MANISHSINDHI Telegram 43183
Manish Sindhi
Photo
*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

ફ્રાન્સિસ બેકન (1561- 1626) અંગ્રેજ દાર્શનિક, લેખક અને રાજનીતિજ્ઞ હતા. તેઓ તેમના ગહન વિચારો માટે જાણીતા છે. જેમ કે એવું કહેનારા તે પહેલા વ્યક્તિ હતા કે knowledge itself is power. અર્થાત્, જ્ઞાન હોવું અને જ્ઞાન વહેંચવું એ પ્રતિષ્ઠા, પ્રભાવ અને શક્તિની બુનિયાદ છે.
માણસની અંગત અને સામાજિક પ્રગતિ તેના જ્ઞાનની તાકાતમાંથી આવે છે. બેકને જ્ઞાનને એક શક્તિશાળી સાધન તરીકે જોયું હતું.

બેકનનું બીજું એક સૂત્ર દિલચસ્પ અને ગહન છે: Hope is a good breakfast, but it is a bad supper.
તેનો શબ્દશઃ અનુવાદ થાય છે- આશા નાસ્તા માટે સારી, પણ એનું ભોજન ના કરાય. તેનો ભાવાર્થ એ છે કે આશાવાદી હોવું તે સકારાત્મક અને પ્રેરણાદાયી ભાવ છે, પરંતુ વાસ્તવિકતાને સમજીને વ્યવહારિક વર્તન ના કરો, તો આશાનો ભાવ ઇચ્છિત પરિણામ સુધી ના લઈ જાય.

દાખલા તરીકે, વિદ્યાર્થીને એવી આશા હોય કે તે પરીક્ષામાં બહેતર દેખાવ કરે, પરંતુ તે આશાથી પ્રેરાઇને ભણવામાં મહેનત ના કરે તો આશા દગો દઈ જાય. આશા અને એક્શન વચ્ચે એક તંદુરસ્ત સંતુલન હોવું જોઈએ. આશા કારની ઇગ્નિશન કી છે, તેનાથી મશીન સ્ટાર્ટ થાય, પરંતુ કાર તો એક્સિલેટરના એકશનથી જ ચાલે.
જેમ સવારનો બ્રેકફાસ્ટ દિવસ શરૂ કરવા માટે ઊર્જા પૂરી પાડે અને મનને એકાગ્ર કરે, તેવી રીતે કોઈ કામ શરૂ કરવા માટે આશા પ્રેરણાનું કામ કરે છે.
બ્રેક ફાસ્ટ એટલે રાતનો ઉપવાસ (ફાસ્ટ) તોડવો (બ્રેક) તે. પરંતુ શરીર માટે અનિવાર્ય પોષણ ભોજનમાંથી આવે છે. તંદુરસ્ત અને તાકતવર રહેવા માટે ભોજન કરતા રહેવું પડે. માત્ર બ્રેકફાસ્ટ પર દિવસ કાઢો તો શરીર નબળું પડી જાય. માત્ર આશાવાદી બનીને બેસી રહો તો જીવન વેડફાઈ જાય.

*Happy Morning*



tgoop.com/manishsindhi/43183
Create:
Last Update:

*મોર્નિંગ મ્યુસિંગ્સ:*

ફ્રાન્સિસ બેકન (1561- 1626) અંગ્રેજ દાર્શનિક, લેખક અને રાજનીતિજ્ઞ હતા. તેઓ તેમના ગહન વિચારો માટે જાણીતા છે. જેમ કે એવું કહેનારા તે પહેલા વ્યક્તિ હતા કે knowledge itself is power. અર્થાત્, જ્ઞાન હોવું અને જ્ઞાન વહેંચવું એ પ્રતિષ્ઠા, પ્રભાવ અને શક્તિની બુનિયાદ છે.
માણસની અંગત અને સામાજિક પ્રગતિ તેના જ્ઞાનની તાકાતમાંથી આવે છે. બેકને જ્ઞાનને એક શક્તિશાળી સાધન તરીકે જોયું હતું.

બેકનનું બીજું એક સૂત્ર દિલચસ્પ અને ગહન છે: Hope is a good breakfast, but it is a bad supper.
તેનો શબ્દશઃ અનુવાદ થાય છે- આશા નાસ્તા માટે સારી, પણ એનું ભોજન ના કરાય. તેનો ભાવાર્થ એ છે કે આશાવાદી હોવું તે સકારાત્મક અને પ્રેરણાદાયી ભાવ છે, પરંતુ વાસ્તવિકતાને સમજીને વ્યવહારિક વર્તન ના કરો, તો આશાનો ભાવ ઇચ્છિત પરિણામ સુધી ના લઈ જાય.

દાખલા તરીકે, વિદ્યાર્થીને એવી આશા હોય કે તે પરીક્ષામાં બહેતર દેખાવ કરે, પરંતુ તે આશાથી પ્રેરાઇને ભણવામાં મહેનત ના કરે તો આશા દગો દઈ જાય. આશા અને એક્શન વચ્ચે એક તંદુરસ્ત સંતુલન હોવું જોઈએ. આશા કારની ઇગ્નિશન કી છે, તેનાથી મશીન સ્ટાર્ટ થાય, પરંતુ કાર તો એક્સિલેટરના એકશનથી જ ચાલે.
જેમ સવારનો બ્રેકફાસ્ટ દિવસ શરૂ કરવા માટે ઊર્જા પૂરી પાડે અને મનને એકાગ્ર કરે, તેવી રીતે કોઈ કામ શરૂ કરવા માટે આશા પ્રેરણાનું કામ કરે છે.
બ્રેક ફાસ્ટ એટલે રાતનો ઉપવાસ (ફાસ્ટ) તોડવો (બ્રેક) તે. પરંતુ શરીર માટે અનિવાર્ય પોષણ ભોજનમાંથી આવે છે. તંદુરસ્ત અને તાકતવર રહેવા માટે ભોજન કરતા રહેવું પડે. માત્ર બ્રેકફાસ્ટ પર દિવસ કાઢો તો શરીર નબળું પડી જાય. માત્ર આશાવાદી બનીને બેસી રહો તો જીવન વેડફાઈ જાય.

*Happy Morning*

BY Manish Sindhi




Share with your friend now:
tgoop.com/manishsindhi/43183

View MORE
Open in Telegram


Telegram News

Date: |

Activate up to 20 bots Other crimes that the SUCK Channel incited under Ng’s watch included using corrosive chemicals to make explosives and causing grievous bodily harm with intent. The court also found Ng responsible for calling on people to assist protesters who clashed violently with police at several universities in November 2019. Administrators Informative How to create a business channel on Telegram? (Tutorial)
from us


Telegram Manish Sindhi
FROM American