈશ્વરને કહીએ છીએ કે મારું દુઃખ મોટું છે પણ દુઃખને કેમ કહેતા નથી કે મારો ઈશ્વર મોટો છે.’ કબીરસાહેબ ગુજરાતમાં અનેકવાર આવ્યા હોવા જોઈએ. ગુજરાતી ભાષાના શબ્દો જેવા કે હીંડતે, જહિયા, તહિયા, હતા વગેરે તેમની બીજકની રચનામાંથી પ્રાપ્ત થાય છે.
કબીરવડમાં જે શિલાલેખ પ્રાપ્ત થયો છે તેમાં કબીર સાહેબ સં. 1465માં કબીરવડના સ્થળે આવેલા તે હકીકત જણાવેલી છે. ભારતના મોટા ભાગના મહાપુરુષોનું કોઈક ને કોઈક રીતે ગુજરાત કનેક્શન જોવા મળશે. ‘સાહેબ’ તો કબીર એક જ હો! ઇતિ
વિશ્વાસથી વિશ્વાસ અને અવિશ્વાસથી અવિશ્વાસ ઉત્પન્ન થાય છે.
- પ્રેમચંદ
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/kabira-khada-bazaar-in-135208882.html
રક્ષા શુક્લ ક બીરને એક યુવાને પૂછ્યું કે ‘ઘરમાં મારા લગ્નની વાત ચાલી રહી છે. છોકરીઓ જોવાનું પણ ચાલી રહ્યું છે. તો મારે કેવી છોકરી સાથે લગ્ન કરવા જોઈએ?’
કબીરે કશો જવાબ આપવાને બદલે અંદર કામ કરતા પોતાના પત્નીને સાદ કરીને કહ્યું કે- ‘દીવો મૂકી જાજો’ અને પત્નીએ તુરંત આજ્ઞાનું પાલન કર્યું, પછી કબીર કામમાં મશગુલ થઈ ગયા.
પેલા યુવાને કહ્યું, ‘આપે મારા પ્રશ્રનો ઉત્તર આપ્યો નહીં.’
કબીર કહે તારા પ્રશ્રનો જવાબ તો મેં આપી દીધો ‘આ ભરબપોરે દીવાની જરૂર હતી? તોય દીવો અહીં મુકાઈ ગયો ને? બસ, આવું હોય તો લગન કર.’
પ્રેમની ગલીમાં બંને વ્યક્તિએ થોડું થોડું સંકોચાવું પડે, તો જ બંને સમાશે. લગ્નજીવન ‘લેટ ગો’ની ભાવના અને ‘ડેડિકેશન’ની સંભાવના ઉપર ઊભું છે.
કબીરના જીવનમાં જેટલો વિવાદ છે એટલો જ એમના જન્મ અને મૃત્યુ સંદર્ભે છે. અલગ અલગ સંદર્ભો મળે છે પણ એક વાત નિર્વિવાદ છે કે એમણે કાટ ખાઈ ગયેલી આપણી સંવેદનાને ધાર કાઢી છે. સામાજિક સુધારા કર્યા અને ધાર્મિક ધખારા સામે લાલ બત્તી ધરી. એ ખરા અર્થમાં સંત હતા, પણ કોઈ સંત કહે તો એમને ગમતું નહીં. સદા સેવક બની રહ્યા.
કબીરજીની ચોતરફ પ્રશંસા થવા લાગી ત્યારે એમને થયું કે ‘કંચન, કામિની અને કીર્તિ’ આ ત્રણ વસ્તુ ભજનમાં બાધારૂપ બને. એમનાથી દૂર થયા એટલે એમને નિરાંત થઈ. પછી શાંતિથી ભજન કરવા લાગ્યા.
કબીરને ગુરુ નહીં પણ સદગુરુ જોઈતા હતા. સદગુરુની શોધ આરંભાઈ. રામાનંદ સ્વામીની પ્રતિભાથી એ બહુ પ્રભાવિત થયા. જે રામના અંશાવતાર મનાય છે. આજે પણ એમની ‘અષ્ટપદી’ના પાઠથી દુઃખિયાના દર્દ મટે છે. એકલવ્યની માફક રામાનંદ સ્વામીની મૂર્તિને પૂજતા રહ્યા. એમની કથાને મહાકથા માની સૌની ચેતનાને જગાડતા રહ્યા. રામાનંદજીનાં ચંપલ અંધારામાં ગંગા કિનારે સૂતા કબીરના શરીર પર પડ્યાં અને તેમણે ‘રામ-રામ’નો ઉચ્ચાર કર્યો. આ રીતે કબીર દીક્ષિત થયા. ‘સદગુરુ કે પ્રતાપ સે મિટ ગયે સબ દુઃખ દંડ. દુવિધા મિટ્ટી, ગુરુ મિલિયા રામાનંદ.’
કબીર વર્ષો પહેલાં કહી ચૂક્યા કે જાતપાતનું જંતર વગાડવાનું બંધ કરો, પણ આપણા બહેરા કાનને ક્યાં કશું સંભળાય છે? વળી કાનની સાથે માનસિકતા પણ મૂક-બધીર. પણ કબીરે પરિણામ કે પરિમાણની ચિંતા કર્યા વગર લોકજાગૃતિ માટે રણશિંગુ ફૂંક્યા કર્યું. એમાં અનેક લોકો એના વિરોધી થયા. સત્ય કહેનારને માટે ઝેરનો પ્યાલો લઈને સમાજ તૈયાર જ હોય છે. કબીર સામાન્ય લોકોને મળવાનું વધુ પસંદ કરતા હતા. શ્રેષ્ઠીઓની ચમક ક્યારેય એમને આંજી શકી નથી.
