tgoop.com/JunagadhEducation/5705
Last Update:
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔵 રાવણનું મિથ્યાભિમાન (ગિરધર ) 🔵
➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔹 કવિ :- ગિરધરદાસ
👉 જન્મ વડોદરા જિલ્લાના માસર ગામમાં થયો હતો.
▪️ તેમના પિતાનું નામ ગરબદાસ.
💭 ‘ગિરધરકૃત રામાયણ’ અને ‘રાજસૂયયજ્ઞ’ તેમનાં જાણીતાં પુસ્તકો છે.
♣️ ‘ગિરધર ‘ મૌલિક, કલ્પિત કે ઐતિહાસિક કથાનું વિશદ રીતે આલેખન કરે છે અને એ રીતે કથાનિરૂપણનો નિરાળો રસ પેદા કરે છે.
🔷 સીતાના સ્વયંવર માટે જનકરાજાએ દરબારમાં શિવજીએ આપેલું ત્ર્યંબક નામનું ધનુષ્ય મૂક્યું હતું અને જાહેર કર્યું હતું કે જે કોઈ રાજા એ ધનુષ્ય ઉપાડી શકશે, તેની સાથે પુત્રી સીતાનાં લગ્ન થશે. લંકાનો રાજા રાવણ પણ સીતાના સ્વયંવરમાં હાજર રહ્યો હતો.
🔷તેને પોતાના બળનું અભિમાન હતું. એ રુઆબભેર ધનુષ્ય પાસે ગયો પણ ધનુષ્ય ઊપડ્યું નહિ અને તે ધનુષ્યતળે દબાઈ ગયો. તેની ભારે ફજેતી થઈ. એ પ્રસંગનું કવિએ આ કાવ્યમાં સુંદર વર્ણન કર્યું છે.
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
🔜Join :- @dabhivb_gk
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
ડાભી વિશાલ
BY @ Junagadh_Education @
Share with your friend now:
tgoop.com/JunagadhEducation/5705