tgoop.com/dwarkesh_education/752
Last Update:
Q) વિવિધ પંચવર્ષીય યોજનાઓ વિશે માહિતી આપેલ છે. નીચેના પૈકી કયા વિધાનો સત્ય છે ?
1. પ્રથમ પંચવર્ષીય યોજના : તે 1951 થી 1956 ના સમયગાળા માટે શરૂ કરવામાં આવી હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશના કૃષિ વિકાસ પર હતું.
2. બીજી પંચવર્ષીય યોજના : તે 1956 થી 1961 ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. તે પી.સી. મહાલનોબીસ (P.C. Mahalanobis)ના મોડેલ ઉપર આધારિત હતી. તેનું મુખ્ય લક્ષ્ય દેશના આર્થિક વિકાસ પર હતું.
3. ત્રીજી પંચવર્ષીય યોજના : તે 1961 થી 1966 ના સમયગાળા માટે તૈયાર કરવામાં આવી હતી. આ યોજનાનું મુખ્ય લક્ષ્ય અર્થતંત્રને સ્વતંત્ર બનાવવાનું હતું. તેમાં કૃષિ અને ઘઉંના ઉત્પાદનમાં સુધારણા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો.
4. ચોથી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 1969 થી 1974 સુધીનો હતો. આ યોજનાના મુખ્ય બે હેતુઓ હતા-સ્થિરતા સાથે વૃદ્ધિ અને આત્મનિર્ભરતાની પ્રગતિશીલ સિધ્ધિ. આ સમયગાળા દરમ્યાન મુખ્ય 14 ભારતીય બેંકોનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું અને હરિયાળી ક્રાંતિની શરૂઆત કરવામાં આવી.
5. બારમી પંચવર્ષીય યોજના : તેનો સમયગાળો 2012 થી 2017 સુધીનો હતો અને તેનો મુખ્ય ધ્યેય 'Faster, More Inclusive and Sustainable Growth (ઝડપી, વધુ સમાવિષ્ટ અને ટકાઉવિકાસ) હતો. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો.
(A) માત્ર 1, 2 અને 3
(B) માત્ર 2, 3 અને 4
(C) માત્ર 3, 4 અને 5
(D) 1, 2, 3, 4 અને 5 તમામ વિધાનો સાચાં છે. ✅
BY Dwarkesh Education - Step Towards Succes
Share with your friend now:
tgoop.com/dwarkesh_education/752