કબીર એકવાર સાંધ્ય સ્મરણ માટે બેસવાના હતા ત્યાં એક દુ:ખિયારો આવ્યો અને પોતાની પીડા કલાકો સુધી કહી. એની પીડાનું સમાધાન કર્યું ત્યાં રાત પડી ગઈ. એ ગયો પછી બાજુમાં બેઠેલા અનુયાયીએ કહ્યું કે ‘આજે તમારું સાંધ્ય સ્મરણ ચુકાયું.’ કબીરે કહ્યું કે ‘કોઈની પીડા ઓછી થતી હોય એનાથી મોટું બીજું કોઈ સાંધ્ય સ્મરણ ન હોઈ શકે.’
કબીરે વૈષ્ણવ, સૂફી અને નાથ સંતોની વિચારધારાને ભક્તિમાં ઉતારી હતી. અખંડ એકતા અને સમરસ સુમેળ માટે સતત પ્રયત્ન કર્યા. એમણે કહ્યું કે ‘પહેલાં માણસને માણસ જેમ જુઓ, બીજું બધું પછી.’ કબીરે ક્યારેય હાથમાં કલમ પકડી નથી, આ તો એમના શિષ્યોએ કબીરદાસની વાણી શ્લોક, દોહા, સાખી ઈત્યાદિ સ્વરૂપે કાગળ પર કંડાર્યાં. એમણે વેદ, ઉપનિષદ કે અન્ય કોઈ મહાન શાસ્ત્રોનો વિધિવત અભ્યાસ કર્યો નહોતો. અનુભવના એરણથી ઉતરેલા એમના શબ્દ ચમક્યા. મધ્યકાળના રૂઢિચુસ્ત માહોલમાં પણ આધુનિકતાની છડી પોકારી હતી. વિશ્વના ઉત્તમ સંતોની યાદી કરવી હોય તો ભારતમાંથી કબીરનું નામ પ્રથમ હરોળમાં મૂકવું પડે.
યોગી અને ઉપયોગી બંને વિશેષણો કબીરને શોભે છે. સાક્ષીભાવને કબીર સૂફી સ્વભાવમાં સહજ રીતે વણી શકે છે. ‘કાણાને કાણો અને દ્રષ્ટિવાનને દ્રષ્ટિવાન’ ખણખણતા ખોંખારા સાથે કહે તે કબીર. આખાબોલા અખા અને કારેલા જેવા કબીરે તંદુરસ્ત સમાજનું નિર્માણ કર્યું છે.
માનવ પ્રકૃતિ છે કે દુઃખમાં દરિદ્રનારાયણ અને સુખમાં સોની સાંભરે છે. બધાં દુ:ખમાં ઈશ્વર પાસે આવે છે પણ સુખમાં ઈશ્વરને સ્મરે તો દુઃખ રહે જ નહીં. ફેસબુકના ફળિયે વાંચ્યું કે ‘આપણે ઈશ્વરને કહીએ છીએ કે મારું દુઃખ મોટું છે પણ દુઃખને કેમ કહેતા નથી કે મારો ઈશ્વર મોટો છે.’ કબીરસાહેબ ગુજરાતમાં અનેકવાર આવ્યા હોવા જોઈએ. ગુજરાતી ભાષાના શબ્દો જેવા કે હીંડતે, જહિયા, તહિયા, હતા વગેરે તેમની બીજકની રચનામાંથી પ્રાપ્ત થાય છે.
કબીરવડમાં જે શિલાલેખ પ્રાપ્ત થયો છે તેમાં કબીર સાહેબ સં. 1465માં કબીરવડના સ્થળે આવેલા તે હકીકત જણાવેલી છે. ભારતના મોટા ભાગના મહાપુરુષોનું કોઈક ને કોઈક રીતે ગુજરાત કનેક્શન જોવા મળશે. ‘સાહેબ’ તો કબીર એક જ હો! ઇતિ
વિશ્વાસથી વિશ્વાસ અને અવિશ્વાસથી અવિશ્વાસ ઉત્પન્ન થાય છે.
- પ્રેમચંદ
સહજ સંવાદ:કારાગારોમાં બંધ સંઘર્ષની કવિતાઓ…
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/poems-of-struggle-locked-up-in-prisons-135208850.html
જૂ ન મહિનાનો આ મધ્યાહન છે. 50 વર્ષ પૂર્વે 25-26 જૂન, 1975ના એકદમ અચાનક રાષ્ટ્રપતિભવનથી જાહેર કરવામાં આવી હતી આંતરિક કટોકટી. પછી તેના પગલે પગલે પ્રી-સેન્સરશિપ, ગાઈડ લાઇન્સ, મિસા નામે અટકાયતીધારો અને ડી. આઈ. આર.ની કાનૂની કારવાઈ. પછીથી નિયુક્ત થયેલા જસ્ટિસ શાહ તપાસ પંચે 200 જેટલાં પાનાં અને પરિશિષ્ઠમાં આ બધી વિગતો આલેખીને જણાવ્યું છે કે કેવી રીતે સ્વતંત્રતા પછી પહેલી જ વાર આંતરિક કટોકટીની જોગવાઈનો ઉપયોગ કરીને જવાહરલાલ નેહરુના શબ્દોને સાચા પાડવામાં આવ્યા હતા.
નેહરુએ તો ગુલામીના સમયે કહ્યું હતું કે બ્રિટિશ અમલીકરણથી દેશ આખો કારાગાર બની ગયો છે, પછી બહાર હોઈએ કે જેલમાં, શું ફરક પડે છે? ઓછામાં ઓછું જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, મોરારજીભાઈ દેસાઇ, ચંદ્રશેખર, બાળાસાહેબ દેવરસ જેવા પક્ષો કે સંગઠનોના સૂત્રધારોને અને 100 જેટલાં નાનાં અખબારોના પત્રકારોને તો આનો અનુભવ તિહાડ, બેંગ્લુરુ, લખનૌ, ચંડીગઢ, રોહતક, વડોદરા, અમદાવાદ, થાણા , યરવડા, સાબરમતી અને બીજી જેલોમાં અટકાયતી તરીકે બે વર્ષ રહેવાનું થયું, તેમને તો નેહરુજીની વાતનું પુનરાવર્તન જરૂર અનુભવાયું હતું.
વડાપ્રધાન કાર્યાલયના સચિવ બી. એન. ટંડનના પુસ્તક ‘પીએમઓ ડાયરી-1’ પરથી તો સ્પષ્ટ થઈ જતું હતું કે મૂળમાં સત્તાનું હાલકડોલક થવું જ કારણરૂપ હતું. એક તો જૂન જોગીઓ કે. કામરાજ, નિજલિંગપ્પા, સંજીવ રેડ્ડી, મોરારજીભાઈ દેસાઇ વગેરેથી વિભાજન કરીને અલગ કોંગ્રેસ ઊભી કરવી, અલ્હાબાદ અદાલતે ઈન્દિરાજીની ચૂંટણી અમાન્ય ઠેરવવી, બિહારમાં જયપ્રકાશના આંદોલનની શરૂઆત, ગુજરાતમાં પોતે નક્કી કરેલા મુખ્યમંત્રીપદના ઉમેદવારની સામે કોંગ્રેસમાંથી જ ચીમનભાઈ પટેલનું ઊભા રહેવું, વિજય મેળવવો અને વિદ્યાર્થીઓના નવનિર્માણ આંદોલનને લીધે વિધાનસભાને વિસર્જિત કરવી…
આ બધું કોંગ્રેસની અંદર બીજા કેટલાક નેતાઓને માટે મોકળું મેદાન આપતું હતું, તે ઈન્દિરાજીએ જોયું અને પોતાના વિશ્વાસુ સાથીદારોની સલાહથી કટોકટીનો ઘાતક ઉપાય અજમાવ્યો, એવું ના કર્યું હોત તો કટોકટીનો કાળો અને કલંકિત અધ્યાય રચાયો ના હોત.
… પણ, 26 જૂન, 1975થી 18 જાન્યુઆરી 1977ના કટોકટી પાછી ખેંચવા સુધીના દિવસો અને રાતો ભય અને ભ્રમ સાથેના સત્તાવાદના પુરવાર થાય. લોકસભા નામની રહી, તેના ઘણા વિરોધ પક્ષના નેતાઓ જેલોમાં હતા. સેન્સરશિપને લીધે સંસદની કાર્યવાહી લોકો સુધી પહોંચી નહીં. એવું જ ધારાસભાઓનું થયું. પછી લોકોને તેની ખબર તો ક્યાંથી પડે કે કટોકટીની સામે દેશ અને વિદેશમાં નાનો કે મોટો પ્રયાસ ચાલુ હતો. નોબેલ-વિજેતાઓએ ભારતના વડાપ્રધાનને કટોકટી પાછી ખેંચવા અપીલ કરી હતી, પંજાબમાં અકાલી દળનો પ્રભાવી સત્યાગ્રહ થયો હતો, સરદાર વલ્લભભાઈનાં પુત્રી મણિબહેને સત્યાગ્રહની આગેવાની લીધી હતી. જેલોમાં વિરોધ પક્ષોની એકતાનું મનોમંથન ચાલતું હતું, હજુ યુવકો સંઘર્ષના મેદાનમાં હતા, અનેક ભૂગર્ભ પત્રો-પત્રિકાઓ લોકો સુધી પહોંચી રહ્યાં હતાં .
સંઘર્ષનો એક મજબૂત ગઢ હોય છે સાહિત્યનો. શિવરામ કારન્થ , જયવંત દળવી, દુર્ગા ભાગવત, ફણીશ્વરનાથ રેણુ , સ્નેહલતા રેડ્ડી, ડો. રઘુવંશ, ધર્મવીર ભારતી, બર્નાર્ડ કોપ્સ, મનુભાઈ પંચોલી , હરીન્દ્ર દવે, રઘુવીર ચૌધરી, કનુભાઈ જાની વગેરેએ વિરોધનો અવાજ વ્યક્ત કર્યો.
જ્હોન ઓલિવર પેરી અમેરિકન અધ્યાપકે એક મહત્ત્વનું પુસ્તક સંપાદિત કર્યું હતું, તે ‘વોઈસીસ ઓફ ઇમર્જન્સી’માં તે સમયનાં કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, કેટલાંક તો પછીથી લખાયાં હોય તેવું સ્પષ્ટ થાય છે. પણ, અટલ બિહારી વાજપેયીની આ કવિતા તો સમગ્ર સંઘર્ષનું ગીત બની ગઈ:
ટૂટ સકતે હૈં, મગર હમ ઝુક નહીં સકતે...
સત્ય કા સંઘર્ષ સત્તા સે,
ન્યાય લડતા નિરંકુશતા સે,
અંધેરે ને દી ચુનૌતી હૈ,
કિરણ અંતિમ અસ્ત હોતી હૈ.
દીપ નિષ્ઠા કા લિયે નિષ્કંપ,
વજ્ર તૂટે યા ઊઠે ભૂકંપ,
યહ બરાબર કા નહીં હૈ યુદ્ધ,
હમ નિહત્થે, શત્રુ હૈ સન્નદ્ધ,
હર તરહ સે શસ્ત્ર સે હૈ સજ્જ,
ઔર પશુબલ હો ઊઠા નિર્લજ્જ.
કિન્તુ ફિર ભી જૂઝનેકા પ્રણ,
અંગદ ને બઢાયા ચરણ,
પ્રાણ-પણ સે કરેંગે પ્રતિકાર,
સમર્પણ કી માંગ અસ્વીકાર.
દાઁવ પર સબ કુછ લગા હૈ, રુક નહીં સકતે,
ટૂટ સકતે હૈં, મગર હમ ઝુક નહીં સકતે...
એક બીજી રચના એ સમયે જેલના સળિયા પાછળથી આવી હતી, જેનો કવિ આજ સુધી અ-નામ રહ્યો છે:
ન કરો મનમાનીયાં ઇતની,
ના જાને કૌન સે ક્ષણ,
બદલ જાયે રૂખ હવાઓં કા,
કપટ, છલ, છદ્મ કી સત્તા,
કિયા કરતી હૈ મનમાની,
સમય આતા કી લગતી,
કાટને પરછાઇયાં અપની…
બીજી એક કવિતા કોઈ ‘રાહી’ના નામે જેલોમાં ફરતી રહી હતી. તેમાં ઉઘાડું દુખ છે: પરિભાષા બદલ ગયી હૈ, દેશભક્તિ કી, પ્યાર કી, પ્રજાતંત્ર મર ગયા, અબ સત્તા મહેમાન બન ગયી..
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/poems-of-struggle-locked-up-in-prisons-135208850.html
જૂ ન મહિનાનો આ મધ્યાહન છે. 50 વર્ષ પૂર્વે 25-26 જૂન, 1975ના એકદમ અચાનક રાષ્ટ્રપતિભવનથી જાહેર કરવામાં આવી હતી આંતરિક કટોકટી. પછી તેના પગલે પગલે પ્રી-સેન્સરશિપ, ગાઈડ લાઇન્સ, મિસા નામે અટકાયતીધારો અને ડી. આઈ. આર.ની કાનૂની કારવાઈ. પછીથી નિયુક્ત થયેલા જસ્ટિસ શાહ તપાસ પંચે 200 જેટલાં પાનાં અને પરિશિષ્ઠમાં આ બધી વિગતો આલેખીને જણાવ્યું છે કે કેવી રીતે સ્વતંત્રતા પછી પહેલી જ વાર આંતરિક કટોકટીની જોગવાઈનો ઉપયોગ કરીને જવાહરલાલ નેહરુના શબ્દોને સાચા પાડવામાં આવ્યા હતા.
નેહરુએ તો ગુલામીના સમયે કહ્યું હતું કે બ્રિટિશ અમલીકરણથી દેશ આખો કારાગાર બની ગયો છે, પછી બહાર હોઈએ કે જેલમાં, શું ફરક પડે છે? ઓછામાં ઓછું જયપ્રકાશ નારાયણ, અટલ બિહારી વાજપેયી, મોરારજીભાઈ દેસાઇ, ચંદ્રશેખર, બાળાસાહેબ દેવરસ જેવા પક્ષો કે સંગઠનોના સૂત્રધારોને અને 100 જેટલાં નાનાં અખબારોના પત્રકારોને તો આનો અનુભવ તિહાડ, બેંગ્લુરુ, લખનૌ, ચંડીગઢ, રોહતક, વડોદરા, અમદાવાદ, થાણા , યરવડા, સાબરમતી અને બીજી જેલોમાં અટકાયતી તરીકે બે વર્ષ રહેવાનું થયું, તેમને તો નેહરુજીની વાતનું પુનરાવર્તન જરૂર અનુભવાયું હતું.
વડાપ્રધાન કાર્યાલયના સચિવ બી. એન. ટંડનના પુસ્તક ‘પીએમઓ ડાયરી-1’ પરથી તો સ્પષ્ટ થઈ જતું હતું કે મૂળમાં સત્તાનું હાલકડોલક થવું જ કારણરૂપ હતું. એક તો જૂન જોગીઓ કે. કામરાજ, નિજલિંગપ્પા, સંજીવ રેડ્ડી, મોરારજીભાઈ દેસાઇ વગેરેથી વિભાજન કરીને અલગ કોંગ્રેસ ઊભી કરવી, અલ્હાબાદ અદાલતે ઈન્દિરાજીની ચૂંટણી અમાન્ય ઠેરવવી, બિહારમાં જયપ્રકાશના આંદોલનની શરૂઆત, ગુજરાતમાં પોતે નક્કી કરેલા મુખ્યમંત્રીપદના ઉમેદવારની સામે કોંગ્રેસમાંથી જ ચીમનભાઈ પટેલનું ઊભા રહેવું, વિજય મેળવવો અને વિદ્યાર્થીઓના નવનિર્માણ આંદોલનને લીધે વિધાનસભાને વિસર્જિત કરવી…
આ બધું કોંગ્રેસની અંદર બીજા કેટલાક નેતાઓને માટે મોકળું મેદાન આપતું હતું, તે ઈન્દિરાજીએ જોયું અને પોતાના વિશ્વાસુ સાથીદારોની સલાહથી કટોકટીનો ઘાતક ઉપાય અજમાવ્યો, એવું ના કર્યું હોત તો કટોકટીનો કાળો અને કલંકિત અધ્યાય રચાયો ના હોત.
… પણ, 26 જૂન, 1975થી 18 જાન્યુઆરી 1977ના કટોકટી પાછી ખેંચવા સુધીના દિવસો અને રાતો ભય અને ભ્રમ સાથેના સત્તાવાદના પુરવાર થાય. લોકસભા નામની રહી, તેના ઘણા વિરોધ પક્ષના નેતાઓ જેલોમાં હતા. સેન્સરશિપને લીધે સંસદની કાર્યવાહી લોકો સુધી પહોંચી નહીં. એવું જ ધારાસભાઓનું થયું. પછી લોકોને તેની ખબર તો ક્યાંથી પડે કે કટોકટીની સામે દેશ અને વિદેશમાં નાનો કે મોટો પ્રયાસ ચાલુ હતો. નોબેલ-વિજેતાઓએ ભારતના વડાપ્રધાનને કટોકટી પાછી ખેંચવા અપીલ કરી હતી, પંજાબમાં અકાલી દળનો પ્રભાવી સત્યાગ્રહ થયો હતો, સરદાર વલ્લભભાઈનાં પુત્રી મણિબહેને સત્યાગ્રહની આગેવાની લીધી હતી. જેલોમાં વિરોધ પક્ષોની એકતાનું મનોમંથન ચાલતું હતું, હજુ યુવકો સંઘર્ષના મેદાનમાં હતા, અનેક ભૂગર્ભ પત્રો-પત્રિકાઓ લોકો સુધી પહોંચી રહ્યાં હતાં .
સંઘર્ષનો એક મજબૂત ગઢ હોય છે સાહિત્યનો. શિવરામ કારન્થ , જયવંત દળવી, દુર્ગા ભાગવત, ફણીશ્વરનાથ રેણુ , સ્નેહલતા રેડ્ડી, ડો. રઘુવંશ, ધર્મવીર ભારતી, બર્નાર્ડ કોપ્સ, મનુભાઈ પંચોલી , હરીન્દ્ર દવે, રઘુવીર ચૌધરી, કનુભાઈ જાની વગેરેએ વિરોધનો અવાજ વ્યક્ત કર્યો.
જ્હોન ઓલિવર પેરી અમેરિકન અધ્યાપકે એક મહત્ત્વનું પુસ્તક સંપાદિત કર્યું હતું, તે ‘વોઈસીસ ઓફ ઇમર્જન્સી’માં તે સમયનાં કાવ્યોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જોકે, કેટલાંક તો પછીથી લખાયાં હોય તેવું સ્પષ્ટ થાય છે. પણ, અટલ બિહારી વાજપેયીની આ કવિતા તો સમગ્ર સંઘર્ષનું ગીત બની ગઈ:
ટૂટ સકતે હૈં, મગર હમ ઝુક નહીં સકતે...
સત્ય કા સંઘર્ષ સત્તા સે,
ન્યાય લડતા નિરંકુશતા સે,
અંધેરે ને દી ચુનૌતી હૈ,
કિરણ અંતિમ અસ્ત હોતી હૈ.
દીપ નિષ્ઠા કા લિયે નિષ્કંપ,
વજ્ર તૂટે યા ઊઠે ભૂકંપ,
યહ બરાબર કા નહીં હૈ યુદ્ધ,
હમ નિહત્થે, શત્રુ હૈ સન્નદ્ધ,
હર તરહ સે શસ્ત્ર સે હૈ સજ્જ,
ઔર પશુબલ હો ઊઠા નિર્લજ્જ.
કિન્તુ ફિર ભી જૂઝનેકા પ્રણ,
અંગદ ને બઢાયા ચરણ,
પ્રાણ-પણ સે કરેંગે પ્રતિકાર,
સમર્પણ કી માંગ અસ્વીકાર.
દાઁવ પર સબ કુછ લગા હૈ, રુક નહીં સકતે,
ટૂટ સકતે હૈં, મગર હમ ઝુક નહીં સકતે...
એક બીજી રચના એ સમયે જેલના સળિયા પાછળથી આવી હતી, જેનો કવિ આજ સુધી અ-નામ રહ્યો છે:
ન કરો મનમાનીયાં ઇતની,
ના જાને કૌન સે ક્ષણ,
બદલ જાયે રૂખ હવાઓં કા,
કપટ, છલ, છદ્મ કી સત્તા,
કિયા કરતી હૈ મનમાની,
સમય આતા કી લગતી,
કાટને પરછાઇયાં અપની…
બીજી એક કવિતા કોઈ ‘રાહી’ના નામે જેલોમાં ફરતી રહી હતી. તેમાં ઉઘાડું દુખ છે: પરિભાષા બદલ ગયી હૈ, દેશભક્તિ કી, પ્યાર કી, પ્રજાતંત્ર મર ગયા, અબ સત્તા મહેમાન બન ગયી..
આ કાવ્યો કોઈ એક ભાષામાં લખાયાં નહોતાં. પંજાબી, બંગાળી, હિન્દી, ઉર્દૂ, તમિળ, તેલુગુ, હિન્દી, મરાઠી, ગુજરાતી અને બીજી ભાષાઓમાં રચના થઈ. જેલોમાં ક્યાંક કવિતા, ક્યાંક નવલકથા અને નિબંધો લખાયા.
મનદુરસ્તી:જીવ-સમાન જીવનસાથીનો અચાનક વિયોગ થાય ત્યારે...
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/when-a-life-partner-suddenly-passes-away-135208931.html
ન યનભાઇની આંખો લાલ હતી. ઉજાગરા સ્પષ્ટ દેખાતા હતા. કાર્ડિયોલોજીસ્ટના વેઈટિંગ રૂમમાં એમની સાથે એમનો દીકરો માર્કંડ ખડે પગે હતો. હમણાં જ કરાવેલ કાર્ડિયાક રિપોર્ટ્સમાં ચિંતાજનક ફેરફારો દેખાઈ રહ્યા હતા. ડૉક્ટરે જરૂરી દવાઓ સાથે મનોવૈજ્ઞાનિક મદદ લેવાનું સૂચન કર્યું.
એક મહિના પહેલાં જ પંચાવન વર્ષના નયનભાઇના બાવન વર્ષના જીવસમાન પત્ની લીનાબહેન હાર્ટએટેકથી મૃત્યુ પામ્યાં હતાં. નયનભાઇના માથે આભ તૂટી પડ્યું હતું. બન્યું એવું કે એમનું મૃત્યુ થયું એ જ દિવસે એમની એનિવર્સરી પણ હતી. જે દિવસે પતિ-પત્ની બંને એક થયાં હતાં એ જ દિવસે કાયમ માટે છૂટા પણ પડી ગયાં હતાં.
આ આઘાત ભયાનક હતો. એમના માટે લીનાબેન મિત્ર, પત્ની, સ્વજન અને સર્વસ્વ હતાં. આવી વ્યક્તિની કાયમી વિદાય સૌથી વધુ પીડા આપતી હોય છે. છેલ્લા એક મહિનાથી નયનભાઇને બરાબર ઊંઘ નહોતી આવતી. વહેલી સવારે એકાદ કલાક થાકીને આંખ મળે કે તરત જ ઝબકીને જાગી જવાય. મનમાં રડવાનું ચાલુ રહેતું હતું પણ આંખોમાંથી પાણી નહોતું નીકળતું. ધીમે ધીમે નયનભાઇની પણ જીવવાની ઈચ્છા મરતી જતી હતી. અમેરિકાના શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ફિનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના ડો. ડાયના કિરીનોસના એક રિસર્ચ મુજબ સારી રીતે પરસ્પર સંકળાયેલાં જીવનસાથીનું મૃત્યુ એ વાસ્તવમાં તીવ્ર દુઃખદાયક અને તણાવજનક ઘટના હોય છે. આને લીધે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી ડિસ્ટર્બ્ડ થઈ જાય છે. નિદ્રાના વિક્ષેપો થવાના શરૂ થઈ જાય છે.
આવી ઊંઘની ખલેલોને લીધે કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ અને મૃત્યુ સુદ્ધાનું જોખમ વધી જાય છે. અનિદ્રાથી શરીર પર સોજા પણ આવી શકે. બ્લડપ્રેશરમાં ફેરફારો થાય. કોન્સન્ટ્રેશનમાં તકલીફો થાય. ચીડિયાપણું આવે, સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય.
સાયકોસોમેટિક મેડિસિન જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં જણાવ્યા મુજબ ઈન્ફ્લેમેશન એટલે કે સોજાનું સ્તર વધવાથી હૃદયરોગની સંભાવના વધે છે. પોતાના મૃત જીવનસાથી સાથે મજબૂત લાગણીથી જોડાયેલાં વિધવા કે વિધુરને જો અનિદ્રાની તકલીફ રહે તો હૃદયરોગની શક્યતા પણ બેથી ત્રણ ગણી વધી જાય છે. 101 લોકો પર થયેલો આ અભ્યાસ ખૂબ મહત્ત્વનો હતો. જેમાં સોજાનું પ્રમાણ શરીરના સાયટોકાઈન્સ નામના રસાયણના પ્રમાણ પરથી નક્કી કરવામાં આવ્યું હતું. જે રોગની સામે ટૂંકા ગાળાની લડત આપે છે. પરંતુ જો તે પ્રમાણ લાંબો સમય વધેલું રહે તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ સાથે પણ સંકળાય છે. તદઉપરાંત અન્ય ઈન્ફેક્શન તેમજ મનોદૈહિક રોગો થવાની પણ શક્યતા વધતી જાય છે. સતત ખાલીપો ડિપ્રેશન આપે છે. પ્રિય સ્વજનનું મૃત્યુ સ્ટ્રેસ માટેનું સૌથી મોટું કારણ છે.
જીવનસાથીના મૃત્યુ બાદની એકલતા અને પરવશતાની લાગણી ભલભલાને હચમચાવી શકે છે. ભારત જેવા દેશમાં વિભક્ત થતાં કુટુંબોમાં ઉંમરલાયક વિધુર કે વિધવાઓને સૌથી વધારે ચિંતા એ હોય છે કે એમને સંતાનો કેવી રીતે રાખશે. અલબત્ત, આ માટે બંને સાથીઓ જીવતાં હોય ત્યારે મજબૂત આર્થિક પ્લાનિંગ કરેલું હોય તો સલામતીની લાગણી મજબૂત રહે છે. કોઈપણ એક વ્યક્તિ મોટે ભાગે પહેલાં જ જવાની છે. એ દુઃખદ બાબત સ્વીકારવી પણ જરૂરી છે. સાથીના મૃત્યુનો જેટલો વહેલો સ્વીકાર થાય તેટલા ઝડપથી દુઃખ અને ડિપ્રેશન ઝડપથી ઘટતા કાઉન્સેલિંગથી ચોક્કસ ફાયદો થઈ શકે.
આવી સ્થિતિમાં શું કરવું? પોતાના જેવા જ અન્ય વિધુર કે વિધવા લોકોનું એક ગ્રૂપ બનાવી શકાય. આવા ગ્રૂપમાં અવનવા વિષયો પર ચર્ચા કે મજાની વાતચીત કરી શકાય. પોતે સદગતની સાથે ગાળેલી આનંદની પળોને વાગોળીને તેમજ તેના તરફથી થયેલા દુઃખદાયક વર્તનને માફ કરવાથી હળવાશ અનુભવાય છે.
જીવનસાથીની સ્મૃતિઓનો સંગ્રહ જીવનનું શ્રેષ્ઠ ભાથું બનાવી શકાય. જો પોતે પહેલાં મૃત્યુ પામ્યા હોત તો જીવિત રહેનાર જીવનસાથીને પોતે શું સલાહ આપેત એ વિચારીને એ જ બાબત પોતાના પર પણ લાગુ પાડવી જોઈએ. શારીરિક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા રોજ યોગ, પ્રાણાયામ અને કસરત તેમજ મોર્નિંગ વોક અનિવાર્ય કરવા. મૃત્યુ વિશેની આધ્યાત્મિક સમજ પણ ખૂબ મોટી સકારાત્મક ભૂમિકા ભજવી શકે. સદગત સ્મૃતિમાં હેલ્થ કે એજ્યુકેશન પાછળ નાણાં, સમય કે શક્તિ વાપરવાથી અગમ્ય શાંતિ મળે છે, એ હકીકત છે. એટલેજ કહેવાયું છે ને કે, પ્રિયજન સાથે વર્તમાનની ક્ષણો આનંદથી જીવી લેવામાં સંસારનો સાર છે. વિનિંગ સ્ટ્રોક
સંવેદનામાં એકાકાર થયેલા સદગતની સ્મૃતિની એક્સપાયરી અઘરી હોય છે.
https://www.divyabhaskar.co.in/magazine/kalash/news/when-a-life-partner-suddenly-passes-away-135208931.html
ન યનભાઇની આંખો લાલ હતી. ઉજાગરા સ્પષ્ટ દેખાતા હતા. કાર્ડિયોલોજીસ્ટના વેઈટિંગ રૂમમાં એમની સાથે એમનો દીકરો માર્કંડ ખડે પગે હતો. હમણાં જ કરાવેલ કાર્ડિયાક રિપોર્ટ્સમાં ચિંતાજનક ફેરફારો દેખાઈ રહ્યા હતા. ડૉક્ટરે જરૂરી દવાઓ સાથે મનોવૈજ્ઞાનિક મદદ લેવાનું સૂચન કર્યું.
એક મહિના પહેલાં જ પંચાવન વર્ષના નયનભાઇના બાવન વર્ષના જીવસમાન પત્ની લીનાબહેન હાર્ટએટેકથી મૃત્યુ પામ્યાં હતાં. નયનભાઇના માથે આભ તૂટી પડ્યું હતું. બન્યું એવું કે એમનું મૃત્યુ થયું એ જ દિવસે એમની એનિવર્સરી પણ હતી. જે દિવસે પતિ-પત્ની બંને એક થયાં હતાં એ જ દિવસે કાયમ માટે છૂટા પણ પડી ગયાં હતાં.
આ આઘાત ભયાનક હતો. એમના માટે લીનાબેન મિત્ર, પત્ની, સ્વજન અને સર્વસ્વ હતાં. આવી વ્યક્તિની કાયમી વિદાય સૌથી વધુ પીડા આપતી હોય છે. છેલ્લા એક મહિનાથી નયનભાઇને બરાબર ઊંઘ નહોતી આવતી. વહેલી સવારે એકાદ કલાક થાકીને આંખ મળે કે તરત જ ઝબકીને જાગી જવાય. મનમાં રડવાનું ચાલુ રહેતું હતું પણ આંખોમાંથી પાણી નહોતું નીકળતું. ધીમે ધીમે નયનભાઇની પણ જીવવાની ઈચ્છા મરતી જતી હતી. અમેરિકાના શિકાગોની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીની ફિનબર્ગ સ્કૂલ ઓફ મેડિસિનના ડો. ડાયના કિરીનોસના એક રિસર્ચ મુજબ સારી રીતે પરસ્પર સંકળાયેલાં જીવનસાથીનું મૃત્યુ એ વાસ્તવમાં તીવ્ર દુઃખદાયક અને તણાવજનક ઘટના હોય છે. આને લીધે વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ વધુ પડતી ડિસ્ટર્બ્ડ થઈ જાય છે. નિદ્રાના વિક્ષેપો થવાના શરૂ થઈ જાય છે.
આવી ઊંઘની ખલેલોને લીધે કાર્ડિયોવાસ્ક્યુલર બીમારીઓ અને મૃત્યુ સુદ્ધાનું જોખમ વધી જાય છે. અનિદ્રાથી શરીર પર સોજા પણ આવી શકે. બ્લડપ્રેશરમાં ફેરફારો થાય. કોન્સન્ટ્રેશનમાં તકલીફો થાય. ચીડિયાપણું આવે, સ્ટ્રેસ હોર્મોન્સ વધી જાય.
સાયકોસોમેટિક મેડિસિન જર્નલમાં પ્રકાશિત આ સંશોધનમાં જણાવ્યા મુજબ ઈન્ફ્લેમેશન એટલે કે સોજાનું સ્તર વધવાથી હૃદયરોગની સંભાવના વધે છે. પોતાના મૃત જીવનસાથી સાથે મજબૂત લાગણીથી જોડાયેલાં વિધવા કે વિધુરને જો અનિદ્રાની તકલીફ રહે તો હૃદયરોગની શક્યતા પણ બેથી ત્રણ ગણી વધી જાય છે. 101 લોકો પર થયેલો આ અભ્યાસ ખૂબ મહત્ત્વનો હતો. જેમાં સોજાનું પ્રમાણ શરીરના સાયટોકાઈન્સ નામના રસાયણના પ્રમાણ પરથી નક્કી કરવામાં આવ્યું હતું. જે રોગની સામે ટૂંકા ગાળાની લડત આપે છે. પરંતુ જો તે પ્રમાણ લાંબો સમય વધેલું રહે તો કાર્ડિયોવાસ્ક્યુલર ડિસીઝ સાથે પણ સંકળાય છે. તદઉપરાંત અન્ય ઈન્ફેક્શન તેમજ મનોદૈહિક રોગો થવાની પણ શક્યતા વધતી જાય છે. સતત ખાલીપો ડિપ્રેશન આપે છે. પ્રિય સ્વજનનું મૃત્યુ સ્ટ્રેસ માટેનું સૌથી મોટું કારણ છે.
જીવનસાથીના મૃત્યુ બાદની એકલતા અને પરવશતાની લાગણી ભલભલાને હચમચાવી શકે છે. ભારત જેવા દેશમાં વિભક્ત થતાં કુટુંબોમાં ઉંમરલાયક વિધુર કે વિધવાઓને સૌથી વધારે ચિંતા એ હોય છે કે એમને સંતાનો કેવી રીતે રાખશે. અલબત્ત, આ માટે બંને સાથીઓ જીવતાં હોય ત્યારે મજબૂત આર્થિક પ્લાનિંગ કરેલું હોય તો સલામતીની લાગણી મજબૂત રહે છે. કોઈપણ એક વ્યક્તિ મોટે ભાગે પહેલાં જ જવાની છે. એ દુઃખદ બાબત સ્વીકારવી પણ જરૂરી છે. સાથીના મૃત્યુનો જેટલો વહેલો સ્વીકાર થાય તેટલા ઝડપથી દુઃખ અને ડિપ્રેશન ઝડપથી ઘટતા કાઉન્સેલિંગથી ચોક્કસ ફાયદો થઈ શકે.
આવી સ્થિતિમાં શું કરવું? પોતાના જેવા જ અન્ય વિધુર કે વિધવા લોકોનું એક ગ્રૂપ બનાવી શકાય. આવા ગ્રૂપમાં અવનવા વિષયો પર ચર્ચા કે મજાની વાતચીત કરી શકાય. પોતે સદગતની સાથે ગાળેલી આનંદની પળોને વાગોળીને તેમજ તેના તરફથી થયેલા દુઃખદાયક વર્તનને માફ કરવાથી હળવાશ અનુભવાય છે.
જીવનસાથીની સ્મૃતિઓનો સંગ્રહ જીવનનું શ્રેષ્ઠ ભાથું બનાવી શકાય. જો પોતે પહેલાં મૃત્યુ પામ્યા હોત તો જીવિત રહેનાર જીવનસાથીને પોતે શું સલાહ આપેત એ વિચારીને એ જ બાબત પોતાના પર પણ લાગુ પાડવી જોઈએ. શારીરિક સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવા રોજ યોગ, પ્રાણાયામ અને કસરત તેમજ મોર્નિંગ વોક અનિવાર્ય કરવા. મૃત્યુ વિશેની આધ્યાત્મિક સમજ પણ ખૂબ મોટી સકારાત્મક ભૂમિકા ભજવી શકે. સદગત સ્મૃતિમાં હેલ્થ કે એજ્યુકેશન પાછળ નાણાં, સમય કે શક્તિ વાપરવાથી અગમ્ય શાંતિ મળે છે, એ હકીકત છે. એટલેજ કહેવાયું છે ને કે, પ્રિયજન સાથે વર્તમાનની ક્ષણો આનંદથી જીવી લેવામાં સંસારનો સાર છે. વિનિંગ સ્ટ્રોક
સંવેદનામાં એકાકાર થયેલા સદગતની સ્મૃતિની એક્સપાયરી અઘરી હોય છે.